LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શુક્રવાર, 20 નવેમ્બર, 2015
અવસાન નોંધ :
જેતપુરના નવાગઢના શ્રી વિષ્ણુ ભગવાનના પીઠડીયાના તુલસીજી સાથે ધામધુમથી વિવાહ
નવાગઢ-પીઠડીયાની ધર્મપ્રેમી જનતામાં પ્રભુ વિવાહ ઉજવવા ભારે થનગનાટ
જેતપુરના નવાગઢના શ્રી વિષ્ણુ ભગવાનના
પીઠડીયાના તુલસીજી સાથે ધામધુમથી વિવાહ
જેતપુર તા.૨૦ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરના નવાગઢમાંથી કાર્તિક પૂર્ણિમાના શુભ દિને એટલે દેવદિવાળીના પાવન દિવસે ભગવાન શ્રી વિષ્ણુ સોળે સણગાર સજીને વાજતે ગાજતે જેતપુર પંથકના પીઠડીયા ગામે તુલશીજીના આંગણે પહોંચશે, પ્રભુના આ અનન્ય લગ્નની તૈયારીઓ માટે નવાગઢને અદકેરા રૂપથી શણગારાય રહ્યું છે.
નવાગઢ અત્યારે શ્રી વિષ્ણુભૂમિમાં ફેરવાઇ ગયું છે, કારણ અહી કોઈ પામર માનવી નહિ પણ પ્રભુના લગ્ન ઉજવાઈ રહ્યા છે. આ માટે નવાગઢ પટેલ ચોકમાં તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ છે. કંકોત્રીઓ વિતરણ થઇ રહી છે, આ લગ્નની તમામ બાબત વિધીવત કરાય છે. તા.૨૨ના પ્રભુના લગનીયા લેવાશે તે પહેલા તા.૨૧ના સાંજે ૫ થી ૬ શ્રી રામજી મંદિર ખાતે સાંજીના ગીત ગવાશે, તા.૨૨ને સવારે ૯ કલાકે મંડપ મૂર્હત અને બપોરે ૧.૩૦ કલાકે વાજતે ગાજતે ભગવાન શ્રી વિષ્ણુજી પાલખીમાં બેસી જાનરૂપે પ્રસ્થાન કરશે. ભગવાન શ્રી વિષ્ણુજી એટલે કે વરપક્ષે નવાગઢના નેહલબેન તથા કલ્પેશભાઇ કિરીટભાઇ જાગાણી રહેશે.
જ્યારે જેતપુર પંથકના પીઠડીયા ગામે ભગવાન શ્રી વિષ્ણુની જાનને સત્કારવા માતા ભગવતી તુલશીવૃંદાના કન્યા પક્ષે રણજીતભાઇ ગીજુભાઇ ધાધલ ખડે પગે રહેશે. નવાગઢના પ્રજાજનો આ લગ્નને ધામધુમથી ઉજવવા થનગની રહ્યા છે. તો પીઠડીયા ગામપણ આ મહામોંઘી જાનને સત્કારવા અધીરા બન્યા છે.
બોક્સ: તુલશીજીનું અનેક રીતે મહાત્મય...
આપણા પુરાણોમાં તુલશીજીને લક્ષ્મીનું રૂપ ગણાવાયું છે, માટે જ કારતક સુદ એકાદશી કે પુનમના દિવસે ભગવાન શ્રી વિષ્ણુના લગ્ન તુલશીજી સાથે કરવામાં આવે છે, ધાર્મિક ગ્રંથોમાં પણ તુલશીજીનું વિશીષ્ટ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. અને તેમાં કાર્તિકમાસમાં તેનુ મહત્વ ઘણું વધારે છે. એવું કહેવાય છે કે, આ માસમાં હંમેશા ભક્તિથી જે તુલશીજીનું દર્શન કરે છે, સ્થર્શ કરે છે, ધ્યાન કરે છે, વાવે છે, જલ પાય છે, કે નમસ્કાર કે સ્મૃતિ કરે છે એમ આ નવ પ્રકારે જે તુલશીજીની સેવા કરે છે તેવો હજારો યુગો સુધી વૈકુંઠમાં સ્થાન મેળવે છે. આથી જ ઘરના આંગણામાં તુલશીજીનો ક્યારો રાખવામાં આવે છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨

