અનુયાયીઓ

મંગળવાર, 27 નવેમ્બર, 2018

ધવલ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સાયન્સ એક્ઝીબીશન યોજાયું



ધવલ ઈન્ટરનેશનલ સ્કૂલના ચમકતા તારલાઓએ, અત્રે આયોજીત વિજ્ઞાન મેળામાં વિવિધ પ્રયોગો તેમજ ચલિત મોડલ્સ બનાવી વિજ્ઞાનની એ શ્રેષ્ઠતમ ઝાંખી રજુ કરી હતી. ધોરણ ૩ થી ૧૨ સાયન્સ-કોમર્સ સુધીના તમામ વર્ગના વિદ્યાથીએ પોતાની કારીગરી તેમજ વિજ્ઞાનનો જાદુ દર્શાવી, દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
ભૂમી તથા ધ્રુમીલ દ્વારા માનવ શરીર, બિમારીઓ, યોગ, આયુર્વેદીની વિસ્તૃત માહિતીથી લઈને, પેટ્રોલ, કેરોસીનના વાયુથી અગ્નિ પ્રજવલિત કરતા ધોરણ ૫ ના કલ્પ, આર્યા તેમજ જયએ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વલય અને સતીષનું CYMATICS એટલે કે ધ્વનીના તરંગોથી વિવિધ અવનવી આકૃતિઓ બનાવવી, આ પ્રોજેક્ટને શ્રેષ્ઠ આકર્ષણનું પુરસ્કાર મળ્યુ હતું.




અને શાંત્વના પુરસ્કાર મેળવતું ધોરણ ૧૨કોમર્સનું રિસોર્સ મેનેજમેન્ટ એનર્જી જનરેશન સહથી બહુચર્ચિત પ્રોજેક્ટ હતું. મિકી માઉસના મેસ્કટ તથા વોકિંગ રોબોટ પણ દર્શકોને સેલ્ફી લેવા તથા રીવ્યુ આપવા ખુબ ઉત્સાહિત કર્યા હતા. શાબ્દિક વર્ણન કરીએ તો ઓછુજ પડે, માટે ધવલ સાયન્સના કોઈપણ કાર્યક્રમને નજરે નિહાળવાનો લાહવો લેવોજ રહ્યો.
અહી નોંધનીય નીચે છે કે મેનેજીંગ ટ્રસ્ટી  દિનેશભાઈ ભુવા તેમજ સીઈઓ હિતેશ પટેલે  કાર્યક્રમ સફળ થવા બદલ પ્રિન્સીપાલ અનીતાબેન  તેમજ કાર્યક્રમના આયોજક શક્તિરાજ, તથા હેમાંગીબેન તેમજ સ્ટાફગણને અભિનંદન પાઠવ્યા હતા.

વીરપુર(જલારામ)ની સરકારી હોસ્પીટલમાં તાકીદે એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરવા પ્રજાની માંગ


હજારો ભક્તો વીરપુરમાં જલારામ બાપાના દર્શને આવે છે તે
યાત્રાધામની સરકારી હોસ્પિટલમાં એક પણ એમ્બ્યુલન્સ નથી.


જયાં દરરોજ હજારો ભક્તો ઉમટી પડે છે તેવા જેતપુર તાલુકાના વિરપુરમાં જલારામ બાપાના દર્શને આવે છે. તે યાત્રાધામની સરકારી હોસ્પિટલ એમ્બ્યુલન્સ વિહોણી છે. ગામમાં કોઈ બિમાર પડેતો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા એમ્બ્યુલન્સની કોઈપણ પ્રકારની સુવિધા નથી. જેથી વીરપુરમાં એમ્બ્યુલન્સની સુવિધા પુરી પાડવા માગ કરવામાં આવી રહી છે.
    વીરપુરમાં મોટી સંખ્યામાં ભક્તો જલારામ બાપાના દર્શન કરવા માટે આવે છે. પરંતુ વીરપુર ગામમાં આવેલી સરકારી હોસ્પિટલમાં એકપણ એમ્બ્યુલન્સ નથી. અને જે એમ્બ્યુલન્સ છે તે અકસ્મતાનો શિકાર બનેલી છે. તો બીજી એમ્બ્યુલન્સ પણ બંધ હાલતમાં છે. ખરા અર્થમાં સેવિકા ગણાતી એમ્બ્યલન્સને આજે ખરી સેવાની જરૂર છે.

    હોસ્પિટલમાં એક એમ્બ્યુલન્સ હતી પરંતુ છ માસ પહેલા એમ્બ્યુલન્સ અકસ્માતનો શિકાર બનતા એમ્બ્યુલન્સને રિપેર કરવામાં આવી નથી.વીરપુરની હોસ્પિટલને એમ્બ્યુલન્સ ફાળવવા તંત્રને ઘણી રજૂઆત કરવામાં આવી હોવા છતાં હોસ્પિટલને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી નથી. જેથી વહેલી તકે એમ્બ્યુલન્સની ફાળવણી કરવાની માગ ગામના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી રહી છે

મેટોડા જીઆઈડીસી પાસે ટ્રક હડફેટે અજાણ્યા પ્રોઢનું મોત


રાજકોટ તા.૨૭
રવિવારે સવારે મેટોડા જીઆઈડીસી નજીક એક ટ્રક હડફેટે અજાણ્યા પ્રોઢનું મોત થયાનો બનાવ લોધિકા પોલીસ દફતરે નોંધાતા પોલીસે અજાણ્યા પ્રોઢના વાલીવારસોની શોધખોળ વચ્ચે ટ્રક ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
    મળતી વિગતો મુંજબ મેટોડા જીઆઈડીસીના ગેટ નંબર-૧ પાસે રવિવારે સવારે જીજે ૧૦ ઝેડ ૬૭૮૫ નંબરના ટ્રક ચાલકે રોડ ક્રોસ કરી રહેલા એક અજાણ્યા પ્રોઢને હડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. લોધિકા પોલીસે મૃતકની લાશ પીએમ માટે દવાખાને ખસેડી તેમના વાલીવરસોની શોધખોળ આદરી, ઉપરોક્ત ટ્રક ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પારડી ગામે જુગાર દરોડો રૂ.૬૬૩૦/- સાથે ૪ ઝડપાયા


રાજકોટ તા.૨૭
શાપર વેરાવળ પોલીસે ગઈકાલે પારડી ગામે જુગાર દરોડો પાડી ૪ પંટરોને રોકડ ૬૬૩૦/- સાથે પકડી પાડી તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ શાપર વેરાવળ પોલીસે ગઈકાલે બાતમીના આધારે પારડી ગામના સત્યમ પાર્ક સોસાયટી, શ્રી દાદા પ્રોવિઝન સ્ટોરની સામે ખુલ્લા પટમાં રમાતા જુગાર પર દરોડો પાડતા ત્યાંથી જુગાર રમતા ૪ પંટરો રોકડ રૂપિયા ૬૬૩૦/- સાથે પકડાઈ ગયા હતા.
પકડાયેલા શાખ્શોમાં અનીલ પ્રેમજી ભાસ્કર(રાહુલ પાર્ક, પારડી), ગોવિંદ સોમ સોલંકી, સુરેશ ભાંજી વારગીયા(પડવલા રોડ) તેમાંજ્ભીખું બોઘા વાઘનો સમાવેશ થતો હોવાનું શાપર વેરાવળ પોલીસના એ.એસ.આઈ.આર.વી.બકોત્રાએ જણાવ્યું હતું.

જેતપુરમાં સ્વ.સવજીભાઈ કોરાટની પુણ્યતિથી નિમિત્તે અનેકવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા

જેતપુરમાં સ્વ.સવજીભાઈ કોરાટની પુણ્યતિથી
નિમિત્તે અનેકવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા


જેતપુર પંથકના ખરા અર્થમાં પ્રજાના પ્રહરી અને રાજયના પૂર્વ માર્ગ મકાન કેબીનેટ મંત્રી તથા પોતાના સતકાર્યોને કારણે ‘છોટે સરદાર’ તરીકે ઓળખાતા સ્વ. સવજીભાઈ કોરાટની તા. ર૬ નવેમ્બર, ર૦૧૮ના રોજ ર૦મી પૂણ્યતિથિ નિમિતે તેઓને ‘દિલસે’ શ્રધ્ધાંજલી આપવા માટે જેતપુર પંથકમાં અનેક સેવાયજ્ઞો યોજાયો
    જેતપુર શહેર-તાલુકા યુવા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ અત્રેની સવજીભાઇ કોરાટ હોસ્પીટલ બસ સ્ટેન્ડ સામે, કોર્ટની બાજુમાં જેતપુર ખાતે યોજાયો. લાયન્સ કલ્બ દ્વારા નેત્રરોગ તથા સારવાર કેમ્પ નેત્રમણિ આરોહણ કેમ્પ અત્રેની સરકારી હોસ્પીટલ ખાતે યોજાશે, જેસીઆઇ જેતપુર દ્વારા પશુરોગ નિદાન તથા સારવાર કેમ્પ જૂની સાંકળી ગૌશાળા  ખાતે યોજાયો હતો. આ તમામ કેમ્પમાં દર્દીઓને વિનામૂલ્યે દવાઓ પણ આપવામાં આવી હતી.



    સ્વ.શ્રી સવજીભાઈ કોરાટ. ની 20 મી પુણયત્તિથી  નિમિતે યોજેયેલ સર્વ નિદાન કેમ્પ માં ગુજરાત રાજ્ય મંત્રી  જયેશભાઇ રાદડિયા , પૂર્વ મંત્રી જસુમતીબેન કોરાટ, રાજકોટ ડેરી ના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, જેતપુર ચેમ્બર કોમર્સ પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા, ડાઇગ એશો. પ્રમુખ રાજુભાઇ પટેલ, ઉપપ્રમુખ જેન્તીભાઈ રામોલિયા, જેતપુર નગપલીકા પ્રમુખ કુસુમબેન સખરેલીયા, પૂર્વ પ્રમુખ રમાબેન મકવાણા, જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન સોલંકી, માર્કટિંગ યાર્ડ ચેરમેન દિનેશભાઇ ભૂવા, હાજરી અપી હતી

ઉપલેટાના વરજાંગજાળિયા ગામનો બનાવ આંગણવાડીમાં નોકરી અપાવવા રૂ.૭૦ હજાર પડાવ્યા વધુ રૂ.૧ લાખ માટે બંદુક બતાવી મારી નાખવાની ધમકી


જામનગર જીલ્લાના લાલપુરના અબ્દુલ હાલેપોત્રા, વસીમ હાલેપોત્રા અને
ચાંદીગઢના અનવર રાઉમા એમ ત્રણ શખ્શો સામે ઉપલેટા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ 


જામનગર પંથકના ત્રણ શખ્શોએ ઉપલેટા પંથકની એક યુવતીને આંગણવાડીમાં નોકરી અપાવી દેવાની લાલચ આપી રૂપિયા ૭૦ હજાર પડાવ્યા બાદ વધુ રૂપિયા ૧ લાખ પડાવવા બંદુક બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે ઉપલેટા પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે ત્રણ શખ્શો સામે ગુનો નોંધી તમામની શોધખોળ આદરી છે. આ બનાવથી ઉપલેટા પંથકમાં ચકચાર જાગી છે.

    મળતી વિગતો મુજબ ઉપલેટા તાલુકાના વરજાંગજાળિયા ગામે રહેતા રાજેન્દ્રભાઈ વેલજીભાઈ સોલંકીની પુત્રી હિનાબેનને આંગણવાડી માં મુખ્ય સેવિકા તરીકેનું ફોર્મ ભર્યું હોય, નોકરી અપાવવી દેવાની લાલચ આપી, વિશ્વાસમાં લઈને રૂપિયા ૭૦ હજાર પડાવી લીધા હતા.

જામનગર જીલ્લાના લાલપુર શહેરમાં  ભાટિયા શેરીમાં રહેતા અબ્દુલ ઓસમાણ હાલેપોત્રા, લાલપુરમાં પ્રગટેશ્વર મંદિર પાસે રહેતા વસીમ તારમહમદ હાલેપોત્રા અને લાલપુર તાલુકાના ચંડીગઢ ગામે રહેતા અનવર ઉર્ફે અલ્તાફ અલીઉમાર રાઉમા એમ ત્રણેય શખ્શોએ વધુ રૂપિયા ૧ લાખ પડાવવા હિનાબેનના પિતા રાજેન્દ્રભાઈ સોલંકી તથા તેમના ભાઈને બે નાળચા વાળી બંદુક બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગભરાયેલા રાજેન્દ્રભાઈ સોલંકીએ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

    બનાવની ફરિયાદ પરથી ઉપલેટા પોલીસના પીઆઈ એચ.જી.પલ્લાચાર્યાએ જામનગર પંથકના ઉપરોક્ત ત્રણેય શખ્શો સામે આઈપીસી ૪૦૬, ૪૨૦, ૩૮૭, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, આર્મ્સ એક્ટ ૨૫(૧-એ) મુજબ ગુનો નોંધી તેઓની શોધખોળ આદરી છે. આ બનાવથી ઉપલેટા પંથકમાં ચકચાર જાગી છે.

કલ્યાણપુર તાલુકાના નંદાણામાં જુગાર દરોડો : પ શખ્શો ઝડપાયા


આર.આર.સેલ રાજકોટ રેન્જની ટીમે રૂ.૧૩૫૧૦/- નો મુદ્દામાલ કબજે કર્યો
રાજકોટ તા.૨૭
આર.આર. સેલ રાજકોટ રેન્જની ટીમે ગઈકાલે બાતમીના આધારે દ્વારકા જીલ્લાના, કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે જુગાર દરોડો પાડી ૫ શખ્શોને રોકડ ૧૧૦૧૦/- સહીત કુલ રૂપિયા ૧૩૫૧૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ આર.આર.સેલના જે.એસ.પંડ્યા, ટીમના કુલદીપસિંહ જાડેજા, સજુભા જાડેજા, ડી.ડી.પટેલ સહીત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે બાતમી મળતા દ્વારકા જીલ્લાના, કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રાજશીભાઇના મકાન પાછળ જાહેરમાં રમાતા જુગાર પર દરોડો પડાયો હતો.
આ સમયે ત્યાં જુગાર રમતા પાલા અરજણ આંબલીયા, બાબુ દેવાનંદ આંબલીયા, સામત હડા આંબલીયા, મેરગ વીરા ચાવડા તેમજ ઠાકરશી ખેરાજ દાવડા એમ ૫ શખ્શો રોકડ રૂપિયા ૧૧૦૧૦/- અને રૂ.૨૫૦૦/- ના ૫ મોબાઈલ મળી કુલ રૂપિયા ૧૩૫૧૦/- ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયા હતા. જે તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.