અનુયાયીઓ

શુક્રવાર, 18 ડિસેમ્બર, 2020

> કરૂણા ફાઉન્ડેશન-એનીમલ હેલ્પલાઈન દ્રારા"માંસાહાર સર્વ નાશાહાર' પર જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવીનો વેબીનાર યોજાશે.

કરૂણા ફાઉન્ડેશન-એનીમલ હેલ્પલાઈન દ્રારા "માંસાહાર સર્વ નાશાહાર' વિષય પર વેબીનાર યોજાશે.જેમાં રાજભા ગઢવી (લોકસાહિત્યકાર) પોતાનું માર્ગદર્શન આપશે. આ વેબીનારનું સંચાલન મિતલ ખેતાણી દ્વારા કરવામાં આવશે. આ વેબીનાર તા. ૧૯, ડીસેમ્બર, શનીવાર બપોરે ૧૨-૦૦ ફેસબુક પેઈઝ https://www.facebook.com/animalhelplinekarunafoundation તથા ઈન્સ્ટાગ્રામ https://www.instagram.com/kamunafoundation પર જીવંત નિહાળી શકાશે.



 આ વેબીનારની સફળતા માટે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈનનાં મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ,રજનીભાઈપટેલ, અમર તલવરકર વિગેરે જહેમત ઉઠાવી રહયાં છે. આ વેબીનારની વિશેષ માહિતી માટે પ્રતિક સંઘાણી મો.૯૯૯૮૦ ૩૦૩૯૩ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા : જરૂરિયાતમંદોની 5 હજાર દીકરીઓને દત્તક લઇ સગાઇ-લગ્ન કરી દેવાશે : આવી ભગીરથ સેવાની સર્વત્ર સરાહના

સુરત શહેરમાં છેલ્લા 10 વર્ષથી લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વરાછામાં અનેકવિધ સેવા કરવામાં આવે છે. સમયાંતરે વ્યસન મુક્તિ અભિયાન, બાળ હિંસા નાબુદી, વડીલ યાત્રા વિગેરે સેવા કરવામાં આવે છે.

તાજેતરમાં આ સંસ્થા દ્વારા ગુજરાતમા રહેતા અને જરૂરિયાતમંદ પરિવારોની વહારે આવીને 5 હજાર દીકરીનો દત્તક લેવાની યોજના શરુ કરી છે. જે અંતર્ગત દીકરીઓની સગાઇ અને લગ્ન સંસ્થા દ્વારા કરી દેવાશે. જે લોકોને દીકરીનો સંબંધ કરવાનો બાકી હોય તેમજ બીજીવારના સંબંધમા માં પણ 18 થી 50 વર્ષના વિધવા દીકરીઓને સંસ્થા યોગ્ય મુરતિયો શોધી આપવામાં મદદ કરશે.

સંસ્થા કાર્યવાહકો કહે છે કે આ દીકરી દત્તક યોજનામાં કોઈ પણ જ્ઞાતિના લોકો જોડાઈ શકશે. વધુ માહિતી માટે ધ્રુવ રમેશભાઈ દીક્ષિત મોં.99784 50500, 94263 30531 ઉપર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

લાઈફ લાઈન ચેરીટેબલ દ્વારા આવી દીકરી દત્તક યોજના શરુ કરાતા જાણકારોમાં સંસ્થાના સેવાભાવીઓની સરાહના થઇ રહી છે.


ધ્રોલના ખારવા-માનસરનો મગર પીઠ સમાન રસ્તો કોઈ સુધારશે ખરું ?

રોડનો ઉપયોગ કરતા 8 ગામના લોકો ત્રાહિમામ : રોડ ટેક્સ ભરતા હોવા છતાં રોડની બિસમાર હાલતથી સૌ પરેશાન 

(સંજય ડાંગર દ્વારા)  ધ્રોલ, તા.18

ધ્રોલ તાલુકાના ખારવાથી માનસર સુધીના અત્યંત બિસમાર બનેલા રોડથી વાહનચાલકો ત્રાસી ગયા છે. આ બાબતે અવારનવાર રજૂઆતો પછી પણ જાડી ચામડીના સંબંધિત તંત્રના પેટનું પાણી હલતું ના હોવાથી વાહનચાલકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

મળતી વિગતો મુજબ ધ્રોલ તાલુકાના ખારવાથી માનસર ગામ સુધીનો રોડ ભારે બિસમાર બન્યો છે. આ રોડ પરના ખાડા ખબડા તારવવા દરમિયાન અકસ્માતોની વણઝાર સર્જાઈ છે. આવા બધું લાગતા વળગતા જાણતા હોવા છતાં રોડને રીપેર કરાવવા કોઈ જાગતા ના હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકો ત્રાસી ગયા છે.



જાણકારો કહે છે કે હમાપર, માનસર, જાળિયા, દેવાઈ, ખીજડીયા, સહિત મોટાભાગના ગામનો વાહન વ્યવહાર આ રોડનો ઉપયોગ કરે છે. રોજ સુરજ ઉગેને આથમે ત્યાં સુધી હજારો વાહનો આ રોડ પરથી પસાર થાય છે. આ રોડનો ઉપયોગ કરનાર વાહન ચાલકો ભારે યાતના ભોગવી રહ્યાં છે. કારણ કે ખખડધજ રોડને કારણે વાહનો ધીમી ગતિએ ચલાવવા પડતા હોવાથી સરવાળે સમય અને પેટ્રોલ -ડીઝલની ખુવારી વાહન ચાલકોને ભોગવવી પડે છે. 


ખરવાથી માનસર સુધીના આ 15 કિમિ રોડને રીપેર કરવા અગાઉ અનેક વખત રજૂઆતો થઇ છે. લાગતા વળગતા સત્તાધીશોએ રોડ રીપેર કરવાની અનેક વખત ખાતરી પણ આપી હોવાનું કહેવાય છે પણ વાહન ચાલકો કહે છે કે તંત્રની આવી ખાતરી કોણીએ ગોળ ચોપડવા જેવી અને ચોકલેટી સાબિત થઇ હોવાથી આ રોડ આજ દિન સુધી રીપેર કરાયો નથી. પરિણામે અંતે વાહનચાલકોને ભોગવવી પડે છે ભારે હાલાકી.


સૌથી દુઃખની વાત એ છે કે આ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદ સમયાંતરે ઘણી વાર પસાર થાય છે. તેઓ પણ ખારવાથી માનસર રોડની આવી બિસમાર હાલત સુપર જાણે છે છે છતાં તેઓ એ પણ કોઈ દિવસ આ રોડ રીપેર કરાવવા અંગત રસ દાખવ્યો ના હોવાના પ્રજામાં આક્ષેપો  થઇ રહ્યા છે. ત્યારે સમય જ બતાવશે કે આ રોડ રીપેર કરવા લાગતા વળગતા સત્તાધીશો જાગશે કે પછી રાબેતા મુજબ મૂક, બધિર અને સૂરદાસની ભૂમિકા ભજવતા રહેશે ? રામજાને !!