ખોડલધામટ્રસ્ટના નરેશભાઇ
પટેલે અદકેરૂ સ્વાગત કર્યું
રોડ ટ્રાન્સપોર્ટ. હાઇવે. કેમિકલ્સ. શીપીંગ એન્ડ ફર્ટિલાઇઝર વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ખોડલધામ કાગવડખાતે ગઈકાલે
દર્શનાર્થે પધાર્યા હતા. અને
ખોડલ માતાના દર્શન કરી માતાના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી.
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ને ખોડલધામ ટ્રસ્ટના
પ્રમુખ નરેશભાઇ પટેલ તથા ટ્રસ્ટીશ્રી ઓ રમેશભાઈ ટીલાળા અને રમેશભાઈ
મેંદપરા દ્વારા પુષ્પગુચ્છ આપીને ,પ્રસાદી રૂપે ખેસ પહેરાવી સ્વાગત કરાયું હતું .
ખોડલધામ કાગવડ મંદિરમાં ખોડલ માતાના દર્શન કરી ધન્યતા અનુભવતા કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ એ જણાવ્યું હતું કે ખોડલધામ ખોડલધામ એ
એક શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક છે, અને શાંતિના
પ્રતિક સમાન આ ખોડલધામ માં માતા ખોડલ બિરાજમાન થયા છે
ત્યાં પરમ શાંતિની અનુભૂતિ થાય છે.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ
પટેલ અને ટ્રસ્ટીઓ દ્વારા ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ થઇ રહેલ
વિવિધ વિભાગોની ઉતરોતર કાર્ય પ્રગતિ અંગે વિગતો આપી હતી, અને વિવિધ વિભાગોની મુલાકાત પણ
લેવડાવી હતી.
ત્યારબાદ ભાવનગરના રાજુભાઈ રાબડીયા દ્વારા આયોજિત ધ્વજા આરોહણ પ્રસંગમાં પણ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા એ તથા તેમના ધર્મપત્ની
એ હાજરી આપી હતી. અને ભાવનગર મહાનગરપાલિકા ના અગ્રણીઓ ની ઉપસ્થિતિ સાથે ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશભાઇ પટેલ અને ટ્રસ્ટીઓ સાથે પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.




















ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો