દાહોદના દેસાઈવાડ વિસ્તારમાં રહેતા શ્રીમતિ શકુંતલાબેન નિકુંજભાઈ દેસાઈનું આજે તા:17-08-2013 ને પવિત્ર અગિયારસના રોજ દુ:ખદ અવસાન થયું છે. શ્રી સુજીત, શ્રી નિરજ દેસાઈ ''ગોપી'' ( નગર સેવા સદનના કાઉન્સિલર) તથા નિશ્ચલ દેસાઈના માતૃશ્રી શ્રીમતિ શકુંતલાબેન દેસાઈના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શનિવાર, 17 ઑગસ્ટ, 2013
ઈન્સ્યોરન્સ કંપની કલેમ
પ્રીમિયમ મોડેથી ભર્યુ હોવાનું કારણ આગળ ધરી ઈન્સ્યોરન્સ કંપની કલેમ નકારી શકે નહીં
મુંબઈ, તા. ૧૬ : પ્રીમિયમ મોડેથી મળ્યું હોવાનું કારણ આગળ ધરી કોઈ ઈન્સ્યોરન્સ કંપની ગ્રાહકનાં કલેમને નકારી શકે નહીં એવું જણાવતા કન્ઝયુમર ફોરમે અંધેરીના રહેવાસી અરવિંદ પીઠવાને તેમની ચોરાયેલી રીક્ષા બદલ ૧.૨૫ લાખ તથા ૫૫૦૦૦ રૂપિયા વળતર ચૂકવવા ઈફકો ટોકયો જનરલ ઈન્સ્યોરન્સ કંપનીને આદેશ આપ્યો હતો. રીક્ષા ખરીદ્યા બાદ અરવિંદ પીઠવાએ ઈન્સ્યોરન્સ કઢાવ્યું હતું જેનો સમયગાળો ૨૦૦૮ ની ૨૧ જૂનથી ૨૦૦૯ની ૨૦ જૂન હતો. અવધિ પૂરી થતા પહેલા અરવિંદે ઈન્સ્યોરન્સ રીન્યુ કરવાનો ચેક આપ્યો હતો, પરંતુ એ દરમ્યાન ૨૦૦૯ની બાવીસથી ૨૩ જૂન દરમ્યાન તેમની રીક્ષા ચોરાઈ ગઈ હતી. ઈન્સ્યોરન્સ કંપનીએ એવો દાવો કર્યો હતો કે ચેક ૨૦૦૯ની ૨૫ જૂને મળતા ઈન્સ્યોરન્સનો સમયગાળો ૨૭ જૂનથી શરૂ થયો હતો. જોકે કન્ઝયુમર ફોરમે કંપનીની આ વાતને માન્ય નહોતી રાખી, પરંતુ ગ્રાહકે સમયસર ચેક આપ્યો હતો જેને ઈન્સ્યોરન્સ કંપનીએ ભર્યો નહોતો એ વાતને માન્ય રાખી હતી.
મુંબઈ, તા. ૧૬ : પ્રીમિયમ મોડેથી મળ્યું હોવાનું કારણ આગળ ધરી કોઈ ઈન્સ્યોરન્સ કંપની ગ્રાહકનાં કલેમને નકારી શકે નહીં એવું જણાવતા કન્ઝયુમર ફોરમે અંધેરીના રહેવાસી અરવિંદ પીઠવાને તેમની ચોરાયેલી રીક્ષા બદલ ૧.૨૫ લાખ તથા ૫૫૦૦૦ રૂપિયા વળતર ચૂકવવા ઈફકો ટોકયો જનરલ ઈન્સ્યોરન્સ કંપનીને આદેશ આપ્યો હતો. રીક્ષા ખરીદ્યા બાદ અરવિંદ પીઠવાએ ઈન્સ્યોરન્સ કઢાવ્યું હતું જેનો સમયગાળો ૨૦૦૮ ની ૨૧ જૂનથી ૨૦૦૯ની ૨૦ જૂન હતો. અવધિ પૂરી થતા પહેલા અરવિંદે ઈન્સ્યોરન્સ રીન્યુ કરવાનો ચેક આપ્યો હતો, પરંતુ એ દરમ્યાન ૨૦૦૯ની બાવીસથી ૨૩ જૂન દરમ્યાન તેમની રીક્ષા ચોરાઈ ગઈ હતી. ઈન્સ્યોરન્સ કંપનીએ એવો દાવો કર્યો હતો કે ચેક ૨૦૦૯ની ૨૫ જૂને મળતા ઈન્સ્યોરન્સનો સમયગાળો ૨૭ જૂનથી શરૂ થયો હતો. જોકે કન્ઝયુમર ફોરમે કંપનીની આ વાતને માન્ય નહોતી રાખી, પરંતુ ગ્રાહકે સમયસર ચેક આપ્યો હતો જેને ઈન્સ્યોરન્સ કંપનીએ ભર્યો નહોતો એ વાતને માન્ય રાખી હતી.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)

