અનુયાયીઓ

રવિવાર, 4 ઑક્ટોબર, 2015

શ્રી ગાંધેશ્વર મહાદેવ મંદિરે ઉજવી ગાંધી જયંતી

ચારણ સમઢીયાળાના વાલ્મીકી સમાજે વડીયામાં

શ્રી ગાંધેશ્વર મહાદેવ મંદિરે

ઉજવી ગાંધી જયંતી

જેતલસર તા.૪ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર તાલુકાના ચારણ સમઢીયાળા નજીકના વડીયા ગામે આજથી ૧૫૦ વર્ષ પહેલા રાજાશાહી યુગમાં સ્થપાયેલ શ્રી ગાંધેશ્વર મહાદેવ મંદિર ખાતે ચારણ સમઢીયાળા અને વડીયાના તેમજ આજુબાજુના ગામોનો વાલ્મીકી સમાજે પૂજ્ય ગાંધીજીની પ્રતિમાને હારતોરા કરી ગાંધી જયંતી ઉજવી હતી. આ તકે મધુબેન મકવાણા પાસેથી રસપ્રદ એ વાત જાણવા મળી હતી કે વર્ષો પહેલા જયારે છૂત-અછૂતની ભાવના વચ્ચે વાલ્મીકી સમાજ જીવતો અને મંદિરમાં પણ પ્રવેશવા ના દેવાતો ત્યારે વડીયા ખાતે

રાજાઓએ ૧૨૩૫ ચોમી. જમીન આપી મહાદેવનું નાનકડું મંદિર બનાવી આપ્યું હતું. જેમાં વાલ્મીકી સમાજે મહાદેવની પૂજા અર્ચના શરુ કરી હતી. સમય જતા દેશ આઝાદ થયો પછી તે વખતના વાલ્મીકી સમાજના આગેવાન કાનજીભાઈ લાખાભાઈ મકવાણા, રાજકોટના ઢેબરભાઈ તથા અન્ય આગેવાનોને પૂજ્ય ગાંધી બાપુની પ્રતિમાનું સ્થાપન કરતા ત્યારથી વડિયા સ્થિત આ મહાદેવજી શ્રી શ્રી ગાંધેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે.  ત્યારથી એટલેકે દેશે આઝાદી મેળવી ત્યારથી વાલ્મીકી સમાજના પરિવારજનો દ્વારા અહી નિયમિત ગાંધી જયંતી પ્રતિવર્ષ ઉજવાઈ રહી હોવાનું અશોક ઘાવરી અને મનજીભાઈ ઘાવરી જણાવે છે.

ફોટો અને સમાચાર : હિતેશ સાવલિયા જેતપુર 


શાપર(વેરાવળ)ના ટ્રાન્સપોર્ટ સંચાલકો પણ હડતાલમાં જોડાયા ચોથા દિવસે પણ કામકાજ ઠપ્પ રાખતા વેપારીઓ હેરાન હેરાન

શાપર(વેરાવળ)ના ટ્રાન્સપોર્ટ સંચાલકો પણ હડતાલમાં જોડાયા

ચોથા દિવસે પણ કામકાજ ઠપ્પ રાખતા વેપારીઓ હેરાન હેરાન

જેતલસર તા.૪ (કશ્યપ જોશી દ્વારા)

દેશવ્યાપી ટ્રક અને ટ્રાન્સપોર્ટ સંચાલકોએ જાહેર કરેલ હડતાલમાં રાજકોટ ગૂડ્સ ટ્રાન્સપોર્ટ એશોશીયેશનને ટેકો આપી શાપર(વેરાવળ)ના ટ્રાન્સપોર્ટ સંચાલકો પણ જોડાયા છે. આજે ચોથા દિવસે પણ જડબેસલાક પોત પોતાની ટ્રાન્સપોર્ટ ઓફિસો બંધ રાખતા ઔદ્યોગિક વિસ્તાર એવા શાપર વેરાવળના વેપારીઓ, ઉદ્યોગપતિઓ પોત પોતાનો માલ છોડાવવા અને બુકિંગ કરવામાં ભારે હેરાન પરેશાન થઇ રહ્યા હોવાની વિગતો મળી રહી છે. શાપરના ટ્રાન્સપોર્ટ વર્તુળોએ જણાવેલ કે અહીના ૬૦ થી ૭૦ જેટલા ટ્રાન્સપોર્ટ સંચાલકોએ દેશવ્યાપી હડતાલમાં સજ્જડ રીતે ઝુંકાવ્યું છે. અહીંથી કોઈ ટ્રક બહાર નીકળ્યા નથી અને કોઈ વાહનો આવે તો તેઓને સંતોષકારક રીતે સમજાવી આવા વાહનો રોકી દેવાયા છે. પ્રસ્તુત તસવીરોમાં શાપર વેરાવળના ટ્રાન્સપોર્ટ સંચાલકો અને રોકી દેવાયેલા વાહનો જોવા મળે છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર(જેતપુર)

 

ખાસ નોંધ: શાપર વેરાવળ મારા મોટાભાઈ ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા હોય, તેઓ પાસેથી મળેલી વિગતો અને ફોટો મોકલ્યા છે. યોગ્ય જણાય તો લેવા વિનંતી છે.(કશ્યપ)  

જેતપુરમાં ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ કરનાર યુવાનના પિતાનો ઝેરી દવા પી આપઘાત.....

જેતલસર જંકશનની સીમમાં આવેલી પોતાની વાડીમાં

જેતપુરમાં ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ કરનાર

યુવાનના પિતાનો ઝેરી દવા પી આપઘાત.....

જેતપુર તા.૪ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરના ચકચારી ઉદ્યોગપતિ પુત્ર દેવના અપહરણની ઘટનામાં સંડોવાયેલ અશ્વિનના પિતા કાળુભાઈ હીરાભાઈ વાગડીયાએ ઝેરી દવા પી જીવનનો અંત આણી દીધાની ઘટનાથી અત્રે ચકચાર જાગી છે.

મળતી વિગતો મુજબ જેતપુર શહેરની બાપુની વાડી વિસ્તારમાં રહેતા અને શહેરની વિવેકાનંદ શાળામાં નોકરી કરતા કાળુભાઈ હીરાભાઈ વાગડિયા (ઉ.વ.૫૦) એ આજે સવારે સાડા દસ વાગ્યાની આસપાસ પોતાની જેતલસર જંકશનની સીમમાં આવેલી વાડીમાં ઉભેલા કપાસના પાકમાં જઈને ઝેરી દવા પી લેતા તેમને બેહોશ હાલતમાં સારવાર માટે અહીની એક ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા. પણ કાતિલ દવાએ  કાળુભાઈના આખા શરીરમાં આંટો મારી લીધો હોય તેમ તબીબો તેમને બચાવી શક્યા નહોતા.

દરમિયાન કાળુભાઈનો મૃતદેહ પીએમ માટે અહીના સરકારી દવાખાને લવાયાની જાણ પરથી જેતપુર તાલુકા પોલીસના ફોજદાર રઘુભાઈ કરમટીયાની સુચનાથી જમાદાર મજનુંભાઈ મનાતે ઘટના સ્થળે દોડી જઈ જીણવટભરી તપાસ હાથ ધરી હતી પણ પોલીસના હાથે સ્યુસાઈડ નોટ કે કઈ હાથમાં આવ્યું નહોતું.

અત્રે એ નોંધનીય છે કે ઝેરી દવા પી પોતાનું જીવન ટૂંકાવી દેનાર કાળુભાઈ વાગડીયાનો એકનો એક પુત્ર અશ્વિન તાજેતરમાજ અહીના અગ્રણી ઉદ્યોગપતિ અશ્વિનભાઈ વાઘાણીના પુત્ર દેવના અપહરણની ઘટનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. અને પુત્ર અશ્વિનના આવા કરતુતથી લાગી આવતા કાળુંભાઈએ આ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવી, હાલ પોલીસે અગમ્યો કારણોસર ઝેરી દવા પીવાથી કાળુંભાઈનું મોત થયાનું નોંધી તપાસ હાથ ધરી છે.

શહેરની વિવેકાનંદ શાળા સાથે સંકળાયેલ કાળુભાઈના આવા આકસ્મિક પગલાની જાણ થતાજ શહેરના ઘણા શાળા સંચાલકો શોકાવાસ્થામાં હોસ્પિટલ ખાતે દોડી જઈને મૃતકના પરિવારજનોને સાંત્વના આપી હતી.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર