અનુયાયીઓ

બુધવાર, 10 જૂન, 2015

જેતલસર જંકશનમાં સગીરા પર આચરાયું દુષ્કર્મ

જેતલસર જંકશનમાં સગીરા પર આચરાયું દુષ્કર્મ 
જેતપુર તા.10
જેતલસર જંકશનમાં રહીને ભિક્ષાવૃતિ કરતા એક પરિવારની સગીર પુત્રી સાથે સ્થાનિક કોળી ઢગાએ દુષ્કર્મ આચાર્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ કરમટીયાએ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના જેતલસર જંકશન ખાતે રહેતા એક પરિવારની 13 વર્ષની સગીર પુત્રીને ઘરે એકલી છોડી પરિવારજનો ધાર્મિક પ્રસંગ સબબ બહારગામ ગયા હતા. આ મોકાનો ગેરફાયદો ઉઠાવી જંકશનમાં રહેતાજ અજય ગોરધન નામના કોળી ઢગાએ શારીરિક છેડછાડ કરી દુષ્કર્મ આચર્યાની જાણ થયા બાદ ભોગ બનનાર કિશોરીની માતાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા તાલુકા ફોજદાર આર એન કરમટીયાએ ગણતરીની કલાકોમાં અજયને ઝડપી લીધો હતો. આ લખાય છે ત્યારે એક ટેલીફોનીક  દરમિયાન ફોજદાર કરમટીયાએ જણાવેલ કે અજયની દાકતરી તપાસ આટોપાઈ ગઈ છે. તેમજ અજય સામે પોસ્કો મુજબની કલમનો પણ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

-----------------------------------------------------------------------------------------------------------------
જેતપુરમાં સ્લેબનું છજુ માથે 
પડતા પરપ્રાંતીય મજુરનું મોત 
જેતપુર તા.10
ગઈ કાલે જેતપુરના ફિલ્ટર પ્લાન્ટના એક કામમાં ભરાયેલ સ્લેબનું એક છજુ નીચે પડતા ઘાયલ એક પરપ્રાંતીય નું મોત થયાની ઘટના શહેર પોલીસ દફતરે નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ જેતપુર પાલિકાના ખીરસરા રોડ પર આવેલ પાણીના ફિલ્ટર પ્લાન્ટ ઉપર નાનું મોટું બાંધકામ થઇ રહ્યું છે. આ બાંધકામના એક સ્લેબના ટેકા ચોકા હટાવતી વખતે એક સ્લેપનું છજુ(પતરું) નીચે પડતા, નીચે કામ કરી રહેલ પરપ્રાંતીય મજુર સુજીતને લાગતા ગંભીર ઈજાઓ સાથે અહીના સરકારી દવાખાને ખસેડેલ પણ તેને હોસ્પિટલસુત્રોએ મૃત જાહેર કરેલ, પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર 99742 62812




જેતપુર બ્રહ્મસમાજના પ્રમુખની મામલતદારને રજૂઆત જેતપુરના નવાગઢ ચોકડીની બંને બાજુ અત્યંત બિસ્માર રોડ તાકીદે રીપેર કરાવો




જેતપુર બ્રહ્મસમાજના પ્રમુખની મામલતદારને રજૂઆત 
જેતપુરના નવાગઢ ચોકડીની બંને બાજુ 
અત્યંત બિસ્માર રોડ તાકીદે રીપેર કરાવો 
જેતપુર તા.10
જેતપુરના નવાગઢમાં ચોકડીની બંને બાજુના સર્વિસ રોડ અત્યંત બિસ્માર બન્યા હોય તાકીદે રીપેર કરાવવા સમસ્ત બ્રહ્મસમાજ જેતપુરના પ્રમુખ કાળુભાઈ જોશીએ આજે સ્થાનિક મામલતદારને લેખિત રજૂઆત કરી હતી.
રજુઆતમાં જણાવાયું છે કે જેતપુરના નવાગઢ અંડર બ્રીજની બંને બાજુનો સર્વિસ રોડ એટલી હદે ખાડા ખબડાથી બિસ્માર બન્યો છે કે નાના મોટા વાહન ચાલકો ત્રાસી ગયા છે. આ રોડ પરના ખાડા તારવવા રોજ બરોજ નાના મોટા અકસ્માતોના બનાવો બનતા હોય તંત્રએ વાહન ચાલકોની ફરિયાદ તાકીદે નિવારવી જરૂરી છે.
રજૂઆત કરનારે એક એવું પણ દુઃખ વ્યક્ત કર્યું છે કે તાલુકા મથક એવા જેતપુર શહેર કે તાલુકાના ગામડાઓમાં બનતા અકસ્માતોના બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા ઈજાગ્રસ્તોને રાજકોટ રીફર કરાય ત્યારે નવાગઢનો આ જ રોડ ઉપયોગ કરવો પડતો હોય, ઘણીવાર ગંભીર ઈજાગ્રસ્તોની હાલત આ રોડ પરથી પસાર થતી વખતે જોખમાય છે. 
કાળુભાઈએ એવું પણ જણાવેલ છે કે નવાગઢ રેલવેના બેઠા પુલ નીચેનો રસ્તો પણ બિસ્માર બન્યો હોય, તેમજ આ પુલ નીચે વરસાદી પાણી ભરાતા હોય, સંબંધિત તંત્રએ તાકીદે ઘટતું કરવું જરૂરી છે.
જેતલસર-જુનાગઢ રોડની પણ દયનીય હાલત !
જેતપુર : તત્કાલ હનુમાન જેતપુરથી સોમનાથ સુધીનો બનેલો ફોર ટ્રેક રોડ જેતલસરમાંથી પસાર થાય છે. આ રોડ બન્યો એટલે જુનાગઢ રોડને ટચ રોડ સુધીનો બાઈપાસ રસ્તો સારો કરાયો પણ, આ બાઈપાસથી જેતલસર રેલ્વે ફાટક(જુનાગઢ રોડ, જેતપુર જતા ) એટલી હદે બગડ્યો કે અહી પણ અવારનવાર અકસ્માતો બને છે. નેશનલ હાઈવે ઓથોરીટીએ આ બંને રોડની હાલત સુધારવી જરૂરી હોવાનું વાહન ચાલકો જણાવે છે.
---------------------------------------------------------------------------------------------------------
જેતપુરના લેખકની રવિવારે 
આકાશવાણી પર બાળવાર્તા 
જેતપુર તા.10
આગામી 14.6.2015 ને રવિવારે આકાશવાણી રાજકોટ કેન્દ્ર પરથી, સવારે 9-30 વાગ્યે પ્રસારિત થતા બાલસભા કાર્યક્રમમાં જેતપુરના લેખક, વાર્તાકાર હરીશભાઈ મણિયારનો 24 મો કાર્યક્રમ ''બાળવાર્તા'' પ્રસારિત થનાર હોવાનું જણાવાયું છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812