અનુયાયીઓ

બુધવાર, 16 ડિસેમ્બર, 2015

Fwd: જેતપુરમાં આમ આદમી પાર્ટીના આગેવાનોએ કર્યો વિરોધ

જેતપુરમાં આમ આદમી પાર્ટીના આગેવાનોએ
દિલ્હીના સીએમ કાર્યાલયમાં થયેલી તપાસનો કરાયો વિરોધ...
જેતપુર તા.16
દિલ્હીમાં કેજરીવાલ સરકારના કાર્યાલયમાં થયેલી સીબીઆઇ તપાસનો વિરોધ વ્યક્ત કરવા આજે જેતપુરમાં આમ આદમી પાર્ટીના આગેવાનોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી વર્તમાન કેન્દ્ર સરકારની નીતિને વખોડી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત આમ આદમીના કાર્યકરોએ આક્ષેપો કર્યા હતા કે દેશમાં અનેક પ્રકારનાં મસમોટા કૌભાંડો આંચરાયા છે પણ, કેન્દ્ર સરકાર આવા ગોટાળા બહાર લાવવામાં કે તે અંગે તપાસ કરાવવાનો બદલે દિલ્હીના સીએમ કેજરીવાલ પાછળ પડી હોય, આ વાત લોકશાહી વિરોધી ગણાવી શકાય.
                                                ફોટો લાઈન  : કશ્યપ જોશી જેતપુર


ટિપ્પણીઓ નથી: