અનુયાયીઓ

સોમવાર, 14 ડિસેમ્બર, 2015

રાજકોટની લોકલ ક્રાઈમ બ્રાંચે નાશતા ફરતા ખૂનના આરોપીને પકડ્યો

વચગાળાના જામીન મેળવ્યા બાદ પુનઃ હાજર થયોજ નહિ !

રાજકોટની લોકલ ક્રાઈમ બ્રાંચે નાશતા 

ફરતા ખૂનના આરોપીને પકડ્યો

જેતપુર તા.૧૪ (કશ્યપ જોશી દ્વારા)

ખૂન કેશમાં બે વર્ષથી નાસતા ફરતા ભાણવડ પોલીસ સ્ટેશનના ખૂનના આરોપીને રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે આજે જેતપુર પંથકમાં તેમના જ ઘરેથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

આ બાબતે વિગતો આપતા રાજકોટ એલસીબીના જમાદાર ભુરાભાઈ માલીવાડને એલસીબીના પોકો નારણભાઈ આહિરે બાતમી આપી હતી કે, ભાણવડ પોલીસ સ્ટેશનના ગુના રજી.નંબર ૧૮/૧૩ આઈપીસી કલમ ૩૦૨, ૩૨૩ નો આરોપી દેવીપુજક જેન્તી ઝવેર સોલંકી(રહે. જેપુર, છાપરવાડી ડેમ નજીક, તાલુકો જેતપુર) વાળો હાઈકોર્ટના હુકમથી તા.૨૦/૧૧/૧૪ ના રોજ બે અઠવાડિયાના વચગાળાના જામીન પર મુક્ત થયો હતો.

 

દરમીયાન મુદત પૂરી થવા છતાં જેન્તીએ હાજર થવાને બદલે નાસતો ફરતો હતો. જેની એલસીબીના નારણભાઈ આહિરને બાતમી મળતા આજે નારણભાઈએ પોતાના ફોજદાર ઉનડકટને જાણ કરતા જમાદાર ભુરાભાઈએ જેન્તીને તેમના જ ઉપરોક્ત સ્થળે આવેલા ઘરે છાપો મારી પકડી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(ભુરાભાઈ માલીવાડ જમાદાર નો મોબાઈલ નંબર ૯૮૨૫૯ ૯૬૭૧૩ 

 કશ્યપ જે. જોશી જેતપુર 

 

 

 


અવસાન નોંધ : જેતપુર : ૧૪-૧૨-૨૦૧૫


અવસાન નોંધ : જેતપુર : ૧૪-૧૨-૨૦૧૫ 
----------------------------------------------
જેતપુર: સોની નવીનચંદ્ર ગોરધનદાસ કડેચા(ઉ.વ.૬૮- નિવૃત વીજ કર્મચારી) તે ભાવેશભાઈ, રાકેશભાઈ,ભાવનાબેન અને પ્રીતીબેનના પિતા તા.૧૪ ના રોજ અવસાન પામ્યા છે. બેસણું તા.૧૭ ને ગુરુવારે, સાંજે ૪ થી ૬, જુના પાંચ પીપળા રોડ, પટેલ નગર, જેતપુર ખાતે તેમના નિવાસસ્થાને રાખેલ છે.
કશ્યપ જે.જોશી જેતપુર 




જેતપુરમાં ગીરનાર ટ્રાન્સપોર્ટની લોડિંગ ગાડીમાંથી રૂપિયા 11 લાખથી વધુના પાર્સલોની ચોરી થતા ચકચાર.. પોલીસ ફરિયાદની તજવીજ ચાલુ !

જેતપુરમાં ગીરનાર ટ્રાન્સપોર્ટની લોડિંગ ગાડીમાંથી

રૂપિયા 11 લાખથી વધુના પાર્સલોની ચોરી 

થતા ચકચાર.. પોલીસ ફરિયાદની તજવીજ ચાલુ !

જેતપુર તા.૧૪ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરમાં શનિવારની રાત્રીએ રબારીકા  રોડ પર આબેલ એક ટ્રાન્સપોર્ટની લોડિંગ કરેલી ગાડીમાંથી કોઈ હારામખોર તત્વો રૂપિયા 11 લાખથી વધુના સાડી પાર્સલો સહિતના દાગીના ચોરી જતા ટ્રાન્સપોર્ટ આલમમાં ભય સાથે ચકચાર જાગી છે.

મળતી વિગતો મુજબ અહીના રબારીકા રોડ પર ગીરનાર લોજીસ્ટીક પ્રાઈવેટ લીમીટેડ નામના ટ્રાન્સપોર્ટમાં શનિવારની રાત્રીએ લોડીંગ કરેલી મેટાડોરને રવિવારની સવારે શાપર વેરાવળ ખાતે ક્રોસિંગ સેન્ટર ખાતે મોકલવાની હતી.

જીજે ૧ બી.વી.૧૯૮૮ નંબરની જમ્બો આઈસર ગાડીમાં શનિવારે રાત્રે ટ્રાન્સપોર્ટ બુકિંગ મેનેજર પંડિતે લોડીંગ કરાવી, ટ્રાન્સપોર્ટ ઓફીસ સામે રાબેતા મુજબ આ લોડેડ વાહનને પાર્ક કરાવી પોતાના ધોરાજી રોડ સ્થિત ભાડાના ઘરે ચાલ્યા ગયેલા.

દરમિયાન રવિવારે સવારના કોઈ મજૂરે આ ટ્રાન્સપોર્ટના મેનેજરને ફોન દ્વારા જાણ કરી હતી કે તમારી ગાડીની તાલપત્રી તૂટી ગયેલી જોવા મળતી હોય, કોઈ પાર્સલ ચોરાયા હોવાનું લાગે છે. આવી જાણ થતાજ ટ્રાન્સપોર્ટ મેનેજર ક્રિષ્નકુમાર પંડિત પોતાની ટ્રાન્સપોર્ટની ઓફિસે પહોચી તપાસ કરતા તેમાંથી પાર્સલો ચોરાયા હોવાની શંકા જણાઈ હતી.

બીજીબાજુ પોલીસને જાણ કરી આ આયસર મેટાડોરમાં ભરેલ તમામ પાર્સલો ખાલી કરીને ટ્રાન્સપોર્ટના ચલાન સાથે મેળવાતા ગાડીમાંથી આશરે ૬૮ થી ૭૦ બિલ્ટીઓના (રસીદોના) કુલ ૭૩ દાગીના ચોરાયાનું માલુમ પડ્યું હતું. જેમાં ૬૫ સાડીના પાર્સલ, ૩ ઓટો પાર્ટ્સ અને ૩ કાસ્ટિંગ (લોખંડની મશીનરી)નો સમાવેશ થતો હોવાનું તેમજ આ તમામ દાગીનાની કુલ કીમત રૂપિયા ૧૧,૩૫,૬૬૮-૦૦ થતી હોવાનું ટ્રાન્સપોર્ટરનું કહેવું છે.

 આ બાબતે ટ્રાન્સપોર્ટનું બુકિંગ કામકાજ સાંભળતા ક્રિશ્નકુમાર ચિરંજીત શર્મા-પંડિતજી નામમાં મેનેજરે શહેર પોલીસમાં જાણ કરતા પીઆઇ એન.કે.વ્યાસે ઘટના સ્થળે દોડી જઈ વિશેષ પૂછપરછ આદરી હતી. તેઓનું કહેવું છે કે આ ઘટનામાં કોઈ જાણભેદુ લાગે છે. પણ સંબંધિત ટ્રાન્સપોર્ટર ચોરી થયેલા દાગીનાના વજૂદવાળા પાકા બિલ રજુ કરશે તો પોલીસ ફરિયાદ નોંધાશે તેવું પોલીસ કહે છે.

પોલીસની નજર સીસીકેમના ફૂટેજ પર !

જેતપુર: જેતપુર શહેર પોલીસના પીઆઈ એન.કે.વ્યાસે જણાવેલ કે ગીરનાર ટ્રાન્સપોર્ટની બુકિંગ ઓફિસની બાજુમાંજ કૈલાશ ટ્રાન્સપોર્ટની ઓફીસ આવેલી છે. જેમાં સીસી કેમેરાની સુવિધા છે. આ સીસી કેમના ફૂટેજ મેળવી તસ્કરોનો તાગ મેળવવા કવાયત આદરાઈ છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચે પણ બનાવવાળી જગ્યાએ વિજીટ કરી તસ્કરોને શોધવાના પ્રયાસો કર્યા હોવાનું જાણવા મળે છે. ટ્રાન્સપોર્ટ આલમમાં એક એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે જેતપુરમાં ચાલતા અને ચલાવાતા ૮૦ થી ૧૫૦ જેટલા ટ્રાન્સપોર્ટ જગતની આવી ચોરીની પ્રથમ ઘટના ગણાવાઈ રહી છે. કારણ દરેક ટ્રાન્સપોર્ટની લોડીંગ ટ્રકો રાત્રીના કામકાજ આટોપાયા બાદ સવાર સુધી પોત પોતાની ઓફિસો સામે પડી જ રહેતી હોય છે. અને આમ ગાડીમાંથી રાત્રીના ચોરી થવાનો પ્રથમ પ્રયાસ હોય, પોલીસ ફરિયાદ નોધાયા બાદ સધન તપાસ કરી તસ્કરોને જેર કરે તેવી માંગ ઉઠી છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર