રાજકોટ-રાજકોટના નીતાબેન દેવશીભાઇ ચાવડા ઉ.વ.૨૧ ગત તા.૧૮/૩/૧૧ના પોતાના ઘરેથી ચાલ્યા ગયા છે. તેઓ ૪‘પ ફૂટ ઉંચાઇ, પાતળા બાંધાના અને ઘઉંવર્ણ વાન ધરાવે છે. જેતપુરના રાજેશભાઇ ચંદુભાઇ ખાંટ ઉ.વ ૨૨ ગત તા.૧૬/૫/૧૧ના રોજ પોતાના ઘરેથી કોઇને કહયા વિના ચાલ્યા ગયા છે. તેઓ ૫.૪ ફૂટ ઉંચાઇ, પાતળો બાંધો અને શ્યામવર્ણ વાન ધરાવે છે. જેતપુર તાલુકાના ડેડરવા ગામના જીજ્ઞાબેન મોરબિયા ઉ.વ.૨૫ ગત તા.૨૫/૫/૧૧ના પોતાના ઘરેથી કોઇને કહયા વિના ચાલ્યા ગયા છે. તેઓ પ‘૫ ફૂટ ઉંચાઇ, મધ્યમ બાંધો અને ઘંઉવર્ણ વાન ધરાવે છે. જેતપુરના ચીમનલાલ ગાંડાલાલ થડેશ્વર ઉ.વ. ૪૨ ગત તા.૨૪/૪/૧૧ના પોતાના ઘરેથી અસ્થિર મગજના હોઇ ચાલ્યા ગયા છે. તેઓ પ‘પ ફૂટ ઉંચાઇ, પાતળો બાંધો અને ઘંઉવર્ણ વાન ધરાવે છે. મોરબીના નાનીવાવડીના ચીરાગભાઇ વ્યાસ ઉ.વ. ૨૮ ગત તા.૨૮/૫/૧૧ના પોતાના ઘરેથી કોઇને કહયા વિના ચાલ્યા ગયા છે. તેઓ પ‘૬ ફૂટ ઉંચાઇ મધ્યમ બાંધો અને રૂપાળો વાન ધરાવે છે. ગોંડલના મોવિયા ગામના પ્રજ્ઞાબેન ભાલાળા ઉ.વ.૧૮ ગત તા.૧૪/૫/૧૧ના રોજ પોતાના ઘરેથી ચાલ્યા ગયા છે. તેઓ પ‘૩ ફૂટ ઉંચાઇ, મધ્યમ બાંધો અને ઘંઉવર્ણ વાન ધરાવે છે. રોશનબેન સંધિ ઉ.વ.૩૦ ગત તા.૨૬/૫/૧૧ના પોતાના ઘરેથી કોઇને કહયા વિના ચાલ્યા ગયા છે. તેઓ પાતળો બાંધો અને ઘંઉવર્ણ વાન ધરાવે છે.
ઉપરોકત ગુમ થનાર વિશે કોઇ પતો મળેતો પોલીસને જાણ કરવા પોલીસ અધિક્ષકશ્રી, રાજકોટ શહેર અને ગ્રામ્યની યાદીમાં જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો