અનુયાયીઓ

શુક્રવાર, 4 મે, 2018

જેતપુર યાર્ડ ખાતે કિશાન કલ્યાણ મહોત્સવ યોજાયો

જેતપુર યાર્ડ ખાતે કિશાન કલ્યાણ મહોત્સવ યોજાયો 


તાલુકા વહિવટ તંત્ર જેતપુર તથા આત્મા પ્રોજેક્ટ રાજકોટ દ્વારા ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત કિશાન-કલ્યાણ મહોત્સવ-૨૦૮૧૮ તાલુકા અમલીકરણ સમિતિ દ્વારા જેતપુર માર્કેટ યાર્ડ ખાતે ખેતી અધિકારી પંડયા મિનર તથા વિસ્તરણ અધિકારી ખેતી તથા સહકાર વિભાગ દ્વારા જેતપુર યાર્ડના ચેરમેન દિનેશભાઇ ભુવાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ મહોત્સવમાં શહેર ભાજપના મહેશભાઇ ડોબરિયા, ડી.કે. બલદાણીયા, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ચિરાગભાઇ બાબરિયા, અમીનભાઇ ભડાલિયા, પી.વી. મકવાણા તથા એચ.બી. રાણપરિયા વગેરે હાજર રહ્યા હતા.

આ મહોત્સવમાં તાલુકાભરના ખેડૂતભાઇ બહેનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધેલ. શીબીરના અધ્યક્ષ દિનેશભાઇ ભુવાએ જણાવેલ કે, ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકાર ખેડૂતો માટે ખૂબજ ચિંતીત છે. ખેતીલક્ષી માહિતી ઇઝરાયેલ જેવા દેશમાંથી એકત્ર કરી ખેડૂતોને આજના વર્તમાનયુગમાં ખેતીની જુની પદ્ધતિઓ બદલી વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા માહીતગાર કરેલ. આ પદ્ધતિથી ખેડૂતોને પોતાના પાક જણસીઓના ઉત્પાદનમાં કેવી રીતે વધારો થાય તેમજ પોષણક્ષમ ભાવો મળી રહે તે જણાવેલ.

કલ્યાણ મહોત્સવમાં પશુ ચિકિત્સા અને પશુપાલન મદદનીશ પ્રધ્યાપક અમીનભાઇ ભડાલિયાએ પશુપાલનને લગતી રોજબરોજની જરૂરી માહિતીઓ આપેલ. જુનાગઢ કૃષિ યુનિ.માંથી આવેલ વૈજ્ઞાનિક કક્ષાના અધિકારીઓએ ખૂબજ સરળતાથી ખેતી ઉપયોગી ખાતર, બિયારણ, નિંદામણ તેમજ ઘણીબધી યોજનાઓ અમલમાં છે. પરંતુ ખેડૂતો પુરતો લાભ લઇ શકતા નથી. 


જીલ્લા બેંક તથા રાજય સરકાર દ્વારા ખેતી માટેના મોટા ગોડાઉનોમાં સબસીડીઓના લાભો લઇ ગોડાઉનો બનાવી પોતાની ખેત જણસીઓના સારી કવોલીટી તથા ગ્રેડીંગ કરી સંગ્રહ કરવો જોઈએ અને સમયાંતરે પોષણક્ષમ ભાવો મળે ત્યારે વેચાણ કરવું જોઈએ. આ મહોત્સવમાં જેતપુર માર્કેટ યાર્ડના ચેરમેન દ્વારા લીધેલ આકસ્મીક વિમા યોજના અંતર્ગત તાલુકાના ત્રણ ખાતેદારોના અકસ્માતે મૃત્યુ થતા તેના લાભાર્થી વારસદારોને રૂપિયા ત્રણ-ત્રણ લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.