અનુયાયીઓ

શનિવાર, 15 ડિસેમ્બર, 2018

જીવનની અંતિમ ક્ષણો પત્નીની સમાધિ પાસેજ ગાળી વયોવૃદ્ધનો ગળાફાંસો ખાઈ આપઘાત : પડધરીના પાટી રામપરનો બનાવ


રાજકોટ તા.૧૫
પડધરી તાલુકાના પાટી રામપર ગામે રહેતા એક વયોવૃદ્ધે ગઈકાલે સ્મશાનમાં પત્નીની સમાધિ નજીકના વૃક્ષ સાથે દોરડું ભરાવી ગળાફાંસો ખાઈ લેતા જાણકારોમાં અરેરાટી વ્યાપી છે.
પ્રાપ્ત વિગતો મુજબ પડધરી પોલીસના એ.એસ.આઈ.પુજાબેન મંડલીએ "સાંજસમાચાર"ને જણાવ્યું હતું કે, પડધરી તાલુકાના પાટી રામપર ગામે રહેતા બળવંતભાઈ લક્ષ્મણભાઈ કણબી નામના ૮૨ વર્ષના રાવળદેવ વયોવૃદ્ધે ગઈકાલે ગામના સ્મશાનમાં પોતાના પત્નીની સમાધિ સ્થળ નજીકના જ વૃક્ષની ડાળીએ દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.
બનાવની જાણ પરથી પડધરી પોલીસ ઘટના સ્થળે દોડી જઈને મૃતક બળવંતભાઈના મૃતદેહને પીએમ માટે હોસ્પીટલે ખસેડેલ. પુજબેને વધુ વિગતો આપી હતી કે મૃતક વયોવૃદ્ધને ૪ સંતાનોમાં ૨ પુત્ર અને ૨ પુત્રી છે. લાંબા સમય થયા તેમના દિકરાની સાથે રહેતા હતા. પણ છેલ્લા દોઢ બે મહિના થયા તેઓ પત્નીની સમાધિ સ્થળ નજીક પાથરણું પાથરી રાત દિવસ ગાળતા હતા. પત્નીના વિરહમાં બળવંતભાઈએ આ પગલું ભર્યાનું મનાય છે. વધુ તપાસ પડધરી પોલીસે હાથ ધરી છે.

ટિપ્પણીઓ નથી: