અનુયાયીઓ

શુક્રવાર, 18 ડિસેમ્બર, 2020

> કરૂણા ફાઉન્ડેશન-એનીમલ હેલ્પલાઈન દ્રારા"માંસાહાર સર્વ નાશાહાર' પર જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવીનો વેબીનાર યોજાશે.

કરૂણા ફાઉન્ડેશન-એનીમલ હેલ્પલાઈન દ્રારા "માંસાહાર સર્વ નાશાહાર' વિષય પર વેબીનાર યોજાશે.જેમાં રાજભા ગઢવી (લોકસાહિત્યકાર) પોતાનું માર્ગદર્શન આપશે. આ વેબીનારનું સંચાલન મિતલ ખેતાણી દ્વારા કરવામાં આવશે. આ વેબીનાર તા. ૧૯, ડીસેમ્બર, શનીવાર બપોરે ૧૨-૦૦ ફેસબુક પેઈઝ https://www.facebook.com/animalhelplinekarunafoundation તથા ઈન્સ્ટાગ્રામ https://www.instagram.com/kamunafoundation પર જીવંત નિહાળી શકાશે.



 આ વેબીનારની સફળતા માટે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈનનાં મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ,રજનીભાઈપટેલ, અમર તલવરકર વિગેરે જહેમત ઉઠાવી રહયાં છે. આ વેબીનારની વિશેષ માહિતી માટે પ્રતિક સંઘાણી મો.૯૯૯૮૦ ૩૦૩૯૩ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: