નવાગઢની ખાનગી શાળામાં બાળકીઓને માર મારવાની ઘટનાને ન્યાય અપાવવા જેતપુરમાં વાલી મંડળની રચના થઇ.
મામલતદાર-શાશનાધિકારીને આવેદનો અપાયા,
માર મારનાર શાળા સંચાલકોને સજા કરવા માંગ
જેતપુર તા.19
જેતપુરના નવાગઢમાં ખાનગી સ્કુલ નવજીવનના સંચાલકોએ બે બાળકીઓને ફી બાબતે માર માર્યાની ઘટનાના પડઘા હજુ શમ્યા નથી. સંચાલકોની દાદાગીરી અને વાલીઓને ખોટા પાડવાના શાળા સંચાલકોના સંબંધિતોને આવેદનો અપાયા બાદ આ બાબતે વાલીઓની વહારે આવવા આજે જેતપુરમાં એક વાળી મંડળની રચના કરવામાં આવી હતી, અને આશરે 500 જેટલા વાલીઓને આજે સ્થાનિક મામલતદાર તેમજ શાશનાધિકારી કચેરીએ દોડી જઈ આવેદનો આપી બાળકીઓને ફટકારનાર શાળા સંચાલકો સામે શિક્ષાત્મક પગલા ભરવા બુલંદ માંગ કરી હતી.
જેતપુરના ચર્ચાસ્પદ કિસ્સાની મળતી વિગતો મુજબ જેતપુરના નાવાગધમાં રહેતા માધ્યમ વર્ગની ધોરણ 5 ની બે છાત્રાઓ રૂપલ અને તરન્નુમ ને નવજીવન શાળા સંચાલક કલ્પેશ કોઠારીએ સ્કેલ તેમજ ધુમ્બા મારી ત્રાસ ગુજાર્યાની મોડે મોડેથી પોલીસ ફરિયાદ થતા કહેવાય છે કે આ શાળાના સંચાલકો સામે પોલીસે અટકાયતી પગલા ભર્યા હતા.
બીજીબાજુ શાળા સંચાલક મંડળના સંચાલકોએ પણ વાલીઓ ખોટા છે અને બાળકીઓને કોઈ માર મારવામાં આવ્યો નથી તે મતલબના સંબંધિતોને આવેદનો આપતા આ વાત વાલીઓને દબાવવા જેવી જણાતા જેતપુરમાં રાતોરાત એક વાળી મંડળની રચના કરવામાં આવી છે અને આજે આ મંડળના યોગેન્દ્રસિંહ ગોહિલ, મહમદભાઈ સાંધ, કાળાભાઈ ચાવડા, જીતેન્દ્ર લાડવા, જતીન દેગડા, શૈલેશ સાવલિયા, વિનોદ જોશી, વિગેરેની આગેવાની તળે 500 વાલીઓએ મામલતદાર અને શાશનાધીકારીને લેખિતમાં આવેદનો આપી નાવાગઢની શાળા સંચાલકો સામે પગલા ભરવા માંગો દોહરાવી હતી.
બોક્સ: વાલીઓ જાગૃત થયા છે, શાળા સંચાલકો જાગી જાય !!
જેતપુર: આજે વાળી મંડળ ના નેજા હેઠળ લાગતા વળગતાઓને આવેદનો આપી વાલી મંડળે જણાવેલ કે વાલીઓ જાગી ગયા છે, બેફામ ફી લૂટતા શાળા સંચાલકો હવે જાગી જાય, બે ત્રણ દિવસ પહેલાજ એક વાહન ચાલકને વાલીઓએ પોતાની બાળકીઓ સાથે અડપલા કરવાની વાતમાં લમધાર્યો હતો, પણ પોલીસ ફરિયાદ નાં થતા આ વાત અભેરાઈ પર ચડાવી દેવાઈ છે. એટલુજ નહિ શાળા સંચાલકો પણ પોતાની શાળાના બાળકોને લઇ મૂકી આવતા વાહન ચાલકોની પુરેપુરી શાળામાં માહિતી રાખે તે ઇચ્છનીય છે.
કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર 9974262812


































