અનુયાયીઓ

શુક્રવાર, 16 નવેમ્બર, 2018

કોન્ટ્રાકટરો પાસેથી લાંચ પેટે મેળવેલા રૂ.46 લાખ કબ્જે


- સરદાર સરોવર નર્મદા નિગમનાં કાર્યપાલક ઈજનેરે
- બંને આરોપીઓ એક દિવસનાં રિમાન્ડ પર


ધ્રાંગધ્રા સ્થિત સરદાર સરોવર નર્મદા નિગમ સૌરાષ્ટ્ર  બ્રાંચ કેનાલ ૨/૧ ડિવિઝનનાં કાર્યપાલક ઈજનેર મહેશ ધનજીભાઈ પટેલ અને જૂનિયર કલાર્ક પ્રતિક જગુભાઈ ટાકલાને ગઈકાલે એસીબીએ ૨ હજારની લાંચમાં ઝડપી લીધા બાદ આજે બંનેને કોર્ટમાં રજૂ કરી એક દિવસનાં રિમાન્ડ પર મેળવ્યા હતાં.

ગઈકાલે જ એસીબીએ મહેશ પટેલનાં વતન ચિખલીનાં સારવણી ગામે સ્થિત મકાનની જડતી કરતાં ત્યાંથી રૂા ૪૨.૪૫ લાખ મળી આવ્યા હતાં આ ઉપરાંત તેનાં ધ્રાંગધ્રાની ફ્રેન્ડઝ સોસાયટી સ્થિત મકાનમાંથી રૂ. ૩.૪૪ લાખ મળ્યા હતાં. જયારે તેની અંગજડતીમાંથી રૂા ૩૧ હજાર મળ્યા હતાં.

એસીબીની પુછપરછમાં તેણે તમામ રકમ રૂા ૪૬.૨૦ લાખ કોન્ટ્રાકટરોનાં બીલ પાસ કરતા નિશ્ચિત ટકા પેટે પૈસાં એટલે કે લાંચ તરીકે મળ્યાનું સ્વીકાર્યું છે. જેના પરથી એસીબીનાં અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે. અને સરદાર સરોવર નર્મદા નિગમની કચેરીમાં કેટલા મોટા પાયે  ભ્રષ્ટાચાર ચાલે છે તેનો ખુલાસો થયો છે. માત્ર રૂા ૨ હજારની લાંચમાં ઝડપાયેલા  ૧ લાખથી વધુ રકમનાં પગારદાર કલાસ વન અધિકારી મહેશ પટેલે બેફામ બની અત્યાર સુધી કેટલો ભ્રષ્ટાચાર આચર્યો હતો તેની એસીબીએ તપાસ જારી રાખી છે.

જસદણના ગઢડિયા ગામની મહિલા પર ભત્રીજા સહીત ૧૦ શખ્શોનો લોખંડના પાઈપથી હુમલો



ઈજાગ્રસ્ત મહિલા રાજકોટ સિવિલ હોસ્પીટલમાં દાખલ : જમીનની ભાગબટાઈ
બાબતે ભત્રીજા સહિતના શખ્શોએ કોર્ટમાં ચાલતા કેસનું મનદુઃખ રાખીને કર્યો હુમલો

રાજકોટ તા.16
ગઈકાલે સાંજે જસદણ તાલુકાના ગઢડિયા ગામે એક કોળી મહિલા પર તેના ભત્રીજા સહિતના ૧૦ શખ્શોએ લોખંડના પાઈપ વડે હુમલો કરતા માથામાં ગંભીર ઈજાઓ સાથે કોળી મહિલાને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં દાખલ કરાઈ છે.

મળતી વિગતો મુજબ જસદણ તાલુકાના ગઢડિયા ગામે રહેતા વિજુબેન રમેશભાઈ ચાવડા નામની ૪૦ વર્ષની કોળી મહિલા ગઈકાલે પોતાના ઘરે હતી ત્યારે સાંજે ૫ વાગ્યે તેણીનો ભત્રીજો જેન્તી મોહન કોળી સહિતના ૧૦ શખ્શો લોખંડના પાઈપ વડે વિજુબેન પર તૂટી પડતા તેમને લોહી લુહાણ હાલતમાં માથામાં ગંભીર ઇજાઓની સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાઈ છે. 


ઈજ્ગ્રસ્ત મહિલાએ પોલીસેને જણાવ્યું હતું કે લાંબા સમય થયા તેમને જમીનની ભાગબટાઈ પ્રશ્ને કોર્ટમાં કેસ ચાલતો હોય આ વાતનું મનદુઃખ રાખીને તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. પોલીસે હુમલાખોર શખ્શો સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. (ફોટો : મુકેશ રાઠોડ)

ખોડલધામમાં ખોડલ માતાના ચરણોમાં શીશ ઝૂકાવતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા





ખોડલધામટ્રસ્ટના નરેશભાઇ પટેલે અદકેરૂ સ્વાગત કર્યું



રોડ ટ્રાન્સપોર્ટ. હાઇવે. કેમિકલ્સ. શીપીંગ એન્ડ ફર્ટિલાઇઝર વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ખોડલધામ કાગવડખાતે ગઈકાલે  દર્શનાર્થે પધાર્યા હતા. અને ખોડલ માતાના દર્શન કરી માતાના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી.                           
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલ તથા ટ્રસ્ટીશ્રી ઓ રમેશભાઈ ટીલાળા અને રમેશભાઈ મેંદપરા દ્વારા પુષ્પગુચ્છ આપીને ,પ્રસાદી રૂપે  ખેસ પહેરાવી સ્વાગત કરાયું હતું .
ખોડલધામ કાગવડ મંદિરમાં ખોડલ માતાના દર્શન કરી ધન્યતા અનુભવતા કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ એ જણાવ્યું હતું કે ખોડલધામ ખોડલધામ એ એક શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક છે, અને શાંતિના પ્રતિક સમાન આ ખોડલધામ માં માતા ખોડલ બિરાજમાન થયા છે ત્યાં પરમ શાંતિની અનુભૂતિ થાય છે.   



















            
પ્રસંગે કેન્દ્રીય મંત્રીને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલ અને ટ્રસ્ટીઓ દ્વારા ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ થઇ રહેલ વિવિધ વિભાગોની ઉતરોતર કાર્ય પ્રગતિ અંગે વિગતો આપી હતી, અને વિવિધ વિભાગોની મુલાકાત પણ લેવડાવી હતી.
ત્યારબાદ ભાવનગરના રાજુભાઈ રાબડીયા દ્વારા આયોજિત ધ્વજા આરોહણ પ્રસંગમાં પણ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા એ તથા તેમના ધર્મપત્ની એ હાજરી આપી હતી. અને  ભાવનગર મહાનગરપાલિકા ના અગ્રણીઓ ની ઉપસ્થિતિ સાથે  ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશભાઇ પટેલ અને ટ્રસ્ટીઓ સાથે પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

રાજવી પેલેસમાં 34 લાખની ચોરીમાં મહિલા સહિત 6 ઝડપાયા

વાંકાનેરમાં મોબાઈલ એપથી પેલેસની માહિતી મેળવી
- વરસતા વરસાદની તકલઈ પાછળથી ઘુસી ચોરી કરી મોટી વસ્તુઓ તોડીનાખીઃ નાસીકનાં ૪ અને દિલ્હીનાં બે ઝડપાયા

વાંકાનેરના રાજવી પેલેસમાંથી ચાર માસ પૂર્વે થયેલી ચોરી મામલે મોરબી પોલીસે મહારાષ્ટ્રમાંથી ચાર આરોપી અને દિલ્હીથી બે આરોપીને ઝડપી લઈને ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસ પુછપરછમાં આરોપીએ ચોકાવનારી કબુલાત આપી હતી.
વાંકાનેરમાં આવેલા રણજીત વિલાસ પેલેસની ગેલેરીાં આવેલી બારીનો કાચ તોડી તસ્કરો ગઈ તા.૧૬.૭ દરમિયાન ચાંદીની રાજાશાહી વખતની ખુરશી, માર્બલ ગોલ્ડ પ્લેટેડ કલોક, સહિતની ૩૪ લાખની એન્ટીક વસ્તુઓની ચોરી કરી ગયા હતાં જે મામલે મોરબી એલસીબી ટીમે મહારાષ્ટ્રના નાસિકથી આરોપી રવિ વિઠ્ઠલભાઈ દેવીપુજક, અશોક લાલાભાઈ દેવીપુજક, કિશન ગણેશભાઈ દેવીપુજક અને અજય વિઠ્ઠલભાઈ દેવીપુજક રહે ચારેય નાસિક મહારાષ્ટ્રને ઝડપી લીધો હતા.

જયાં ઉપરાંત અન્ય એક ટીમ દિલ્હી પહોંચી હોય જયાં ચોરીનો માલ ખરીદનાર ખીમાંબેન શ્રવણભાઈ દેવીપુજક અને સુનીલ શ્રવણ દેવીપુજક બે આરોપી સહીત કુલ છને ઝડપી લીધા હતાં. ઝડપાયેલા આરોપીમાંથી રવિ વિઠ્ઠલભાઈ એ ત્રણેક વર્ષ પૂર્વે ધ્રાંગધ્રા પેલેસમાં ચોરી કર્યાની કબુલાત આપી હતી. આરોપીએ રાજવી પેલેસમાં ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે તો ઝડપાયેલા આરોપી પાસેથી પેલેસમાંથી ચોરી થયેલી ધાતુનું એન્ટીક પક્ષી સ્ટેચ્યુ કબજે કરવામાં આવ્યું છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આરોપી રવિએ પેલેસમાં ચોરી કરવાનો પ્લાન બનાવી નાસીથી વાંકાનેર ખાતે આવી મોબાીલ એપ્લીકેશનની મદદથી પેલેસ અને આસપાસની માહતી મેળવી હતી તેમજ પેલેસની પાચળ જઈ ડુંગરાળ ઝાળી વિસ્તારમાં જઈ વરસાદ વરસતો હોય તેનો લાભ લઈ રાત્રે પેલેસમાંથી ચોરી કરી દિવસમાં ઝાળી વિસ્તારમાં માલચેક કરી ખોટી વસ્તુ હોય તો તોડીને નાખી દઈ કિંમતી વસ્તુઓ થેલીમાં લઈ ભાગી ગયા હતાં.