અનુયાયીઓ

શનિવાર, 28 નવેમ્બર, 2015

કશ્યપ જોશી જેતપુર


પોલીસના ડરથી ભાગવા જતી શરાબ ભરેલી ટ્રકે કારને ચીખલી નજીક હડફેટે લેતા.... 
મૂળ જેતપુરના અને અમદાવાદ સ્થાયી થયેલ યુવાન 
ઉદ્યોગપતિનું પત્ની અને ડ્રાઈવર સહીત કરુણ મોતથી અરેરાટી 
અકસ્માત સર્જનાર ટ્રકે પીછો કરી રહેલ પોલીસની મોબાઈલ વાનને પણ હડફેટે લેતા 3 પોલીસમેન ઘાયલ: દીપાવલી પર્વ જેતપુર ઉજવીને હિતેશભાઈ અમદાવાદ ગયા હતા. ત્યાંથી બહેનના લગ્ન પ્રસંગે મુબઈ જતા હતા ત્યારે બેનેલી કરુણાંતિકા !
ત્રણ જિંદગીને ખલ્લાસ કરી દેનાર ટ્રક અકસ્માતની ઘટનામાં ઉદ્યોગપતિની ૪ વર્ષની પુર્ત્રીને થયેલી ગંભીર ઈજાઓ 

જેતપુર તા.૨૮ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરના નવાગઢ વિસ્તારમાં વરસો પહેલા ઈલોરા ડાઈંગ ધરાવતા  કિશોરભાઈ બોસમીયાની અમદાવાદ સ્થિત પરણિત પુત્રીનું તેણીના બિજનેસમેન પતિ અને ડ્રાઈવર સાથે ચીખલી નજીક ટ્રકે સર્જેલા ગમખ્વાર અકસ્માતમાં મોત થતા જેતપુર અને અમદાવાદ સ્થિત ઉદ્યોગપતિ વર્તુળોમાં શોક સાથે અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે શરાબ ભરેલી ટ્રકનો પીછો કરતા ટ્રકે કારનો ભુક્કો બોલાવી પોલીસ વાનને  પણ હડફેટે લીધી હતી.

મળતી વિગતો મુજબ મૂળ જેતપુરના  લાખાવાળા દરબારગઢ વિસ્‍તારનાં રહીશ હિતેશભાઈ  જયચંદભાઇ ચીતલીયા (ઉ.૪૫) જેતપુર માદરે વતનમાં દિવાળી ઉજવીને બે ત્રણ  દિવસ પહેલા જ અમદાવાદ પોતાના ઘરે  પહોચ્‍યા હતા. દરમિયાન હિતેશભાઇ તેમના પત્‍ની અંજલીબેન અને ચાર વર્ષની પુત્રી આયુષિને ચાર પાંચ  દિવસ પહેલાજ  જ નવી ખરીદેલી  કારમાં જેતપુરનાં ભાવેશભાઇ રમેશભાઇ ઉર્ફે પીન્‍ટુ રમેશભાઇ જોષીને ડ્રાઇવર તરીકે સાથે લઇ મુંબઇ ખાતે તેમના બહેનના લગ્ન પ્રસંગમાં જવા નિકળ્‍યા હતા. 

પણ કુદરતને ઈમ્પોર્ટ-એક્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલ બીજ્નેશમેન 
હિતેશભાઈના પરિવારનો જાણે આનંદ ના જોવાયો હોય તેમ  હિતેશભાઇની કાર સુરતના  ચીખલી ગામ નજીક પહોંચી ત્‍યારે સામેથી રોંગ સાઈડમાંથી પુરપાટ ઝડપે નીકળેલા ટ્રકે  હડફેટે લઇ ભુક્કો કરી નાખતા કારમાં બેઠેલા હિતેશભાઈ, તેમની પત્ની અંજલીબેન એમ ત્રણેયના કરુણ મોત નીપજયા હતા. જયારે ચાર વર્ષીય પુત્રી આયુશીને નાની મોટી ઈજાઓ સાથે સુરતની હોસ્પીટલમાં ખસેડાઈ હતી.
ગમખ્વાર અકસ્માતની અચરજ પમાડે તેવી એવી વિગતો મળી હતી કે જે ટ્રકે મૂળ જેતપુરના અને હાલ અમદાવાદ સ્થાયી થયેલ યુવાન ઉધોગપતિ સહીત ત્રણની જીંદગી ખલ્લાસ કરી નાખી તે ટ્રક વિલાયતી શરાબથી લોડેડ હતો. અને આ ટ્રકનો પોલીસ પીછો કરી રહી હતી. પણ ટ્રક ચાલકે સૌ પ્રથમ અમદાવાદના હિતેશભાઈ ની કારને હડફેટે લઇ પોલીસ મોબાઈલને પણ હડફેટે લેતા તેમાં બેઠેલા ત્રણ પોલીસ જવાનોને પણ ઈજાઓ થઇ હોવાના અહેવાલો મળે છે.
   ઉકત ઘટનાની જેતપુરમાં જાણ થતાજ અહીના ઉધોગપતિ વર્તુળોમાં શોક વ્યાપી ગયો છે. આ લખાય છે ત્યારે મૃતક ઉદ્યોગપતીના નિકટતમ વર્તુળોએ જણાવેલ કે હિતેશભાઈ અને તેમના પત્ની અન્જલીબેનના મૃતદેહો અમદાવાદ ખાતે જ લઇ આવીને ત્યાં અંત્યેષ્ટિ આટોપી દેવાઈ છે. જયારે ભાવેસનો મૃતદેહ જેતપુર મોડી રાત્રે આવશે.

ફોટો : કશ્યપ જોશી જેતપુર 
મૃતક ચિતલીયા દંપતી નજરે પડે છે.