અનુયાયીઓ

શનિવાર, 28 ફેબ્રુઆરી, 2015

જેતપુરના ચારણ Oસમઢીયાળા ગામે આજે રામદેવપીરનો પાટોત્સવ

જેતપુરના ચારણ સમઢીયાળા ગામે 
આજે રામદેવપીરનો પાટોત્સવ 
જેતપુર તા.28
જેતપુર તાલુકાના ચારણસમઢીયાળાં ગામે આજે તા.1.3.ના રોજ સમસ્ત દલિત સમાજના યુવાનો દ્વારા શ્રી રામદેવજી મહારાજશ્રીનો પાટોત્સવ તેમજ રાત્રીના સંતવાણીનું આયોજન કરાયું છે.
કશ્યપ જે.જોશી  જેતપુર 
JETALSAR 


જેતપુરની ખાનગી શાળાનો વાર્ષિકોત્સવ રદ કરાવતું મામલતદાર-પોલીસ તંત્ર

સ્વાઈનફ્લુ રોગને કાબુમાં લેવાના ભાગરૂપે 
જેતપુરની ખાનગી શાળાનો વાર્ષિકોત્સવ 
રદ કરાવતું મામલતદાર-પોલીસ તંત્ર
જેતપુર તા.28
જેતપુરમાં આજે રાત્રે યોજાનાર એક ખાનગી શાળાના વાર્ષિકોત્સવ કાર્યક્રમ પર મામલતદાર-પોલીસ તંત્રએ બ્રેક મરાવી વાયુવેગે ફેલાતા સ્વાઈનફ્લુ રોગચાળાને મહદઅંશે રોકવા સંગીન પ્રયાશ કર્યાની વિગતો મળી હતી.
આ બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર જેતપુરની ખાનગી શાળા અંકુર નો આજે રાત્રે સરદાર ચોકના એક પ્લોટમાં વાર્ષિકોત્સવ  યોજાનાર હતો. 
બીજીબાજુ રાજકોટ શહેરમાં  સ્વાઈનફ્લુ રોગને બને તેટલો રોકવા 144 ની કલમ અમલી બનાવાઈ હોય, સરકારી તંત્રો ઉંધે માથે આ માટે સજાગ થઇ રહ્યા છે. ત્યારે જેતપુરમાં ઉક્ત શાળાના વાર્ષિકોત્સવ કે જેમાં વિદ્યાર્થી બાળકો અને વાલીઓ મળી 5-6 હજાર જન સમુદાય ભેગો થનાર હોય, જો આ કાર્યક્રમ થાય તો સ્વાઈનફ્લ્લું રોગ મહત્વનો ભાગ ભજવે તેમ હોવાની દહેશત સાથે સ્થાનિક જાગૃત માણસોએ મામલતદાર, સીટી પીઆઈ , રાજકોટ ખાતે એસપી સહિતના સંબંધિતોને આજે સવારથીજ ટેલીફોનિક તેમજ ફેક્સ મારફતે   રજુઆતો-ફરિયાદ કરતા, જેઓ જેઓને રજુઆતો કરાઈ હતી તે તમામેં  પોલીસ અને મામલતદારસુત્રોએ શાળા સંચાલકોને જરૂરી સુચના અને આદેશો આપી શાળાનો કાર્યક્રમ રદ કરાવ્યો હતો.
જાગૃત વાલીઓએ એક એવો પણ રોષ વ્યક્ત કરેલ કે શાળા સંચાલકોએ માનવતા દાખવીને જ તેમનો કાર્યક્રમ બંધ રાખવાનું મુનાશીબ માન્યું હોત તો શાળા પ્રત્યે લોક્ચાહ્નામાં વધારો થવા પામત..

કશ્યપ જોશી જેતપુર જેતલસર KKU 
99742 62812

જાહેર શૌચાલયમાં મુસાફરો પાસેથી યુરિનના 2-2 રૂપિયા લેવાતા હોવાની રાવ

જેતપુરના એસ.ટી. બસ્ટેન્ડ સ્થિત 
જાહેર શૌચાલયમાં મુસાફરો પાસેથી યુરિનના 2-2 રૂપિયા લેવાતા હોવાની રાવ 
યુરીનલની દીવાલ પર લગાડાયેલ રૂપિયા ના લેવાતા હોવાનું બોર્ડ નિરર્થક !
જેતપુર તા.28
જેતપુર ના એસ.ટી. બસસ્ટેન્ડમાં ઉભા કરાયેલ શૌચાલયમાં યુરીનલમાં બેઠેલ માણસ મહિલા વર્ગ પાસેથી 2-2 રૂપિયા પડાવતો હોવાની મુસાફર આલમમાં ફરિયાદ ઉઠી છે.
આ બાબતે બાંટવા દેવળીના એક આધેડ મહિલાએ સ્થાનિક અખબારનવેશોને કેમેરા સામે ફરિયાદ કરતા જણાવેલ કે એક બાજુ જેતપુરના એસટી બસસ્ટેન્ડમાં ઉભી કરાયેલ જાહેર શૌચાલયમાં યુરીનલનો લાભ લેતા મહિલા વર્ગ પાસેથી રૂપિયા 2-2 વસુલે છે. જયારે તે જ શૌચાલયની દીવાલ પર એક સુચના આપતું બોર્ડ લગાવ્યું છે કે યુરિનનો એક પણ રૂપિયો કોઈની પાસેથી લેવામાં આવતો નથી.
આ બાબતે સંબંધીતોને ફરિયાદ કરાય છે તો કહેવાય છે કે સુચના આપી દેશું, પણ આ ફરિયાદનો હજુ નિકાલ ના થયો હોવાની મુસાફર આલમમાં બુમરાણ સાંભળવા મળી છે. સમજુ મહિલા વર્ગે ત્યાં સુધી કહ્યું કે ટોઇલેટના લેવાતા પૈસા બાબતે કોઈ ફરિયાદ નથી, પણ યુરિનના પૈસા લેતા તો બંધ થાવ !!
ત્યારે એસટીસુત્રો આવી નઝીવી રાવનો તાકીદે નિવેડો લાવી મહિલા મુસાફરવર્ગ  પાસેથી વસુલાતા પૈસા તાકીદે બંધ કરાવે તેવી માંગ ઉઠી છે.
કશ્યપ જે.જોશી - જેતપુર - જેતલસર - 99742 62812