કશ્યપ જોશી જેતપુર
9974262812
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શનિવાર, 2 જાન્યુઆરી, 2016
જેતપુરમાં મદન મોહન યુવક મંડળ દ્વારા બે દિવસ ગુંસાઇજી પ્રાગટય મહોત્સવનું આયોજન
જેતપુરમાં મદન મોહન યુવક મંડળ દ્વારા બે દિવસ
ગુંસાઇજી પ્રાગટય મહોત્સવનું આયોજન
જેતપુર તા.૨(કશ્યપ જોશી)
એમવાયએમ ફાઉન્ડેશન દ્વારા ગઈકાલ તા.૨ અને ૩ જાન્યુઆરી એમ બે દિવસીય શ્રી ગુંસાઇજી પ્રાકટય પંચશતાબ્દી પુર્તી મહોત્સવનો આજ સાંજથી દબદબાભેર પ્રારંભ થયો હતો.
અખંડ તૃમંડલાચાર્ય જગદગુરૂ શ્રીમદ વલ્લભાચાર્યજીના દ્વિતીય આત્મ જ શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ શ્રી ગુંસાઇજીના પ્રાકટયના પ૦૦માં વર્ષની પુર્તી સમયે મોટી હવેલીનાં વૈષ્ણવાચાર્ય પ.પૂ. ૧૦૮ શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજના આશીર્વાદ અને મદનમોહન યુવક મંડળના યુવા વૈષ્ણવાચાર્ય પ્રિયારાયજીના માર્ગદર્શન હેઠળ યોજાઇ રહેલા શ્રી ગુંસાઇજી પ્રાકટય મહોત્સવમાં સાંજે પ થી ૭ શ્રી પુષ્ટીમાર્ગીય મહીલા વૈષ્ણવ સમાજ દ્વારા મોટી હવેલીના પટાંગણમાં વિવિધ ધાર્મીક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
આજે બીજા દિવસે રવિવારના વચના મૃત અને સાંજે ૬ થી ૮ દરમિયાન સંતો-મહંતોની ઉપસ્થિતિમાં વધાઇ કીર્તન પ્રસાદનું આયોજન છે. આ બે દિવસીય વૈષ્ણવોનો ઉત્સાહ વધારે તેવા ધાર્મિક મહોત્સવ દરમિયાન વૈષ્ણવજનોને બ્રહ્મસબંધ લેવાનો અનુરોધ કરાયો છે.
કશ્યપ જે.જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)



