LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શુક્રવાર, 10 જૂન, 2011
કલાસર્જકોની કૃતિઓ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ - નાણાંમંત્રીશ્રી વજુભાઇ વાળા
સ્વ. ઉમાશંકર જોશી જન્મ શતાબ્દી નિમિતે ‘‘વિશ્વ માનવીઃ ઉમાશંકર જોશી નાટકને મનભરીને માણતા રાજકોટવાસીઓ
રાજકોટ તા. ૯ જુનઃ રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના ઉપક્રમે લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકાર સ્વ. ઉમાશંકર જોશીની જન્મ શતાબ્દી નિમિતે તેમના જીવન અને સાહિત્યકૃતિઓ પરનું નેમ આર્ટસ, રાજકોટ નિર્મિત મનીષ પારેખ લિખિત, દિગ્દર્શીત, અભિનિત દ્વિઅંકી સંગીત નાટક ‘‘વિશ્વ માનવીઃ ઉમાશંકર જોશીની પ્રસ્તુતિ રાજકોટના હેમુગઢવી હોલ ખાતે થઇ હતી. આ નાટય-કાર્યક્રમના શુભારંભ પ્રસંગે દિપ પ્રાગટય રાજયના નાણાંમંત્રીશ્રી વજુભાઇ વાળાએ કર્યુ હતું. આ પ્રસંગે રાજયના રમત-ગમત અને યુવક સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સચિવશ્રી ભાગ્યેશ જહા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાએ જણાવ્યું હતું કે, ‘રાજય સરકાર કલા અને સાહિત્યને વધુ ઉતેજન મળે તે માટે પ્રયત્નશીલ છે. લેખકો, કલાકારો, સંગીતકારો જેવા કલા સર્જકોની કૃતિઓ વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તેમજ સાહિત્યકારોના વિચારો લોકો જાણે અને ઉજ્જવળ સમાજ-જીવનનો ઉત્કર્ષ થાય તેવો રાજય સરકારનો અભિગમ છે.‘
આ નાટકમાં સુનિલ ઓઝા, નિહિર ધામેચા, ચેતસ ઓઝા, ડો..નમ્રતા દોશી વગેરે કલાકારોએ પોતાની કલાના કામણ પાથર્યા હતા. નાટકનું નિર્માણ હર્ષદ પારેખે કર્યુ હતુ. જયારે સ્વર સ્વ. અજીત શેઠ, નિરૂપમા શેઠ, સ્વ..પરેશ ભટ્ટ, ઉદય મઝુમદાર, સાધના સરગમ વગેરેએ આપ્યો હતો. નૃત્ય નિર્દેશન નેહા મહેતા પારેખે અને રંગભૂષા પ્રદીપ દવેએ સંભાળી હતી.
આ તકે ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના સભ્ય સચિવ ડો.પ્રદિપ આઝાદ, રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી ડી.એચ.બ્રહમભટ્ટ, જિલ્લા રમતગમત અધિકારીશ્રી મણવર, સરગમ કલબના પ્રમુખશ્રી ગુણવંતભાઇ ડેલાવાળા વગેરે ઉપસ્થિત રહયા હતા.
રાજ્યમાં ૧૫૦ જેટલા ભૂમાફિયા સામે કાનૂની કાર્યવાહી -મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ * રાજ્યના ૧૧ જિલ્લામાં જમીનોનો આધુનિક ટેક્નોલોજીથી થતો રિસર્વે
રાજકોટ-જેતપુરની ઉદ્યમશિલ જનતાની સુવિધા માટે રૂ.૧૦.૨૧ કરોડના ખર્ચથી બનનારા તાલુકા સેવા સદનનું ખાતમુહૂર્ત કરતા મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે કહ્યું હતું કે ગુજરાતના ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશિલ છે. ખેડૂતના હિતમાં રાજ્ય સરકારે અનેક પ્રકારના નિર્ણયો કર્યા છે. બિનખેતીના પ્રિમિયમમાં ૫૦ ટકા જેટલો ધરખમ ઘટાડો કર્યો છે. ખેતીથી ખેતીના વેચાણના પ્રિમિયમમાં પણ રાહતો આપવામાં આવી છે. ખેડૂતની જમીન કોઇ જમીન માફિયા હડપ ન કરી જાય એ માટે મહેસૂલ વિભાગ દ્વારા ઈ-જમીનનો પ્રોગ્રામનું અમલીકરણ શરૂ કર્યું છે. રાજ્યના ૧૫૦ જેટલા ભૂમાફિયા સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. એની સામે ફોજદારી રાહે પગલાં લેવામાં આવ્યા છે.
મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ઉમેર્યું હતું કે ઇ-જમીન અંતર્ગત જે તે ખેડૂત ખાતેદારના અંગૂઠાના નિશાન લેવામાં આવી રહ્યા છે. તેના ફોટોઓળખ પણ લેવામાં આવી રહી છે. એના કારણે ખેડૂતની મંજૂરી વીના એ જમીન વેચી શકાશે નહીં. રાજ્યની જમીનનો રિસર્વે પણ ચાલી રહ્યો છે. જામનગર જિલ્લામાં આ સર્વેની કામગીરી લગભગ પૂરી થવામાં આવી છે. રિસર્વેની કામગીરી પૂર્ણ થતાં ખેડૂતોને એના માપણી પત્રકો આપવામાં આવશે. આ માટે બાયસેગની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આના કારણે ખેડૂતોની માપણીનો પ્રશ્ન ઉકેલાઇ જશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની રાહબરી હેઠળ ગુજરાત રાજ્ય પ્રગતિ કરી રહ્યું છે. રાજ્યના સર્વાંગી વિકાસના કારણે સમાજના દરેક વર્ગને સુખાકારીનો અનુભવ થઇ રહ્યો છે. જરૂરી હોય ત્યા વિધાનસભામાં બિલો લાવવામાં આવ્યા છે. રાજ્યમાં દરેક તાલુકામાં અદ્યતન સેવા સદન બનાવવાનું આયોજન છે.
રાજયમાં કૃષિ મહોત્સવને કારણે કૃષિ ઉત્પાદનમાં ધરખમ વધારો થયો છે. પશુપાલન ક્ષેત્રે એનીમલ હોસ્ટેલ બનાવવા જેવા નવતર નિર્ણયો લેવામાં આવ્યા છે. તેના કારણે ખેડૂતોને મોટો ફાયદો થશે. શિક્ષણ ક્ષેત્રે ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, રક્ષાશકિત યુનિવર્સિટી, પેટ્રોલીયમ યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટી અને સ્પોર્ટસ યુનિવર્સિટી સ્થાપવા જેવા ક્રાંતિકારી પગલાં લેવામાં આવ્યા છે.
ઉપલેટાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઇ માંકડિયાએ કહ્યું હતું કે, ગુજરાતમાં સરકાર વિકાસ અને વહીવટમાં પરિવર્તન લાવી છે. તેનો લોકોને સ્વાનુભાવ થઇ રહ્યો છે. સેવા સદનના કારણે લોકોની સુવિધામાં વધારો થશે.
જેતપુરના ધારાસભ્ય જસુમતીબેન કોરાટે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સમક્ષ મેં જેતપુરમાં તાલુકા સેવા સદન બનાવવા માટે રજૂઆત કરી એટલે તુરંત તે ગ્રાહ્ય રાખવામાં આવી છે અને આ માટે રૂ. ૧૦.૨૧ કરોડની ફાળવણી કરવામાં આવી છે. એક વર્ષમાં આ સેવા સદનનું નિર્માણ થયેથી જેતપુર તાલુકાના લોકોને દરેક સરકારી કચેરીઓની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થશે.
આ પ્રસંગે કલેક્ટર શ્રી નલિન ઉપાધ્યાય, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઇ ક્યાડા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન વૈષ્ણવે પણ પ્રસંગોચિત પ્રવચનો કર્યા હતા. કમરીબાઇ સરકારી હાઇસ્કૂલની છાત્રાઓ દ્વારા પ્રારંભે સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી સુરેશ સખરેલિયા, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી જનકભાઇ ડોબરિયા, આર. કે રૈયાણી, નાયબ કલેક્ટર શ્રી લિમ્બાસિયા, અધિક્ષક ઇજનેર શ્રી પી. જે. ભગદેવ, કાર્યપાલક ઇજનેર શ્રી પી. આર. શાહ, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી એન. આર. ઠક્કર સહિત વેપારીઓ, આગેવાનો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ મામલતદાર શ્રી દૂધાતે કરી હતી.
તાલુકા સેવા સદનનું કૂલ ૫૩૦૩ ચોરસ મીટરનું બાંધકામ થશે. હેરીટેજ પ્લાસ્ટર કરવામાં આવશે. આંતરિક રસ્તા આરસીસીના બનાવાશે. પાર્કિંગ રોડ, અગ્નિશામકની સુવિધા, વોટર હોર્વેસ્ટિંગ, ટ્રી પ્લાન્ટેશન, બોર અને લિફટની સુવિધા રહેશે. મામલતદાર, સબ રજીસ્ટ્રાર, સબ ટ્રેજરી, સિટી સર્વે, વન વિભાગ, પશુપાલન, આર એન્ડ બી., જિલ્લા પંચાયત અને સ્ટેટ, સિંચાઇ હોમગાર્ડ અને મેલેરીયાનું યુનિટ બેસશે.
બાદમાં મહેસૂલ મંત્રીશ્રીએ નવાગઢ પ્રાથમિક શાળામાં ચાલતા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી હતી અને ત્યા સગર્ભા માતા અને બાળકો માટે રાજ્ય સરકાર દ્વારા અપાતા પૌષ્ટિક આહારમાંથી બનતી વિવિધ વાનગીઓનું નિદર્શન નિહાળ્યું હતું.
મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ઉમેર્યું હતું કે ઇ-જમીન અંતર્ગત જે તે ખેડૂત ખાતેદારના અંગૂઠાના નિશાન લેવામાં આવી રહ્યા છે. તેના ફોટોઓળખ પણ લેવામાં આવી રહી છે. એના કારણે ખેડૂતની મંજૂરી વીના એ જમીન વેચી શકાશે નહીં. રાજ્યની જમીનનો રિસર્વે પણ ચાલી રહ્યો છે. જામનગર જિલ્લામાં આ સર્વેની કામગીરી લગભગ પૂરી થવામાં આવી છે. રિસર્વેની કામગીરી પૂર્ણ થતાં ખેડૂતોને એના માપણી પત્રકો આપવામાં આવશે. આ માટે બાયસેગની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આના કારણે ખેડૂતોની માપણીનો પ્રશ્ન ઉકેલાઇ જશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની રાહબરી હેઠળ ગુજરાત રાજ્ય પ્રગતિ કરી રહ્યું છે. રાજ્યના સર્વાંગી વિકાસના કારણે સમાજના દરેક વર્ગને સુખાકારીનો અનુભવ થઇ રહ્યો છે. જરૂરી હોય ત્યા વિધાનસભામાં બિલો લાવવામાં આવ્યા છે. રાજ્યમાં દરેક તાલુકામાં અદ્યતન સેવા સદન બનાવવાનું આયોજન છે.
રાજયમાં કૃષિ મહોત્સવને કારણે કૃષિ ઉત્પાદનમાં ધરખમ વધારો થયો છે. પશુપાલન ક્ષેત્રે એનીમલ હોસ્ટેલ બનાવવા જેવા નવતર નિર્ણયો લેવામાં આવ્યા છે. તેના કારણે ખેડૂતોને મોટો ફાયદો થશે. શિક્ષણ ક્ષેત્રે ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, રક્ષાશકિત યુનિવર્સિટી, પેટ્રોલીયમ યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટી અને સ્પોર્ટસ યુનિવર્સિટી સ્થાપવા જેવા ક્રાંતિકારી પગલાં લેવામાં આવ્યા છે.
ઉપલેટાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઇ માંકડિયાએ કહ્યું હતું કે, ગુજરાતમાં સરકાર વિકાસ અને વહીવટમાં પરિવર્તન લાવી છે. તેનો લોકોને સ્વાનુભાવ થઇ રહ્યો છે. સેવા સદનના કારણે લોકોની સુવિધામાં વધારો થશે.
જેતપુરના ધારાસભ્ય જસુમતીબેન કોરાટે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સમક્ષ મેં જેતપુરમાં તાલુકા સેવા સદન બનાવવા માટે રજૂઆત કરી એટલે તુરંત તે ગ્રાહ્ય રાખવામાં આવી છે અને આ માટે રૂ. ૧૦.૨૧ કરોડની ફાળવણી કરવામાં આવી છે. એક વર્ષમાં આ સેવા સદનનું નિર્માણ થયેથી જેતપુર તાલુકાના લોકોને દરેક સરકારી કચેરીઓની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થશે.
આ પ્રસંગે કલેક્ટર શ્રી નલિન ઉપાધ્યાય, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઇ ક્યાડા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન વૈષ્ણવે પણ પ્રસંગોચિત પ્રવચનો કર્યા હતા. કમરીબાઇ સરકારી હાઇસ્કૂલની છાત્રાઓ દ્વારા પ્રારંભે સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી સુરેશ સખરેલિયા, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી જનકભાઇ ડોબરિયા, આર. કે રૈયાણી, નાયબ કલેક્ટર શ્રી લિમ્બાસિયા, અધિક્ષક ઇજનેર શ્રી પી. જે. ભગદેવ, કાર્યપાલક ઇજનેર શ્રી પી. આર. શાહ, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી એન. આર. ઠક્કર સહિત વેપારીઓ, આગેવાનો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ મામલતદાર શ્રી દૂધાતે કરી હતી.
તાલુકા સેવા સદનનું કૂલ ૫૩૦૩ ચોરસ મીટરનું બાંધકામ થશે. હેરીટેજ પ્લાસ્ટર કરવામાં આવશે. આંતરિક રસ્તા આરસીસીના બનાવાશે. પાર્કિંગ રોડ, અગ્નિશામકની સુવિધા, વોટર હોર્વેસ્ટિંગ, ટ્રી પ્લાન્ટેશન, બોર અને લિફટની સુવિધા રહેશે. મામલતદાર, સબ રજીસ્ટ્રાર, સબ ટ્રેજરી, સિટી સર્વે, વન વિભાગ, પશુપાલન, આર એન્ડ બી., જિલ્લા પંચાયત અને સ્ટેટ, સિંચાઇ હોમગાર્ડ અને મેલેરીયાનું યુનિટ બેસશે.
બાદમાં મહેસૂલ મંત્રીશ્રીએ નવાગઢ પ્રાથમિક શાળામાં ચાલતા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી હતી અને ત્યા સગર્ભા માતા અને બાળકો માટે રાજ્ય સરકાર દ્વારા અપાતા પૌષ્ટિક આહારમાંથી બનતી વિવિધ વાનગીઓનું નિદર્શન નિહાળ્યું હતું.
હળવાથી ભારે વરસાદની આગાહી તકેદારીના તમામ પગલા લેવા સૂચના
રાજકોટ- હવામાન ખાતાની યાદી મુજબ અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ ઉદભવતા આગામી ૪૮ કલાક દરમ્યાન હળવાથી ભારે વરસાદ પડવાની સંભાવના હોઇ આવી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી તકેદારીના જરૂરી પગલા લેવા તેમજ અધિકારી-કર્મચારીઓની રજા મંજુર નહીં કરવા રાજકોટ જિલ્લા કલેકટર કચેરી દ્વારા વહિવટી તંત્રના અધિકારીઓને જણાવાયું છે.
બીજા અને ચોથા શનિવારની જાહેર રજાના દિવસોમાં રોજગાર કચેરી કાર્યરત રહેશે
રાજકોટ-એસ.એસ.સી, એચ.એચ.સી. તેમજ કોલેજકક્ષાના વિવિધ્ ફેકલ્ટીના પરિણામ પ્રસિધ્ધ થયેલ હોઇ, મદદનીશ (રોજગાર)ની કચેરી, રાજકોટ ખાતે નામ નોંધણી કરાવવા ઇચ્છુક ઉમેદવારોને કામકાજના દિવસો ઉપરાંત શનિવારની જાહેર રજાઓ તા.૧૧/૬/૧૧ તા.૨૫/૬/૧૧, તા.૯/૭/૨૦૧૧ અને તા.૨૩/૭/૨૦૧૧ દિવસોએ પણ રોજગાર કચેરી ખાતે નામ નોંધણી, રીન્યુઅલ તેમજ લાયકાત વધારાની કામગીરી ચાલુ રહેશે આ સેવાનો ઉમેદવારોને લાભ લેવા મદદનીશ રોજગાર અધિકારી, રાજકોટ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
રાજકોટ,જેતપુર, ડેડરવા,જેતપુર,મોરબી,મોવિયા,નાનીવાવડી,ગુમ થનારનો પતો આપવા અનુરોઘ
રાજકોટ-રાજકોટના નીતાબેન દેવશીભાઇ ચાવડા ઉ.વ.૨૧ ગત તા.૧૮/૩/૧૧ના પોતાના ઘરેથી ચાલ્યા ગયા છે. તેઓ ૪‘પ ફૂટ ઉંચાઇ, પાતળા બાંધાના અને ઘઉંવર્ણ વાન ધરાવે છે. જેતપુરના રાજેશભાઇ ચંદુભાઇ ખાંટ ઉ.વ ૨૨ ગત તા.૧૬/૫/૧૧ના રોજ પોતાના ઘરેથી કોઇને કહયા વિના ચાલ્યા ગયા છે. તેઓ ૫.૪ ફૂટ ઉંચાઇ, પાતળો બાંધો અને શ્યામવર્ણ વાન ધરાવે છે. જેતપુર તાલુકાના ડેડરવા ગામના જીજ્ઞાબેન મોરબિયા ઉ.વ.૨૫ ગત તા.૨૫/૫/૧૧ના પોતાના ઘરેથી કોઇને કહયા વિના ચાલ્યા ગયા છે. તેઓ પ‘૫ ફૂટ ઉંચાઇ, મધ્યમ બાંધો અને ઘંઉવર્ણ વાન ધરાવે છે. જેતપુરના ચીમનલાલ ગાંડાલાલ થડેશ્વર ઉ.વ. ૪૨ ગત તા.૨૪/૪/૧૧ના પોતાના ઘરેથી અસ્થિર મગજના હોઇ ચાલ્યા ગયા છે. તેઓ પ‘પ ફૂટ ઉંચાઇ, પાતળો બાંધો અને ઘંઉવર્ણ વાન ધરાવે છે. મોરબીના નાનીવાવડીના ચીરાગભાઇ વ્યાસ ઉ.વ. ૨૮ ગત તા.૨૮/૫/૧૧ના પોતાના ઘરેથી કોઇને કહયા વિના ચાલ્યા ગયા છે. તેઓ પ‘૬ ફૂટ ઉંચાઇ મધ્યમ બાંધો અને રૂપાળો વાન ધરાવે છે. ગોંડલના મોવિયા ગામના પ્રજ્ઞાબેન ભાલાળા ઉ.વ.૧૮ ગત તા.૧૪/૫/૧૧ના રોજ પોતાના ઘરેથી ચાલ્યા ગયા છે. તેઓ પ‘૩ ફૂટ ઉંચાઇ, મધ્યમ બાંધો અને ઘંઉવર્ણ વાન ધરાવે છે. રોશનબેન સંધિ ઉ.વ.૩૦ ગત તા.૨૬/૫/૧૧ના પોતાના ઘરેથી કોઇને કહયા વિના ચાલ્યા ગયા છે. તેઓ પાતળો બાંધો અને ઘંઉવર્ણ વાન ધરાવે છે.
ઉપરોકત ગુમ થનાર વિશે કોઇ પતો મળેતો પોલીસને જાણ કરવા પોલીસ અધિક્ષકશ્રી, રાજકોટ શહેર અને ગ્રામ્યની યાદીમાં જણાવાયું છે.
ઉપરોકત ગુમ થનાર વિશે કોઇ પતો મળેતો પોલીસને જાણ કરવા પોલીસ અધિક્ષકશ્રી, રાજકોટ શહેર અને ગ્રામ્યની યાદીમાં જણાવાયું છે.
1...વિકલાંગ ઓળખકાર્ડ ની મુદત લંબાવાઇ...1...વિકલાંગ ઓળખકાર્ડ ની મુદત લંબાવાઇ.
1...વિકલાંગ ઓળખકાર્ડ ની મુદત લંબાવાઇ.
જામનગર તા. ૯ જુન- વિકલાંગ વ્યકિતઓને તેઓના નોકરી ધંધાના સ્થળે તેમજ અભ્યાસ કે સારવાર માટે ગુજરાત રાજયની એસ.ટી.નિગમની બસોમાં પ્રવાસ ની સુવિધા સરળતાથી વિકલાંગોને મળી રહે તે માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ની કચેરી દ્વારા વિકલાંગ ઓળખકાર્ડ (એસટી) ઇસ્યુ કરવામાં આવેલ છે.આ પાસ સાથે એસ.ટીની નિયત કરેલ બસોમાં વિકલાંગો મફતમાં મુસાફરીનો લાભ લઇ શકશે. જે વિકલાંગો ના ૨૮ ફેબ્રુઆરી-૨૦૧૧ માં વિકલાંગ ઓળખકાર્ડ (એસટી) પુર્ણ થતા હોય તઓએ નવા વિકલાંગ ઓળખકાર્ડ ઇસ્યુ કરવાની કામગીરી ગતિમાં હોય જેથી આ વિકલાંગતા ઓળખકાર્ડ ની મુદતતા. ૩૧/૮/૨૦૧૧ સુધી વધારવામાં આવેલ છે. તથા ૩૧/૮/૨૦૧૧ સુધીમાં પોતાના કાર્ડ સમાજ સુરક્ષા અધિકારી દ્વારા રીન્યુઅલ કરાવી લેવાના રહેશે. તેમજિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જામનગરદ્વારા કરવામાં આવે છે.
2...શોધ અને બચાવ ની બે દિવસ ની તાલીમ યોજાઇ
જામનગર તા.૯, જુન – જામનગર જીલ્લામાં જી.એસ.ડી. એમ.એ. અને યુ.એન.ડી.પી.ના સંયુકત ઉપક્રમે ડી.આર.આર. કાર્યક્રમ અમલી છે. આફતો સદર્ભે આયોજનો તૈયાર કરવા ક્ષમતાવર્ધન અર્થે તાલીમ કાર્યક્રમ અને જાગૃતિ નિર્માણ કાર્યક્રમનું મુખ્ય પાસુ છે. ઉકત કાર્યક્રમ અંતર્ગત ક્ષમતાવર્ધનના ભાગરૂપે જામનગર જિલ્લાની તમામ નગરપાલિકાના ફાયરમેન માટે ફાયર એન્ડ મરજન્સી સર્વિસસીસ ખાતે તા. ૩ અને ૪ જુન૨૦૧૧ ના બે દિવસ શોધ અને બચાવની તાલીમ યોજાઇ.તમામ નગરપાલિકાના ફાયરમેનો માંથી ૨૪ એ તાલીમ લીધી.તાલીમ નું સંકલન નિવાસી નાયબ કલેકટરઅને જીલ્લા પ્રોજેકટ ઓફીસર દ્રારા કરવામાં આવ્યુ હતુ. તેમ કલેકટર કચેરી, જામનગરની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.
જામનગર તા. ૯ જુન- વિકલાંગ વ્યકિતઓને તેઓના નોકરી ધંધાના સ્થળે તેમજ અભ્યાસ કે સારવાર માટે ગુજરાત રાજયની એસ.ટી.નિગમની બસોમાં પ્રવાસ ની સુવિધા સરળતાથી વિકલાંગોને મળી રહે તે માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ની કચેરી દ્વારા વિકલાંગ ઓળખકાર્ડ (એસટી) ઇસ્યુ કરવામાં આવેલ છે.આ પાસ સાથે એસ.ટીની નિયત કરેલ બસોમાં વિકલાંગો મફતમાં મુસાફરીનો લાભ લઇ શકશે. જે વિકલાંગો ના ૨૮ ફેબ્રુઆરી-૨૦૧૧ માં વિકલાંગ ઓળખકાર્ડ (એસટી) પુર્ણ થતા હોય તઓએ નવા વિકલાંગ ઓળખકાર્ડ ઇસ્યુ કરવાની કામગીરી ગતિમાં હોય જેથી આ વિકલાંગતા ઓળખકાર્ડ ની મુદતતા. ૩૧/૮/૨૦૧૧ સુધી વધારવામાં આવેલ છે. તથા ૩૧/૮/૨૦૧૧ સુધીમાં પોતાના કાર્ડ સમાજ સુરક્ષા અધિકારી દ્વારા રીન્યુઅલ કરાવી લેવાના રહેશે. તેમજિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જામનગરદ્વારા કરવામાં આવે છે.
2...શોધ અને બચાવ ની બે દિવસ ની તાલીમ યોજાઇ
જામનગર તા.૯, જુન – જામનગર જીલ્લામાં જી.એસ.ડી. એમ.એ. અને યુ.એન.ડી.પી.ના સંયુકત ઉપક્રમે ડી.આર.આર. કાર્યક્રમ અમલી છે. આફતો સદર્ભે આયોજનો તૈયાર કરવા ક્ષમતાવર્ધન અર્થે તાલીમ કાર્યક્રમ અને જાગૃતિ નિર્માણ કાર્યક્રમનું મુખ્ય પાસુ છે. ઉકત કાર્યક્રમ અંતર્ગત ક્ષમતાવર્ધનના ભાગરૂપે જામનગર જિલ્લાની તમામ નગરપાલિકાના ફાયરમેન માટે ફાયર એન્ડ મરજન્સી સર્વિસસીસ ખાતે તા. ૩ અને ૪ જુન૨૦૧૧ ના બે દિવસ શોધ અને બચાવની તાલીમ યોજાઇ.તમામ નગરપાલિકાના ફાયરમેનો માંથી ૨૪ એ તાલીમ લીધી.તાલીમ નું સંકલન નિવાસી નાયબ કલેકટરઅને જીલ્લા પ્રોજેકટ ઓફીસર દ્રારા કરવામાં આવ્યુ હતુ. તેમ કલેકટર કચેરી, જામનગરની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.
પાણી પુરવઠા બોર્ડની કચેરીએ કંટ્રોલ રૂમ નો પ્રારંભ
જામનગર – જામનગર જિલ્લાના ચાલુ વર્ષે પીવાના પાણીની સમસ્યાને પહોંચી વળવા જામનગર ખાતે પાણીપુરવઠા બોર્ડની કાર્યપાલક ઇજનેરશ્રી, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ.નં.૧ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, જલભવન દુધની ડેરીની બાજુમાં શરૂ સેકશન રોડ જામનગર ની કચેરીએ સવારે ૮-૦૦ થી રાત્રિના ૮-૦૦ કલાક સુધી કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે. જે અંગેની જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની કોઇપણ ફરીયાદ ફોન નં. ૦૨૮૮-૨૬૭૭૨૭૯ પર નોંધવામાં આવશે. તેમ કાર્યપાલક ઇજનેર , જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ.નં.૧ જામનગર ની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.
રાજ્ય સરકારે અનેકવિધ લોકોપયોગી યોજનાઓના લાભો સાચા લાભાર્થીઓ સુધી પહોંચાડી ગરીબ–પછાત વર્ગના લોકોની ખેવના કરી છે - શિક્ષણ મંત્રીશ્રી રમણલાલ વોરા
વડગામ ખાતે દેવીપૂજક સમાજ આયોજીત સમસ્ત દેવીપૂજક સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો : ૭૮ નવ દંપતિઓએ પ્રભૂતામાં પગલાં પાડ્યા
સુરેન્દ્રનગર :- સુરેન્દ્રનગર જિલ્લાના વડગામ ખાતે આજે વિરમગામના ધારાસભ્યશ્રી કમાભાઈ રાઠોડના સહ્યોગથી દેવીપૂજક સમાજ આયોજીત સમસ્ત દેવીપૂજક સમાજનો સમૂહ લગ્ન રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી રમણલાલ વોરાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રી રમણભાઈ વોરાએ સમૂહલગ્નના કાર્ય બદલ આયોજકોને બિરદાવતાં વધુમાં જણાવ્યું હતુ કે, છેવાડાના માનવીની સુખાકારી માટે રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે. સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા સરકારે અંતરિયાળ વિસ્તાર સુધી અનેકવિધ લોકોપયોગી યોજનાઓના લાભો તેના સાચા લાભાર્થીઓ સુધી પહોંચાડી ગરીબ – પછાતવર્ગના લોકોને આર્થિક રીતે પગભર બનાવવાનું કાર્ય કરી તેની ખેવના કરી છે.
મંત્રીશ્રી વોરાએ સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત દેવીપૂજક સમાજના લોકોને કન્યા દાનની સાથે તેમની દિકરીઓને વિદ્યારૂપી દાન આપવા અનુરોધ કરતાં જણાવ્યું હતુ કે, કન્યાદાનની સાથે વિદ્યાદાનનું પણ આજના યુગમાં એટલું જ મહત્વ છે. આ માટે દિકરા – દીકરી વચ્ચે ભેદભાવ ન રાખતા બન્નેને સમાન શિક્ષણની તક પૂરી પાડવી જોઈશે. તેમણે આ તકે દેવીપૂજક સમાજના લોકોને વ્યસનોને તિલાંજલી આપી શિક્ષિત બનવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્યશ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્યસભાના સાંસદશ્રી નટુજીભાઈ ઠાકોર, મુંદ્રાના ધારાસભ્યશ્રી રમેશભાઈ મહેશ્વરી, પાટડીના ધારાસભ્યશ્રી શંભૂપ્રસાદ ટુંડીયા, સમીના ધારાસભ્યશ્રી ભાવસંગજી રાઠોડ, માજી સાંસદ શ્રીમતી ભાવનાબેન દવે તથા મત્સ્ય ઉદ્યોગ કમિશનરશ્રી પી. બી. પટણીએ તેમના પ્રાસંગિક ઉદ્દબોધનમાં લગ્નગ્રંથીથી જોડાયેલા તમામ નવદંપતિઓને ભાવિ જીવનની શુભેચ્છાઓ પાઠવી દેવીપૂજક સમાજના લોકોને શિક્ષિત બની, સંગઠીત થઈ અન્ય સમાજની સાથે વિકાસની દિશામાં આગળ વધવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમના પ્રારંભમાં વિરમગામના ધારાસભ્યશ્રી કમાભાઈ રાઠોડે સ્વાગત પ્રવચન કર્યું હતું જ્યારે અંતમાં આભારવિધિ ખેંગારભાઈ ડોડીયાએ કરી હતી.
આ સમસ્ત દેવીપૂજક સમાજના સમૂહ લગ્નોત્સવમાં સમાજના ૭૮ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, જેને મંત્રીશ્રી – મહાનુભાવો તથા સંતો – મહંતોએ આર્શિવાદ પાઠવ્યા હતા.
આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મોહનભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી બિપીનભાઇ દવે, પાટડી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી દર્શનાબેન પટેલ સહિત અધિકારી – પદાધિકારીશ્રીઓ, સમાજના આગેવાનો, સંતો – મહંતો તથા મોટી સંખ્યામાં દેવીપૂજક સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
સુરેન્દ્રનગર :- સુરેન્દ્રનગર જિલ્લાના વડગામ ખાતે આજે વિરમગામના ધારાસભ્યશ્રી કમાભાઈ રાઠોડના સહ્યોગથી દેવીપૂજક સમાજ આયોજીત સમસ્ત દેવીપૂજક સમાજનો સમૂહ લગ્ન રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી રમણલાલ વોરાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રી રમણભાઈ વોરાએ સમૂહલગ્નના કાર્ય બદલ આયોજકોને બિરદાવતાં વધુમાં જણાવ્યું હતુ કે, છેવાડાના માનવીની સુખાકારી માટે રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે. સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા સરકારે અંતરિયાળ વિસ્તાર સુધી અનેકવિધ લોકોપયોગી યોજનાઓના લાભો તેના સાચા લાભાર્થીઓ સુધી પહોંચાડી ગરીબ – પછાતવર્ગના લોકોને આર્થિક રીતે પગભર બનાવવાનું કાર્ય કરી તેની ખેવના કરી છે.
મંત્રીશ્રી વોરાએ સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત દેવીપૂજક સમાજના લોકોને કન્યા દાનની સાથે તેમની દિકરીઓને વિદ્યારૂપી દાન આપવા અનુરોધ કરતાં જણાવ્યું હતુ કે, કન્યાદાનની સાથે વિદ્યાદાનનું પણ આજના યુગમાં એટલું જ મહત્વ છે. આ માટે દિકરા – દીકરી વચ્ચે ભેદભાવ ન રાખતા બન્નેને સમાન શિક્ષણની તક પૂરી પાડવી જોઈશે. તેમણે આ તકે દેવીપૂજક સમાજના લોકોને વ્યસનોને તિલાંજલી આપી શિક્ષિત બનવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્યશ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્યસભાના સાંસદશ્રી નટુજીભાઈ ઠાકોર, મુંદ્રાના ધારાસભ્યશ્રી રમેશભાઈ મહેશ્વરી, પાટડીના ધારાસભ્યશ્રી શંભૂપ્રસાદ ટુંડીયા, સમીના ધારાસભ્યશ્રી ભાવસંગજી રાઠોડ, માજી સાંસદ શ્રીમતી ભાવનાબેન દવે તથા મત્સ્ય ઉદ્યોગ કમિશનરશ્રી પી. બી. પટણીએ તેમના પ્રાસંગિક ઉદ્દબોધનમાં લગ્નગ્રંથીથી જોડાયેલા તમામ નવદંપતિઓને ભાવિ જીવનની શુભેચ્છાઓ પાઠવી દેવીપૂજક સમાજના લોકોને શિક્ષિત બની, સંગઠીત થઈ અન્ય સમાજની સાથે વિકાસની દિશામાં આગળ વધવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમના પ્રારંભમાં વિરમગામના ધારાસભ્યશ્રી કમાભાઈ રાઠોડે સ્વાગત પ્રવચન કર્યું હતું જ્યારે અંતમાં આભારવિધિ ખેંગારભાઈ ડોડીયાએ કરી હતી.
આ સમસ્ત દેવીપૂજક સમાજના સમૂહ લગ્નોત્સવમાં સમાજના ૭૮ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, જેને મંત્રીશ્રી – મહાનુભાવો તથા સંતો – મહંતોએ આર્શિવાદ પાઠવ્યા હતા.
આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મોહનભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી બિપીનભાઇ દવે, પાટડી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી દર્શનાબેન પટેલ સહિત અધિકારી – પદાધિકારીશ્રીઓ, સમાજના આગેવાનો, સંતો – મહંતો તથા મોટી સંખ્યામાં દેવીપૂજક સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
ભુજમાં ૧૨મીએ રાજયપાલ ડો.કમલા, સારસ્વતમ વુમન હોસ્ટેલનું લોકાર્પણ કરશે
ભુજ,ગુરૂવારઃ રાજયના ગવર્નર ડો.શ્રીમતિ કમલા આગામી ૧૨મીએ એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ભુજ આવી રહયા છે.
રાજયપાલ ડો.કમલા ૧૨મી જુનના રોજ ગાંધીનગરથી સ્ટેટ હેલિકોપ્ટર મારફતે સવારે અગિયાર વાગ્યે ભુજ આવી પહોંચશે અને ૧૧.૩૦ થી ૧૨.૩૦ વાગ્યા દરમિયાન સારસ્વતમ, માંડવી આયોજિત ભુજ ખાતે સારસ્વતમ વુમન હોસ્ટેલનું લોકાર્પણ કરશે.
આ કાર્યક્રમ ભુજમાં મુન્દ્રા રિલોકેશન સાઇટ પ્રમુખ સ્વામિનગર ગેટ નં.૨ પાસે યોજાશે. કાર્યક્રમ પૂર્ણ થયે, રાજયપાલ ડો.કમલા ભુજ એરપોર્ટથી ગાંધીનગર જશે.
રાજયપાલ ડો.કમલા ૧૨મી જુનના રોજ ગાંધીનગરથી સ્ટેટ હેલિકોપ્ટર મારફતે સવારે અગિયાર વાગ્યે ભુજ આવી પહોંચશે અને ૧૧.૩૦ થી ૧૨.૩૦ વાગ્યા દરમિયાન સારસ્વતમ, માંડવી આયોજિત ભુજ ખાતે સારસ્વતમ વુમન હોસ્ટેલનું લોકાર્પણ કરશે.
આ કાર્યક્રમ ભુજમાં મુન્દ્રા રિલોકેશન સાઇટ પ્રમુખ સ્વામિનગર ગેટ નં.૨ પાસે યોજાશે. કાર્યક્રમ પૂર્ણ થયે, રાજયપાલ ડો.કમલા ભુજ એરપોર્ટથી ગાંધીનગર જશે.
વિજ્ઞાન પ્રવાહના બે વિષયમાં પરિણામ સુધારણાને પત્ર ઉમેદવારની પરીક્ષા
ભુજ-ગુરૂવારઃ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૧૧ વિજ્ઞાન પ્રવાહમાં બે વિષયમાં પરિણામ સુધારણાને પાત્ર ઉમેદવાર ઉપરાંત માર્ચ-૨૦૧૧ અગાઉની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષામાં બે વિષયમાં પરિણામ સુધારણાને પાત્ર ઉમેદવારોની પરીક્ષા આગામી જુલાઇ-૨૦૧૧માં લેવાનાર છે.
અગાઉ ઉચ્ચતર પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૧૧ના એક વિષયમાં પરિણામ સુધારણાને પાત્ર ઉમેદવારોની યાદી સબંધિત શાળાઓને મોકલી આપવામાં આવી છે. તે જ રીતે આ સાથે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૧૧ના બે વિષયમાં પરિણામ સુધારણાને પાત્ર ઉમેદવારોની યાદી સામેલ રાખી મોકલી આપવામાં આવે છે. તેમાં સબંધિત ઉમેદવારોની સહી તથા જરૂરી ફીના ડીડી. સાથે બોર્ડની કચેરીને તા.૨૦/૬/૧૧ સુધીમાં રૂબરૂમાં અથવા રજિસ્ટર્ડ પોસ્ટ એ.ડી.થી તા.૨૦/૬/૨૦૧૧ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવા જણાવાયું છે.
ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૧૧ અગાઉના બે વિષયમાં પરિણામ સુધારણાને પાત્ર ઉમેદવારો માટેના આવેદનપત્ર ભરવા માટે આ સાથે નમૂનાનું ફોર્મ સબંધિત શાળાઓને મોકલી આપવામાં આવ્યું છે, તેમાં આવેદનપત્ર ભરી સમયમર્યાદામાં જરૂરી ફી સાથે બોર્ડને પહોંચતું કરવાનું રહેશે.
વિજ્ઞાન પ્રવાહના ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૧૧ના બે વિષયમાં પરીણામ સુધારણાને પાત્ર ઉમેદવારોની જ જુલાઇ-૨૦૧૧ પૂરક પરીક્ષા યોજાવાની છે. સામાન્ય પ્રવાહમાં માત્ર એક વિષયમાં પરિણામ સુધારણાને પાત્ર ઉમેદવારોની પરીક્ષા યોજાશે.
સીદીક કેવર....
અગાઉ ઉચ્ચતર પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૧૧ના એક વિષયમાં પરિણામ સુધારણાને પાત્ર ઉમેદવારોની યાદી સબંધિત શાળાઓને મોકલી આપવામાં આવી છે. તે જ રીતે આ સાથે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૧૧ના બે વિષયમાં પરિણામ સુધારણાને પાત્ર ઉમેદવારોની યાદી સામેલ રાખી મોકલી આપવામાં આવે છે. તેમાં સબંધિત ઉમેદવારોની સહી તથા જરૂરી ફીના ડીડી. સાથે બોર્ડની કચેરીને તા.૨૦/૬/૧૧ સુધીમાં રૂબરૂમાં અથવા રજિસ્ટર્ડ પોસ્ટ એ.ડી.થી તા.૨૦/૬/૨૦૧૧ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવા જણાવાયું છે.
ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૧૧ અગાઉના બે વિષયમાં પરિણામ સુધારણાને પાત્ર ઉમેદવારો માટેના આવેદનપત્ર ભરવા માટે આ સાથે નમૂનાનું ફોર્મ સબંધિત શાળાઓને મોકલી આપવામાં આવ્યું છે, તેમાં આવેદનપત્ર ભરી સમયમર્યાદામાં જરૂરી ફી સાથે બોર્ડને પહોંચતું કરવાનું રહેશે.
વિજ્ઞાન પ્રવાહના ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૧૧ના બે વિષયમાં પરીણામ સુધારણાને પાત્ર ઉમેદવારોની જ જુલાઇ-૨૦૧૧ પૂરક પરીક્ષા યોજાવાની છે. સામાન્ય પ્રવાહમાં માત્ર એક વિષયમાં પરિણામ સુધારણાને પાત્ર ઉમેદવારોની પરીક્ષા યોજાશે.
સીદીક કેવર....
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)