અનુયાયીઓ

રવિવાર, 11 જાન્યુઆરી, 2015

પતંગ મહોત્સવનો પ્રારંભ

મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો દબદબાભર્યો પ્રારંભ

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા આયોજીત આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આજે સવારે અમદાવાદના રિવરફ્રન્ટ પર મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ વખતે પતંગોત્સવમાં ૧૫૦  જેટલા વિદેશી અને ૨૨૮ દેશી પતંગબાજો ભાગ લીધો હતો. ગુજરાત સરકાર આ વખતે ૨૭ મો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવા જઈ રહી છે. જો કે અગાઉની માફક આ વખતે ગુજરાત સરકાર દિલ્હી અને મુંબઈ ખાતે પતંગોત્સવનું આયોજન નહીં કરે. સાબરમતી રિવરફ્રન્ટ પર ખુલ્લો મુકાનાર પતંગોત્સવ આગામી તા.૧૩ સુધી ચાલશે. આ મહોત્સવમાં કુલ ૨૯ દેશોના ૧૫૦  વિદેશી પતંગબાજો તથા ગુજરાત સહિત ૧૦ રાજ્યોના ૨૨૮ પતંગબાજો સામેલ થયા છે . આંતરરાષ્ટ્રીય પતંગબાજો તેમની અવનવી પતંગોને ચગાવીને અમદાવાદના આકાશને આજે રંગીન બનાવી દીધું હતું. આ પતંગબાજોને જોવા આજે ભારે મેદની જોવા મળી હતી. આ કાર્યક્રમમાં અમદાવાદની વિવિધ શાળાઓના 2000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગુજરાતમાં પતંગોત્સવની શરૂઆત પૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. આ પહેલીવાર છે જ્યારે તેમના વિના પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પતંગમહોત્‍સવની સાથે સાથે સાબરમતી રિવરફ્રન્‍ટ ખાતે અનેક આકર્ષણો રાખવામાં આવ્‍યા છે જેમાં આદિત્‍ય સ્‍તુતિ, સૂર્યનમસ્‍કાર, થિમ પવેલિયનનો સમાવેશ થાય છે. સાબરમતી નદીના કિનારે આંતરરાષ્‍ટ્રીય પતંગોત્‍સવ પર્વે ૨૦૦૦ બાળકોનો સૂર્યનમસ્‍કારનો અભિનવ કાર્યક્રમ રહ્યો હતો. સવારે બે હજાર બાળકો દ્વારા સુર્ય નમસ્‍કાર કાર્યક્રમે આકર્ષણ જમાવ્‍યું હતુ. આ પ્રસંગે  દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગની થીમ પણ આપણી સંસ્‍કળતિની ઝલક સાંસ્કૃતીક કાર્યક્રમ દ્વારા રજુ કરાઇ હતી આ મહોત્સવનું આયોજન રાજ્યપાલ ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી, પ્રવાસન મંત્રી સૌરભ પટેલ, રાજ્યકક્ષાના પ્રવાસન મંત્રી જયેશ રાદડિયા અને પ્રવાસન નિગમના ચેરમેન કમલેશ પટેલની ઉપસ્થિતિમાં આ પતંગોત્સવનું ઉદઘાટન  કરવામાં આવ્યું હતું. આ વિદેશી પતંગબાજો જૂથમાં તા.૧૩ મીએ રાજકોટ, ભાવનગર, સુરત ખાતે પતંગોત્સવ ઉજવશે. જ્યારે તા.૧૪મીએ આ પતંગબાજો અમદાવાદની પોળોમાં જઈને ઉજવણી કરશે.



એસટીનું ઉચ્ચ તંત્ર જેતપુરના સ્ટોલધારકની વહારે નહિ આવે તો વેપારીને ગુજરાન ચલાવવું કઠીન બનશે !!




તોતિંગ દુકાન ભાડા છતાં સ્ટોલધારકને દબાવવાનો પ્રયાસ ?
એસટીનું ઉચ્ચ તંત્ર જેતપુરના સ્ટોલધારકની વહારે નહિ 
આવે તો વેપારીને ગુજરાન ચલાવવું કઠીન બનશે !!

જેતલસર તા.11                                                                                                      (કશ્યપ જોશી )

જેતપુર જુનાગઢના એસટી બસસ્ટેન્ડમાં નાના મોટા સ્ટોલ ધરાવતા જેતપુરના એક વેપારીની પાછળ જુનાગઢ એસટી તંત્રના પ્રમુખ કાર્યવાહકો હાથ ધોઈને પડ્યા હોય આ વેપારી ગુજરાન ચલાવવાની ગંભીર પરીસ્થિતિઓનો સામનો કરી રહ્યા હોવાની વિગતો સાંપડી રહી છે.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુર રહેતા મહિપાલસિંહ ચંદ્રસિંહ  જેતપુર તેમજ જુનાગઢ એસટી બસસ્ટેન્ડો માં ડ્રાયફૂટ સ્ટોલના પરવાનાવાળી દુકાનો ધરાવે છે.  
બીજીબાજુ જુનાગઢ એસટી ડીવીજનના વિભાગીય નિયામકે ગઈ 19.12.2014 ના રોજ એક નોટીસ જારી કરી, તમો નિયત જગ્યા કરતા વધુ જગ્યાનો ઉપયોગ કરો છો તેમજ ફેરિયાઓ મારફત બિન અધિકૃત ફેરીઓ કરાવતા હોવાના કારણો બતાવી અરજદારનો સ્ટોલને તાળા મરાવી દેતા આજે 23-23 દિવસ થયા સ્ટોલ બંધ હોય રૂપિયા 33000 થી 35000 જેવી ભાડાની રકમ અરજદાર કેવી રીતે ભરી શકશે ? તે પ્રશ્ન અરજદારને ભારે મૂંજવી ગયો છે. 
સ્ટોલધારક મહિપાલસિંહ નું કહેવું છે કે એસટી તંત્રે પાઠવેલી નોટીસમાની વિગતો પાયા વિહોણી છે. તેઓ કોઈ વધારાની જગ્યા રોકતા નથી કે કોઈ ફેરિયા રાખેલા નથી. તંત્રે બીજા કોઈ ફેરિયાના નિવેદનો નોંધી તેમની સાથે ખોટે ખોટી હેરાનગતિ ચાલુ કરી છે. 

બોક્સ : ચાલુ બસે કોણ દુકાનમાં ખરીદી માટે આવે ?
જેતપુર :  અરજદાર જણાવે છે કે તંત્ર કહે છે કે ફેરીયા રાખી ધંધો નાં કરી શકો, પણ જે તે એસટી બસ સ્ટેન્ડ માં આવતી લાંબા રૂટની બસો અમુક મીનીટો જ થોભતી હોય, આવી બસોના મુસાફરો બસોમાંથી ઉતરી સ્ટોલ પર કોઈ ચીજો લેવા આવી નાં શકે તે સહજ છે.  ત્યારે એસટી તંત્રે આ વાતમાં કોઈ વ્યવહારુ ઉકેલ લાવવો જોઈએ

બોક્સ : એસટીના સત્તાધીસો દુખે છે પેટ, કૂટે છે માથું !?
જેતપુર: અરજદારે એક એવો આક્ષેપ કર્યો છે કે થોડા મહિના પહેલા જેતપુરના એસટી બસસ્ટેન્ડમાં વિના રુકાવટ ધંધો કરવા દેવા સબબ રૂપિયા 2 હજારની લાંચ લેતા ડેપો મેનેજરને એસીબીના હાથે પકડાવ્યા પછી એસટીના સતાવાળાઓએ તેમની સાથે આવી હેરાનગતિ ચાલુ કરી છે. જયારે એસટી સુત્રો જણાવે છે કે ટેન્ડરની શરતોનો ભંગ થતો હોય તો કાર્યવાહી કરવી પડતી હોય છે.

બોક્સ : એસટી તંત્રે ફેરિયાઓના લાયસન્સ આપે.. 
જેતપુર : અરજદાર કહે છે કે આજે ગુજરાત રાજ્યના તમામ બસસ્ટેન્ડમાં ચાલતા જુદા જુદા સ્ટોલધારકો તંત્રને મસમોટા ભાડા ચુકવતા હોય એસટીના લગતા વળગતા ઉચ્ચ સત્તાધીસોએ આવા સ્ટોલ સંચાલકોને ધંધો કરવા માટે ફેરિયાઓના લાઈસન્સ આપવાનું વિચારે તો એસટી તંત્રને પણ વધારાની આવક થઇ શકે તેમ છે.

જેતલસર           (કશ્યપ જોશી ) 99742 62812