અનુયાયીઓ

સોમવાર, 15 જૂન, 2015

રોજ સવારના બે કલાક ચા-નાસ્તાની સેવાની સર્વત્ર સરાહના !

શ્રી હરિઓમ ભોજનાલય દ્વારા જેતપુરમાં 
રોજ સવારના બે કલાક ચા-નાસ્તાની સેવાની સર્વત્ર સરાહના !
જેતપુર તા.15
જેતપુરના ખોડપરા વિસ્તારમાં માત્ર 10 રૂપરડીમાં ભુખ્યાઓની જઠરાગ્ની ઠારતા શ્રી હરીઓમ ભોજનાલય દ્વારા વધુ એક સેવા યજ્ઞ ચાલુ કરાયો છે.  જે બાબતે એવી વિગતો મળી રહી છે કે આ સેવારત ભોજનાલય દ્વારા હવે દરરોજ સવારના 6 થી 8 વાગ્યા દરમિયાન જેતપુરના સરકારી-બિનસરકારી દવાખાનાઓ, ફૂટપાથ તેમજ રસ્તે રજળતા, ગરીબો તેમજ ભિક્ષુકોને ચા અને ગાંઠિયાનો નાસ્તો કરાવાય રહ્યો છે. 
આ સેવાની મિશાલ પકડનાર કાળુભાઈ જોશી(લીંબુ મરચાવાળા) ઉર્ફે જોશીબાપા કહે છે કે ખાસ કરીને દવાખાનામાં દાખલ થયેલ દર્દીઓ સાથેના સગાઓ આખી રાત દવાખાનામાં હેરાન પરેશાન થઇ વહેલી સવારે ચા નાસ્તો શોધવા નીકળતા હોય છે. આ વાત તેઓના ધ્યાનમાં આવતા એકપણ પૈસા વગર આવા લોકોને તેમજ રસ્તે મળતા જરૂરીયાતમંદોને, દવાખાનાઓ પર સવારના 6 થી 8 બે કલાક સુધી ચા-ગાંઠીયાનો નાસ્તો પીરસાઈ રહ્યો છે. રોજ તમે આવી સેવા કેમ કરી શકો ? તેવા સવાલના જવાબમાં જોશીબાપાએ જણાવેલ કે '' હું તો માત્ર નિમિત્ત છું '' પૂરું કરવાવાળો હજાર હાથવાળો બેઠો છે !!'' પ્રસ્તુત તસવીરોમાં પોતાનો ધંધો-રોજગાર છોડીને બસ એક માત્ર સેવાનો ભેખ ધારી પોતાની મારુતિવાન સાથે અને સેવા પીરસતા જોશીબાપા દેખાય છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી  જેતપુર જેતલસર 

ટિપ્પણીઓ નથી: