અનુયાયીઓ

શનિવાર, 27 ઑગસ્ટ, 2011

JETPUR NAZIK THI AJANYA YUVA


ગુજરાતના વિકાસની ભૂમિકાથી અત્યંત પ્રભાવિત મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વની ભરપૂર પ્રસંશા ચીનના ભારતસ્થિત રાજદૂતની મુખ્યમંત્રીશ્રી સાથે ફળદાયી પરામર્શ બેઠક






સાંસ્કૃતિક સંબંધોના સેતુ સાથે આર્થિક-ઔઘોગિક સંબંધોના પરસ્પર ક્ષેત્રોમાં ભાગીદારી વિકસાવવાની તત્પરતા દાખવતા શ્રીયુત ઝાંગ યાન

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા ચીનના ભારતસ્થિત રાજદૂત શ્રીયુત ઝીયાંગ યાન (Mr. ZHANG YAN) ગુજરાત સાથે સાંસ્કૃતિક સંબંધોના સેતુ પ્રસ્થાપિત કરવાની સાથે ગુજરાત જેવા દેશના અગ્રીમ વિકાસશીલ રાજ્યમાં ચીનના આર્થિક સંબંધો વ્યાપક ફલક ઉપર વિકસાવવા ફળદાયી પરામર્શ કર્યો હતો.

ઇન્ડિયા-ચાઇના ઇકોનોમિક એન્ડ કલ્ચરલ કાઉન્સીલના ચોથા ચેપ્ટર તરીકે ગુજરાતમાં સાંસ્કૃતિક કેન્દ્રની સ્થાપના અને તેના સંદર્ભમાં ચીનના ભારતસ્થિત રાજદૂત શ્રીયુત ઝાંગ યાને આગામી સપ્ટેમ્બરમાં કૈલાસ માનસરોવરના યાત્રા પ્રવાસની રૂપરેખા આપી હતી અને મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને ચીનના પ્રવાસ માટે ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું જેનો વિધેયાત્મક પ્રીતભાવ મુખ્યમંત્રીશ્રીએ આપ્યો હતો.

ગુજરાત અને ચીન વચ્ચેના બુધ્ધકાલિન પુરાતન સાંસ્કૃતિક સંબંધો, ચીન અને ગુજરાતની જનતાના ટ્રેડર્સમાંથી મેન્યુફેકચરીંગ કૌશલ્યની ઉઘમશીલતાની સામ્યતા, જહાજવાડાના કૌશલ્ય નિર્માણનું સામર્થ્ય વિશેની વિશિષ્ઠતાઓની ભૂમિકા મુખ્યમંત્રીશ્રી પાસેથી જાણીને ચીનના રાજદૂત અત્યંત પ્રભાવીત થયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત અને ચીન વચ્ચે આર્થિક, ઔઘોગિક વાણીજ્યક સંબંધોની વ્યાપાક ફલક ઉપર વિકાસની વિશેષ સંભાવનાઓનો વિગતવાર નિર્દેશ કરી જણાવ્યું કે ગુજરાતમાં ચીનની ભાગીદારી માટે ખૂબ મોટો અવસર છે. લો- કોસ્ટ મેન્યુફેકચરીંગ યુનિટો માટે ચીનની કંપનીઓ માટે ગુજરાત સૌથી વધુ અનુકુળ છે કારણ કે, ગુજરાતમાં શ્રમ-રોજગાર ક્ષેત્રે સંપૂર્ણ સુમેળ અને શૂન્ય સપાટીએ માનવદિન નુકશાની, બ્રોડબેન્ડ કનેકટીવિટી, ૨ર૦૦ કી.મી.ની. ગેસગ્રીડ, ર૪ કલાક વીજપુરવઠો અને માળખાકીય સુવિધાઓનું સાનુકુળ વાતાવરણ છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનમાં માળખાકીય સુવિધા વિકાસના આધુનિકતમ પ્રોજેકટમાં ચીનને ભાગીદાર થવા ઇંજન આપ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત અને ચીન વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને સુદ્રઢ બનાવવાની દિશામાં ગુજરાતના ચીન કલ્ચરલ સેન્ટરના ઉપક્રમે ચાઇનીઝ ભાષાના વર્ગોનું પ્રશિક્ષણ અને ચાઇનીઝ વેજીટેરિયન ફૂડના કુકીંગ કલાસ-વિકાસની બાબતે પણ ઇજન આપ્યું હતું, જેનો ચીનના રાજદૂતને સહર્ષ સ્વીકાર કર્યો હતો. તેમણે ગુજરાતમાં પ્રવાસન વિકાસ, પોર્ટ ડેવલપમેન્ટ, કોટન અને કેસ્ટર ઓઇલની ચીનમાં આયાત તથા ચીનની કંપનીઓ અને ગુજરાત વચ્ચે ભાગીદારીનું ફલક વિકસાવવા રાજ્ય સરકારના અભિગમની ભરપૂર પ્રસંશા કરી હતી.

બેઠકમાં ઇન્ડો-ચાઇના કલ્ચરલ સેન્ટરના પદાધિકારીઓ, મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી એ. કે. શર્મા અને ઉઘોગના અગ્ર સચિવશ્રી મહેશ્વર શાહુ ઉપસ્થિત હતા.

ગુજરાત સરકારના પ્રવકતામંત્રીશ્રી જયનારાયણ વ્યાસનું નિવેદન રાજ્યપાલશ્રી દ્વારા લોકાયુકતની નિમણુંક અંગેનો આદેશ બંધારણીય જોગવાઇઓ અને પ્રણાલીઓની ભાવના સાથે ઉચિત નથી

ગુજરાત સરકાર આ સંદર્ભમાં કાયદેસરતા અંગેના તમામ પાસાંઓની વિચારણા કરી છે
ગુજરાતની વડી અદાલતમાં રાજ્ય સરકારે કરેલી રજૂઆતની સુનવણી તા.૩૦મી ઓગષ્ટ-ર૦૧૧ ના રોજ
રાજ્ય સરકારના પ્રવકતા આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણ વ્યાસે લોકાયુકતની ગુજરાતમાં નિમણુંક કરતો જે ઓર્ડિનન્સ મહામહિમ રાજ્યપાલશ્રીએ બહાર પાડયો છે તેના બંધારણીય ઔચિત્ય અને કાર્યપ્રણાલી અંગે જણાવ્યું હતું કે રાજ્યપાલશ્રીએ ગુજરાતમાં લોકાયુકતની નિમણુંક કરી તે બંધારણની જોગવાઇઓ અને પ્રણાલીઓ સાથે કેટલી સુસંગત છે તેના કાયદાકીય તમામ પાસાંઓનો તલસ્પર્શી અભ્યાસ કરીને રાજ્ય સરકાર આ અંગેનો નિર્ણય લેશે.
પ્રવકતા મંત્રીશ્રીએ જણાવ્યું કે ગયા માર્ચ મહિનામાં ગુજરાત વિધાનસભામાં લોકાયુકતની સંસ્થાને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકારે નાનામાં નાની જોગવાઇઓની કાળજી લઇને લોકાયુકતનું વિધેયક પસાર કર્યું હતું જેમાં, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને પંચાયતી રાજના પદાધિકારીઓને પણ રાજ્યના મંત્રીમંડળ ઉપરાંત આવરી લેવામાં આવ્યા હતા. આ "લોકાયુકત'ના વિધેયકને વિધાનસભાએ મંજૂરી આપ્યા પછી રાજ્યપાલશ્રીની બહાલી માટે મોકલવામાં આવ્યું હતું, જેને રાજ્યપાલશ્રી મંજૂરી આપી નથી. આ દરમિયાન પણ ગુજરાતની વર્તમાન સરકારની "લોકાયુકત'ની નિમણુંક કરવાની સંપૂર્ણ પ્રતિબધ્ધતા સાથે પરામર્શ-પ્રક્રિયા સતત પ્રગતિમાં રહી છે. બંધારણીય પ્રણાલી મુજબ તો રાજ્યપાલશ્રી રાજ્ય મંત્રીમંડળની સલાહ અનુસાર વર્તતા હોય છે અને જરૂર જણાયે સરકાર સાથે વિચાર-વિમર્શ મુજબ કાર્યવાહી કરે અથવા તો કોઇ મૂદા ઉપર વિચાર ભેદ કે અસહમતી હોય તો પૂર્નવિચાર માટે પણ રાજ્ય સરકારને વિધેયક પરત મોકલતા હોય એ સ્વાભાવિક છે. પરંતુ, લોકાયુકતની રાજ્યપાલશ્રીના ખાસ ઓર્ડિનંન્સથી નિમણુંક અંગેના નિર્ણયમાં બંધારણીય કડી તૂટી છે તે ચોક્કસ છે તેથી આ અંગેની કાયદેસરતા વિશે રાજ્ય સરકાર તમામ પાસાંઓનો વિચાર કરી રહી છે.
આ સંદર્ભમાં, શ્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું કે રાજ્યપાલશ્રીનો લોકાયુકતની નિમણુંક માટેનો આ આદેશ બંધારણીય પ્રણાલીઓની ભાવનાથી વિપરીત કાર્યવાહીનો નિર્દેશ આપે છે. હકિકતમાં તો, આ રીતે લોકાયુકતની નિમણુંક કરવા માટેની નોબત જ આવવી જોઇતી નહોતી, કારણ કે તેની પ્રક્રિયા સાંપ્રત જોગવાઇ અનુસાર પ્રગતિમાં જ હતી. કોઇ પ્રક્રિયા બંધ થઇ ગઇ હોય કે રાજ્ય સરકારે કોઇ કાર્યવાહી કરી ના હોય કે વિધાનસભામાં કશું થયું ના હોય એવું કશું જ બન્યું નથી. કમનસિબીએ પણ છે કે લોકાયુકતની આ નિમણુંક સંદર્ભમાં રાજ્ય સરકાર સાથે પરામર્શ કરવામાં આવ્યો નથી.
પ્રવકતા મંત્રીશ્રીએ જણાવ્યું કે લોકાયુકતની નિમણુંકની બાબતે વિવિધ તબક્કે પ્રક્રિયા ચાલુ હોય ત્યારે, ગુજરાતની જનતાએ લોકશાહી માર્ગે ચૂંટેલી રાજ્ય સરકારને અંધારામાં રાખીને, રાજ્યપાલશ્રીના બંધારણીય પદનો દુરૂપયોગ થાય તે રીતે લોકાયુકતની નિમણુંકના આદેશ થયો છે તેની કાયદેસરતાના તમામ પાસાંની રાજ્ય સરકાર ગંભીરતાથી વિચારણા કરી રહી છે.
પ્રવકતા મંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતમાં લોકાયુકતની નિમણુંક અંગે વારંવાર કોંગ્રેસ કાગારોળ કરતી આવી છે અને સદંતર જુઠાણા ફેલાવતી આવી છે, તે લોકાયુકતની નિમણુંક અંગેની પ્રક્રિયા વિલંબમાં કઇ રીતે પડી એ જાણવું જનતા માટે જરૂરી છે, કારણ કે રાજ્ય સરકારે કરેલી દરખાસ્ત તત્કાલિન રાજ્યપાલશ્રીના વખતમાં સાડા ત્રણ વર્ષ જેટલા સમયથી વિચારાધીન રહ્યા પછી તે પરત મોકલવામાં આવી હતી. આ ઉપરાંત, રાજ્ય સરકારે ભારતના બંધારણની જોગવાઇ અનુસાર અડધો ડઝન કરતાં વધુ વખત વિપક્ષના નેતાશ્રી સાથે પરામર્શ કરવાના પ્રયાસો કર્યા હતા, અને ઔપચારિક રીતે એકાદ વખત આવી બેઠકમાં હાજરી આપ્યા સિવાય બાકીની બધી બેઠકોમાં વિપક્ષના નેતાએ કોઇ સહકાર આપ્યો ન હતો, એટલું જ નહીં, પ્રક્રિયા જ પૂર્ણ ન થાય તે માટેના ક્ષુલ્લક વાંધાઓ ઊભા કરીને રૂકાવટો સર્જી હતી. આમ, લોકાયુકતની નિમણુંક માટે વિલંબનું દોષારોપણ રાજ્ય સરકાર ઉપર કરવામાં આવે તે કોઇ હિસાબે ઉચિત નથી.
પ્રવકતા મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે બંધારણની કલમ રર૬ હેઠળ રાજ્ય સરકારનું દાયિત્વ ધ્યાનમાં લીધા વગર જે અસંવૈધાનિક રીતે લોકાયુકતની નિમણુંક કરવાની અધિસૂચના રાજ્યપાલશ્રીએ બહાર પાડી છે તે સંદર્ભમાં, રાજ્ય સરકારે ગુજરાતની વડી અદાલતમાં ન્યાય માટે રજુઆત કરી છે અને તેની સુનાવણી રાજ્ય વડી અદાલતે તા.૩૦ મી ઓગસ્ટ-ર૦૧૧ની તારીખ મુકરર કરી છે.