અનુયાયીઓ

ગુરુવાર, 27 ઑગસ્ટ, 2015

જેતપુર પાલિકાના વોર્ડ નંબર 6 ના સદસ્યની શહેરમાં આકાંતરા પાણી વિતરણ ના કરાય તો આંદોલનની ચીમકી

જેતપુર પાલિકાના વોર્ડ નંબર 6 ના સદસ્યની 
શહેરમાં આકાંતરા પાણી વિતરણ ના 
કરાય તો આંદોલનની ચીમકી 
જેતપુર તા.27
જેતપુર શહેરમાં આગામી 31 મી ઓગસ્ટ સુધીમાં એકાંતરા પાણી વિતરણ ના શરુ કરાય તો આંદોલનની ચીમકી પાલિકા સદસ્ય મંગલાણીએ ઉચ્ચારી છે.મળતી વિગતો મુજબ જેતપુર નવાગઢ નગર પાલિકાના વોર્ડ નંબર 6 ના સદસ્ય અશોકભાઈ મંગલાણીએ આજે ચીફ ઓફિસરને એક લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે હાલ શહેરમાં ત્રણ થી ચાર દિવસે પાણી વિતરણ થઇ રહ્યું હોય, શહેરીજનોમાં બોકાસો બોલી રહ્યો છે. રજુઆત કરનાર સદસ્યનું કહેવું છે કે ભાદર ડેમમાં પુરતું પાણી હોવા છતાં પાણી વિતરણમાં કેમ સંકલનનો અભાવ જોવા મળે છે ? જો તા.31-8 સુધીમાં શહેરમાં એકાંતરા પાણી વિતરણ શરુ નહિ કરવામાં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.                                                                                                                                                    (કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812)

જેતપુરના 2 યુવાનો રેલવે ટ્રેકને નુકશાન કરતા ઝડપાયા 
જેતપુર તા.27
ગઈકાલે ગુજરાત બંધ એલાનના દિવસે જેતપુરમાં આંદોલનમાં જોડાયેલા 2  પટેલ યુવાનોએ રેલ્વે ટ્રેક પર નુકશાન કરવાની ફિરાક દરમિયાન પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ પાટીદાર અનામત માટે ગઈકાલે ગુજરાત બંધના એલાનના દિવસે જેતપુરમાં પણ અમુક પાટીદાર મિત્રો બંધને સફળ બનાવવા પોત પોતાની તાકાત કામે લગાડી હતી. અમુક આંદોલનકારીઓએ શાંતિપૂર્ણ બંધ રહે તે માટેની જહેમત ઉઠાવી હતી. તો અમુક સરકારી મિલકતોને નુકશાન કરવાની ફિરાકમાં હતા.
આવી જ  વાતમાં એટલેકે અહીના ધોરાજી રોડ ઉપર રેલવે ફાટક પાસે પહોચીને શહેરના ડોબરિયા  વાડી વિસ્તારના  બે યુવાનો ભાવેશ જસમત પટેલ તથા કેતન હારી દુધાત્રા એમ બંને રેલ્વે ટ્રેકને નુકશાન કરવાની વેંતરણમાં હતા ત્યાજ શહેર પોલીસે બંનેને ઝાલી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.                                                                                                             (કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812)




જેતલસરમાં શ્રી ધેનુંમાનસ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન

ગામના ઇતિહાસમાં સૌ પ્રથમ વખતનું આયોજન !
જેતલસરમાં શ્રી ધેનુંમાનસ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન 
ગામના ડેડરવા રોડ પર આવેલ શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે યોજાનાર આ સપ્તાહના સાતેય દિવસ 
રાત્રીના ભજન, કીર્તન, સત્સંગના કાર્યક્રમોના આયોજનો, આજુબાજુના 12 ગામોના લોકોને કથા શ્રવણ કરવા અનુરોધ 

જેતલસર તા.27
જેતલસર ગામના ઇતિહાસમાં સૌ પ્રથમ વખતના ગણાવતા આયોજન મુજબ અહી શ્રી સૂર્યમુખી હનુમાનજીના પ્રાંગણમાં બિરાજેલા શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે શ્રી ધેનુંમાનસ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હોય, ભોળાનાથના ભક્તગણ અને ગૌસેવા પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગામના ડેડરવા રોડ પર આવેલ સમસ્ત ગાયત્રીનગરવાસીઓના સાથ અને સહકાર વચ્ચે આગામી તા.6-9-2015 થી તા.13-9-2015 દરમિયાન ચાલનાર આ ધેનુંમાનસ જ્ઞાનયજ્ઞ-સપ્તાહના શાસ્ત્રી પદે જેતલસર જંકશનના હાર્દિકભાઈ પંડ્યા બિરાજી ધેનુંમાનસનું પોતાની  આગવી શૈલીમાં ભક્તોને રસપાન કરાવશે.

તા.6-9 થી શરુ થનાર આ ધેનુંમાનસ કથાના પ્રથમ દિવસે બપોરના 3 વાગ્યે ગામના રામજી મંદિર ખાતેથી ભવ્ય પોથી યાત્રાનું શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર સુધી આયોજન કરાયું છે. જેમાં સમસ્ત જેતલસરવાસીઓને જોડવા અનુરોધ કરાયો છે. તે જ દિવસે સાંજના 4-30 વાગ્યે કથાનો શુભારંભ થશે.
તા. 7 ના રોજ સવારે 10 વાગ્યે ગૌ પૂજન, તા. 8 ના રોજ ગૌ મહિમા, તા. 9 ના રોજ શિવ પૂજન, તા.10 ના રોજ બપોરે 12 કલાકે શ્રી રામકથા, તે જ દિવસે સાંજે 6 વાગ્યે શ્રી કૃષ્ણકથાનું આયોજન કરવામાં આવ્યું છે. 

જયારે કથાના તમામ દિવસો દરમિયાન રાત્રીના ધૂન-ભજન-સત્સંગ-કીર્તનના કાર્યક્રમો રખાયા છે. કથાના સફળ આયોજન માટે જેતલસરના ગ્રામજનો ઉપરાંત, ગાયત્રીનગરવાસીઓ, કામધેનું ગૌસેવાના કાર્યકરો, ગામના નાના મોટા મહિલા સત્સંગમંડળો વિગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા હોય, ગામ ઉપરાંત આજુબાજુના 12 ગામોની ધર્મપ્રેમી જનતાને કથા આયોજક ગણના ગાયત્રી ન્યુઝ એજન્સીવાળા જીતુભાઈ જોશી(9898163131), કુલદીપ જોશી,   સહિતના નાના મોટા આયોજક ભાઈ-બહેનોએ કથા શ્રવણનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
કશ્યપ જે. જોશી જેતલસર (જેતપુર ) 9974262812