અનુયાયીઓ

ગુરુવાર, 4 જૂન, 2015

જેતપુર નાઝીક બાઈક સ્લીપ થતા અનીડાના પ્રૌઢનું મોત

જેતપુર નાઝીક બાઈક સ્લીપ થતા અનીડાના પ્રૌઢનું મોત 
જેતપુર તા. 4
ગઈકાલે સાંજે જેતપુરના જાંબુડી પાસે બાઈક સ્લીપની ઘટનામાં અનીડાના એક વણકર પ્રૌઢનું મોત થયાની ઘટના તાલુકા પોલીસ દફતરે નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ કોટડા સાંગાણી તાલુકાના અનીડા વાછાડાના વણકર કરશનભાઈ પોલોઅભાઈ વાઘેલા ગઈકાલે સાંજે કડિયા કામ પતાવી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમનું બાઈક જેતપુર ના જાંબુડી ગામ નજીક સ્લીપ થઇ જતા તેમને માથામાં ગંભીર ઈજાઓ સાથે સરકારી એમ્બ્યુલન્સ 108 માં જેતપુર સરકારી હોસ્પીટલે લઇ જવાતા હતા. પણ કરશનભાઈનો મૃતદેહ જ દવાખાને પહોંચ્યો હતો. સરકારી હોસ્પીટલે પીએમ માટે આવેલ આ ડેડબોડી અંગે હોસ્પિટલસુત્રોની જાણ પરથી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાની હાથ ધરી છે.

જેતપુરમાં ચોરીનો વિચિત્ર બનાવ !!
તસ્કરો રૂ.1.50 લાખની 3 ભેંસ ચોરી ગયા !!
જેતપુર તા.4
જેતપુરના ટાકુડીપરા વિસ્તારમાં એક વાડામાં બાંધેલી 3 ભેંસ કોઈ તસ્કરો હંકારી ઉઠાવી ગયાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા પોલીસ પણ અચરજ પામી ગઈ છે.
અત્રેના ટાકુડીપરા વિસ્તારમાં રહેતા જગદીશભાઈ મનજીભાઈ પાંભર નામના ખેડૂતે પોતાના વાડામાં બાંધેલી રૂપિયા 1 લાખ 50 હજારની ત્રણ ભેંસ કોઈ પશુચોર ગઈ મોડી રાત્રીના ખીલેથી છોડી, હંકારી, ઉઠાવી ગયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા ફોજદાર જાડેજાએ નવતર ચોરની શોધખોળ આદરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 


''વિસામા'' પરની ભૂદેવની પ્રથમ અર્થીએજ યમરાજાને 24 કલાક કોઈની જીવાદોરી ના ખેંચવા દીધી !

જેતપુરના સ્મશાનગૃહમાં બનેલી અચરજભરેલી ઘટના !!
''વિસામા'' પરની ભૂદેવની પ્રથમ અર્થીએજ  યમરાજાને       24 કલાક કોઈની  જીવાદોરી ના ખેંચવા દીધી !
----------------------------------------------------------------
વિસામાના લોકાર્પણ બાદ 24 કલાક જેતપુરમાં કોઈનું  મૃત્યુ ના થતા આ વાતે પાછલા 25 વર્ષનો રેકોર્ડ તોડ્યો ! સ્વભંડોળમાંથી ઉભી કરાયેલી સેવાનું ફળ મળ્યાનો પલીકાસુત્રોનો મત : પા.પ્રમુખ 
------------------------------------------------------------------------------------------------------------------
જેતપુર તા.5
જેતપુરમાં મુખ્ય સ્મશાનઘાટમાં બે દિવસ પહેલા ડાઘુઓ માટે  શરુ કરાયેલ ''વિસામા'' ની સેવા દરમીયાન આ સેવાનો લાભ સ્થાનિક ભૂદેવની અર્થીને લાભ મળ્યા બાદ આ સ્મશાન ગૃહમાં 24 કલાક સુધી કોઈની ડેડબોડી અંત્યેષ્ટિ માટે નહિ આવતા આ પ્રજા સુવિધાનું ફળ તાત્કાલિક મળી ગયાની એક આસ્થા જેતપુર પાલિકા પ્રમુખ રમાબેન મકવાણાએ વ્યક્ત કરી હતી.
મળતી વિગતો મુજબ જેતપુર નવાગઢ નગર પાલિકાએ સ્વભંડોળમાંથી અહીના ભાદર નદી કાંઠે આવેલ સ્મશાનગૃહમાં ડાઘુઓ માટે  ''વીસામો'' અને ચબૂતરાની રૂપિયા 3.70 લાખના ખર્ચે સેવાઓ ઉભી કરી છે. આ બંને સેવાઓ ગઈ તા.2-6-2015 ના રોજ વપરાશ માટે પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા, ચીફ ઓફિસર ભરત વ્યાસ,  પવડી ચરમેન મંગલાણી, ઉપપ્રમુખ સુરેશ સખારેલીયા, વિગેરેની હાજરીમાં ખુલ્લી મુકાઈ હતી.
આવા સમયેજ શહેરના એક વયોવૃદ્ધ દિનકરભાઈ  પંડયાની ડેડબોડી અંત્યેષ્ટિ માટે આવતા આ પ્રથમ મૃતદેહ નવનિર્મિત વિસામા પર ડાઘુઓએ રાખી હતી. આ ઘટના સાથે આસ્થાની એક એ વાત વણાઈ ગઈ હતી કે વિસામા પર દિનકરભાઈનો મૃતદેહ  પછીની 24 કલાક સુધી કોઈની ડેડબોડી અંત્યેષ્ટિ માટે નહિ આવતા પાલિકા પ્રમુખ રમાબેને જણાવેલ કે દિનકરભાઈનો મૃતદેહ વિસામા ઉપર રખાયા બાદ યમરાજાએ 24 કલાક સુધી કોઈની જીવાદોરી નાં ખેંચી એટલેકે કોઈનું જેતપુરમાં મૃત્યુ ના થતા, આ એક  છેલ્લાં 25 વર્ષની પહેલી ઘટના હોવાની આસ્થા પાલિકા સુત્રોએ વ્યક્ત કરી હતી. 
ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર જેતલસર 




પરશુરામજી ભગવાન બાબતે અભદ્ર ટીપ્પણી કરનાર તત્વોને શોધી સજા કરવા જેતપુર બ્રહ્મ સમાજની માંગ

ફેસબુક ઉપર બ્રહ્મસમાજના આરાધ્ય દેવ એવા 
પરશુરામજી ભગવાન બાબતે અભદ્ર ટીપ્પણી કરનાર 
તત્વોને શોધી સજા કરવા જેતપુર બ્રહ્મ સમાજની માંગ 
સમસ્ત બ્રહ્મસમાજ જેતપુરના આગેવાનોનું મામલતદારને આવેદન 
જેતપુર તા.5
કોઈ હરામખોર તત્વોએ બ્રહ્મ સમાજના આરાધ્યદેવ એવા શ્રી પરશુરામજી ભગવાન વિષે અભદ્ર ટીપ્પણી ફેસબુક પર ફરતી કરતા આ વાતને શખ્ત શબ્દોમાં વખોડી કાઢી કસુરવાર તત્વોને પકડી પાડી સજા સરાવવા સમસ્ત બ્રહ્મ સમાજના આવેવાનોએ આજે જેતપુરના મામલતદારને આવેદન આપ્યું હતું..
મળતી વિગતો મુજબ છેલ્લાં 2 દિવસ થયા ફેસબુક ઉપર '' ભારત એક રહસ્ય '' નામની આઈડી ઉપર કોઈ હરામખોર તત્વોએ ભૂદેવોના આરાધ્ય દેવ ઉપરાંત સકળ સૃષ્ટિ માટે પૂજનીય રામાવતાર શ્રી પરશુરામજી ભગવાનના ફોટો ઉપર અહી લખી નાં શકાય તેવા અભદ્ર શબ્દો લખી હિંદુ સમાજની ધાર્મિક લાગણી દુભાવી છે.
આવી બોગસ આઈડી બનાવી કોઈ પણ કોમ, સમાજ, દેવી-દેવતાઓને ઉતારી પાડવા કે તેઓ વિષે અભદ્ર વાણી વિલાસ કરવો તે સંબંધિત ધર્મ, સમાજ માટે દુઃખ-રોષના આંચકારૂપ  હોય, આવી ગુસ્તાખી કરી ધાર્મિક વિવાદ છેડનારને પકડી પાડી આકરી સજા કરવામાં આવે તેવી માંગ સાથે આજે સમસ્ત બ્રહ્મ સમાજ જેતપુરના પ્રમુખ જયંતીભાઈ(કાળુભાઈ)જોશી, હિતેશભાઈ રાવલ, પ્રવીણભાઈ વ્યાસ, અલ્પેશ વ્યાસ, ઉમાશંકર જોશી, નીલેશ જોશી, કશ્યપ જોશી(પત્રકાર) ઉપેન્દ્ર વ્યાસ, શુભાષ તેરૈયા, દીપક ત્રિવેદી, અશ્વિનભાઈ વ્યાસ, બ્રહ્મસમાજ મહિલા મંડળના  ક્રિષ્નાબેન તથા નીતાબેન મહેતા આગેવાનોએ મામલતદાર કચેરીએ દોડી મામલતદાર ભોરણીયાને આવેદન સુપ્રત કર્યું હતું..
ફોટો અને સમાચાર- કશ્યપ જોશી જેતપુર