અનુયાયીઓ

રવિવાર, 20 ડિસેમ્બર, 2015

JETPURNA VIVIDH VARTMAAN BY KASHYAP JOSHI JETPUR 99742 62812


જેતપુરના મહાત્મા ગાંધી રોડ પર
ગટરોના ગંધાતા પાણી કાયમી ઉભરવાની
કાયમી ગંદકીથી વેપારીઓ ભારે ત્રસ્ત !
છ મહિના થયા રજુઆતો કરાતી આવે છે પણ તંત્રને કઈ પડી નથી : વેપારીઓ
જેતપુર તા.૨૦ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરના મહાત્મા ગાંધી રોડ પર આજે ફરી એકવાર ગટરના ગંધાતા પાણી રોડ પર ઉભરાઈ આવાતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો હતો. વેપારીઓ કહે છે કે છેલ્લા છ મહિના થયાની આ સમસ્યા બાબતે અનેક વખતની રજુઆતો પછી પણ જેતપુર નવાગઢ નગરપાલિકાના સત્તાધીશો આ અંગે કંઈ ઘટતું કરાવતા ના હોય, વેપારીઓને જાતે ગટરો ઉલેચવી પડે છે.
આ બાબતે મળતી ફરિયાદો મુજબ જેતપુરના મહાત્મા ગાંધી (એમજી) રોડ પર ડાબી અને જમણી એમ બંને બાજુઓની અનેક દુકાનોના આંગણા સામેથીજ પાલિકા તંત્રની ગટરો વહે છે. આ બંને ગટરો સમયસર સાફ થતી ના હોય, આ વિસ્તારમાં જ્યારે પાલિકા તંત્ર પાણી વિતરણ કરે ત્યારે ગટરોના ગંધાતા પાણી છલકાઈને રોડ ઉપર તેમ આ રોડ પરની ઘણીખરી દુકાનો, જૈન મંદિરોમાં ઘુસી જતા હોય, લાંબા સમય થયાની આ સમસ્યાથી વેપારીઓ ત્રાસી ગયા છે.
આ રોડ પરના વેપારીઓ કહે છે કે આ બાબતે રૂબરૂ તેમજ અનેક વખત લેખિત રજુઆતો પાલિકા કચેરીએ કરાઈ છે, પણ પાલિકાના સંબંધિત તંત્રને વેપારીઓની ફરિયાદ હલ કરવામાં જરાય રસ ના હોય તેમ આજે ફરી ઉભરાયેલી ગટરોના પાણી વેપારીઓને ઉલેચવા પડ્યા હતા. વેપારીઓએ એક એવું પણ દુઃખ વ્યક્ત કર્યું હતું કે પોત પોતાની દુકાનો સામેજ ગંધાતા પાણીના પાટોડા ભરાઈ રહેતા હોય, ગ્રાહકો મોઢે રૂમાલ રાખી અન્ય દુકાનોમાં ચાલ્યા જતા હોય, ગંદકીને લીધે નુકશાની સહવાનો વારો આવે છે.
આ બાબતે જેતપુર પાલિકાના લાગતા વળગતા સત્તાધીશો તાત્કાલિક એમજી રોડ પર બંને સાઈડની ગટરો તાત્કાલિક સાફ કરાવે, પાઈપલાઈન તૂટી હોય તો સંધાવે અને વેપારીઓન આ પરેશાની દુર કરે તેવી માંગ થઇ છે.
ફોટો : અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર
જેતપુરના સ્ટેન્ડચોકમાં ટ્રાફિકની કાયમી સમસ્યા !!
જેતપુર તા. ૨૦ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર શહેરના સ્ટેન્ડચોકમાં રોજ આખો દિવસ અને રાત્રીના ભારે ટ્રાફિક જામ થઇ જતો હોવાની સમસ્યા તાકીદે હલ કરવા માંગ થઇ છે.
મળતી વિગતો મુજબ જેતપુરના શહેરના સ્ટેન્ડચોક શહેરના ચાર રસ્તાઓ(ધોરાજી દરવાજા રોડ, ભીડભંજન રોડ, ફૂલવાડી રોડ અને તીનબત્તી ચોક રોડ) એમ ચારેય રોડ સંલગ્ન હોય અહી સવારથી સાંજ સુધી ભારે ટ્રાફિકની અવર જવર થઇ રહી છે.
દુખની વાત એ છે કે સ્ટેન્ડ ચોકથી બોખલા દરવાજા સુધી ભારે વાહનોની અવર જવર માટે રાજકોટ જીલ્લા કલેકટરનું પ્રતિબંધાત્મક જાહેરનામું હોવા છતાં અહી વેપારીઓના ભારેખમ વાહનો બેરોકટોક ચાલી રહ્યા હોય, ટ્રાફિક સમસ્યાથી રાહદારીઓ વાજ આવી ગયા છે.
આ વાતની પ્રતીતિરૂપ ટ્રાફિક જામની ઘટના શનિવારની રાત્રીના સર્જાતા મયુર સરવૈયા નામના યુવાને ટ્રાફિક પોલીસ અને પત્રકારોને વિગતો આપી હતી કે સતત કલાકેક ટ્રાફિક જામથી રાહદારીઓ અને નાના મોટા વાહન ચાલકોમાં દેકારો બોલી ગયો હતો. સ્ટેન્ડ ચોક પરના વેપારીઓએ તો ત્યાં સુધી કહ્યું હતું કે ટ્રાફિક જામ પ્રશ્ને પોલીસ ચોકીએ બે ત્રણ વાર ફોન કર્યો હોવા છતાં કોઈ ફરક્યું નહોતું.
શહેરના જાગૃત લોકો કહે છે કે અહી ટ્રાફિક પોલીસમેનનો પોઈન્ટ હોવા છતાં કોઈ ફરજ બજાવતું નથી. સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે.વ્યાસે કોઈ ચોક્કસ ટ્રાફિક પોલીસમેનની સ્ટેન્ડ ચોક પર નિમણુક કરી ટ્રાફિક વ્યવસ્થા સંભાળે તે જરૂરી છે.
(ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર )








જેતપુરની મધ્યમ વર્ગની મહિલાઓને આજીવિકા માટે સિલાઈ મશીન સહિતના સાધનોનું વિતરણ કરાયું...
જેતપુર તા.૨૦ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર શહેરમાં વસતી મધ્યમ વર્ગની મહિલાઓ પોતાની રીતે પગભર થાય તે માટે અહીના સેવાભાવી ટ્રસ્ટ આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગાંધીનગર સ્થિત ગ્રામ ટેકનોલોજી દ્વારા સ્ક્રીન પ્રિન્ટીંગ, ફોટો લેમીનેશનની કીટ તેમજ સિલાઈ મશીનોનું વિતરણ ટ્રસ્ટના પ્રમુખ રીનાબેન ગૌત્તમભાઈ દવે અને જેતપુર નગરપાલિકાના વોર્ડ નંબર ૯ ના સદસ્ય અરવિંદ વણઝારા, મયુર સરવૈયા વિગેરેના હસ્તે કરાયું હતું તે તસ્વીરમાં દેખાય છે.
(ફોટો લાઈન : કશ્યપ જોશી જેતપુર )





















રાજ્ય મંત્રી જયેશ રાદડિયાના જન્મ દિન ઉજવણી વચ્ચે
જેતપુરમાં યોજાયેલ હૃદય રોગ સારવાર
નિદાન કેમ્પનો લાભ લેતા ૩૦૦ દર્દીઓ..
જેતપુર તા.૨૦
જેતપુરમાં આજે સીટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા માજી ધારાસભ્ય રમણીકભાઈ પટેલની જન્મ તિથી નિમિત્તે, જલારામ રઘુકુલ હોસ્પિટલ રાજકોટ અને સ્થાનિક રાહત સમિતિના સહયોગ વછે યોજાયેલ હૃદય રોગ સારવાર અને નિદાન કેમ્પનો ૩૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.
આ કેમ્પનો સુભારંભ સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય મંત્રી જયેશ રાદડિયાના જન્મદિનની કેક કાપીને કરાયો હતો. શહેરના નામી અનામી ઉદ્યોગપતિઓ રાજુભાઈ પટેલ, જયંતીભાઈ રામોલીયા, યાર્ડ ચેરમેન દિનેશ ભુવા, પાલિકા પ્રમુખ, માજી ધારાસભ્ય જસુબેન વિગેરેની હાજરીમા જેતપુર, રાજકોટ સહિતના શહેરોના નામી તબીબી ગણે પોત પોતાની સેવાનું યોગદાન આપ્યું હતું. વણિક જ્ઞાતિની વાડીમાં યોજાયેલ આ કેમ્પને સફળ બનાવવા સંસ્થા પ્રમુખ વિનુભાઈ સીધ્ધપરા, દિનેશભાઈ માલવિયા વિગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.
(ફોટો અને સમાચાર: કશ્યપ જોશી જેતપુર )



 

જેતપુરના મહાત્મા ગાંધી રોડ પર

ગટરોના ગંધાતા પાણી કાયમી ઉભરવાની

કાયમી ગંદકીથી વેપારીઓ ભારે ત્રસ્ત !

છ મહિના થયા રજુઆતો કરાતી આવે છે પણ તંત્રને કઈ પડી નથી : વેપારીઓ

જેતપુર તા.૨૦ (કશ્યપ જોશી દ્વારા)

        જેતપુરના મહાત્મા ગાંધી રોડ પર આજે ફરી એકવાર ગટરના ગંધાતા પાણી રોડ પર ઉભરાઈ આવાતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો હતો. વેપારીઓ કહે છે કે છેલ્લા છ મહિના થયાની આ સમસ્યા બાબતે અનેક વખતની રજુઆતો પછી પણ જેતપુર નવાગઢ નગરપાલિકાના સત્તાધીશો આ અંગે કંઈ ઘટતું કરાવતા ના હોય, વેપારીઓને જાતે ગટરો ઉલેચવી પડે છે.

આ બાબતે મળતી ફરિયાદો મુજબ જેતપુરના મહાત્મા ગાંધી (એમજી) રોડ પર ડાબી અને જમણી એમ બંને બાજુઓની અનેક દુકાનોના આંગણા સામેથીજ પાલિકા તંત્રની ગટરો વહે છે. આ બંને ગટરો સમયસર સાફ થતી ના હોય, આ વિસ્તારમાં જ્યારે પાલિકા તંત્ર પાણી વિતરણ કરે ત્યારે ગટરોના ગંધાતા પાણી છલકાઈને રોડ ઉપર તેમ  આ રોડ પરની ઘણીખરી દુકાનો, જૈન મંદિરોમાં ઘુસી જતા હોય, લાંબા સમય થયાની આ સમસ્યાથી વેપારીઓ ત્રાસી ગયા છે.

આ રોડ પરના વેપારીઓ કહે છે કે આ બાબતે રૂબરૂ તેમજ અનેક વખત લેખિત રજુઆતો પાલિકા કચેરીએ કરાઈ છે, પણ પાલિકાના સંબંધિત તંત્રને વેપારીઓની ફરિયાદ હલ કરવામાં જરાય રસ ના હોય તેમ આજે ફરી ઉભરાયેલી ગટરોના પાણી વેપારીઓને ઉલેચવા પડ્યા હતા. વેપારીઓએ એક એવું પણ દુઃખ વ્યક્ત કર્યું હતું કે પોત પોતાની દુકાનો સામેજ ગંધાતા પાણીના પાટોડા ભરાઈ રહેતા હોય, ગ્રાહકો મોઢે રૂમાલ રાખી અન્ય દુકાનોમાં ચાલ્યા જતા હોય, ગંદકીને લીધે નુકશાની સહવાનો વારો આવે છે.

આ બાબતે જેતપુર પાલિકાના લાગતા વળગતા સત્તાધીશો તાત્કાલિક એમજી રોડ પર બંને સાઈડની ગટરો તાત્કાલિક સાફ કરાવે, પાઈપલાઈન તૂટી હોય તો સંધાવે અને વેપારીઓન આ પરેશાની દુર કરે તેવી માંગ થઇ છે.

ફોટો : અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર


જેતપુરના સ્ટેન્ડચોકમાં ટ્રાફિકની કાયમી સમસ્યા !!

જેતપુર તા. ૨૦ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર શહેરના સ્ટેન્ડચોકમાં રોજ આખો દિવસ અને રાત્રીના ભારે ટ્રાફિક જામ થઇ જતો હોવાની સમસ્યા તાકીદે હલ કરવા માંગ થઇ છે.

        મળતી વિગતો મુજબ જેતપુરના શહેરના સ્ટેન્ડચોક શહેરના ચાર રસ્તાઓ(ધોરાજી દરવાજા રોડ, ભીડભંજન રોડ, ફૂલવાડી રોડ અને તીનબત્તી ચોક રોડ) એમ ચારેય રોડ સંલગ્ન હોય અહી સવારથી સાંજ સુધી ભારે ટ્રાફિકની અવર જવર થઇ રહી છે.

        દુખની વાત એ છે કે સ્ટેન્ડ ચોકથી બોખલા દરવાજા સુધી ભારે વાહનોની અવર જવર માટે રાજકોટ જીલ્લા કલેકટરનું પ્રતિબંધાત્મક જાહેરનામું હોવા છતાં અહી વેપારીઓના ભારેખમ વાહનો બેરોકટોક ચાલી રહ્યા હોય, ટ્રાફિક સમસ્યાથી રાહદારીઓ વાજ આવી ગયા છે.

       આ વાતની પ્રતીતિરૂપ ટ્રાફિક જામની ઘટના શનિવારની રાત્રીના સર્જાતા મયુર સરવૈયા નામના યુવાને ટ્રાફિક પોલીસ અને પત્રકારોને વિગતો આપી હતી કે સતત કલાકેક ટ્રાફિક જામથી રાહદારીઓ અને નાના મોટા વાહન ચાલકોમાં દેકારો બોલી ગયો હતો. સ્ટેન્ડ ચોક પરના વેપારીઓએ તો ત્યાં સુધી કહ્યું હતું કે ટ્રાફિક જામ પ્રશ્ને પોલીસ ચોકીએ બે ત્રણ વાર ફોન કર્યો હોવા છતાં કોઈ ફરક્યું નહોતું.

       શહેરના જાગૃત લોકો કહે છે કે અહી ટ્રાફિક પોલીસમેનનો પોઈન્ટ હોવા છતાં કોઈ ફરજ બજાવતું નથી. સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે.વ્યાસે કોઈ ચોક્કસ ટ્રાફિક પોલીસમેનની સ્ટેન્ડ ચોક પર નિમણુક કરી ટ્રાફિક વ્યવસ્થા સંભાળે તે જરૂરી છે.

(ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર )



 

જેતપુરની મધ્યમ વર્ગની મહિલાઓને આજીવિકા માટે સિલાઈ મશીન સહિતના સાધનોનું વિતરણ કરાયું...

જેતપુર તા.૨૦ (કશ્યપ જોશી દ્વારા)

 

જેતપુર શહેરમાં વસતી મધ્યમ વર્ગની મહિલાઓ પોતાની રીતે પગભર થાય તે માટે અહીના સેવાભાવી ટ્રસ્ટ આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગાંધીનગર સ્થિત ગ્રામ ટેકનોલોજી દ્વારા સ્ક્રીન પ્રિન્ટીંગ, ફોટો લેમીનેશનની કીટ તેમજ સિલાઈ મશીનોનું વિતરણ ટ્રસ્ટના પ્રમુખ રીનાબેન ગૌત્તમભાઈ દવે અને જેતપુર નગરપાલિકાના વોર્ડ નંબર ૯ ના સદસ્ય અરવિંદ વણઝારા, મયુર સરવૈયા વિગેરેના હસ્તે કરાયું હતું તે તસ્વીરમાં દેખાય છે.

(ફોટો લાઈન : કશ્યપ જોશી જેતપુર )

 

 

 

રાજ્ય મંત્રી જયેશ રાદડિયાના જન્મ દિન ઉજવણી વચ્ચે

જેતપુરમાં યોજાયેલ હૃદય રોગ સારવાર

નિદાન કેમ્પનો લાભ લેતા ૩૦૦ દર્દીઓ..

જેતપુર તા.૨૦

જેતપુરમાં આજે સીટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા માજી ધારાસભ્ય રમણીકભાઈ પટેલની જન્મ તિથી નિમિત્તે, જલારામ રઘુકુલ હોસ્પિટલ રાજકોટ અને સ્થાનિક રાહત સમિતિના સહયોગ વછે યોજાયેલ હૃદય રોગ સારવાર અને નિદાન કેમ્પનો ૩૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.

આ કેમ્પનો સુભારંભ સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય મંત્રી જયેશ રાદડિયાના જન્મદિનની કેક કાપીને કરાયો હતો. શહેરના નામી અનામી ઉદ્યોગપતિઓ રાજુભાઈ પટેલ, જયંતીભાઈ રામોલીયા, યાર્ડ ચેરમેન દિનેશ ભુવા, પાલિકા પ્રમુખ, માજી ધારાસભ્ય જસુબેન વિગેરેની હાજરીમા જેતપુર, રાજકોટ સહિતના શહેરોના નામી તબીબી ગણે પોત પોતાની સેવાનું યોગદાન આપ્યું હતું. વણિક જ્ઞાતિની વાડીમાં યોજાયેલ આ કેમ્પને સફળ બનાવવા સંસ્થા પ્રમુખ વિનુભાઈ સીધ્ધપરા, દિનેશભાઈ માલવિયા વિગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.

(ફોટો અને સમાચાર: કશ્યપ જોશી જેતપુર )