અનુયાયીઓ

સોમવાર, 16 એપ્રિલ, 2018

સરકાર જુએ છે કે તમે કઈ ટીવી ચેનલ કેટલી વાર જોઈ !!

સરકાર જુએ છે કે તમે કઈ ટીવી ચેનલ કેટલી વાર જોઈ !!

માહિતી અને પ્રસારણ મંત્રાલયે નવા ટેલિવિઝન સેટ ટોપ બોક્સમાં એક ચિપ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ચિપ જણાવશે કે લોકો કઈ ચેનલને જોઈ છે અને કેટલા સમય સુધી જોય છે. મંત્રાલયના એક સીનીયર ઓફિસરે કહ્યું હતું કે આ પગલાનો હેતુ દરેક ચેનલ માટે દર્શકોના વ્યુઅરશીપ ડેટા ભેગા કરવાનો છે. તેનાથી જાહેરાતકર્તા અને DAVP પોતાની એડ માટે સમજી-વિચારીને ખર્ચ કરી શકશે.

જાણવા મળ્યું છે કે DAVP અલગ અલગ મંત્રાલયો અને તેના સંગઠનોની એડ માટે સરકારની એજન્સી છે. મંત્રાલયે TRAIને કહ્યું છે કે, પ્રસ્તાવ એ છે કે DTH ઓપરેટરોને તેમના નવા સેટ ટોપ બોક્સમાં આ ચિપ લગાવવા માટે કહેવામાં આવશે. આ ચિપ જોવાનારી ચેનલો અને તેના સમયના આંકડા આપશે. આ પ્રસ્તાવ DTH લાઈસન્સ સાથે જોડાયેલા ઘણા મુદ્દાઓ પર TRAI તરફથી કરવામાં આવેલી ભલામણ પર મંત્રાલયની પ્રતિક્રિયાનો હિસ્સો હતો.

અધિકારીએ જણાવ્યું છે કે મંત્રાલયને એવું લાગે છે કે દૂરદર્શનની વ્યુઅરશીપને ઓછી કરીને બતાવવામાં આવે છે અને ચિપ લગાવ્યા પછી ચેનલના સાચા વ્યુઅરશીપ આંકડાઓની જાણકારી મળી શકશે. સરકારના આ પગલાંથી દેશમાં બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા(BARC)ની મોનોપોલી પૂરી થી જશે. હાલમાં તેનો કોઈ વિકલ્પ નથી. તે એ નથી બતાવતું કે વ્યુઅરશીપના આંકડા તેમણે કેવી રીતે મળેવ્યા છે અને કયા વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો છે.


આ રીતે મંત્રાલય પોતાના આંકડા મેળવીને બાર્કના આંકડાની સાથે સરખામણી કરતા ખબર પડી જશે કે કયા આંકડા સાચા છે. મંત્રાલયે બાર્કના આંકડાની તપાસ માટે 300 મીટરની ખરીદી કરવાનો વિચાર પણ કર્યો હતો, પરંતુ આટાલા ઓછા મીટર લગાવવાનું શક્ય ન હતું. અધિકારીએ કહ્યું હતું કે બાર્કે લોકોના ટીવી જોવાના આંકડા મેળવવા માટે આશરે 30 હજાર મીટર ટીવી સેટ્સના મધરબોર્ડમાં લગાવ્યા છે.

કોઈ પણ વ્યક્તિ એવું નહીં ચાહશે કે તેમના ટીવીમાં કોઈ પણ વસ્તુ લગાવવામાં આવે પરંતુ બાર્કે આ આરોપોનું ખંડન કરતા કહ્યું છે કે સંયુક્ત ઈન્ડ્સ્ટ્રી બોડી છે જેનું ગઠન સ્ટેક હોલ્ડર્સ, સરકારના પ્રતિનિધિઓ અને TRAI સાથે ચર્ચા કરીને કરવામાં આવ્યો છે.

વડોદરાના રોમેલ સુતરિયાનો CMને પત્ર લખ્યો ફી દૂર ન કરો ત્યાં સુધી ભણીશ નહીં,

વડોદરાના રોમેલ સુતરિયાનો CMને પત્ર લખ્યો 
ફી દૂર ન કરો ત્યાં સુધી ભણીશ નહીં,

12 વર્ષથી ઘર છોડીને લોક આંદોલન ચલાવીને પછી વડોદરા યુનિવર્સિટીમાં રાજકીય ક્ષેત્રનું ભણવા ગયેલા યુવાન રોમેલ સુતરિયાએ કનૈયા કુમાર સાથે મુલાકાત કર્યા બાદ તેમને ફી ભરવા માટે ટર્મિનેટ કરી દેવામાં આયા હતાં. હવે રોમલે જાહેર કર્યું છે કે જ્યાં સુધી ઊંચી ફી નાબુદ નહીં થાય ત્યાં સુધી તે ભણશે નહીં.
આ રહ્યો તેમનો ખુલ્લો પત્ર

માનનીય વિજયભાઈ રુપાણી,
મુખ્યમંત્રી ગુજરાત.

સાહેબ આશા છે કે આપ કુશલ મંગલ જ હશો. અમારા સંગઠનના સાથીયોએ અમદાવાદ કલેક્ટર મારફતે આપને તારીખ 9 એપ્રિલ 2018 ના રોજ માંગણી પત્ર મોકલાવેલું છે. અમારી ટીમ જે 13 નવેમ્બરે આપના નિવાસસ્થાને આપની મુલાકાત માટે આવેલા અને આપે અમારી માંગણીઓ સાંભળી આશ્વાસન આપેલું કે તમામ મુદ્દે કાર્યવાહી કરી નિકાલ કરવા સરકાર કટિબદ્ધ છે. મને તે પણ યાદ છે આપે ત્યારે જ ભવિષ્યવાણી પણ કરેલી કે ડિસેમ્બર 2017ની વિધાનસભાની ચુંટણીઓમાં આપની ભારતીય જનતા પાર્ટીની જ સરકાર બનશે.

આપને પણ ત્યારે તે જાણ હતી કે આપની બેઠકો ઓછી આવશે પરંતુ આપે કહેલું કે 93 કે 94 ધારાસભ્યો ચૂટાશે જે સરકાર બનાવવા પુરતી છે. આપ સંતુષ્ટ જણાતા હતા. આમ તો મને કોઈ રાજકીય પક્ષ સાથે ક્યારેય કોઈ લેવા દેવા રહી નથી. પરંતુ રાજકીય ક્ષેત્રે એમ જરાય નહી કહું કે રસ નથી. કારણ બાળક દુકાનમાં પડેલી બરણીમાં ચોકલેટ જોઈને માં સામે રડે અને ચોકલેટ મળતા ચૂપ થાય તે પણ એક રાજનીતિ જ છે જે આપ સમજતા જ હશો. સરકાર તો પ્રજા માટે માં સમાન જ કહેવાય. મારા મતે પણ ક્યારેક સ્થિતિ સોતેલી માં જેવી ઉભી થાય તો દુ:ખ વધી જાય. માટે જ કહીશ કે હું છેલ્લા ઘણા વર્ષો થી લોકચળવળોનો ભાગ બની ગયો અને નાની ઉંમરથી અર્થાત છેલ્લા 12 વર્ષથી લોક આંદોલનોનું પ્રતિનિધિત્વ કરતો રહ્યો છું.

આપ મારા થી પરિચિત છો જ માટે વધુ કંઈ કહેવુ નથી. અનેક પ્રશ્નોને વાંચા આપવાના પ્રયત્નો અમારુ સંગઠન સતત કરતુ રહ્યુ છે સરકાર અમને વિરોધી સમજી બેસે તે પણ સ્વાભાવિક છે. પરંતુ અહી હું સ્પષ્ટ કરીશ કે હું કોઈનો વિરોધી રહ્યો નથી. હું હંમેશા સત્યના અને ન્યાય ના પક્ષ માં ઉભો રહું છું. લોકોના પ્રશ્નોને વાચા આપવા કરવામાં આવતી રણનીતિને આપ કે અન્ય કોઈ વ્ય્કિત રાજકારણ કહી નજરઅંદાજ કરી શકે છે પરંતુ તેનાથી અમારા જુસ્સા કે હિંમત મા રદ્દી ભર પણ ફેર પડે તેમ નથી. આ એટલા માટે લખી રહ્યો છું કારણ આપના પક્ષના લોકોએ મને વિરોધી માની અનેક ખોટા કેસોમાં ફસાવવાના કાવતરા કર્યા છે.


તે તો ઠીક મારુ ભણતર અટકાવાયુ માત્ર તે કારણથી કે મારી વિચારધારા ભિન્ન છે! હું તો આપના મોદીજીની જેમ વર્ષોથી ઘર પરિવાર છોડી લોકો વચ્ચે સક્રિય સેવા આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું. હવે મારા જેવી વ્યક્તિ ને કોલેજ તત્કાલ ફી જમા કરવાના બહાના બનાવે અને અન્ય છાત્રો ને જે મારા વર્ગમાં હતા જે કોઈ ચોક્કસ (RSS) સંગઠનોથી આવતા હોય તેમને ફી ભરવા મહિનાઓની તક આપવામાં આવે તો તેવો ભેદભાવ મારા જેવો વ્યક્તિ કેવી રીતે સાખી લે? તેનો વિચાર આપે કરવો જોઈતો હતો. સ્વાભાવિક રીતે પોતાના મુદ્દાઓ ને લઈને લડવા નીકળુ તે મને શોભા દે તેમ નથી, છતા મારે અવાજ ઉઠાવવો પડ્યો છે. પરંતુ મારા ભણતરને રાજકીય દ્વેષ રાખી અટકાવવાની હરકતથી મને જે પ્રેરણા મળી તેમા સૌથી અગત્યનુ તે કે ઈન્સ્ટીટ્યુટે બહાનુ બનાવ્યુ કે ફી  જમા ના કરાવી હોવાથી મને કાઢી મુકવામાં આવ્યો છે. આ સાંભળી મારા મગજમા પહેલો વિચાર એ આવ્હયો હતો કે હવે શિક્ષણનો વ્યાપાર તે હદે વધી ગયો છે કે એક વિધ્યાર્થી પાસે ફીસના પૈસા ના હોય તો તે ભણી ના શકે, તે સિદ્ધાંત કે વિચાર સર્વ સામાન્ય બની ગયો છે.

માટે નક્કી કર્યુ છે કે કે.જી. ટુ. પી.જી. જેની માંગ અગાઉ પણ હુ કરતો આવ્યો હતો તે માંગને મજબુત બનાવીશ. ગુજરાતના વાલીઓ, યુવાનો સુધી પહોંચી  સરકાર સમક્ષ લોકતાંત્રિક ઢબે લડત કરી શિક્ષણની નીતિમાં પ્રચલિત વિચાર કે પૈસા ના હોય તો ભણી ના શકો - ને નષ્ટ કરીશ નહીં ત્યા સુધી હું ભણીશ નહીં. કોઈ પણ કોર્સ કે શિક્ષણ સંસ્થાનનો ભાગ નહી બનું. આ પગલુ સમજી વિચારી ને લીધુ છે જાણુ છું મારા એકલા ના પ્રવેશ મુદ્દે આખુ MSU સામે હોત તો પણ હું ભણી લઉં તેટલી તાકાત ધરાવુ છુ. પરંતુ અહીં પ્રશ્ન શિક્ષણ નીતિઓમાં થઈ રહેલા સિદ્ધાંતો સામે સંઘર્ષ નો છે અને હું સ્થાપિત કરવા માંગુ છુ કે કોઈ અમીર હોય કે ગરીબ જે પણ પરિવારમાંથી આવતો હોય દરેક ને ભણવાનો સમાન અધિકાર છે.

જે વિચારને મારે તમારે બધાએ સવિકાર કરવો પડશે અને તેને પ્રત્યક્ષ અમલ કરવા માટે અમે રજુ કરેલી માંગણીઓમાની બે મુખ્ય માંગ સ્વીકાર કરી સરકારે પ્રજાને બતાવવુ પડશે કે સરકાર સમાનતાના સિદ્ધાંતમા માને છે. કહેવુ પડશે કે સરકાર માને કે શિક્ષણના મૂળભૂત અધિકારની રક્ષા માટે સરકાર કટિબદ્ધ છે. આપ માંગ પત્ર જોશો તો આપને જણાશે લોકહિતની માંગ રજુ કરી અમારા સંગઠને ગુજરાતના યુવાનો, ચિટફંડ પિડિતો, બેરોજગારો, પર્યાવરણના પ્રશ્નો ને વાંચા આપવાનો પ્રયત્ન કર્યો છે. જે સંદર્ભે આજે અઠવાડિયુ થવા છતા આપની સરકારે કોઈ પગલા ભર્યા હોય તેની અમોને લેખિતમાં કોઈ જ જાણ કરી નથી. જે દર્શાવે છે કે એક માં આવી તો ના જ હોય કે જે પોતાના બાળકોની માંગણીઓ ને આંખ આળા કાન કરે. માટે મે અગાઉ  પણ જાહેર કરેલું છે તેમ અમારી માંગને લઈ સરકાર યોગ્ય કાર્યવાહી નહીં કરે સમાનતા અને ન્યાયના સિદ્ધાંતને ધ્યાનમાં રાખી યોગ્ય પગલા નહી ભરે તો મારે પ્રાણના જોખમે આમરણ અનસન કરવાની નોબત આવશે અને જે કરવા હું સંપર્ણ પણે કટિબદ્ધ છુ.

માટે ગુજરાતના એક યુવાન તરીકે આપને આ ખુલ્લા પત્ર થકી તે જ કહેવા માંગુ છુ, ગુજરાતનાં યુવાનોની પરીક્ષા લેવાની બંધ કરો અને અમારી માંગોની દિશામાં યોગ્ય પગલા ભરો અમે કોઈ ગેરવ્યાજબી માંગ કરી નથી કે આપની સરકારે આટલુ વિચારવું પડે. જો આપ મારાથી નારાજ હોવ કે મેં આપની સાથે ફોટો પડાવવાની ના પાડી દીધી હતી તો હું ફરી યાદ કરાવીશ કે મે તે સમયે પણ કહેલુ મને લાગશે ત્યારે ચોક્કસ આપ સાથે ફોટો પડાવીશ માટે તે વાતથી વ્યક્તિગત દ્વેષ ના રાખી અમારી માંગણીઓ ઉપર ઝડપથી કાર્યવાહી કરશો તથા ગુજરાતની પ્રજા ને સમાનતા અને ન્યાયના દર્શન કરાવશો તો ચોક્કસ આ દીકરો આપવા વખાણ કરતા નહીં ખચકાય. અને તેમ નહીં થાય તો મજબુરી માં 23 તારીખથી આમરણ અનસન  કરી જીવની બાજી લગાવીશ. આપ માંગણીઓ ઉપર કાર્યવાહી કરો આપ તે દિશામાં આગળ વધો. હવે નક્કી આપે કરવાનુ છે કે આપની સરકાર સમાનતા અને ન્યાયના સિદ્ધાંતને કેન્દ્રમાં રાખી અમારી માંગણીઓ ઉપર કાર્યવાહી કરી એક સાચી પ્રેમાળ માંના દર્શન કરાવશે કે પોતાના બાળકો ને પ્રેમના કરતી માઁ બનશે. નક્કી આપે કરવાનુ છે.

મારુ ભણતર રોકવામાં આવ્યુ છે પરંતુ હવે હું અન્ય યુવાનોના ભણતર ને ધ્યાને રાખી શિક્ષણને કમોડીટી બનાવવાના સિદ્ધાંત સામે લડીશ ત્યાં સુધી જ્યા સુધી ગુજરાતમાં યોગ્ય શિક્ષણ નીતિ, ચિટફંડનાં પિડિતોને ન્યાય, પર્યાવરણની રક્ષા અને બેરોજગાર યુવાનોને રોજગાર આપવાની યોગ્ય નીતિ બવાવવામાં ના આવે.  સાહેબ માઁ બનશો તેવી આશા સાથે આ ખુલ્લો પત્ર આપને લખી રહ્યો છું.

રોમેલ સુતરિયા
(એક આવજ – એક મોર્ચા / વોઈશીસ ઓફ યુથ) 
તારીખ – 16 એપ્રિલ 2018

રાજ્યના અંતરિયાળ જીલ્લાઓમાં સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલોના નિર્માણ માટે ખાનગી હોસ્પીટલોને ૨૫ ટકા સબસીડી અપાશે - મુખ્યમંત્રીશ્રી

શ્રેષ્ઠ આરોગ્ય થકી જ સ્વસ્થ જીવન અને સુખી જીવન પ્રાપ્ત કરી શકાય છે : - મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

રાજકોટ માં તારીખ ૧૫મી એપ્રીલના રોજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ સ્થિત ઇમ્પીરીયલ હોટલ ખાતે દિવ્યભાસ્કર અને કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલનાં સંયુકત ઉપક્રમે યોજાયેલ સ્વાસ્થ્ય અને કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવાનો હેતુપુર્ણ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે આરોગ્ય પ્રત્યે જાગૃતિ આવે તે માટે મિડીયા અને એન.જી.ઓ, ખાનગી હોસ્પિટલની ઝુંબેશ સમાજમાં નવી પ્રેરણા આપે છે. આ ઝુંબેશ લોકોના સ્વસ્થ જીવનનું ચાલકબળ બનશે. મુખ્યમંત્રીશ્રીએ આ તકે જાહેરાત કરતાં જણાવ્યું કે રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત સિવાયના શહેરોમાં જે ખાનગી કે ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓ સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પીટલો નિર્માણ કરશે તો તેમને મેડીકલ ઇન્ફ્રાસ્ટ્રકચર-ઇકવીપમેન્ટ ખર્ચની ૨૫ ટકા સબસીડી રાજ્ય સરકાર આપશે. વિનામુલ્યે દર્દિઓની સારવાર કરતી સંસ્થાઓ, હોસ્પીટલનું રિકરીંગ ખર્ચ સરકાર ભોગવશે જેથી સિવિલ હોસ્પીટલો પરનું કામનું ભારણ ઘટશે. 


મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકારની મેડીકલ ક્ષેત્રે શરૂ કરેલ વિવિધ પહેલનો ઉલ્લેખ કરતાં કહયું કે તબીબોની વયમર્યાદા ૬૫ વર્ષ કરવામાં આવી છે અને ૧૯૯૫માં ગુજરાતમાં મેડીકલ સીટ ૮૩૦ હતી જે અત્યારે ૪૦૦૦ કરવામાં આવી છે તે દર્શાવે છે કે રાજ્યમાં ડોકટરોની ઘટ પૂર્ણ કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. પ્રથમ તબકકામાં ખાનગી હોસ્પીટલ અને સરકારના સહયોગથી શરૂ થનારી સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પીટલ દાહોદ, પંચમહાલ, અમરેલી સહિતના અંતરિયાળ જીલ્લાઓમાં બનાવવા માટે ગુજરાત સરકારની નવી મેડીકલ પોલીસી ગ્રીનફિલ્ડ, બ્રાઉનફિલ્ડનો અમલ કરાશે.  મુખ્યમંત્રીશ્રીએ કહયું કે રાજ્ય સરકારે ૫૫ લાખ પરિવારોને મા અમૃતમ યોજનાના કાર્ડથી રક્ષિત કરી સારવાર પાછળ ૮૦૦ કરોડનો ખર્ચ કર્યો છે. સરકાર વર્ષે દોઢ લાખ બાળકોનું આરોગ્ય ચેકીંગ કરે છે અને મેઝર ઓપરેશન જરૂર પડયે રાજ્ય બહારની સારામાં સારી હોસ્પીટલમાં કરાવે છે. સરકારી હોસ્પીટલમાં ૩.૭૫ કરોડ લોકો વર્ષે સારવાર મેળવે છે. 


કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના ચેરપર્સન શ્રીમતી ટીનાબેન અંબાણીએ આજના પ્રસંગે પ્રશન્નતાપૂર્વક જણાવ્યું હતું કે ગુજરાત સાથે અમારે પારિવારિક સંબંધ હોઈ ગુજરાત સાથે હંમેશા એક વિશેષ લગાવ રહ્યો છે.  આ હોસ્પિટલ શરુ કરવા પાછળનો ઉદ્દેશ રજુ કરતા શ્રીમતી અંબાણીએ જણાવ્યું હતું કે ભારતીયોને વૈશ્વિક સ્તરની અધ્યતન સારવાર નજીવા દરે મળી રહે તે અર્થે ૨૦૦૯ માં મુંબઈ ખાતે સ્વ. ધીરુભાઈ અંબાણીની યાદમાં અને કોકીલાબેનને સમર્પિત આ હોસ્પિટલ શરુ કરાઈ હતી. સુરત બાદ રાજકોટ ખાતે મેડીકલ સેન્ટર શરુ કરાતા અહીના લોકોને અધ્યતન સારવારનો લાભ મળશે. આ ઉપરાંત આવનારા સમયમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં ૧૮ જેટલા કેન્સર કેર સેન્ટર શરુ કરવા જઈ રહ્યા હોવાનું શ્રીમતી ટીના અંબાણીએ જણાવ્યું હતું.


દૈનિક ભાસ્કર જૂથના એક્ઝીક્યુટીવ ડીરેક્ટરશ્રી ડો.ભરત અગ્રવાલે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે આજના સમયમાં કેન્સર, ન્યુરોલોજી, કરોડરજ્જુ અને બાળકોના રોગો અંગે ખાસ જાગૃતતા લાવવા માટે ભાસ્કર ગ્રુપ અભિયાન શરુ કરવા જઈ રહ્યું છે ત્યારે કોકીલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ દ્વારા તેમના અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેડીકલ ટીમ દ્વારા અધતન સારવાર મળી રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો તેમજ ‘રૂપાણી’ અને ‘અંબાણી’ શબ્દ પ્રયોગ દ્વારા ગુજરાત પ્રત્યે તેમનો આદરભાવ વ્યક્ત કર્યો હતો. રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત અને વ્યસન મુકિતનું ભગીરથ કાર્ય કરનાર સંત શ્રી અપૂર્વ સ્વામિએ જણાવ્યું હતું કે ગુજરાતના સપૂત શ્રી ધીરૂભાઇ અંબાણીના પરિવારજનોએ વૈશ્વિક ઉંચાઇ પ્રાપ્ત કર્યા પછી પણ એક સામાન્ય માણસની સ્વસ્થ જીંદગીની ચિંતા કરી છે તે આ પરિવારને મળેલા સંસ્કારનું ભાથુ છે. દિવ્યભાસ્કર  અને કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પીટલ દ્વારા શરૂ કરેલી જનઆરોગ્યની ઝુંબેશથી લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ આવશે. 


પ્રાસંગિક પ્રવચનમાં રાજકોટ દિવ્ય ભાસ્કરના તંત્રીશ્રી દેવેન્દ્રસિંહ પાંજરોલીયાએ ‘સ્વસ્થ જીવન સુખી જીવન’ અભિયાન થકી લોકોને સ્વાસ્થ્ય અંગે જાગૃત્તતા લાવવા અભિયાનની રૂપરેખા આપી હતી. કોકીલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના ડીરેક્ટર શ્રી રામનારાયણે વિડીયો પ્રેઝન્ટેશન દ્વારા હોસ્પિટલ દ્વારા કરવામાં આવતી સારવારની માહિતી આપી હતી. હોસ્પિટલ દ્વારા અધ્યતન સાધનોની મદદથી દર્દીઓને અપાતી શ્રેષ્ઠ સુવિધા, સારવાર અને રાખવામાં આવતા ખ્યાલ અંગે માહિતગાર કર્યા હતાં. 

આ તકે નિષ્ણાંત તબીબો થકી કેન્સર વિશે વિસ્તૃત સમજ પુરી પાડી હતી અને કેન્સર સામે બાથ ભીડીને સામાન્ય જીવન જીવી રહેલા ગુજરાતી ફિલ્મ કલાકાર શ્રી અર્ચન ત્રિવેદી, દિવ્યભાસ્કર સૌરાષ્ટ્રના એડીટર શ્રી કાના બાંટવાએ કેન્સર સામેની લડત અને મનોબળ અંગેના પોતાનાં અનુભવો જણાવ્યા હતાં. ડો. બબીતા હાપાણી સહિતના તબીબોએ પણ દર્દીઓમાં રહેલી મનોબળ અને હિંમતને લીધે થતાં ફાયદા અંગેના તેમના અનુભવોની ચર્ચા કરી હતી. કાર્યક્રમમાં ડો. રામ નારાયણ, ડો. સંતોષ શેટી, ડો. રાજેશ મિસ્ત્રી, ડો.દેશપાંડે, ડો. નંદકર્ણી, ડો. સેવંતી લિમાયે, ડો. કૈાશ્તવ તલપાત્રા, ડો.  મોહિત ભટ, ડો. અનુ અગ્રવાલ, ડો. ગડગીલ, ડો. શાંતનુ શેનઅને સંજય પંડયા સહિતનાં તબીબો ઉપસ્થિત રહયા હતાં.  આ કાર્યક્રમમાં સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય સર્વશ્રી ગોવિંદભાઇ પટેલ, શ્રી અરવિંદભાઇ રૈયાણી, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, નાયબ મેયર ડો. દર્શિતા શાહ, ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ શ્રી ધનસુખભાઇ ભંડેરી, શ્રીમતિ અંજલિબેન રૂપાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, શ્રી રાજુભાઇ ધ્રુવ, શ્રી કમલેશભાઇ મીરાણી, જીલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તા, પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત, મ્યુનિ. કમિશ્નર શ્રી બંછાનિધી પાની, અધિક નિવાસી કલેકટર શ્રી હર્ષદ વોરા તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહયા હતા. (ફોટો અને મેટર માહિતી બ્યુરો -રાજકોટ)

બહ્મતેજ સંસ્થા દ્વારા શ્રી રાજેન્દ્ર ત્રિવેદીને પરશુરામ એવોર્ડ આપી સન્માનિત કરાયા

રાજકોટ તા. ૧૬  
બહ્મસમાજ એ દરેક સમાજને સાથે લઈ ચાલનારો અને સર્વે સમાજનું હિત જોનાર સમાજ હોવાનું આજ રોજ રાજકોટ ખાતે બ્રહ્મતેજ સંસ્થા દ્વારા આયોજિત સન્માન સમારોહમાં પરશુરામ એવોર્ડ સ્વીકારતા વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદી જણાવ્યું હતું. 

તમામ તળ ગોળ બ્રાહ્મણો એક મંચ પર એકઠા થઈ આ કાર્યક્રમ યોજ્યો હોઈ અધ્યક્ષશ્રી ત્રિવેદીએ આ પ્રયાસને બિરદાવતા કહ્યું હતું કે,  કોઇપણ સમાજ સંગઠન થકી જ સશક્ત બનતો હોય છે. આ સાથે તેમણે બ્રહ્મ સમાજનું ભારતની સંસ્કૃતિ, શિક્ષણ અને વિકાસમાં પ્રદાન અંગે વિસ્તૃત ચિતાર આપ્યો હતો, સાથોસાથ કોઇપણ જ્ઞાની વ્યક્તિ બ્રાહ્મણ હોવાનો અભિભાવ તેમણે વ્યક્ત કર્યો હતો. 


વિવિધ ગોળના બ્રહ્મસમાજ તેમજ સંગઠન દ્વારા શ્રી ત્રિવેદીનું સ્મૃતિચિન્હ આપી સ્વાગત કરાયું હતું. કાયક્રમનો પ્રારંભ વૈદિક શ્લોક સાથે મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય દ્વારા કરાયો હતો  મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાયે પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. આ પ્રસંગે ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલના સભ્યશ્રી અભયભાઈ ભારદ્વાજ, સંગીત નાટ્ય અકાદમીના ચેરમેનશ્રી પંકજ ભટ્ટ, બાળ વિકાસ આયોગના ચેરમેનશ્રી જાગૃતિબેન પંડ્યા, 


શ્રીમતી અંજલીબેન રૂપાણી, ભુવનેશ્વરી પીઠના અધ્યક્ષશ્રી ઘનશ્યામજી મહારાજ, બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી જનાર્દનભાઈ પંડ્યા તેમજ વિવિધ ગોળના પ્રમુખ અને મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતાં. (ફોટો અને મેટર : માહિતી બ્યુરો -રાજકોટ)