અનુયાયીઓ

મંગળવાર, 16 જૂન, 2015

લુણાગરા ગામે જુગાર રમતા તાલુકા ભાજપના પ્રમુખ સહીત 5 ઝડપી લીધા


અનેક રાજકીય ભલામણોને ઠુકરાવી વિરપુરના ફોજદાર જોશીએ
લુણાગરા ગામે જુગાર રમતા તાલુકા 
ભાજપના પ્રમુખ સહીત 5 ઝડપી લીધા 
જેતપુર તા.16
જેતપુર ના વીરપુર પોલીસના ફોજદાર જોશીએ ગઈકાલે એક કડક અમલદારની ફરજ નિભાવી, રાજકીય ભલામણોને ઠેબે ચડાવી જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ સહીત પાંચને લુણાગરાં ગામે જુગાર દરોડો પાડી ઝડપી લીધાની વાત ટોક ઓફ ધી તાલુકા એરિયા બની છે.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના લુણાગરા ગામે પ્રવીણ રવજી ધંધુકિયા નામનો શખ્શ પોતાના ઘરે આવક માટે નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાની વીરપુર પોલીસને બાતમી મળતા, વિરપુરના ફોજદાર જોશીએ કોઈ પણ વિલંબ કર્યા વગર વીરપુરમાં પ્રવીણના મકાન ઉપર જુગાર દરોડો પાડતા, ત્યાં જુગાર રમતા બાબુ પોલા પરમાર, અશોક ટપુ વાઘાણી, ચંદુ રામજી પટેલ, પ્રવીણ રવજી તથા જેતપુર તાલુકા પંચાયતના માજી પ્રમુખ અને હાલના જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ સુભાષ  બાંભરોલીયા તીનપત્તીનો હાર જીતનો જુગાર રમતા રોકડ રૂપિયા 10300 સાથે પકડાઈ ગયા હતા..
જુગાર દરોડા દરમિયાન ઉપરોકત ભાજપના સનિષ્ઠ આગેવાને પોતાની લાગવગના ટેકાચોકા ભેગા કરવા કહેવાય છે કે અથાગ પ્રયત્નો કર્યા હતા. પણ ફોજદાર જોશીએ તમામ ભલામણોને પ્રાધાન્ય આપવાને બદલે ફરજને નૈતિકતા સમજી કાર્યવાહી કરતા છૂટવા મથતા ઉપરોક્ત આગેવાન સહીત પાંચેય સામે વીરપુર પોલીસમાં ગુનો નોંધાયો હતો.

જેતપુરના પાંચપીપળા ગામે ખાંટ પરિવારોમાં મોડી રાત્રીએ ધમાલ 
ફૈબાને પત્ની તરીકે રાખનારને ટપારવા ગયેલા ભત્રીજા ઉપર છરી વતી હુમલો 
જેતપુર તા.16
જેતપુર તાલુકના પાંચ પીપળા ગામે ગઈકાલે ફઈબાને પત્ની તરીકે રાખનાર શખ્શને સમજાવવા ગયેલા ભત્રીજા ઉપર છરી વતી હુમલો કરાયાની તાલુકા પોલીસ દફતરે ફરિયાદ નોંધાવાતા ફોજદાર કરમટીયાએ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જેતપુરના પાંચપીપળા ગામે રેહેતા મેરામ બચું ખાંટ નામના શખ્શે સુરેશ ધીરુ સરવૈયા નામના યુવાનના ફૈબાને વગર લગ્ને પત્ની તરીખે રાખ્યા હોય, ભત્રીજા એવા સુરેશે મેરામને ટપાર્યો હતો કે આ શું ધંધા આચર્યા છે ? શરમ નથી આવતી ? આવી વાતથી ટપારવા ગયેલા સુરેશને મેરામે ખચાખચ બે છરીના ઘા મારી ઘાયલ કરી દીધાની તાલુકા પોલીસ દફતરે ફરિયાદ નોંધાવાઈ છે.
તો સામા પક્ષે મેરામ બચું ખાંટે પણ પોતાના ઉપર સુરેશ સરવૈયાએ લોખંડના પાઈપ વતી હુમલો કર્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને ફરિયાદોના આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.

જેતપુરના વાળાડુંગરા ગામે ખોડીયાર માતાજીના 
મંદિરમાંથી સોનાના છાત્તરની ચોરી 
જેતપુર તા.15
જેતપુર તાલુકાના વાળાડુંગરા ગામે આવેલ ખોડિયાર માતાજીના મંદિરમાંથી ગઈકાલે રાત્રીના કોઈ નિશાચરો રૂપિયા 23000 નું સોનાનું છત્તર ચોરી કરી લઇ ગયા હતા. આ બાબતે મંદિરનું રખોપું કરતા જગદીશ મનજી રાઠોડની ફરિયાદ પરથી વીરપુર પોલીસના પીએસાઈ જોશીએ વધુ તપાસ હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812




જેતપુર વાવડી વચ્ચેના રેલ પાટા ની પીન કાઢીને જેતલસર - ઢસા ટ્રેનને ઉથલાવવા નિષ્ફળ પ્રયાસ

જેતપુર વાવડી વચ્ચેના રેલ પાટા ની પીન કાઢીને 
જેતલસર - ઢસા ટ્રેનને ઉથલાવવા નિષ્ફળ પ્રયાસ 
ડ્રાઈવર પ્રદીપસિંહ પરમારની સમયસચુક્તાથી મોટો અકસ્માત અટક્યો ! ઉતારુઓના જીવ તાળવે !?
20 મિનીટ ટ્રેન થોભાવીને ડ્રાઇવર-આસી.ડ્રાઇવર અને ગાર્ડે સર્જાનાર અકસ્માતને રોકતા સરાહના !! 

જેતલસર (જેતપુર) તા.16 કશ્યપ જોશી 

ગઈકાલે રાત્રે જેતપુર વાવડી નજીકથી પસાર થતી જેતલસર ઢસા રૂટની ટ્રેનને ઉથલાવવા કોઈ હરામખોર તત્વોએ આચરેલા પ્રયાસને પારખી ગયેલા એન્જીન ડ્રાઈવરે સમયસચુક્તાના દર્શન કરાવી મોટી ટ્રેન દુર્ઘટના  રોકી દેતા ટ્રેનમાંના ઉતારુઓના શ્વાસ હેઠા હતા. 
આ બાબતે મળતી વિગતો મુજબ ગઈકાલે રાત્રીના 8-42 વાગ્યે જેતલસર ઢસા રૂટની 52947 નંબરની મીટરગેજ ટ્રેન જેતપુર વાવડી વચ્ચે પહોચી ત્યારે રાબેતા મુજબના ટ્રેનના વ્હીલના પાટા ઉપરના અવાજમાં ફેરફાર જણાતા ડ્રાઇવર પ્રદીપસિંહ પરમારે ગાડી થોભાવી દીધી હતી. દરમિયાન પ્રદીપસિંહ, આસીસ્ટંટ ડ્રાઈવર પ્રકાશ મારું તેમજ ગાર્ડ રાજકિશોર એમ ત્રણેય ટ્રેન નીચે ઉતરી રેલ ટ્રેક (પાટા ) ચેક કરતા કિલોમીટર 119/7 થી 120 સુધીના પાટાની ચાર કી(પીન, ચાવી - બે પાટાની વચ્ચે લગાડેલી હોય ) કોઈ હરામખોર તત્વોએ કાઢી નાખી, રેલવેને નુકશાન પહોચાડવા, ઉપરોક્ત ગાડીને ઉથલાવવા હીન પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું હતું.
બનાવની જાણ થતા જ આરપીએફના પીઆઈ, સ્ટાફના ફોજદાર જાખડ, , મદદનીશ ફોજદાર મુંડકર, આરપીએફ એલાઈબી વિક્રમભાઈ હુદડ, ભાવેશભાઈ વીરડા, સેક્શન એન્જીનીયર કમાંણી અને સોમાભાઈ વી કાફલો ઘટના સ્થળે દોડી જઈ બનાવનો સુરાગ મેળવવા તપાસ આદરી હતી.
વીશેક મિનીટ જેતપુર સુરવો વચ્ચે થોભેલી આ ટ્રેનમાં કૈક અજુગતું બન્યું હોવાની શંકા સાથે મુસાફરો ટ્રેન નીચે ઉતરી, હેં, શું થયું ? જેવા પ્રશ્નો સાથે જયારે જાણ્યા કે ટ્રેન ઉથલતા બચી ગઈ ત્યારે સૌના જીવ તાળવે ચોંટી ગયા હતા. પણ આરપીએફ અને રેલવેના અધિકારીઓ તેમજ સ્ટાફની સમજાવટથી દુર્ઘટના બનતી અટકી હોવાનું ઉતારુઓને કહેવામાં આવતા તમામના શ્વાસ હેઠા બેઠા હતા !
બોક્સ: અજાણ્યા શખ્શ સામે નોંધાયો ગુનો..
જેતપુર : જેતલસર રેલવેના સેક્શન એન્જીનીયર અમૃતલાલ પાંચાણભાઈ કામાણીએ જેતપુર તાલુકા પોલીસમાં રેલ્વે એક્ટ 1989 ની કલમ 150(1)(એ) તેમજ પ્રી ઓફ પબ્લિક પ્રોપર્ટીની કલમ 184 વી કલમો મુજબ ગુનો નોંધાવતા જેતપુર તાલુકા ફોજદાર કરમટીયાની સુચનાથી જમાદાર બાબુભાઈ સોસાએ તપાસ હાથ ધરી છે.
જેતલસર (જેતપુર) કશ્યપ જોશી