ન્યુરોલોજીના દર્દ અને આધુનીક સારવારઃ જનઉપયોગી વેબસાઇટનો શુભારંભ
રાજકોટ તા. ર૪: સૌરાષ્ટ્રનાં ''મેડિકલ હબ'' ગણાતા રાજકોટ શહેરનાં સર્વે ન્યુરોલોજીસ્ટ દ્વારા ન્યુરોલોજી સોસાયટી ઓફ રાજકોટની ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે સ્થાપના કરવામાં આવેલ છે. ન્યુરોલોજી સોસાયટી તથા એસોસિયેશન ઓફ ફિઝીશીયન ઓફ રાજકોટનાં સંયુકત ઉપક્રમે રાજકોટમાં એક દિવસીય કોન્ફરન્સ ''ન્યુરો અપડેટ-ર૦૧૩''નું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં ભારતભરમાંથી ખ્યાતનામ ન્યુરોલોજીસ્ટ્સને વ્યાખ્યાન આપવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતાં, જેમાં મુંબઇથી ડો. ખાદીલકર તથા ડો. જોય દેસાઇ, પુનાથી ડો. રાહુલ કુકલર્ણી, બેંગ્લોરથી ડો. ગુરૂપ્રસાદ તથા અમદાવાદથી ડો. સ્વાતિ, ડો. ભાટિયા તથા ડો. મુકેશ શર્મા મુખ્ય હતા. આ કોન્ફરન્સમાં સૌરાષ્ટ્રભરમાંથી ફિઝીશીયન ડોકટર્સે ભાગ લીધો હતો અને ન્યુરોલોજી વિષયમાં થયેલા તાજેતરનાં સંશોધન વિષે માહિતગાર થયા હતાં. આ કોન્ફરન્સને સફળ બનાવવા ન્યુરોલોજી સોસાયટીનાં સેક્રેટરીશ્રીઓ ડો. ગૌરવ દવે તથા ડો. બીપીન ભીમાણીએ તથા અન્ય સભ્યશ્રીઓ ડો. અલ્પેશ પંડયા, ડો. સિદ્ધાર્થ કૌલ, ડો. મેહુલ પટેલ, ડો. તરૂણ ગોંડલિયા, ડો. દિપક ધામી વગેરેએ જહેમત ઉઠાવી હતી. આ નિમિત્તે સોસાયટીના પ્રમુખ ડો. સુધીર શાહે જણાવ્યું હતું કે ન્યુરોલોજી સોસાયટીનો મુખ્ય હેતુ ન્યુરોલોજી વિષય તથા તેની બિમારીઓ વિષેની માહિતી તથા જ્ઞાનની વહેંચણી તથા પ્રસાર સર્વે તબીબો તથા સામાન્ય જન માંહે કરવાનો છે. આ ધ્યેયને અનુલક્ષીને ન્યુરોલોજી સોસાયટી ઓફ રાજકોટની અધિકૃત વેબસાઇટ www.neurologyrajkot.com પ્રસિધ્ધ કરવામાં આવી હતી. આ અન્ય વેબસાઇટમાં ન્યુરોલોજીકલ બિમારીઓ વિષે ગુજરાતી તથા અંગ્રેજીમાં સામાન્ય જનને સમજણ પડે તેવી ભાષામાં માહિતી પીરસવામાં આવી છે. સર્વે તબીબો માટે પણ આ વેબસાઇટમાં અલગ વિભાગ છે. આ વેબસાઇટને તૈયાર કરી રજૂ કરવામાં ન્યુરોલોજી સોસાયટીનાં ડો. નિશીથ પટેલ તથા ડો. નિરવ સંઘાણીએ અથાગ પરિશ્રમ કરેલ છે. રાજકોટના ફિઝીશીયન એસોસિયેશનનાં પ્રમુખશ્રી ડો. કીરીટ દેવાણીએ આ પ્રસંગ દરમ્યાન જણાવ્યું હતું કે રાજકોટનાં ન્યુરોલોજીસ્ટસ દ્વારા પ્રસંશનીય કામગીરી કરવામાં આવી રહેલ છે. તેમણે આ કોન્ફરન્સ અને વેબસાઇટને ઉદાહરણીય તથા અનુકરણીય ગણાવેલ હતી અને સર્વે તબીબો તથા સમગ્ર જનતાને આ વેબસાઇટનો સંપૂર્ણ લાભ લેવા માટે અનુરોધ કરેલ છે.
રાજકોટ તા. ર૪: સૌરાષ્ટ્રનાં ''મેડિકલ હબ'' ગણાતા રાજકોટ શહેરનાં સર્વે ન્યુરોલોજીસ્ટ દ્વારા ન્યુરોલોજી સોસાયટી ઓફ રાજકોટની ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે સ્થાપના કરવામાં આવેલ છે. ન્યુરોલોજી સોસાયટી તથા એસોસિયેશન ઓફ ફિઝીશીયન ઓફ રાજકોટનાં સંયુકત ઉપક્રમે રાજકોટમાં એક દિવસીય કોન્ફરન્સ ''ન્યુરો અપડેટ-ર૦૧૩''નું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં ભારતભરમાંથી ખ્યાતનામ ન્યુરોલોજીસ્ટ્સને વ્યાખ્યાન આપવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતાં, જેમાં મુંબઇથી ડો. ખાદીલકર તથા ડો. જોય દેસાઇ, પુનાથી ડો. રાહુલ કુકલર્ણી, બેંગ્લોરથી ડો. ગુરૂપ્રસાદ તથા અમદાવાદથી ડો. સ્વાતિ, ડો. ભાટિયા તથા ડો. મુકેશ શર્મા મુખ્ય હતા. આ કોન્ફરન્સમાં સૌરાષ્ટ્રભરમાંથી ફિઝીશીયન ડોકટર્સે ભાગ લીધો હતો અને ન્યુરોલોજી વિષયમાં થયેલા તાજેતરનાં સંશોધન વિષે માહિતગાર થયા હતાં. આ કોન્ફરન્સને સફળ બનાવવા ન્યુરોલોજી સોસાયટીનાં સેક્રેટરીશ્રીઓ ડો. ગૌરવ દવે તથા ડો. બીપીન ભીમાણીએ તથા અન્ય સભ્યશ્રીઓ ડો. અલ્પેશ પંડયા, ડો. સિદ્ધાર્થ કૌલ, ડો. મેહુલ પટેલ, ડો. તરૂણ ગોંડલિયા, ડો. દિપક ધામી વગેરેએ જહેમત ઉઠાવી હતી. આ નિમિત્તે સોસાયટીના પ્રમુખ ડો. સુધીર શાહે જણાવ્યું હતું કે ન્યુરોલોજી સોસાયટીનો મુખ્ય હેતુ ન્યુરોલોજી વિષય તથા તેની બિમારીઓ વિષેની માહિતી તથા જ્ઞાનની વહેંચણી તથા પ્રસાર સર્વે તબીબો તથા સામાન્ય જન માંહે કરવાનો છે. આ ધ્યેયને અનુલક્ષીને ન્યુરોલોજી સોસાયટી ઓફ રાજકોટની અધિકૃત વેબસાઇટ www.neurologyrajkot.com પ્રસિધ્ધ કરવામાં આવી હતી. આ અન્ય વેબસાઇટમાં ન્યુરોલોજીકલ બિમારીઓ વિષે ગુજરાતી તથા અંગ્રેજીમાં સામાન્ય જનને સમજણ પડે તેવી ભાષામાં માહિતી પીરસવામાં આવી છે. સર્વે તબીબો માટે પણ આ વેબસાઇટમાં અલગ વિભાગ છે. આ વેબસાઇટને તૈયાર કરી રજૂ કરવામાં ન્યુરોલોજી સોસાયટીનાં ડો. નિશીથ પટેલ તથા ડો. નિરવ સંઘાણીએ અથાગ પરિશ્રમ કરેલ છે. રાજકોટના ફિઝીશીયન એસોસિયેશનનાં પ્રમુખશ્રી ડો. કીરીટ દેવાણીએ આ પ્રસંગ દરમ્યાન જણાવ્યું હતું કે રાજકોટનાં ન્યુરોલોજીસ્ટસ દ્વારા પ્રસંશનીય કામગીરી કરવામાં આવી રહેલ છે. તેમણે આ કોન્ફરન્સ અને વેબસાઇટને ઉદાહરણીય તથા અનુકરણીય ગણાવેલ હતી અને સર્વે તબીબો તથા સમગ્ર જનતાને આ વેબસાઇટનો સંપૂર્ણ લાભ લેવા માટે અનુરોધ કરેલ છે.

