અનુયાયીઓ

શનિવાર, 15 ડિસેમ્બર, 2018

ઔદ્યોગિક કલસ્ટરના ટ્રીટ કરેલ વેસ્ટ વોટરને
ડીપ સી ડીસ્ચાર્જ કરવાની પોલીસી જાહેર
કરતી સરકાર : જેતપુરના ઉદ્યોગપતિઓ ખુશ


અમદાવાદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જેતપુર ડાઈંગ એશો.ના ૧૦૦ જેટલા પ્રતિનીધીઓની હાજરી


અમદાવાદ ખાતે ગુજરાત રાજ્યના સંતુલિત વિકાસની વાતે રાજ્ય સરકાર દ્વારા EASE OF DOING BUSINESS અંતર્ગત લીધેલા ઝડપી અને પ્રેરક નિર્ણયોને બિરદાવવા માટે મુખ્યમત્રી વિજયભાઈ રૂપાણીનો અભિવાદન સમારોહ ગુજરાત રાજ્યના તમામ સયુંકત પર્યાવરણીય અને ઓદ્યોગિક વિકાસ માટેની માળખાકીય સુવિધાઓના એશો.નો દ્વારા યોજાયેલ.

જેમાં જયદ્રથસિંહ પરમાર, રાજ્યકક્ષાના મંત્રી, કૃષિ, પંચાયત અને પર્યાવરણ, બળવંતસિંહ રાજપૂત(અધ્યક્ષ ગુજરાત ઓદ્યોગિક વિકાસ નિગમ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં જેતપુરના ટેક્ષટાઈલ ઉદ્યોગના પ્રતિનિધિ તરીકે જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એશો. દ્વારા ૧૦૦ જેટલા કારખાનેદાર સભ્યો તેમજ પ્રમુખ રાજુભાઈ હીરપરા, ઉપપ્રમુખ જેન્તીભાઈ રામોલીયા, કારોબારીઓ ગોવિંદભાઈ ઠુંમર, સુરેશભાઈ સખરેલીયા, ભાવિકભાઈ વૈષ્ણવ અને સર્વે કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.

સમારોહમાં મુખ્યમંત્રીએ જીપીસીબી તેમજ જીઆઈસીડીસીને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકારે લીધેલા નિર્ણયોની જાહેરાત કરી હતી. તેમજ સમગ્ર રાજ્યના જુદા જુદા ઓદ્યોગિક કલસ્ટરના ટ્રીટ કરેલ વેસ્ટ પાણીને ડીપ સી ડીસ્ચાર્જ માટેની પોલીસીની મહત્વની જાહેરાત કરી હતી. જેનેન જેતપુર સહિતના સમગ્ર ઉદ્યોગકારોએ ઉત્સાહ સાથે વધાવી લીધી હતી.

આ નવા અને ખુબ મહત્વાકાંક્ષી પ્રોજેકને લીધે શુદ્ધ કરેલ ઓદ્યોગિક વેસ્ટ પાણીના નિકાલનો પ્રશ્ન સરળ થતા સંતુલિત વિકાસ સાથે પર્યાવરણની જાળવણી અને રોજગારીની નવી તકોનું સર્જન થશે. મુખ્યમંત્રીના દીપ સી ડીસ્ચાર્જ પોલીસીની જાહેરાત અંગે રાજ્ય સરકારના અભિગમને લીધે જેતપુરના ઉદ્યોગકારો વતી જેતપુર ડાઈંગ એશો.જોદેદારોએ રાજ્યસરકાર અ(ને મુખ્યમંત્રીનો આભાર માન્યો હોવાનું રાજુભાઈ હિરપરાએ જણાવ્યું હતું.

ટિપ્પણીઓ નથી: