અનુયાયીઓ

શુક્રવાર, 10 જૂન, 2011

કલાસર્જકોની કૃતિઓ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે રાજય સરકાર પ્રયત્‍નશીલ - નાણાંમંત્રીશ્રી વજુભાઇ વાળા


સ્‍વ. ઉમાશંકર જોશી જન્‍મ શતાબ્‍દી નિમિતે ‘‘વિશ્‍વ માનવીઃ ઉમાશંકર જોશી નાટકને મનભરીને માણતા રાજકોટવાસીઓ
રાજકોટ તા. ૯ જુનઃ રમત-ગમત, યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના ઉપક્રમે લબ્‍ધ પ્રતિષ્‍ઠિત સાહિત્‍યકાર સ્‍વ. ઉમાશંકર જોશીની જન્‍મ શતાબ્‍દી નિમિતે તેમના જીવન અને સાહિત્‍યકૃતિઓ પરનું નેમ આર્ટસ, રાજકોટ નિર્મિત મનીષ પારેખ લિખિત, દિગ્‍દર્શીત, અભિનિત દ્વિઅંકી સંગીત નાટક ‘‘વિશ્‍વ માનવીઃ ઉમાશંકર જોશીની પ્રસ્‍તુતિ રાજકોટના હેમુગઢવી હોલ ખાતે થઇ હતી. આ નાટય-કાર્યક્રમના શુભારંભ પ્રસંગે દિપ પ્રાગટય રાજયના નાણાંમંત્રીશ્રી વજુભાઇ વાળાએ કર્યુ હતું. આ પ્રસંગે રાજયના રમત-ગમત અને યુવક સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ વિભાગના સચિવશ્રી ભાગ્‍યેશ જહા ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાએ જણાવ્‍યું હતું કે, ‘રાજય સરકાર કલા અને સાહિત્‍યને વધુ ઉતેજન મળે તે માટે પ્રયત્‍નશીલ છે. લેખકો, કલાકારો, સંગીતકારો જેવા કલા સર્જકોની કૃતિઓ વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તેમજ સાહિત્‍યકારોના વિચારો લોકો જાણે અને ઉજ્જવળ સમાજ-જીવનનો ઉત્‍કર્ષ થાય તેવો રાજય સરકારનો અભિગમ છે.‘
આ નાટકમાં સુનિલ ઓઝા, નિહિર ધામેચા, ચેતસ ઓઝા, ડો..નમ્રતા દોશી વગેરે કલાકારોએ પોતાની કલાના કામણ પાથર્યા હતા. નાટકનું નિર્માણ હર્ષદ પારેખે કર્યુ હતુ. જયારે સ્‍વર સ્‍વ. અજીત શેઠ, નિરૂપમા શેઠ, સ્‍વ..પરેશ ભટ્ટ, ઉદય મઝુમદાર, સાધના સરગમ વગેરેએ આપ્‍યો હતો. નૃત્‍ય નિર્દેશન નેહા મહેતા પારેખે અને રંગભૂષા પ્રદીપ દવેએ સંભાળી હતી.
આ તકે ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના સભ્‍ય સચિવ ડો.પ્રદિપ આઝાદ, રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી ડી.એચ.બ્રહમભટ્ટ, જિલ્‍લા રમતગમત અધિકારીશ્રી મણવર, સરગમ કલબના પ્રમુખશ્રી ગુણવંતભાઇ ડેલાવાળા વગેરે ઉપસ્‍થિત રહયા હતા.

ટિપ્પણીઓ નથી: