જેતપુર પાલિકા દ્વારા આયોજિત
રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટમાં મેદાન
મારી જતી ઉપલેટાની ટીમ
જેતપુર તા.8
જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા તાજેતરમાં યોજાયેલ રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં ઉપલેટાની યોગી ટીમનો વિજય થયો હોવાનું પાલિકાના રમ્મત ગમ્મત ચેરમેન અરવિંદ વણજારાએ જણાવ્યું હતું.
મળતી વિગતો મુજબ અહીના જીમખાના મેદાનમાં જેતપુર નગર પાલિકા દ્વારા ઓપન સૌરાષ્ટ્ર રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 15 દિવસ ચાલેલી આ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની 40 થી વધુ ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટના ફાઈનલ મેચમાં ધોરાજીની શિવશક્તિ ઇલેવનના ખેલાડીઓએ નિર્ધારિત ઓવર્સમાં 106 રન બનાવ્યા હતા. જે લક્ષ્યાંકને પાર પાડવાની નેમ સાથે ઉતરેલ ઉપલેટાની યોગી ઈલેવનના ખેલાડીઓએ આસાનીથી 107 રન બનાવી લેતા તેનો વિજય થયો હતો.
દરમિયાન રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડિયા, ભાજપ અગ્રણી મનસુખભાઈ ખાચરીયા જેતપુર પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા વિગેરેની હાજરીમાં ફાઈનલ મેચ દરમિયાન જાહેર કરાયેલા મેન ઓફ ધી સીરીજ સંજય ડેર, બેસ્ટ બેટ્સમેં મજહરખાન, બેસ્ટ બોલર જયદીપસિંહ ઝાલાને પારિતોષિક ઇનામો એનાયત કરાયા હતા. ફાઈનલ મેચની વિજેતા ઉપલેટાની ટીમને રાજ્ય મંત્રી જયેશ રાદડિયા દ્વારા રોકડ રૂ.11000, તથા રનર્સઅપ ટીમને રોકડ રૂ.5000 અપાયા હતા. આ તકે પાલિકા પ્રમુખના સ્વર્ગીય પુત્ર દેવેન્દ્ર મકવાણાની યાદમાં શિલ્ડ તેમજ ઇનામો અપાયા હોવાનું અરવિંદ વણજારા જણાવે છે.
કશ્યપ જે. જોશી જેતલસર 99742 62812
જેતપુર ડાઈંગ એશો.- પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા
ભાટગામ ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ
જેતપુર તા.8
તાજેતરમાં જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એશો. તેમજ જેતપુર પ્રદુષણ નિયંત્રણ બોર્ડના સુત્રો દ્વારા જેતલસર પંથકના ભાટગામ(સાડી ધોલાઈઘાટ ટ્રીટમેન્ટ) ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે આ બંને સંસ્થાના પદાધિકારીઓ દ્વારા અનેક જગ્યાએ વૃક્ષરોપણ કરી અન્યોને વૃક્ષારોપણનો રાહ ચીંધ્યો હતો.
કશ્યપ જે. જોશી જેતલસર 99742 62812
ગૌસેવાના લાભાર્થે
જેતલસર પંથકના રૂપાવટી ગામે આજે રામામંડળ
જેતલસર તા.8
જેતલસર પંથકના રૂપાવટી ગામે કામધેનું ગૌ રક્ષક ગ્રુપ દ્વારા, ગૌશાળાના લાભાર્થે આજે તા.9.6. ને મંગળવારે રાત્રીના 9 વાગ્યે રામામંડળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નવા રણુજા જગ્યાના મહંત કરશનદાસબાપુ, રાજ્યમંત્રી જયેશ રાદડિયા, જેતપુર પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા, જેતપુરમાં દાનવીર તરીકે જાણીતા જગદીશ પાંભર સહિતના અગ્રણી આગેવાનોની હાજરીમાં યોજાનાર આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા આજુબાજુની ધર્મપ્રેમી જનતાને કામધેનું ગૌ રક્ષક ગ્રુપ કમિટી, રૂપાવટી દ્વારા અનુરોધ કરાયો છે.
કશ્યપ જે. જોશી જેતલસર 99742 62812






