અનુયાયીઓ

શનિવાર, 15 ડિસેમ્બર, 2018

મેંગોપીપલ પરીવારના બાળકોએ લીધી સ્વામીનારાયણ નગરની મુલાકાત






તાજેતરમાં નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મેંગોપીપલ પરીવારના ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારોના બાળકો એ સ્વામિનારાયણ નગર પીકનીક ની માજા માણી હતી .

બાળકો એ ત્યાં ની કલાકૃતી અને પ્રવેશદ્વાર નિહાળી ઉપરાંત દરેક ડોમ ની પણ મુલાકાત લીધેલી. વ્યસન મુક્તિ અને માતાપિતા ની સાચી સેવા જેવી અનેક સમજણો મેળવી બાળકો ધન્ય બનેલ.
પીકનીક ના આયોજન માં ઉષાબેન, નિલેશભાઈ, અશોકસિંહ, તથા બ્રિજેશભાઈ એ સુંદર સહકાર આપેલ.

અત્રે ઉલ્લેખનીય છે કે મેંગોપીપલ પરીવાર ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારો ના બાળકો માટે છેલ્લા ૫ વર્ષ થી સતત કાર્યશીલ સંસ્થા છે. તે આવા બાળકો માટે રાજકોટ તથા જામનગર માં ફ્રી એજ્યુકેશન ક્લાસ ચલાવી રહી છે. સંસ્થા ની વધુ માહિતી માટે પ્રમુખ શ્રી મનીષભાઈ રાઠોડ ( મો. ૯૨૭૬૦૦૭૭૮૬/૯૨૨૭૦૦૭૭૮૬

રાજ્યના ખેડુતોના હિતમાં જમીન માપણીની અક્ષમ્ય ભૂલોના વિરોધ માટે ચાલતા આંદોલનને ગુજરાત ખેડૂત સમાજ રાજકોટ જિલ્લા પ્રમુખ સહિત રાજ્યના ખેડુત સંગઠનો સમર્થન આપવા મક્કમ


લેન્ડ રેકર્ડ વિભાગના કર્મચારીઓએ તારીખ 17 થી 21 ડિસેમ્બર દરમિયાન કાળી પટી બાંધી ફરજ બજાવશે.

 વર્ષ 2010 - 11 થી રાજ્ય સરકાર દ્વારા આધુનિક રીતે જમીન માપણી કરવા માટે  સંયુક્ત જિલ્લા ઓને પાઇલોટ પ્રોજેક્ટ તરીકે સ્વીકારી કામગીરી હાથ ધરાઈ હતી જમીન માપણી માટે બનેલ મેન્યુઅલ ખૂબ જ સરસ હતો, કાગળ પરના નિયમો પરફેક્ટ હતા પણ બધા નિયમો કાગળ પર રહ્યા ને આખી જમીન માપણી પણ કાગળ પર જ કરી નાખવામાં આવી જેના કારણે ગુજરાતના લગભગ 125 કરોડ સર્વે નમ્બરમાં ગોટાળા થયા, ખેતરો કાગળ પર ગોટાળે ચડ્યા છે., લાંબા ટૂંકા થયા, ત્રિકોણ હતા લંબ ચોરસ થયા આવી અનેક ભૂલો સામે આવી છે.

     ગુજરાત ખેડૂત સમાજ પ્રમુખ ચેતન ગઢીયા અને સતત 5 વર્ષની લડતના ફળ સ્વરૂપ સરકારને 5814 ગામોને પ્રોમોલગેસન કરતા અટકાવવાની ફરજ પડી અને 12220 ગામોમાં જ્યાં પ્રમોલગેસન થઈ ગયું છે એવા ગામોમાં ભૂલ સુધારણા અરજી દ્વારા જમીન માપણીની ભૂલો સુધારવી શક્ય જ નથી ને અત્યારે આવો સરકાર આવો જે  પ્રયત્ન કરી રહી છે એ "ધૂળમાં કાંકરા જોવા કે સોવા" કહેવત જેવું કામ આદર્યું છે જેના કારણે લેન્ડ રેકર્ડ શાખાના વર્ગ 3ના કર્મચારીઓ અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે "લ્યે  લાલો ને ભારે હરદા" જેવી હાલત વર્ગ 3ના કર્મચારીઓની થઈ છે.

જમીન માપનીનું બધું ખોટું કામ ખાનગી એજન્સીઓ કરી ગયા, જમીન માપણી બાબતે મંજુર થયેલા બધા જ રૂપિયા ખાનગી એજન્સીઓ કાઈ કામ કર્યા વગર ચાઉ કરી ગયા છે ને એમની ભૂલો સર્વેયેરોએ સુધારા કરવાનો સમય આવ્યો છે. સર્વેયેરોએ જે રેગ્યુલર કામ કરવાનું હોય એ બધું મૂકીને આ ખાનગી એજન્સીઓએ કરેલી ભૂલો સુધારવા સર્વેયેરોને કામે લગાડ્યા છે, 2 વર્ષથી જમીન માપણીની લગતું ખેડૂતનું એકપણ રેગ્યુલર કામ સર્વેયેરો કરી શક્યા નથી.

સર્વેયેરોનું ખરેખર જે કામ છે એ કરાવવાને બદલે ખાનગી એજન્સીના ગોટાળા સુધારવા લેન્ડ રેકર્ડ ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યું છે. ખાનગી એજન્સીઓએ કરેલા ગોટાળા સરકારી સર્વેયેરો પાસે સુધરાવવા સર્વેયરોને કામે લગાડવા એટલે ગુજરાતના ખેડૂતોને હેરાન કરવા, ગુજરાતની જનતાના નાણાં ખોટી જગ્યાએ વાપરવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેના કારણે સર્વેયેરો પર કામનું એટલું બધું ભારણ આવી પડ્યું છે કે સર્વેયેરોએ ઇતિહાસમાં પહેલી વખત જિલ્લા બહાર જઈ કામ કરવાની ફરજ પડી છે.

એટલું જ નહીં સર્વેયેરોએ ડિસેમ્બર મહિનામાં રિસર્વે વાંધા અરજીઓ દફ્તરી, કામગીરી તથા હુકમો કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. સર્વેયેરો દીઠ રોજની 8 દરખાસ્ત પુરી કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે જે અશક્ય છે. માનવ અધિકારોનું હનન થઈ રહ્યું છે. એવું કર્મચારીઓ જણાવી વિરોધનો સુર પુરાવી રહ્યા છે અને લેન્ડ રેકર્ડ વિભાગના કર્મચારીઓએ તારીખ 17 થી 21 ડિસેમ્બર દરમિયાન કાળી પટી બાંધી ફરજ બજાવશે.

જ્યારે 24 થી 29  ડિસેમ્બર દરમિયાન લેન્ડ રેકર્ડ વિભાગના વર્ગ 3ના કર્મચારી મંડળના તમામ જિલ્લાના ના પ્રતિનિધિ વતી 5 કર્મચારીઓ પ્રતીક ઉપવાસ કરશે ત્યારબાદ 31 ડિસેમ્બરના રોજ રાજ્યના તમામ જિલ્લાના લેન્ડ રેકર્ડ વિભાગના કચેરીના વર્ગ 3 ના કર્મચારીઓ માસ સીએલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી વિરોધ નોંધાવી આંદોલન કરવા જઈ રહ્યા છે. ત્યારે ગુજરાત ખેડૂત સમાજ અને ગુજરાતના વિવિધ ખેડુત સંગઠનો તેમની સાથે ટેકામાં  સમર્થન જાહેર કરી રહ્યા છે...
ઔદ્યોગિક કલસ્ટરના ટ્રીટ કરેલ વેસ્ટ વોટરને
ડીપ સી ડીસ્ચાર્જ કરવાની પોલીસી જાહેર
કરતી સરકાર : જેતપુરના ઉદ્યોગપતિઓ ખુશ


અમદાવાદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જેતપુર ડાઈંગ એશો.ના ૧૦૦ જેટલા પ્રતિનીધીઓની હાજરી


અમદાવાદ ખાતે ગુજરાત રાજ્યના સંતુલિત વિકાસની વાતે રાજ્ય સરકાર દ્વારા EASE OF DOING BUSINESS અંતર્ગત લીધેલા ઝડપી અને પ્રેરક નિર્ણયોને બિરદાવવા માટે મુખ્યમત્રી વિજયભાઈ રૂપાણીનો અભિવાદન સમારોહ ગુજરાત રાજ્યના તમામ સયુંકત પર્યાવરણીય અને ઓદ્યોગિક વિકાસ માટેની માળખાકીય સુવિધાઓના એશો.નો દ્વારા યોજાયેલ.

જેમાં જયદ્રથસિંહ પરમાર, રાજ્યકક્ષાના મંત્રી, કૃષિ, પંચાયત અને પર્યાવરણ, બળવંતસિંહ રાજપૂત(અધ્યક્ષ ગુજરાત ઓદ્યોગિક વિકાસ નિગમ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં જેતપુરના ટેક્ષટાઈલ ઉદ્યોગના પ્રતિનિધિ તરીકે જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એશો. દ્વારા ૧૦૦ જેટલા કારખાનેદાર સભ્યો તેમજ પ્રમુખ રાજુભાઈ હીરપરા, ઉપપ્રમુખ જેન્તીભાઈ રામોલીયા, કારોબારીઓ ગોવિંદભાઈ ઠુંમર, સુરેશભાઈ સખરેલીયા, ભાવિકભાઈ વૈષ્ણવ અને સર્વે કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.

સમારોહમાં મુખ્યમંત્રીએ જીપીસીબી તેમજ જીઆઈસીડીસીને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકારે લીધેલા નિર્ણયોની જાહેરાત કરી હતી. તેમજ સમગ્ર રાજ્યના જુદા જુદા ઓદ્યોગિક કલસ્ટરના ટ્રીટ કરેલ વેસ્ટ પાણીને ડીપ સી ડીસ્ચાર્જ માટેની પોલીસીની મહત્વની જાહેરાત કરી હતી. જેનેન જેતપુર સહિતના સમગ્ર ઉદ્યોગકારોએ ઉત્સાહ સાથે વધાવી લીધી હતી.

આ નવા અને ખુબ મહત્વાકાંક્ષી પ્રોજેકને લીધે શુદ્ધ કરેલ ઓદ્યોગિક વેસ્ટ પાણીના નિકાલનો પ્રશ્ન સરળ થતા સંતુલિત વિકાસ સાથે પર્યાવરણની જાળવણી અને રોજગારીની નવી તકોનું સર્જન થશે. મુખ્યમંત્રીના દીપ સી ડીસ્ચાર્જ પોલીસીની જાહેરાત અંગે રાજ્ય સરકારના અભિગમને લીધે જેતપુરના ઉદ્યોગકારો વતી જેતપુર ડાઈંગ એશો.જોદેદારોએ રાજ્યસરકાર અ(ને મુખ્યમંત્રીનો આભાર માન્યો હોવાનું રાજુભાઈ હિરપરાએ જણાવ્યું હતું.

“ડુબેલી પ્રાચીન સોનાની દ્વારિકા ઉપર દરિયાઈ પ્રજાતિનો અભ્યાસ કરતા છાત્રો



ભારત દેશના રાષ્ટ્રિય ઉત્પાદનમાં ખેતી અને ખનીજ પેદાશોની સમક્ષક મરીન પ્રોડકટ પણ મોટો હિસ્સો ધરાવે છે. તેમજ હવા, પૃથ્વી અને પાણીના પેટાળમાં વસતી પ્રજાતિઓનો વૈવિધ્ય માણવા જમનગરથી આશરે ૧૨૫ કિલોમીટર દુર આવેલ ડની આઈલેન્ડથી વિશેષ કોઈ જગ્યા નથી. ધવલ ઈન્ટરનેશનલ સ્કૂલ જેતપુરના વિદ્યાર્થીનું એક ગ્રુપ પંચજન્ય પર્યાવરણ ટ્રસ્ટના એમ.ડી અને દરિયાઈ પ્રજાતિના નિષ્ણાંત  રવિભાઈ વાઢેર અને અન્ય પર્યાવરણ વિંદ  સાથે ત્રિદિવસીય શિબિરમાં હવા, પાણી અને જમીનની પ્રજાતિનો ઊંડો અભ્યાસ કર્યો હતો.






જેમાં મરીનપ્રોજેક્ટ નીચે હેલ્થ માટે અતિ ઉપયોગી એવી Algae(શેવાળ), લીલ અને અન્ય ઔષધીય વનસ્પતિઓ સાથે સ્ટાર ફિશ, પેફર ફિશ, ક્રેબ્સ, સી રેબીટસ, પોમ્ફર્ટ, ઓક્ટોપસ અને લોબસ્ટર જેવી અલભ્ય અને કિંમતી જીવંત દરિયાઈ પ્રજાતિનો અભ્યાસ કર્યો. ગગનમાં વિહરતા પક્ષીઓના અભયારણ્યમાં સાઈબીરીયાથી લઈને દુર પૂર્વના યુરોપિયન દેશોની પક્ષીઓની પ્રજાતિઓની જીવનશૈલી વિષે પ્રત્યક્ષ શિક્ષણ મેળવેલ દરિયાની અંદર પાંગરતી સૌથી સુંદર પ્રજાતિ પરવાળાઓને જોઇને વિધાર્થીઓએ સમુદ્રની સુંદરતાનો અહેસાસ કરેલ, તેમજ આ અભ્યાસ વર્ગની સાથેસાથ વિધાર્થીઓએ સ્વીમીંગ, ફ્લોટિંગ અંડર વોટેર વોકિંગ જેવા કરતબો નેચર કલેમીટી જેવા પ્રસંગોએ જીવનરક્ષાનીતાલીમો મેળવેલ. અંતમાં દરિયાઈ પ્રજાતિની ઈશ્વરની સૌથી સુંદર સર્જન એટલે કે ડોલ્ફિન કે જે માણસના મગજ જેવી વિચારિક શક્તિ ધરાવતી પ્રજાતિ સાથે ડી.જે. ના સથવારે ડોલ્ફિન ડાંન્સ મધદરિયે માણેલ હતો.

જેતપુરના મોટાગુંદાળા ગામે રૂ.૩૦ હજારની ઘરફોડ ચોરી


 જેતપુર તા.૧૫
ગઈકાલે જેતપુર તાલુકાના મોટાગુંદાળા ગામે એક રહેણાંક મકાનમાં ત્રાટકેલા તસ્કરો રોકડ રૂપિયા ૧૨ હજાર અને સોના ચાંદીના દાગીના મળી રૂપિયા ૩૦ હજારની મત્તા ચોરી કરી ગયાની જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જેતપુર  તાલુકાના મોટાગુનાદાલા ગામે રહેતા હરસુખભાઈ નાથાભાઈ સોલંકી મકાનમાં ગઈકાલે પ્રવેશેલા તસ્કરો રોકડ ૧૨ હજાર તથા ૧૮ હજારના સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૩૦ હજારની મત્તા ચોરી ગયા હતા. આ બનાવની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પીએસઆઈ પી.જે.બાંટવાએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જીવનની અંતિમ ક્ષણો પત્નીની સમાધિ પાસેજ ગાળી વયોવૃદ્ધનો ગળાફાંસો ખાઈ આપઘાત : પડધરીના પાટી રામપરનો બનાવ


રાજકોટ તા.૧૫
પડધરી તાલુકાના પાટી રામપર ગામે રહેતા એક વયોવૃદ્ધે ગઈકાલે સ્મશાનમાં પત્નીની સમાધિ નજીકના વૃક્ષ સાથે દોરડું ભરાવી ગળાફાંસો ખાઈ લેતા જાણકારોમાં અરેરાટી વ્યાપી છે.
પ્રાપ્ત વિગતો મુજબ પડધરી પોલીસના એ.એસ.આઈ.પુજાબેન મંડલીએ "સાંજસમાચાર"ને જણાવ્યું હતું કે, પડધરી તાલુકાના પાટી રામપર ગામે રહેતા બળવંતભાઈ લક્ષ્મણભાઈ કણબી નામના ૮૨ વર્ષના રાવળદેવ વયોવૃદ્ધે ગઈકાલે ગામના સ્મશાનમાં પોતાના પત્નીની સમાધિ સ્થળ નજીકના જ વૃક્ષની ડાળીએ દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.
બનાવની જાણ પરથી પડધરી પોલીસ ઘટના સ્થળે દોડી જઈને મૃતક બળવંતભાઈના મૃતદેહને પીએમ માટે હોસ્પીટલે ખસેડેલ. પુજબેને વધુ વિગતો આપી હતી કે મૃતક વયોવૃદ્ધને ૪ સંતાનોમાં ૨ પુત્ર અને ૨ પુત્રી છે. લાંબા સમય થયા તેમના દિકરાની સાથે રહેતા હતા. પણ છેલ્લા દોઢ બે મહિના થયા તેઓ પત્નીની સમાધિ સ્થળ નજીક પાથરણું પાથરી રાત દિવસ ગાળતા હતા. પત્નીના વિરહમાં બળવંતભાઈએ આ પગલું ભર્યાનું મનાય છે. વધુ તપાસ પડધરી પોલીસે હાથ ધરી છે.