જેતપુરના સ્મશાનગૃહમાં બનેલી અચરજભરેલી ઘટના !!
''વિસામા'' પરની ભૂદેવની પ્રથમ અર્થીએજ યમરાજાને 24 કલાક કોઈની જીવાદોરી ના ખેંચવા દીધી !
----------------------------------------------------------------
વિસામાના લોકાર્પણ બાદ 24 કલાક જેતપુરમાં કોઈનું મૃત્યુ ના થતા આ વાતે પાછલા 25 વર્ષનો રેકોર્ડ તોડ્યો ! સ્વભંડોળમાંથી ઉભી કરાયેલી સેવાનું ફળ મળ્યાનો પલીકાસુત્રોનો મત : પા.પ્રમુખ
------------------------------------------------------------------------------------------------------------------
જેતપુર તા.5
જેતપુરમાં મુખ્ય સ્મશાનઘાટમાં બે દિવસ પહેલા ડાઘુઓ માટે શરુ કરાયેલ ''વિસામા'' ની સેવા દરમીયાન આ સેવાનો લાભ સ્થાનિક ભૂદેવની અર્થીને લાભ મળ્યા બાદ આ સ્મશાન ગૃહમાં 24 કલાક સુધી કોઈની ડેડબોડી અંત્યેષ્ટિ માટે નહિ આવતા આ પ્રજા સુવિધાનું ફળ તાત્કાલિક મળી ગયાની એક આસ્થા જેતપુર પાલિકા પ્રમુખ રમાબેન મકવાણાએ વ્યક્ત કરી હતી.
મળતી વિગતો મુજબ જેતપુર નવાગઢ નગર પાલિકાએ સ્વભંડોળમાંથી અહીના ભાદર નદી કાંઠે આવેલ સ્મશાનગૃહમાં ડાઘુઓ માટે ''વીસામો'' અને ચબૂતરાની રૂપિયા 3.70 લાખના ખર્ચે સેવાઓ ઉભી કરી છે. આ બંને સેવાઓ ગઈ તા.2-6-2015 ના રોજ વપરાશ માટે પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા, ચીફ ઓફિસર ભરત વ્યાસ, પવડી ચરમેન મંગલાણી, ઉપપ્રમુખ સુરેશ સખારેલીયા, વિગેરેની હાજરીમાં ખુલ્લી મુકાઈ હતી.
આવા સમયેજ શહેરના એક વયોવૃદ્ધ દિનકરભાઈ પંડયાની ડેડબોડી અંત્યેષ્ટિ માટે આવતા આ પ્રથમ મૃતદેહ નવનિર્મિત વિસામા પર ડાઘુઓએ રાખી હતી. આ ઘટના સાથે આસ્થાની એક એ વાત વણાઈ ગઈ હતી કે વિસામા પર દિનકરભાઈનો મૃતદેહ પછીની 24 કલાક સુધી કોઈની ડેડબોડી અંત્યેષ્ટિ માટે નહિ આવતા પાલિકા પ્રમુખ રમાબેને જણાવેલ કે દિનકરભાઈનો મૃતદેહ વિસામા ઉપર રખાયા બાદ યમરાજાએ 24 કલાક સુધી કોઈની જીવાદોરી નાં ખેંચી એટલેકે કોઈનું જેતપુરમાં મૃત્યુ ના થતા, આ એક છેલ્લાં 25 વર્ષની પહેલી ઘટના હોવાની આસ્થા પાલિકા સુત્રોએ વ્યક્ત કરી હતી.
ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર જેતલસર


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો