અનુયાયીઓ

બુધવાર, 26 નવેમ્બર, 2014

જેતપુરના પીઠડીયા નઝીક ટ્રેન હેઠળ ઝંપલાવી આદિવાસી પ્રેમી પંખીડાનો આપઘાત




વીરપુર જલારામ બાપાનાં દર્શન કરી 
જેતપુરના પીઠડીયા નઝીક ટ્રેન હેઠળ ઝંપલાવી 
આદિવાસી પ્રેમી પંખીડાનો આપઘાત 
જેતલસર  તા.26  KASHYAP  JOSHI DWARA 
જેતપુરના પીઠડીયા નઝીક આજે બપોરે એક આદિવાસી પ્રેમી પંખીડાઓએ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધાની ઘટના બનતા નઝરે જોનારના કાળજા કંપી ગયા હતા.
ચાર ચાર પોલીસ સ્ટેશનોમાં સત્તાધીસોની બનાવમાં હદ નક્કી કરવામાં વટી  ગયેલી માનવતાની હદ ની ચર્ચા કરીએ તો આજે બપોરના 2:30 થી 3:00  વિરપુરથી નીકળેલી ત્રિવેન્દ્રમ ટ્રેન હેઠળ એક યુવતી અને એક યુવાને ઝંપલાવી આપઘાત કરી લેતા બંનેના શરીરના કુરચે કુરચા ઉડી ગયા હતા.
આ સમયે સંબંધી રેલ બાબુઓએ ગાડી થોભી બંનેની લાશોના ટુકડા ટ્રેનના ડબ્બામાં મૂકી  જેતલસર જંકશન લઇ ગયા હતા.
બાદમાં આ બનાવ ક્યાં પોલીસની હદમાં બન્યો છે તેની ચિંતામાં પડેલ રેલ્વે પોલીસ, તાલુકા પોલીસ, વીરપુર પોલીસ તેમજ જેતપુર સીટી પોલીસ એમ તમામ જવાબદારીઓમાંથી  છટકવાની રીતસરની ગતિવિધિઓ કરી રહ્યા હતા.
બીજી બાજુ યુવક અને યુવતીની લાશો જેતલસર જંકશન માં વેઈટીગ રૂમમાં રાખી પોલીસ જવાનો બંને લાશની ઓળખવિધિ કરવાને બદલે હદ નક્કી કરવાની માથાકુટમાં પડી જતા કહેવાય છે કે મૃતકોનો મલાજો જાળવવામાં તમામ પોલીસ બિલકુલ નિષ્ફળ જોવા મળી હતી.  આ લખાય છે ત્યારે રાત્રીના નવ વાગ્યે જીઆરપીના જવાન માધાભાઈ એ અખબારી પ્રતિનિધીઓને લાશો ઓળખાઈ ગયાની માહિતી આપી હતી. 

બોક્સ: વીરપુર દર્શન કરી કર્યો આપઘાત !!
જેતલસર: જીઆરપી પોલીસે માહિતી આપતા જણાવેલ કે સોનલબેન દિનેશભાઈ વસાવા (ઉ.વ.17) તેમજ લાલો ભીખાભાઈ પાટણવાડિયા (ઉ.વ.22) એમ બંને પ્રેમી પંખીડા(રહે.મોકણ, તા.કરજણ, જી.ભરૂચ) આજે સવારે વીરપુર જલારામ બાપાનાં દર્શન કરીને કોઈ વાહનમાં જેતપુરના પીઠડીયા નઝીક રેલ્વે ટ્રેક (પાટા ) ઉપર આવી ગયા હતા. આ સમયે સમાજ આપણને એક થવા નહિ દે અને જીવ્યા સાથે તો મરિયે પણ સાથે તેવો એકબીજાને જાણે  કોલ આપી બેઠા હોય, થોડીવાર વાતો કરી, બરાબર  અઢી થી ત્રણ વાગ્યાની આસપાસ ત્યાંથી ઘસમસતી નીકળેલ ત્રિવેન્દ્રમ ટ્રેન હેઠળ ઝંપલાવી મોત વહાલા કરી દેતા બંનેના શરીરના કુરચા ઉડયા હતા.

બોક્સ: લાશો કેમ ઓળખાઈ ??
જેતલસર: જીઆરપીના જવાન માધાભાઈ પરમારે જણાવેલ કે જીઆરપીના ફોજદાર કુબાવતની સુચનાથી ગુજરાત પોલીસ જેતલસર જંકશનના માધાભાઈ, કાન્તીભાઈ વિગેરેએ બાંનેની લાશોની અંગજડતી લેતા એક મોબાઈલ મળી આવ્યો હતો. જેમાં 
 વાયા મીડિયા સંપર્કો કરી વાલીઓને જાણ  કરી પૂછપરછ કરતા આ બંને સોનલ દિનેશ વસાવા  અને લાલો ભીખાભાઈ હોવાનું અને પ્રેમ સબબ ભાગ્યા હોવાનું કરજણ કે ભરૂચ પોલીસ મથકોમાં નોંધાયાનું બહાર આવ્યું હતું

બોક્સ: 2 લાશો, 4 પોલીસ સ્ટેશનો, 6 કલાક હદ નક્કી કરવામાં પોલીસ લાચાર !!
જેતલસર: કરજણ પંથકના પ્રેમી પંખીડાઓએ જેતપુર નઝીક આત્મા હત્યા કરી લીધાની બપોરની ઘટનામાં જેતલસર રેલ્વે પોલીસ, વીરપુર પોલીસ, જેતપુર તાલુકા પોલીસ અને જેતપુર શહેર પોલીસ એમ ચાર ચાર પોલીસ મથકોના જવાબદારો બનાવની હદ નક્કી કરવામાં માનવતાની હદ વટાવી નાખતા જાણકારોમાં પોલીસની ટીકાઓ થઇ રહી છે. છેક રાત્રીનાં સાડા આઠ વાગ્યા થી નવ વાગ્યા દરમીયાન પ્રેમીઓની લાશો પીએમ માટે જેતપુર ની સરકારી હોસ્પીટલમાં લાવી હતી. બપોરથી રાતના નવ વાગ્યા સુધીમાં શહેરના પત્રકારોએ અનેક ફોન ચારે પોલીસ સ્ટેશનોમાં કર્યા હતા પણ બધા એકજ કેસેટ વગાડતા હતા કે કાગળો આવ્યા નથી, અમારી હદનો બનાવ નથી.

કશ્યપ જોશી જેતપુર જેતલસર 
9974262812