જેતપુર વાવડી વચ્ચેના રેલ પાટા ની પીન કાઢીને
જેતલસર - ઢસા ટ્રેનને ઉથલાવવા નિષ્ફળ પ્રયાસ
ડ્રાઈવર પ્રદીપસિંહ પરમારની સમયસચુક્તાથી મોટો અકસ્માત અટક્યો ! ઉતારુઓના જીવ તાળવે !?
20 મિનીટ ટ્રેન થોભાવીને ડ્રાઇવર-આસી.ડ્રાઇવર અને ગાર્ડે સર્જાનાર અકસ્માતને રોકતા સરાહના !!
જેતલસર (જેતપુર) તા.16 કશ્યપ જોશી
ગઈકાલે રાત્રે જેતપુર વાવડી નજીકથી પસાર થતી જેતલસર ઢસા રૂટની ટ્રેનને ઉથલાવવા કોઈ હરામખોર તત્વોએ આચરેલા પ્રયાસને પારખી ગયેલા એન્જીન ડ્રાઈવરે સમયસચુક્તાના દર્શન કરાવી મોટી ટ્રેન દુર્ઘટના રોકી દેતા ટ્રેનમાંના ઉતારુઓના શ્વાસ હેઠા હતા.
આ બાબતે મળતી વિગતો મુજબ ગઈકાલે રાત્રીના 8-42 વાગ્યે જેતલસર ઢસા રૂટની 52947 નંબરની મીટરગેજ ટ્રેન જેતપુર વાવડી વચ્ચે પહોચી ત્યારે રાબેતા મુજબના ટ્રેનના વ્હીલના પાટા ઉપરના અવાજમાં ફેરફાર જણાતા ડ્રાઇવર પ્રદીપસિંહ પરમારે ગાડી થોભાવી દીધી હતી. દરમિયાન પ્રદીપસિંહ, આસીસ્ટંટ ડ્રાઈવર પ્રકાશ મારું તેમજ ગાર્ડ રાજકિશોર એમ ત્રણેય ટ્રેન નીચે ઉતરી રેલ ટ્રેક (પાટા ) ચેક કરતા કિલોમીટર 119/7 થી 120 સુધીના પાટાની ચાર કી(પીન, ચાવી - બે પાટાની વચ્ચે લગાડેલી હોય ) કોઈ હરામખોર તત્વોએ કાઢી નાખી, રેલવેને નુકશાન પહોચાડવા, ઉપરોક્ત ગાડીને ઉથલાવવા હીન પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું હતું.
બનાવની જાણ થતા જ આરપીએફના પીઆઈ, સ્ટાફના ફોજદાર જાખડ, , મદદનીશ ફોજદાર મુંડકર, આરપીએફ એલાઈબી વિક્રમભાઈ હુદડ, ભાવેશભાઈ વીરડા, સેક્શન એન્જીનીયર કમાંણી અને સોમાભાઈ વી કાફલો ઘટના સ્થળે દોડી જઈ બનાવનો સુરાગ મેળવવા તપાસ આદરી હતી.
વીશેક મિનીટ જેતપુર સુરવો વચ્ચે થોભેલી આ ટ્રેનમાં કૈક અજુગતું બન્યું હોવાની શંકા સાથે મુસાફરો ટ્રેન નીચે ઉતરી, હેં, શું થયું ? જેવા પ્રશ્નો સાથે જયારે જાણ્યા કે ટ્રેન ઉથલતા બચી ગઈ ત્યારે સૌના જીવ તાળવે ચોંટી ગયા હતા. પણ આરપીએફ અને રેલવેના અધિકારીઓ તેમજ સ્ટાફની સમજાવટથી દુર્ઘટના બનતી અટકી હોવાનું ઉતારુઓને કહેવામાં આવતા તમામના શ્વાસ હેઠા બેઠા હતા !
બોક્સ: અજાણ્યા શખ્શ સામે નોંધાયો ગુનો..
જેતપુર : જેતલસર રેલવેના સેક્શન એન્જીનીયર અમૃતલાલ પાંચાણભાઈ કામાણીએ જેતપુર તાલુકા પોલીસમાં રેલ્વે એક્ટ 1989 ની કલમ 150(1)(એ) તેમજ પ્રી ઓફ પબ્લિક પ્રોપર્ટીની કલમ 184 વી કલમો મુજબ ગુનો નોંધાવતા જેતપુર તાલુકા ફોજદાર કરમટીયાની સુચનાથી જમાદાર બાબુભાઈ સોસાએ તપાસ હાથ ધરી છે.
જેતલસર (જેતપુર) કશ્યપ જોશી









ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો