અનુયાયીઓ

શનિવાર, 24 ઑક્ટોબર, 2015

જેતપુરમાં તાજીયા વિસર્જિત થયા

જેતપુરમાં તાજીયા વિસર્જિત થયા 
જેતપુર તા.૨૪ (કશ્યપ જોશી દ્વારા)
ગઈકાલે જેતપુરમાં તાજીયાના જુલુસ ફર્યા બાદ પોતપોતાના ઈમામખાનામાં પહોચ્યા બાદ આજે ફરી તાજીયાના જુલુસ યા ઈમામના નારા સાથે નીકળ્યા હતા. ખાસ કરીને આજના દિવસે આશુરાનું મહત્વ હોય, અહીની તમામ મસ્જિદોમાં સવારે મુસ્લિમ બિરાદરો દ્વારા વિશેષ નમાઝ પઢવામાં આવી હતી. કલાત્મક તાજીયા નિહાળવા મુસ્લિમ બિરાદરો ઉપરાંત હિંદુ લોકો પણ આસ્થાભેર રોડ રસ્તા પર આવી ગયા હતા.આજે મુસ્લિમ બિરાદરોએ અહી શોકમય અવસ્થામાં પરસ્પર એકબીજાને દુઆ ગુજારી, ક્ષમાયાચના કરી કરબલાની સ્મૃતિમાં શહીદ દિનની ભવ્ય અંજલી અર્પિત કરી હતી. મોડી રાત્રીના અહીના તાજીયા શહેર ઉપરાંત આજુબાજુના શહેરોમાં વિસર્જિત કરાયા હતા.
ફોટો અને સમાચાર કશ્યપ જે. જોશી જેતલસર