અનુયાયીઓ

મંગળવાર, 27 નવેમ્બર, 2018

જેતપુરમાં સ્વ.સવજીભાઈ કોરાટની પુણ્યતિથી નિમિત્તે અનેકવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા

જેતપુરમાં સ્વ.સવજીભાઈ કોરાટની પુણ્યતિથી
નિમિત્તે અનેકવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા


જેતપુર પંથકના ખરા અર્થમાં પ્રજાના પ્રહરી અને રાજયના પૂર્વ માર્ગ મકાન કેબીનેટ મંત્રી તથા પોતાના સતકાર્યોને કારણે ‘છોટે સરદાર’ તરીકે ઓળખાતા સ્વ. સવજીભાઈ કોરાટની તા. ર૬ નવેમ્બર, ર૦૧૮ના રોજ ર૦મી પૂણ્યતિથિ નિમિતે તેઓને ‘દિલસે’ શ્રધ્ધાંજલી આપવા માટે જેતપુર પંથકમાં અનેક સેવાયજ્ઞો યોજાયો
    જેતપુર શહેર-તાલુકા યુવા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ અત્રેની સવજીભાઇ કોરાટ હોસ્પીટલ બસ સ્ટેન્ડ સામે, કોર્ટની બાજુમાં જેતપુર ખાતે યોજાયો. લાયન્સ કલ્બ દ્વારા નેત્રરોગ તથા સારવાર કેમ્પ નેત્રમણિ આરોહણ કેમ્પ અત્રેની સરકારી હોસ્પીટલ ખાતે યોજાશે, જેસીઆઇ જેતપુર દ્વારા પશુરોગ નિદાન તથા સારવાર કેમ્પ જૂની સાંકળી ગૌશાળા  ખાતે યોજાયો હતો. આ તમામ કેમ્પમાં દર્દીઓને વિનામૂલ્યે દવાઓ પણ આપવામાં આવી હતી.



    સ્વ.શ્રી સવજીભાઈ કોરાટ. ની 20 મી પુણયત્તિથી  નિમિતે યોજેયેલ સર્વ નિદાન કેમ્પ માં ગુજરાત રાજ્ય મંત્રી  જયેશભાઇ રાદડિયા , પૂર્વ મંત્રી જસુમતીબેન કોરાટ, રાજકોટ ડેરી ના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, જેતપુર ચેમ્બર કોમર્સ પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા, ડાઇગ એશો. પ્રમુખ રાજુભાઇ પટેલ, ઉપપ્રમુખ જેન્તીભાઈ રામોલિયા, જેતપુર નગપલીકા પ્રમુખ કુસુમબેન સખરેલીયા, પૂર્વ પ્રમુખ રમાબેન મકવાણા, જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન સોલંકી, માર્કટિંગ યાર્ડ ચેરમેન દિનેશભાઇ ભૂવા, હાજરી અપી હતી

ટિપ્પણીઓ નથી: