વચગાળાના જામીન મેળવ્યા બાદ પુનઃ હાજર થયોજ નહિ !
રાજકોટની લોકલ ક્રાઈમ બ્રાંચે નાશતા
ફરતા ખૂનના આરોપીને પકડ્યો
જેતપુર તા.૧૪ (કશ્યપ જોશી દ્વારા)
ખૂન કેશમાં બે વર્ષથી નાસતા ફરતા ભાણવડ પોલીસ સ્ટેશનના ખૂનના આરોપીને રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે આજે જેતપુર પંથકમાં તેમના જ ઘરેથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બાબતે વિગતો આપતા રાજકોટ એલસીબીના જમાદાર ભુરાભાઈ માલીવાડને એલસીબીના પોકો નારણભાઈ આહિરે બાતમી આપી હતી કે, ભાણવડ પોલીસ સ્ટેશનના ગુના રજી.નંબર ૧૮/૧૩ આઈપીસી કલમ ૩૦૨, ૩૨૩ નો આરોપી દેવીપુજક જેન્તી ઝવેર સોલંકી(રહે. જેપુર, છાપરવાડી ડેમ નજીક, તાલુકો જેતપુર) વાળો હાઈકોર્ટના હુકમથી તા.૨૦/૧૧/૧૪ ના રોજ બે અઠવાડિયાના વચગાળાના જામીન પર મુક્ત થયો હતો.
દરમીયાન મુદત પૂરી થવા છતાં જેન્તીએ હાજર થવાને બદલે નાસતો ફરતો હતો. જેની એલસીબીના નારણભાઈ આહિરને બાતમી મળતા આજે નારણભાઈએ પોતાના ફોજદાર ઉનડકટને જાણ કરતા જમાદાર ભુરાભાઈએ જેન્તીને તેમના જ ઉપરોક્ત સ્થળે આવેલા ઘરે છાપો મારી પકડી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(ભુરાભાઈ માલીવાડ જમાદાર નો મોબાઈલ નંબર ૯૮૨૫૯ ૯૬૭૧૩
કશ્યપ જે. જોશી જેતપુર

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો