અનુયાયીઓ

શનિવાર, 11 જૂન, 2011

कश्यप जोशी जेतपुर-९९७४२६२८१२



હઝારેએ કહ્યું છે કે

હઝારેએ કહ્યું છે કે બાબા રામદેવ હજુ એટલા પરિપક્વ નથી થયા કે કોઇ સામાજિક આંદોલનનું નેતૃત્વ કરી શકે. તેમણે હાલ તો યોગ છોડી અન્ય ક્ષેત્રોમાં વિશેષજ્ઞતા મેળવવી joie.

JOIN WITH SAHARA INDIA


સતત નવમાં વર્ષે દશ વર્ષમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ગુણાત્‍મક સુધારણાના ઉત્તમ પરિણામો મળ્‍યા છે સને ર001ની વસતિ ગણતરી અને સને ર011ની વસતિ ગણતરીની તુલ

અમદાવાદ : મુખ્‍ય મંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં કન્‍યા કેળવણી યાત્રા અને શાળા પ્રવેશોત્‍સવનું સમાજ ચેતનાનું અભિયાન, સતત નવમાં વર્ષે આગામી તા.16-17-18 જૂન ર011ના રોજ સમગ્ર ગ્રામવિસ્‍તારની તમામ 3ર77ર પ્રાથમિક શાળાઓમાં ત્રણ દિવસ માટે અને તા.ર3-ર4-રપ જૂન ર011ના ત્રણ દિવસો દરમિયાન સમગ્ર શહેરી ક્ષેત્રમાં હાથ ધરાશે
કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવના આ અભિયાનના ઉત્તમ પરિણામો પ્રાપ્ત થયાં છે તેની પ્રસ્‍તુતિ સાથે આ શૈક્ષણિક વર્ષના પ્રારંભે, પ્રાથમિક શિક્ષણને સાર્વત્રિક અને સર્વસમાવેશક બનાવવાના આ સાક્ષરતા યજ્ઞમાં મુખ્‍યમંત્રીશ્રી, મંત્રીમંડળ, તમામ સચિવશ્રીઓ, અધિકારીઓ અને પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ સહિત રર110 જેટલા મહાનુભાવો ત્રણ-ત્રણ દિવસ લગાતાર 18000 ગામડાં, 1પ1 નગરપાલિકા અને આઠ મહાનગરોમાં દરરોજ પાંચ શાળાઓમાં કેળવણીની જ્‍યોત પ્રગટાવશે.
કન્‍યા કેળવણી યાત્રા અને શાળા પ્રવેશોત્‍સવ-ર011માં યોગદાન આપનારા આ તમામ મહાનુભાવોની સમક્ષ શિક્ષણ વિભાગે ભૂમિકા પ્રસ્‍તુત કરી હતી.
મુખ્‍યમંત્રીશ્રીએ પ્રેરક માર્ગદર્શન આપતાં જણાવ્‍યું કે સને ર001ની વસતિ ગણતરી અને સને ર011ની વસતિ ગણતરીના તુલનાત્‍મક દશ વર્ષની વિગતોએ સ્‍વયંસ્‍પષ્‍ટ કર્યું છે કે ગુજરાતે શિક્ષણ ક્ષેત્રમાં સુધારા અને ગુણાત્‍મક પરિવર્તન માટે હાથ ધરેલા મંથનના ઉત્તમ પરિણામો આવ્‍યા છે, શિક્ષણને સમાજમાં ઉદાસિનતાને બદલે સાર્વત્રિક ઉત્‍સાહ અને સ્‍વીકૃતિ મળી છે. આપણે પૂરવાર કરી શકયા છીએ કે આપણું સામૂહિક મંથન પરિસ્‍થિતિ બદલવામાં કામિયાબ બન્‍યું છે.
પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવાના અભિયાનની સફળતાના વિવિધ પાસાંઓની સવિસ્‍તર ભૂમિકા સમજાવતાં મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે સ્‍થાયિ અને ઘર કરી ગયેલી વ્‍યવસ્‍થા બદલવા ગામડાંના આ અભિયાન પ્રવાસોથી એવી જડીબૂટ્ટી હાથ લાગી છે કે સાચા અર્થમાં પ્રયાસો કરીએ તો ધાર્યા પરિણામો આવશે. આપણે નીતિ નિર્ધારણમાં આમૂલ પરિવર્તન કરી શકયા છીએ અને સમસ્‍યાઓનું સમાધાન લાવી શકયા છીએ એ વિશેષ ફલશ્રુતિ છે એમ તેમણે જણાવ્‍યું હતું.
શિક્ષણ સાથે આરોગ્‍ય સંભાળનો સમન્‍વય કરીને ગુજરાતે આવતી કાલની પેઢી માટેની જે કાળજી લીધી છે તે સમગ્ર ટીમ ગુજરાતના ઉત્તમ શકિત અને યોગદાનને આભારી છે એમ તેમણે કન્‍યા કેળવણી યાત્રાના આ અભિયાનમાં પોતાની સમગ્ર ચેતના અને તાજગી સાથે જોડાવાનું સૌને આહવાન આપતાં જણાવ્‍યું હતું.
શિક્ષણ મંત્રીશ્રી રમણભાઇ વોરાએ પ્રાથમિક શિક્ષણને ગુણવત્તાસભર બનાવવા આ વર્ષે જે નવા આયામો, સુવિધાઓ અને ગૂણાત્‍મક સુધારાના પગલાંઓ લેવાઇ રહ્યાં છે તેની ભૂમિકા આપી હતી.
શિક્ષણના અગ્ર સચિવશ્રી હસમુખ અઢિયાએ પ્રારંભિક રૂપરેખામાં જણાવ્‍યું કે દશ જ વર્ષમાં ગુજરાતસ્ત્રી સાક્ષરતા, કન્‍યા કેળવણી, શાળા નામાંકન અને ગુણોત્‍સવમાં મુખ્‍યમંત્રીશ્રીના માર્ગદર્શનથી લક્ષિત સફળતા મેળવી શકયું છે.
પ્રાથમિક શિક્ષણ સચિવશ્રી આર. પી. ગુપ્તાએ આગામી કન્‍યા કેળવણી યાત્રા અભિયાનની માર્ગદર્શક ભૂમિકા સાથે પ્રસ્‍તુતિ કરી હતી. નિયામકશ્રી આર. સી. રાવલે આભારદર્શન કર્યું હતું.
ગુજરાત સ્‍વર્ણિમ જ્‍યંતી નિમિત્તે કલકત્તામાં યોજાયેલા સ્‍વર્ણિમ ખેલકૂદ મહોત્‍સવ માટે કલકત્તા ગુજરાતી સમાજને અભિનંદન આપતા મુખ્‍યમંત્રીશ્રી
મુખ્‍ય મંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીને કલકત્તા ગુજરાતી સમાજના અગ્રણીઓએ ગાંધીનગરમાં મળીને, ગુજરાતની સ્‍વર્ણિમ જ્‍યંતિ નિમિત્તે કલકત્તામાં યોજાયેલા સ્‍વર્ણિમ ખેલકૂદ મહોત્‍સવના ઉત્‍સાહપ્રેરક આયોજનની રૂપરેખાથી માહિતગાર કર્યા હતા અને શ્રી રૂષિ દોશી તેમજ શ્રી નિમેષ ગાંધી શ્રેષ્‍ઠ રમતવીરો તરીકે જાહેર થતાં કલકત્તા ગુજરાતી સમાજ દ્વારા મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે તેમને પારિતોષિકો આપવામાં આવ્‍યા હતા.
મુખ્‍યમંત્રીશ્રીએ આ ખેલકૂદ ઉત્‍સવ સહિત સ્‍વર્ણિમ જ્‍યંતી ઉજવણીમાં ઉત્‍સાહપ્રેરક ભાગ લેવા માટે ગુજરાતી સમાજ કલકત્તાને અભિનંદન આપ્‍યા હતા.

સૂર્યઊર્જાની વૈશ્વિક રાજધાની ગુજરાત બનશે;મુખ્ય મંત્રીશ્રી ટૂંક સમયમાં ૧૦૦ મેગાવોટ સૂર્યઊર્જાથી વીજ ઉત્પાદન કરનારું એકમાત્ર રાજ્ય ગુજરાત બનશે અને એમાં

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતના સૌથી મોટા પ મેગાવોટના એઝયોર સૂર્ય ઊર્જા સંચાલિત સૌર વીજ પ્લાન્ટનું સાબરકાંઠાના ખડોદામાં લોકાર્પણ કરતાં જાહેર કર્યું હતું કે, ગુજરાત વિશ્વની સૂર્ય ઊર્જાની રાજધાની બનવાનું છે અને આગામી છ મહિનામાં ૧૦૦ મેગાવોટ સૂર્યઊર્જાથી વીજ ઉત્પાદન કરનારું ભારતનું એકમાત્ર રાજ્ય બનશે જેમાં એક લાખ યુવાનોને રોજગારીના અવસર મળશે.
રિન્યુએબલ અને સોલાર એનર્જીના સેકટરમાં પણ ગુજરાત "ગ્લોબલ હબ' બની રહ્યું છે એવો ગૌરવપૂર્વક ઉલ્લેખ મુખ્ય મંત્રીશ્રીએ કર્યો હતો.
ગુજરાત સરકારની સોલાર એનર્જી પોલીસી અન્વયે સૂર્યઊર્જા ક્ષેત્રે દેશની અગ્રગણ્ય એવી એઝયુર પાવર દ્વારા સાબરકાંઠાના મોડાસા તાલુકામાં ખડોદા નજીક ૬૩ એકર જમીનમાં, માત્ર નવ જ મહિનામાં રૂા. ૧૭૦ કરોડના ખર્ચે આ સૂર્યઊર્જાથી વીજળી ઉત્પાદન કરવાનો પાંચ મેગાવોટની ક્ષમતાનો પાવર પ્લાન્ટ કાર્યરત થયો છે જે ભારતમાં સૌથી મોટો સૂર્યઊર્જા વીજળીનો પ્લાન્ટ છે. આ સોલર પાવર પ્લાન્ટથી ૧પ૦ ગામોમાં ર૦,૦૦૦ કુટુંબોના ધરોમાં સૂર્યઊર્જાનો સૂર્યોદય થયો છે. ભવિષ્યમાં એઝયુર પાવર વધુ પ મેગાવોટ વીજ સ્થાપિત ક્ષમતાનું આ સોલાર પાવર પ્લાન્ટમાં વિસ્તૃતિકરણ થશે.
ભારત સરકારે સોલાર એનર્જીની પોલીસી ગુજરાત પછી અમલમાં મુકી છે. પરંતુ તેની નીતિમાં એવી વિસંગતતા છે કે હિન્દુસ્તાનમાં ગુજરાત અને રાજસ્થાન એવા પ્રદેશો છે જયાં સૌથી વધુમાં વધુ સૂર્યઊર્જા ઉપલબ્ધ છે પરંતુ ભારત સરકાર પાસે ગુજરાતમાં સૂર્ય ઊર્જાનો પાવર પ્લાન્ટ સ્થાપવા માટેની દરખાસ્ત આવે છે ત્યારે આવા વિકાસકારને ગુજરાત સિવાય બીજે બધે જ સૂર્યઊર્જાથી વીજળીમથક બનાવવા સમજાવાય છે. ગુજરાતને વિકાસમાં આગળ વધતું રોકવા માટે કેન્દ્રની કોંગ્રેસ સલ્તનત અનેક પેંતરા કરે, વિકાસમાં રોંડા નાંખવાનો અન્યાય, અત્યાચાર કરે છે પણ ગુજરાતના વિકાસને કેન્દ્રની સલ્તનત રોકી શકી નથી. છ કરોડ ગુજરાતીઓના સમર્થનથી રાજ્ય સરકાર ગુજરાતની વિકાસયાત્રા આગળ ધપાવી રહી છે.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં સૂર્યઊર્જાથી વીજઉત્પાદન કરવા માટે કેન્દ્ર સરકારે ૮૦૦ મેગાવોટ સોલાર પાવરનું લક્ષ્ય રાખ્યું છે. પરંતુ તેમાંથી ગુજરાતને માત્ર ને માત્ર ર૦ મેગાવોટની જ ફાળવણી કરવામાં આવી છે. આ ગુજરાતને સરાસર અન્યાય છે, એમ જણાવતાં તેમણે આક્રોશ વ્યકત કર્યો હતો.
મુખ્ય મંત્રીશ્રીએ વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગના સંકટની પરેશાનીનું વાતાવરણ છે ત્યારે સમયની માંગ છે કે, આપણા પૂર્વજોએ કુદરતના શોષણ કે સંધર્ષની નહીં પણ કુદરતી સંસાધનો સાથે સુસંગત એવી જીવનશૈલીનો માર્ગ બતાવ્યો છે તે માર્ગે ફરી એકવાર ચાલવાની અનિવાર્યતા છે. આપણને જો ભાવિ પેઢીની ચિંતા હોય તો આપણું દાયિત્વ છે કે પ્રાકૃતિક સંસાધનોની અને પર્યાવરણની રક્ષા કરીએ.
ઊર્જાના સંકટના પડકારો ઝીલવા માટે પ્રકૃતિએ જે ઊર્જાના સંસાધનોની આપણને ભેટ ધરી છે તેના માધ્યમોનો વિકાસમાં સદ્દઉપયોગ કરીએ એવો સંકલ્પ વ્યકત કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતે કલાઇમેટ ચેન્જનો સ્વતંત્ર વિભાગ સરકારમાં શરૂ કર્યો છે એટલું જ નહીં, આખા દેશમાં સૌથી પહેલી સૂર્ય ઊર્જા નીતિ ર૦૦૧માં અમલમાં મુકી દીધી છે. વિશ્વનો સૌથી વિશાળ સોલાર પાર્ક પણ ઉત્તર ગુજરાતના રણકાંઠે ચારણકામાં આકાર લઇ રહ્યો છે જેમાં સૂર્યઊર્જા દ્વારા વીજ ઉત્પાદન ઉપરાંત સોલાર કોમ્પોનેન્ટ મેન્યુફેકચરીંગ ઇન્ડસ્ટ્રીઝ આકાર લઇ રહ્યા છે અને વિશ્વભરની અગ્રગણ્ય સોલાર એનર્જી સેકટરની કંપનીઓ સહભાગી બની છે.
""દેશમાં આ સરકાર એવી છે કે જે વર્તમાન સમાજની સુખાકારીની તો ચિંતા કરે જ છે પણ ભવિષ્યની પેઢી માટે પણ ચિંતા કરીને વિકાસનો માર્ગ સુનિヘતિ કરી રહી છે'' એમ તેમણે જણાવ્યું હતું.
સમગ્ર વિશ્વના ઊર્જાના નકશા ઉપર ખડોદાનું નામ ધ્રૃવ તારાની જેમ ચમકતું થઇ ગયું છે એવી આજની આ ઐતિહાસિક સિદ્ધિમાં સહભાગી બનેલા સૌને અભિનંદન આપતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, વિકાસ આડેના બધા ગ્રહણોથી મુક્ત રહીને આપણે પર્યાવરણના વિકાસ સાથે પ્રગતિની યાત્રાને જોડી છે અને તેથી જ ગુજરાત આજે વિકાસની નવી ઊંચાઇ સર કરી રહ્યું છે.
એઝયોર પાવરનો આ સોલાર પાવર પ્લાન્ટ ગુજરાત જ નહીં ભારતનો સૌથી મોટો સૂર્યઊર્જાથી વીજળી ઉત્પાદન કરવાનો પ્લાન્ટ છે અને ટૂંક સમયમાં તેની સ્થાપિત ક્ષમતા બમણી થઇ જવાની છે. ગુજરાત સરકાર વિકાસની ઝડપ કેટલી ગતિથી આગળ વધારી રહ્યું છે એની ભૂમિકા તેમણે આપી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ એ હક્કિતનો ખાસ ઉલ્લેખ કર્યો કે, ગુજરાતમાં ઔઘોગિક વિકાસ નવી હરણફાળ ગતિ ઉપર પહોંચ્યો છે. પરંતુ કૃષિ ક્ષેત્રે વાવેતરનો વિસ્તાર એકલા ગુજરાતનો જ વધ્યો છે અને પર્યાવરણ ક્ષેત્રે સુરક્ષાની પહેલ પણ ગુજરાતે જ કરી છે.
ઊર્જા રાજ્ય મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત એક માત્ર રાજ્ય છે જયાં સતત ર૪ કલાક વીજળી આપે છે. કોલસો અને ગેસ ન હોવા છતાં દેશમાં સૌથી વધુ વીજ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત કાર્યરત છે.
આજે પણ ખેડૂતોને ગુજરાત સરકાર વીજળીમાં રૂા. રપ૦૦ કરોડની સબસીડી આપે છે. વીજક્ષેત્રે થતો ભાવ વધારાનો બોજ ગુજરાત સરકાર ઉઠાવે છે અને રાજ્યની પ્રજા પર તેનો બોજ નથી પડવા દેતી. રાજ્યમાં છેવાડાના વિસ્તારના પરિવારોમાં પ લાખ વીજ કનેકશન આપ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં કોઇપણ ધર વીજસુવિધા વિનાનું હોય તો તાત્કાલિક વીજ કનેકશન આવશે તેવી ખાત્રી તેમણે આપી હતી. આગામી એક જ વર્ષમાં ૧૪૦ નવા સબસ્ટેશનો શરૂ કરાનાર છે. જેનાથી ગામડાઓમાં સતત અને ગુણવત્તાયુકત વીજ પુરવઠો ઉપલબ્ધ થાય એમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાત વિશ્વનું "સોલાર કેપિટલ' બને તે દિશામાં ગુજરાતે ડગ માંડયા છે. ગુજરાત સરકારની હકારાત્મક વીજ નીતિ આ દિશામાં વધુ વેગવાન પુરવાર થશે એમ તેમણે ઉમેર્યું હતું.
આઇ.એફ.સી.ના ડાયરેકટર શ્રીમતી અનિતા જયોર્જે જણાવ્યું હતું કે, ગુજરાત એ ઊર્જા પાવર ક્ષેત્રનું શ્રેષ્ઠ રાજ્ય છે. એટલે જ ગુજરાતમાં આઇ.એફ.સી. રૂા. ૪પ૦ કરોડનું રોકાણ કરી ૧૦૦ મે.વો. સોલાર પાવર ઉત્પાદન કરવા કટીબદ્ધ છે. એઝયોરમાં પણ આઇ.એફ.સી.એ રૂા. ૪પ કરોડનું રોકાણ કર્યું છે.
એઝયોર પાવરે દેશમાં સોલાર સેકટરમાં રૂા. ૩૦૦ કરોડનું રોકાણ કર્યું છે અને ર૦૧પ સુધીમાં આ રોકાણ વધારવા ઉત્સુક છે. જેનાથી મહત્તમ સોલાર ઊર્જાનું ઉત્પાદન કરી શકાશે. ગુજરાત સરકારના આ ક્ષેત્રે હકારાત્મક પગલાંથી ગુજરાત "સોલાર પાવર'નું કેપિટલ બનશે, એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રોજેકટ અંગે માહિતી આપતાં એઝયોર પાવરના ચેરમેન શ્રી એચ. એસ. વાધવાએ જણાવ્યું હતું કે, આ પ્રોજેકટનું અમલીકરણ કરવામાં અમને રાજ્યના પ્રતિનિધિઓ તરફથી અને ખાસ કરીને રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ તરફથી અત્યંત ફળદાયી સહયોગ પ્રાપ્ત થયો છે. પ્રોજેકટ માટે જમીનની ફાળવણીથી માંડીને અન્ય જરૂરી પરવાનગી આપવા સુધીની સમગ્ર પ્રક્રિયામાં ઝડપી સહયોગ આપી ગુજરાતે સારા ભવિષ્ય માટેની કલ્પનાને અમલીકરણ સાથે સુસંગત કેવી રીતે કરી શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરું પાડયું છે. ભારતના ગામડાઓનું વીજળીકરણ કરવા માટે વિતરિત સૌર ઊર્જા એ ઉત્તમ વિકલ્પ છે અને અમે આ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે સતત પ્રયત્નશીલ રહીશું, એમ જણાવી ગુજરાતનો આજે કાર્યાન્વિત કરેલો પ્લાન્ટ "વર્લ્ડ કલાસ' ટેકનોલોજી ધરાવે છે. ગુજરાત સરકારે ખૂબ હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. વિશ્વના અનેક ઉઘોગપતિઓ એટલે જ ગુજરાતમાં આવવા ઉત્સુક છે, એમ શ્રી વાધવાએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પ્રભારી અને આદિજાતિ રાજ્ય મંત્રી શ્રી જશવંતસિંહ ભાભોર, શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ, ધારાસભ્ય શ્રી દિલીપસિંહ પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હેમલતાબેન, "જેડા'ના અધ્યક્ષ શ્રી ઇશ્વરભાઈ ભાવસાર, ઊર્જા વિભાગના અગ્ર સચિવ શ્રી ડી. જે. પાંડિયન, એઝયોરના સીઇઓ શ્રી ઇન્દરપિ્રત વાધવા, જિલ્લા કલેકટર શ્રી જયપ્રકાશ શિવહરે, પદાધિકારીઓ, અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

विभागों से संबद्ध श्रम संबंधी स्‍थायी समिति द्वारा खान (संशोधन) विधेयक, 2011 के संबंध में सुझाव आमंत्रित

माननीय लोकसभा अध्‍यक्ष ने राज्‍यसभा में यथा पुर:स्‍थापित खान (संशोधन) विधेयक, 2011 को जांच करने और प्रतिवेदन देने के लिए श्रम संबंधी स्‍थायी समिति को भेज दिया है । प्रस्‍तावित संशोधन के व्‍यापक निहितार्थों तथा खान कामगारों की सुरक्षा और संरक्षा के प्रति गहन चिंता के मद्देनजर ने सामान्‍य रूप से आम जनता तथा विशेष रूप से कर्मचारियों/नियोक्‍ताओं समूह, राज्‍य सरकारों/ संघ राज्‍य प्रशासन आदि जैसे पणधारकों से सुझाव /टिप्‍पणी विचार आमंत्रित करने का निर्णय लिया ।

लिखित ज्ञापन/सुझाव भेजने के इच्‍छुक व्‍यक्‍ति इससे संबंधित विज्ञापन के प्रकाशन की तारीख से 20 दिनों के भीतर, अंग्रेजी अथवा हिंदी में उसकी दो प्रतियां , संयुक्‍त सचिव (डीएस), लोकसभा सचिवालय, कमरा सं. 414 , संसदीय सौध, नई दिल्‍ली -110001, दूरभाष सं. 23034414, फैक्‍स नं. 23792726 को भेज सकते हैं ।

समिति को प्रस्‍तुत किए गए ज्ञापन /सुझाव समिति के रिकार्ड का हिस्‍सा होंगे और उन्‍हें पूर्णतया गोपनीय रखा जाएगा तथा ये समिति के विशेषाधिकार का लाभ लेंगे ।

जो व्‍यक्‍ति ज्ञापन देने के अतिरिक्‍त समिति के समक्ष उपस्‍थित होना चाहते हैं उनसे अनुरोध है कि वे इसे विशिष्‍ट रूप से इंगित करें /तथापि इस संबंध में समिति का निर्णय अंतिम होगा ।

विनोद /वीना -2243

મુખ્‍યમંત્રીશ્રીનો આક્રોશ મુંબઇ ર6/11ના આતંકવાદી હુમલાના પકડાયેલા આરોપી રાણાને અમેરિકાની શિકાગો અદાલતમાં દોષમૂકત કરવાની ઘટનામાં કોણે પેંતરો રચ્‍યો? અમ

મુખ્‍ય મંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ મુંબઇ ઉપરના ર6/11ના આતંકવાદી ઘટનામાં પકડાયેલા આતંકવાદી-રાણાને અમેરિકાની શિકાગો ન્‍યાય અદાલતમાં કેસ ચલાવવા અને દોષમૂકત કરવાની પાછળ અતિગંભીર પેંતરો હોવાનો સ્‍પષ્‍ટ નિર્દેશ કર્યો છે અને વેધક સવાલો ઉઠાવ્‍યા છે કે મુંબઇની આતંકવાદી હિંસાના દોષિતોને અમેરિકાની અદાલત નિર્દોષ ઠરાવવાની હિંમત કઇ રીતે કરી શકે? કયા આધાર ઉપર કોણે તપાસ કરીને? આમા કોની કઇ ભૂમિકા છે?
હિન્‍દુસ્‍તાનના મુંબઇમાં ર6/11ની આતંકવાદી હિંસામાં પાકિસ્‍તાનની સાઝિશ તો પૂરવાર થઇ ચૂકી છે અને છતાં આતંકવાદીઓને આશ્રય દેનારા પાકિસ્‍તાનને અમેરિકા છાવરી રહ્યું છે તે પણ જગજાહેર છે ત્‍યારે અમેરિકા અને પાકિસ્‍તાનની સાંઠગાંઠનો આ પેંતરો રચાયો છે એવો સ્‍પષ્‍ટપણે આક્ષેપ મુખ્‍યમંત્રીશ્રીએ કર્યો છે.
શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ભારત સરકારની નિયત ઉપર સવાલ ઉઠાવતા જણાવ્‍યું કે આપણા દેશના વડાપ્રધાનશ્રી તો અમેરિકાના મિત્ર ગણાય છે ત્‍યારે મુંબઇ આતંકવાદના દોષીને અમેરિકાની શિકાગો અદાલતમાં કેસ ચલાવીને મૂકત કરવાની કાર્યવાહી અંગે તેઓએ દેશને જવાબ આપવો રહ્યો. ભારત સરકાર તત્‍કાળ આ ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા વ્‍યકત કરે તેવી માંગ કરતા મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે અમેરિકાનું પાકિસ્‍તાન તરફી જે વલણ છે તેની સામે કેન્‍દ્ર સરકારે અને વડાપ્રધાને વિરોધ કરવો જ રહ્યો સમયની માંગ એ પણ છે કે ભારત સરકારે મક્કમતાપૂર્વક નિર્ણય કરવો જ પડશે. અન્‍યથા હિન્‍દુસ્‍તાનમાં આતંક-હિંસા ગતિવિધિ કરનારા આતંકવાદીઓ એવી જ પેરવી કરશે કે તેમના કેસો અમેરિકાની અદાલતો ચાલવે અને અમાનુષી આતંકવાદી હિંસા આચર્યા પછી પણ નિર્દોષ છૂટી જાય.-શું ભારત સરકાર આતંકવાદનો ભોગ બનેલા હિન્‍દુસ્‍તાનના નિર્દોષ નાગરિકોને ન્‍યાયના અધિકારથી વંચિત રાખવા માંગે છે? હિન્‍દુસ્‍તાનની ન્‍યાયપ્રણાલી ઉપર વિશ્વાસ નથી?
મુખ્‍યમંત્રીશ્રીએ આક્રોશપૂર્વક એવા વેધક સવાલો પણ ઉઠાવ્‍યા છે કે શું અમેરિકા તેના 9/11 આતંકવાદી હુમલાના દોષિતોને હિન્‍દુસ્‍તાનની અદાલતમાં કેસ ચલાવવા પરવાનગી આપશે? શું ભારતનું ન્‍યાયતંત્ર અમેરિકાના 9/11ના આતંકવાદી હુમલાની ઘટના અંગે કોઇ ફેંસલો આપી શકે? સમગ્ર વિશ્વની ન્‍યાય-પ્રણાલી સમક્ષ આ ઘટનાએ ગંભીર પ્રશ્નો ખડા કર્યા છે અને આતંકવાદ સામે લડનારી હરેક શકિત અને સરકારની સામે પણ સવાલ ખડાં કર્યા છે.
એકબાજુ હિન્‍દુસ્‍તાન આતંકવાદીઓને પકડીને તેની સામે દેશની ન્‍યાયપ્રણાલી અનુસાર ન્‍યાયિક કાર્યવાહી કરે છે, ત્‍યારે હિન્‍દુસ્‍તાનમાં બનેલી આતંકવાદી હુમલાની ઘટનાના ભારતે જ પકડેલા આતંકવાદીઓને અમેરિકાની કોર્ટમાં કેસ ચલાવીને છોડી મૂકવામાં આવે તે ઘટના ભારત કઇ રીતે સાંખી લેશે? આતંકવાદનો ભોગ બનેલા નિર્દોષ પીડિતો પ્રત્‍યે આ ઘોર અન્‍યાય નથી?
આના પરિણામે તો સમગ્ર ન્‍યાયતંત્ર, આંતરરાષ્‍ટ્રીય સંબંધો સંદર્ભમાં પણ ગંભીર સંકટ પેદા થશે એમ જણાવી મુખ્‍યમંત્રીશ્રીએ ભારત સરકાર દેશની જનતા સમક્ષ આ સંદર્ભમાં સ્‍પષ્‍ટ વલણની પ્રતિક્રિયા તત્‍કાલ આપે એવી માંગણી કરી છે.

વ્યવસાય, સેવા અને કલા જેવા ક્ષેત્રોમાં યશસ્વી સિદ્ધિઓ હાંસલ કરનાર મહિલાઓ ""ગરિમા-૨૦૧૧'' એવોર્ડથી સન્માનિત બિઝનેસ વિમેન કમિટી દ્વારા આયોજિત સન્માન સમા

અનેક પડકાર, સામાજિક વિષમતાઓ વચ્ચે આત્મબળ અને પુરુષાર્થના સથવારે રાજ્યની જે મહિલાઓએ વિવિધ ક્ષેત્રે યશસ્વી સિદ્ધિઓ હાંસલ કરી છે, તેવી મહિલાઓનું ગઇકાલે "ગરિમા-૨૦૧૧' એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. નારી નહીં પણ નારીશકિતનું આ અભિવાદન અને સન્માન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સની બિઝનેસ વિમેન કમિટી, દ્વારા આઉટ સ્ટેન્ડિંગ બિઝનેસ પરફોર્મન્સ એવોર્ડ "ગરીમા-૨૦૧૧' અંતર્ગત ઉઘોગ રાજ્ય મંત્રી શ્રી સૌરભભાઇ પટેલના હસ્તે કરાયું હતું.
વ્યવસાયના જે ક્ષેત્રોમાં યશસ્વી સિદ્ધિઓ હાંસલ કરનાર મહિલાઓને "ગરીમા એવોર્ડ'થી સન્માનતિ કરાયા હતા. તેમાં શ્રી દેવી હરિક્રિશ્નન, શ્રીમતી પૌલોમી લશ્કરી, શ્રીમતી સંગીતા એન. ચોકસી, શ્રીમતી સુલુબેન જ. શાહ, ડૉ.દર્શિની વી.શાહ, ડૉ.મેધા શાહ, શ્રીમતી સરોજ શર્મા, શ્રીમતી ઇલાબેન નિર્મલ, બિજલ શાહ, શ્રીમતી રમોના વ્હોરા તથા શ્રીમતી શિલ્પા એસ. ચોકસીનો સમાવેશ થાય છે. મેન્યુફેકચરિંગ, ટ્રેડિંગ, પ્રોફેશનલ, સર્વિસ, રૂરલ એન્ટરપ્રાઇઝ, કલ્ચરલ, મધર ડોટર ઇન્સ્પિરેશન અને ઇનોવેશન જેવા વિવિધ ક્ષેત્રોમાં અનેક સંધર્ષ વચ્ચે આ મહિલાઓએ સિદ્ધિ હાંસલ કરતા તેમને સન્માનિત કરાઇ હતી.
જાણીતા ડિઝાઇનર અનુરાધા વકીલના અતિથિ વિશેષપદે યોજાયેલ સમારોહમાં આ મહિલાઓના સન્માનને નારીશકિતના અને તેમનામાં રહેલા કૌશલ્યના સન્માન સમાન લેખાવી મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, જેમ ગુજરાતની સિદ્ધિઓનો આ દાયકો છે તેમ ગુજરાતની મહિલાઓની યશસ્વી સિદ્ધિઓનો પણ આ દાયકો છે. અનેક સંધર્ષનો સામનો કરી વિવધિ ક્ષેત્રોમાં સિદ્ધિઓ હાંસલ કરનાર મહિલાઓનું આ સન્માન અન્ય પુરુષાર્થી બહેનો માટે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડશે. રાજ્ય સકારે પણ સ્ત્રી સશકિતકરણના ભાગરૂપે રાજ્યમાં સખીમંડળોની રચના કરીને મહિલાઓને સ્વાવલંબી બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ગ્રામીણ મહિલાઓના આર્થિક ઉત્કર્ષના સંદર્ભમાં તેમણે "બિઝનેસ વૂમન કમિટી'ના પદાધિકારીઓને અપીલ કરતા જણાવ્યું હતું કે, ગૃહ ઉઘોગ આધારિત વસ્તુઓના બજાર માટે ઉભા કરાયેલા ગ્રામહાટને વધુ અસરકારક અને પરિણામલક્ષી બનાવવા જો કોઇ પણ રચનાત્મક સૂચનો હશે તો રાજ્ય સરકાર એ દિશામાં જરૂરી કાર્યવાહી કરવા તત્પર છે.
આ પ્રસંગે અતિથિ વિશેષ શ્રીમતી અનુરાધા વકીલ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી ચિંતન પરીખ, બિઝનેસ વિમેન કમિટીના ચેરપર્સન શ્રીમતી દિપા શાહ વગેરેએ પ્રાસંગિક ઉદ્‍બોધનમાં કમિટી દ્વારા થઇ રહેલ પ્રવૃત્તઓિની વિગતવાર રૂપરેખા આપી હતી. પૂર્વ મુખ્ય સચિવ શ્રી પી.કે.લહેરીએ જ્યૂરી તરીકે સેવા આપી તેમનો પ્રતિભાવ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૧ વર્ષથી બિઝનેશ વિમેન કમિટી આ પ્રકારના એવોર્ડ બહેનોને આપે છે. અગાઉ ત્રણ કેટેગરીમાં એવોર્ડ અપાતા હતા, હવે સાત કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવે છે.

महिलाओं के लिए सेना में और अधिक अवसर बढ़ाए जाएंगे- एंटनी

रक्षा मंत्री श्री ए.के. एंटनी ने हिमालय की ऊंची चोटी एवरेस्‍ट पर देश और भारतीय वायु सेना का झंडा फहराने वाले पर्वतारोही दल को और विशेष रूप से दल में शामिल महिलाओं को बधाई देते हुए कहा है कि महिलाओं की इस सफलता से उन्‍हें आम तौर से समाज और विशेष रूप से सशस्‍त्र बल के विभिन्‍न भागों में और अधिक प्रतिनिधित्‍व दिया जा सकेगा।

श्री एंटनी ने एवरेस्‍ट के पर्वतारोही दल के सम्‍मान में आयोजित एक कार्यक्रम में यह बात कही। उन्‍होंने कहा कि यह बात सराहनीय है कि भारतीय वायु सेना द्वारा महिला अधिकारियों को पर्वतारोहण जैसे जोखिम भरे खेल-कूद में समान अवसर उपलब्‍ध कराये जा रहे हैं, जबकि पहले इस तरह के खेलों पर पुरुषों की ही दावेदारी समझी जाती थी। श्री एंटनी ने कहा कि उन्‍हें यह जानकर बहुत खुशी हुई कि वायु सेना के इस पर्वतारोही दल में वायु सेना की तीन महिला अधिकारी भी शामिल हैं।
विनोद/शीराजी /बिष्‍ट —2254
(Release ID 9668)

"યુવાધનને રોજગારી આપવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે.--- મંત્રી શ્રી ફકીરભાઇ વાઘેલા

બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે રૂ. ૩ કરોડના ખર્ચથી ઔધોગિક તાલીમ સંસ્થાનું ભવ્ય બિલ્ડીંગ બનશે. આ બિલ્ડીંગના ભૂમિ પૂજનનો કાર્યક્રમ સામાજીક ન્યાય અને અધિકારીતા તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના મંત્રી શ્રી ફકીરભાઇ વાઘેલાના અધ્યક્ષસ્થાને અને વરદ્હસ્તે યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે,યુવા ધનના ઝડપી વિકાસ માટે રાજ્ય સરકાર મક્કમ રીતે સંકલ્પબધ્ધ અને સક્રિય છે.તેમણે કહ્યું કે,શિક્ષિત અને રોજગારી મેળવતા યુવાધનને લીધે ઝડપથી સુખમય સમાજનું નિર્માણ થાય છે. આ બાબતને ધ્યાનમાં રાખી સમગ્ર રાજયમાં વિવિધ પ્રકારના શિક્ષણની સુવિધા ઉપલબ્ધ બનાવાઇ છે.મંત્રી શ્રી વાઘેલાએ જણાવ્યું કે, કુશળ નેતૃત્વ ધરાવતા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં અજોડ અને વિક્રમજનક સર્વાગી વિકાસ થયો છે. રાજયમાં વિશાળ પાયે ઉધોગો સ્થપાઇ રહ્યાં છે, સમગ્ર વિશ્વના ઉધોગપતિઓ ગુજરાતમાં મુડી રોકાણ માટે આતુર બન્યા છે ત્યારે ગુજરાતના યુવાધનને રોજગારી માટે સુવર્ણ અવસર પ્રાપ્‍ત થઇ રહ્યો છે ત્યારે બાળકોને સારુ ટેકનિકલ શિક્ષણ અપાવીએ. મંત્રી શ્રી ફકીરભાઇ વાઘેલાએ જણાવ્યું કે,યુવાધનને રોજગારી આપવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે.તેમણે કહ્યું કે,ગ્રામ્ય કક્ષાએ સારા અને કુશળ કારીગરો તૈયાર થાય તે બાબત પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. શ્રી વાઘેલાએ કહ્યું કે, ગ્રામ્ય વિસ્તારોના ઝડપી અને સર્વાગી વિકાસ માટે રાજય સરકારશ્રી ધ્વારા અભિયાન સ્વરૂપ કામગીરી કરવામાં આવે છે. પરિણામે લોકોની શહેરીકરણ તરફની દોટ પડતી મુકાઇ છે.તેમજ ગામડા સુવિધાભર્યા અને સમૃધ્ધ બન્યા છે. મંત્રીશ્રીએ કહ્યું કે,જ્ઞાન અને વિકાસના આ યુગમાં બાળકને કાળજીપૂર્વક તેની આવડત પ્રમાણે ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવીએ. શ્રી વાઘેલાએ કહ્યું કે, ઉચ્ચ શિક્ષણ અને વિદેશ અભ્યાસ માટે રાજય સરકાર ઉદાર હાથે મદદ કરે છે તેનો લાભ લઇને ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરીએ.
ઉલ્લેખનીય છે કે,વડગામ ખાતે ઓગસ્ટ-૨૦૦૮ થી ઔધોગિક તાલીમ સંસ્થા કાર્યરત છે. હાલમાં સંસ્થા ખાતે ૪ વ્યવસાય કાર્યરત છે જેની આઠ બેચમાં કુલ-૧૦૨ તાલીમાર્થી ભાઇ બહેનો તાલીમ લઇ રહ્યાં છે. વિશાળ સંકુલમાં અધતન સુવિધાસભર બિલ્ડીંગ બનતા વધુ તાલીમાર્થી ભાઇ બહેનોને લાભ મળશે.
આ પ્રસંગે અગ્રણીઓ સર્વ શ્રી એન.ટી.રાઠોડ, શ્રીમતી રમીલાબેન આસેડીયા, શ્રી ચિમનલાલ સોલંકી, શ્રી પ્રવિણસિંહ રાણા,શ્રી દુધાભાઇ પરમાર, આઇએમસી ચેરમેન શ્રી અલીઅસગર મુસા, વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ,તાલીમ સંસ્થાઓના આચાર્યશ્રીઓ,તાલીમાર્થી ભાઇ બહેનો અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

रेलवे ने अप्रैल-मई 2011 में 157.30 मि‍लि‍यन टन माल ढ़ोया

भारतीय रेलवे ने अप्रैल-मई 2011 के दौरान राजस्‍व अर्जि‍त करने वाला 157.30 मि‍लि‍यन टन माल ढ़ोया । पि‍छले वर्ष की इसी अवधि‍में ढ़ोए गए 146.41 मि‍लि‍यन टन माल से यह 10.89 मि‍लि‍यन टन वृद्धि‍को दर्शाता है । इस प्रकार यह वृद्धि‍7.73 प्रति‍शत हुई ।

मई 2011 के दौरान भारतीय रेलवे द्वारा ढ़ोया गया राजस्‍व अर्जि‍त करने वाला माल 79.78 मि‍लि‍यन टन रहा । पि‍छले वर्ष की इसी अवधि‍के दौरान भारतीय रेलवे द्वारा वास्‍तवि‍क रूप से ढ़ोए गए 74.24 मि‍लि‍यन टन माल से यह 5.54 मि‍लि‍यन टन अधि‍क है, जो 7.46 प्रति‍शत वृद्धि‍को दर्शाता है ।

वि‍नोद/शर्मा/मनोज- 2246
(Release ID 9663)

आइये विश्व के श्रेष्ठतम परिवार सहारामे जुड़े