અનુયાયીઓ

સોમવાર, 9 એપ્રિલ, 2018

રાજકોટ શહેરની શાળા નં.૬૫નું સર્વગ્રાહી મૂલ્યાંકન કરતા મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય

રાજકોટ શહેરની શાળા નં.૬૫નું સર્વગ્રાહી મૂલ્યાંકન કરતા મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય

શાળામાં અભ્યાસ કરતા બાળકોની વાંચન, ગણન અને લેખનની ક્ષમતા ચકાસી

રાજ્યની પ્રાથમિક શાળાનું મૂલ્યાંકન કરી શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તન લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાન ગુણોત્સવની આઠમી શ્રૃખંલા અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાયે શહેરમાં શ્રમજીવી સોસાયટી સ્થિત પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નં. ૬૫નું સર્વગ્રાહી મૂલ્યાંકન કર્યું હતું. મેયર ડો. ઉપાધ્યાય ઉક્ત શાળામાં પહોંચી ગયા હતા અને પ્રથમ બાળકો સાથે સંવાદ સાધ્યો હતો. 


તેમણે જણાવ્યું કે પ્રવર્તમાન સમયના અગ્રગણ્ય અધિકારીઓ, પદાધિકારીઓ, તબીબો, વકીલો સહિતની વ્યક્તિ સરકારી પ્રાથમિક શાળામાં જ અભ્યાસ કરીને આગળ આવી છે. તેઓના ઘડતરમાં પ્રાથમિક શાળાઓની ભૂમિકા મહત્વની છે. ત્યારે, રાજ્ય સરકાર પણ સરકારી પ્રાથમિક શાળાઓ માટે કરોડો રૂપિયા ફાળવે અને તેમાં ગુણાત્મક પરિવર્તન આવે તે માટે સતત પ્રયત્નશીલ છે. વિશેષમાં મેયરશ્રીએ જણાવ્યું કે પાયાથી જ શિક્ષણ મજબુત થાય તે ખુબજ જરૂરી છે. અને આ માટે ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી અને હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શાળા પ્રવેશોત્સવ, બેટી બચાઓ બેટી પઢાઓ તેમજ ગુણોત્સવ જેવા કાર્યક્રમો આપી શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ લાવેલ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ શિક્ષણને મજબુત કરવા તેમજ ગરીબ વર્ગના વિદ્યાર્થી પણ ઉચ્ચ અભ્યાસ કરી શકે તેવા પગલાઓ લઈ રહેલ છે. આ અવસરે વિદ્યાર્થીઓને અત્યારથીજ અભ્યાસમાં ધ્યાન આપવા અને શિક્ષકોએ આ પાયાનું શિક્ષણ વધુ મજબુત બને અને ગુરૂની ભૂમિકા નિષ્ઠાપૂર્વક ભજવે તે જરૂરી છે. મેયર શ્રીએ વધુમાં કહ્યું બાળકો કોઇ પણ પ્રકારના ખોટા વ્યસન ન કરે તે જરૂરી છે. કોઇ ખોટી સોબતમાં વ્યસન ના લાગી જાય તે બાબતની તકેદારી રાખવા તેમણે બાળકોને ટકોર કરી હતી. તેમણે બાળકો પાસે પાઠ વાંચન કરાવ્યું હતું. ગણિતના દાખલા ગણાવ્યા હતા અને લેખન પણ કરાવ્યું હતું. 

બાળકોને મુખપાઠ ઉપરાંત રાજકોટ શહેરને લગતા સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછ્યા હતા. જે બાળકોએ ઉત્સાહપૂર્વક જવાબ આપ્યા હતા. બાળકોની ક્ષમતા અંગે મેયરશ્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો. શાળા નંબર ૬૫માં ૯૧ છાત્રો અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે, મેયરશ્રીએ શિક્ષકોને સૂચન કર્યું હતું કે શાળામાં પ્રવેશપાત્ર બાળકોના વાલીઓનો સંપર્ક કરી, કોઇ બાળક શાળામાં પ્રવેશથી વંચિત ન રહે તેવું આયોજન કરવું જોઇએ.  આ વેળાએ શાળાના આચાર્યશ્રી, સીઆરસી શ્રી હિમંતભાઇ ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ જિલ્લાની વિકાસ વાટિકાનું વિમોચન કરતા પ્રભારી મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

રાજકોટ જિલ્લાની વિકાસ વાટિકાનું વિમોચન કરતા પ્રભારી મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

રાજકોટ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા કરાયેલા વિકાસ કામોના દસ્તાવેજીકરણ સમાન પુસ્તિકા વિકાસ વાટિકા સંદર્ભ ગ્રંથ તરીકે કામ આવે તેવું સંપાદન

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રકાશિત અને પ્રાદેશિક માહિતી કચેરી-રાજકોટ દ્વારા સંપાદિત પુસ્તિકા રાજકોટ જિલ્લાની વિકાસ વાટિકા-૨૦૧૭નું પ્રભારી મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિમોચન કર્યું હતું. તેમણે આ તકે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજકોટ જિલ્લાની વિકાસ વાટિકા પુસ્તિકા અભ્યાસુઓ માટે સંદર્ભ ગ્રંથ તરીકે ગરજ સારશે. રાજકોટમાં કાર્યરત રાજ્ય સરકારની વિવિધ પ્રજા કલ્યાણકારી પ્રવૃત્તિને વિકાસ વાટિકામાં આલેખવામાં આવી છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં થયેલા વિકાસ કામોના પરિણામસ્વરૂપ આપેલા ગુણાત્મક પરિવર્તનના અહેવાલો સચિત્ર આપવામાં આવ્યા છે અને સરકારની પ્રવૃત્તિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. 



આ વિકાસ વાટિકાનું સંપાદન કાર્ય પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા કરવામાં આવ્યું છે. માહિતી પ્રદાન કરવામાં વિવિધ સરકારી કચેરીઓનો પણ સહયોગ સાંપડ્યો છે. ઉપરાંત, માહિતી ખાતાના કર્મયોગીઓએ ખૂબજ ચીવટ પૂર્વક આ પુસ્તિકાનું સંપાદન અને ભાષાદોષ શુદ્ધિકરણ કાર્ય કર્યું છે. આ વિમોચન વિવિધમાં પ્રભારી સચિવ શ્રી હારીત શુક્લા, કલેક્ટર શ્રી રાહુલ ગુપ્તા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ રાણાવસૈયા, જિલ્લા પોલીસ વડા શ્રી અંતરીપ સુદ, નિવાસી અધિક કલેક્ટર શ્રી હર્ષદ વોરા, સંયુક્ત માહિતી નિયામક શ્રી કે. એ. કરમટા, સહાયક માહિતી નિયામક શ્રી જગદીશ ત્રિવેદી, મેનેજર શ્રી દર્શન ત્રિવેદી, ઓપરેટર શ્રી દિનેશ નાકરાણી તથા શ્રી અરવિંદ વેકરિયા અને શ્રી ભરત નિમાવત ઉપસ્થિત રહ્યા હતા.
  

૧૪ એપ્રિલ એટલે બાહોશ અને નીડર વક્તા અને બંધારણનાં ઘડવૈયા ડૉ.આંબેડકર સાહેબનો જન્મદિવસ

૧૪ એપ્રિલ એટલે બાહોશ અને નીડર વક્તા અને બંધારણનાં ઘડવૈયા ડૉ.આંબેડકર સાહેબનો જન્મદિવસ

ડો. બાબા સાહેબ આંબેડકર માત્ર દલીતોના જ નહીં પરંતુ સમાજનાં દરેક વર્ગનાં મસીહા હતા. સંવિધાનનાં શિલ્પી, મુલ્યનિષ્‍ઠ રાજપુરૂષ ઉપરાંત સંનિષ્‍ઠ સમાજ સુધારકે પ્રાંભેલા કાર્યોને પૂર્ણ કરીએ એ જ એમનું યથોચિત સન્માન થયુ ગણાશે

૧૪ એપ્રિલ ૧૧૯૦નાં તત્કાલીન રાષ્‍ટ્રપતિશ્રી વૈંકટરામનનાં કરકમલોથી ડો. આંબેડકરજીનાં ધર્મચારીણી ડો.સવિતાદેવીને રાષ્‍ટ્રનો સર્વોચ્ચ ખિતાબ અર્પણ કરી ડો. બાબા સાહેબનું રાષ્‍ટ્રમાં ઉચિત સન્માન થયુ. ભારતની સંસદમાં ૧૨ એપ્રિલ ૧૯૯૦નાં રોજ બાબા સાહેબનું તૈલ ચીત્ર પણ મુકવામાં આવ્યુ છે. ભારતનાં લોકો આપણાં બાબા સાહેબને બંધારણનાં ઘડવૈયા તરીકે પણ ઓળખે છે. ભારતનાં પદદલીતો એમનાં પોતાનાં મુક્તીદાતા માનીને યાદ કરે છે. વિદ્વાનોની દ્રષ્‍ટીએ ડો. આંબેડકર વિદ્યા પુરૂષ હતા, રાજનિજ્ઞોની દ્રષ્‍ટીએ તેઓ લોકશાહીનાં સાચા પ્રવાહક હતા, ચિંતકોની દ્રષ્‍ટીએ તે સમાજ સુધારક હતા તો ધાર્મિક જનોની દ્રષ્‍ટીએ તેઓ ધર્મ પુરૂષ હતા.

ડો. બાબા સાહેબ બહુરંગી પ્રતિભાનાં સ્‍વામી હતા. કુશળ ધારાશાસ્‍ત્રી, વિદ્વાન અધ્યાપક, સ્‍વતંત્ર વિચારક, મૈાલીક સર્જક, આજીવન સમાજ સુધારક, દ્રષ્‍ટીવાન શિક્ષણશાસ્‍ત્રી, નારી શોષણ મુક્તીનાં લડવૈયા, લડાયક મિજાજનાં વિદ્રોહી પુરૂષ હતા. દરેક લેખકે ગુણનાં સાગરને પોતાની દ્રષ્‍ટીએ અને પોતાનાં માપદંડોથી માપવાનો સમજવાનો પ્રયત્ન કર્યો છે. જેવી જેની દ્રષ્‍ટી તેવુ તેનું દર્શન  લાગ્યુ. આ મહામાનવનાં જીવનનું મુલ્યાંકન દરેકે ભલે પોતાનાં માપદંડથી કર્યુ હોય પણ એક વાત નિશ્વિત છે કે ડો. બાબા સાહેબ આંબેડકર આધુનિક ભારતનાં અને સાંપ્રત સમયનાં મહાપુરુષ હતા. ભારતનો આર્થીક સમાજીક અને ધાર્મિક અને રાજનૈતિક વિચારોનો અને ચળવળોનો ઇતિહાસ જ્યારે પણ લખાશે ત્યારે અનિવાર્યપણે અગ્રતાક્રમે બાબાસાહેબના નામોલ્લેખ  કરવો જ પડશે. કરોડો લોકોનાં જીવનમાં પ્રકાશપુંજ પાથરી દેનાર ભારતનાં મહાનસુપુતે સમયનાં વહેણને બદલી દીધુ હતુ. ડો. બાબાસાહેબ જે યુગે આ ધરા પર અવતર્યા તે યુગ પરીવર્તનનો હતો. ભારત સહિત સમગ્ર વિશ્વમાં પોતાની આઝાદી માટે લડત ચલાવતા હતા. મહારાષ્‍ટ્રનાં કોંકણ વિસ્‍તારમાં લોકમાન્ય તિલક, ગોપાલકૃષ્‍ણ ગોખલે, બેરીસ્‍ટર સાવરકર જેવી મહાન હસ્‍તીઓ જે પ્રદેશે જન્મ ધારણ કરતી હોય તેવા રત્નાગીરી જીલ્લાનાં અમ્બવડે જેવા નાનકડા ગામનાં રહેવાસી દાદા માલોજીરાવ કે જે શકપાલ મહાર જાતીનાં આગેવાન હતા તેમનાં પુત્ર રામજીરાવનાં ૧૪માં સંતાનરત્નરૂપી ભીમરાવે જન્મ ધારણ કર્યો હતો. ફોઇ મીરાબાઇ એ લશ્કરી છાવણીમાં માતા ભીમાબાઇનાં લાડકોડ વચ્ચે ધાર્મિક પરીવારો સાથે ધાર્મિક ભજન કિર્તનનાં સંસ્‍કારનાં વારસા સાથે દાપોલી ગામમાં પ્રાથમિક શિક્ષણ સંપન્ન કર્યુ. ચતુર, બળવાન, અને સ્‍વાભિમાની ભીમરાવનાં અભ્યાસકાળે અશ્પૃશ્યતાનો તિરસ્‍કાર ભારોભાર સહન કર્યો. બાળપણથી જ અન્યાય, બુરાઇનો સામનો કરવાની પ્રકૃતિવાળા ભીમરાવ હમેંશા પોતાને સાચુ લાગે તેમ ડર વિના કહી દેવાની ઈચ્છાશક્તી ધરાવતા હતા. વિદ્યાભ્યાસની તીવ્ર ઝંખનાં સમજણશક્તિ વધતા અભ્યાસ પરત્વે ચિત્ત ખેંચાતા મન-ચિત્ત અભ્યાસમાં પરોવી દીધુ તેજસ્‍વીતા તો હતી. જ, તે સમયની અસ્પૃશ્યતાની અસરકારકતા  ભીમરાવનાં જીવનને સ્‍પર્શવામાં કઇં બાકી રાખ્યુ ના હતુ. આમ છતા ભીમરાવની અભ્યાસ પ્રત્યેની તલપે મક્કમ મનોબળને મહારાજ ગાયકવાડ ત્રીજાએ પચીસ રૂપીયાની છાત્રવૃતી આપીને બી.એ.ની પદવી સુધી પહોંચવા મદદ કરી હતી.ભીમરાવના પિતા મિલિટરીમાં સુબેદારના હોદા પર હતા. લશ્કરની શાળામાં તેઓ હેડ માસ્ટર હતા. નાનપણથી જ બાળક ભીમરાવમાં માતાપિતાના સંસ્કારો ઉતર્યા. જયારે ભીમરાવ ૬ વર્ષની ઉમરના થયા ત્યારે માતા ભીમાબાઈનું અવસાન થયું ભીમરાવ રામજી આંબેડકર કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી હતા. તેઓ બાબાસાહેબ ના હુલામણા નામથી પણ જાણીતા છે. તેઓએ ભારતમાં બૌદ્ધ પુર્નજાગરણ આંદોલનની શરૂઆત કરી. તેઓ ભારતીય બંધારણના ઘડવૈયા અને પ્રથમ કાયદામંત્રી હતા.

ભીમરાવે પ્રાથમિક કેળવણી મુશ્કેલીઓ વચ્ચે પૂરી કરી હતી. પિતાને મુંબઈમાં રહેવાનું થતાં હાઇસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલ્ફીન્સ્ટન હાઇસ્કૂલમાં લીધું અને સને ૧૯૦૭માં મેટ્રીકની પરીક્ષા પસાર કરી.મેટ્રિક પાસ થયા પછી ભીમરાવના લગ્ન રમાબાઈ સાથે થયા. ભીમરાવના કોલેજ શિક્ષણ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશીપની વ્યવથા કરી, અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલ્ફીન્સ્ટન કોલેજમાં દાખલ થયા. ભીમરાવે ઈ.સ. ૧૯૧૨માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સીટીની બી.એ.ની પરીક્ષા પસાર કરી.સ્નાતક થયા પછી ભીમરાવ વધુ અભ્યાસ કરી શકે એવા એમના કુટુંબના સંજોગો રહ્યા ન હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવની નિમણુક રાજ્યના લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે કરી. તા. ૨ ફેબ્રુઆરી ૧૯૧૩ના રોજ પિતા રામજી સક્પાલનું નિધન થતાં ભીમરાવને નોકરીને તિલાંજલિ આપવી પડી. પિતાનું મૃત્યુના કારણે ભિમરાવને ખુબ જ દુ:ખ થયુ. આ સમયે વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ કેટલાક તેજસ્વી વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે, ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલવા માંગતા હતા. ભીમરાવની એ માટે પસંદગી થઈ. આમ સને ૧૯૧૩ના જુલાઈનાં ત્રીજા અઠવાડિયામાં ભારતનો એક ગ્રામીણ બાળક વિદ્યાના ગહન શિખરો શર કરવા ન્યુયોર્ક પહોચી ગયો. અમેરિકાની પ્રખ્યાત કોલમ્બિયા યુનિવર્સિટીમાં ખંતપૂર્વક અભ્યાસ શરુ કર્યો. અભ્યાસના પરિપાક રૂપે 'પ્રાચીન ભારતીય વ્યાપાર' વિષય ઉપર મહાનિબંધ લખી ૧૯૧૫માં કોલમ્બિયા યુનિવર્સીટીની એમ.એ.ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ સતત અભ્યાસ ચાલુ રાખી ૧૯૧૬ માં એમણે પી.એચ.ડી. માટે 'બ્રિટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ' વિષય ઉપરનો મહાનિબંધ કોલમ્બિયા યુનિવર્સીટીને રજુ કરી દીધો, અને સર્વોચ્ચ એવી પી.એચ.ડી.ની ડીગ્રી મેળવવા ભાગ્યશાળી બન્યા. આમ આંબેડકર હવે ડૉ. આંબેડકર બની ગયા.

એક ગરીબ મહાર પરિવારમાં જન્મેલા ભીમરાવ રામજી આંબેડકર શરૂઆતના ગણ્યાગાંઠ્યા દલિત સ્નાતકોમાના એક હતા. તેમને તેમના કાયદાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને રાજનીતિશાસ્ત્રના સંશોધન માટે કોલમ્બિયા યુનિવર્સિટિ અને લંડન સ્કુલ ઑફ ઇકોનોમિક્સ દ્વારા ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. આમ એક વિદ્વાન તરીકે નામના કાઢ્યા પછી તેઓએ થોડા સમય માટે વકીલાત કરી હતી. ત્યારબાદ તેઓએ ભારતના દલિતોના રાજનૈતિક હકો અને સામાજિક સ્વતંત્રતા માટે લડત આદરી હતી. હજુ એમની જ્ઞાન માટેની ભુખ સંતોષાયેલી નહોતી. સને ૧૯૧૬ માં તેઓ અમેરિકાથી ઇંગ્લેન્ડ ગયા. અને લંડનમાં કાયદાનો અભ્યાસ શરુ કર્યો સાથે સાથે એમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ ચાલુ જ રાખ્યો. પરંતુ પ્રતિકુળ સંજોગોને અને આર્થિક તેમજ કૌટુંબિક મુશ્કેલીઓને કારણે વિદ્યાભ્યાસ છોડી તેમને ભારત પાછા ફરવું પડ્યું . ઇંગ્લેન્ડથી પાછા આવ્યા પછી તેઓ વડોદરા નોકરી માટે ગયા. મહારાજા ગાયકવાડે આંબેડકરની નિમણુક વડોદરા રાજ્યના મીલીટરી સેક્રેટરી તરીકે કરી હત

ડૉ.આંબેડકર હિંમત હારી જાય તેવા પોચા નહોતા. તેમના પ્રયત્નોને સફળતા મળી ૧૯૧૮માં, મુંબઈની સિડનહામ કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે જોડાયા. આર્થીક ભીંસ ઓછી થવાથી અને થોડા પૈસા બચાવીને તેમજ કેટલીક રકમની મિત્રો પાસેથી વ્યવસ્થા કરીને ફરીવાર ડૉ.આંબેડકર ઇંગ્લેન્ડ ગયા, અને કાયદાનો તથા અર્થશાસ્ત્રનો અભ્યાસ ચાલુ રાખ્યો. ડૉ.આંબેડકરની ઇંગ્લેન્ડની સફર પહેલા તેમના પત્ની રમાબાઈની કુંખે ઇ.સ.૧૯૨૦માં બાળરત્ન યશવંતનો જન્મ થયો. ૧૯૨૩માં ડૉ.આંબેડકર બેરિસ્ટર થયા. આજ વખતે ડૉ.આંબેડકરને તેમના મહાનિબંધ રૂપિયાનો પ્રશ્ન એ વિષય ઉપર લંડન યુનિવર્સીટી એ ડૉક્ટર ઓફ સાયન્સની ઉચ્ચ ડીગ્રી એનાયત કરી. લંડનમાં અભ્યાસ પૂર્ણ થવાથી ડૉ.આંબેડકર જર્મની ગયા, અને ત્યાં પ્રખ્યાત બોન યુનિવર્સીટીમાં વિદ્યાભ્યાસ શરુ કર્યો. પરંતુ જર્મનીમાં તેઓ લાંબો સમય રહી શક્યા નહિ. તેમને ભારત પાછા ફરવું પડ્યું.

જુન ૧૯૨૮ માં ડૉ.આંબેડકર મુંબઈની ગવર્મેન્ટ લો કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા તેઓ કાયદાના અભ્યાસમાં નિપુણ હતા.તેઓ વિદ્યાર્થીઓમાં ઘણાજ પ્રિય થયા .આ સમયે સાયમન કમિશન ને મદદરૂપ થવા બ્રિટીશ ભારતમાં જુદી જુદી પ્રાંતીય સમિતિઓની રચના કરવામાં આવી.તા.૩ ઓગસ્ટ ૧૯૨૮ માં સરકારે ડૉ.આંબેડકરને મુંબઈની કમિટીમાં નીમ્યા.મુંબઈની ધારાસભામાં અને બહાર જાહેર સભાઓમાં ડૉ.આંબેડકરનો અવાજ ગાજવા લાગ્યો.તા.૨૩ ઓક્ટોબર ૧૯૨૮ મા ડૉ.આંબેડકર સાયમન કમિશન સમક્ષ અછૂતોના પ્રાણ પ્રશ્નો અને તેના નિરાકરણ ઉપર રજૂઆત કરી આજ સમયે તેમણે એક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી.મજુર ચળવળના પણ તેઓ પ્રણેતા બન્યા,અને એમના હક્કો તથા સગવડો બાબતમાં ઘણાજ પ્રયત્નો કર્યા. ડૉ.આંબેડકર નું નામ દેશભરમાં જાણીતું થઇ ગયું હતું.

ભારતના ઇતિહાસમાં અન્ય અગત્યની સાલોની માફક ૧૯૩૦ ની સાલ ઘણી જ અગત્યની છે. ૧૯૩૦ માં સાયમન કમિશન નો રીપોર્ટ બહાર પડ્યો અને બ્રિટીશ સરકાર અને ભારતના રાજકીય નેતાઓની વચ્ચેની લડતની શરૂઆત થઇ પ્રાંતીય સ્વાયત્તા પ્રતિ દેશ આગળ વધે એવા ચિન્હો જણાતા હતા. બ્રિટીશ સરકારે લંડનમાં બધા જ પક્ષોના નેતાઓની એક ગોળમેજી પરિષદ બોલાવી.તા ૬ ડીસેમ્બર ૧૯૩૦ માં ભારતના વાઈસરોય તરફથી ગોળમેજી પરિષદમાં હાજર રહેવા ડૉ.આંબેડકરને આમંત્રણ મળ્યું. આ પરિષદમાં ડૉ.આંબેડકરે ભારતના અનેક પ્રશ્નોની વિશદ(ઉંડાણપુર્વક) અને તલસ્પર્શી રજૂઆત કરી તેમને ખાસ કરીને ગ્રામીણ પછાત અને અશિક્ષીત લોકોનાં  રાજકીય અને સામાજિક હક્કો માટે બ્રિટીશ સરકાર પાસે બાહેધરી માંગી. ડૉ.આંબેડકરની રજુઆતે પરિષદના પ્રતિનિધિઓ ઉપર ઊંડી અસર પડી. ડૉ.આંબેડકર એક બાહોશ અને નીડર વક્તા હોય કડવું પણ સત્ય બોલતા. ડૉ.આંબેડકર ભારત પાછા ફર્યા અને તેમના કાર્યમાં મશગુલ બની ગયા.

બાર કાઉન્સીલની ચુંટણીમાં રાજકોટના દિલીપ પટેલ પ્રથમ ક્રમે વિજેતા જાહેર

બાર કાઉન્સીલની ચુંટણીમાં રાજકોટના દિલીપ પટેલ પ્રથમ ક્રમે વિજેતા જાહેર
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચુંટણીમાં ત્રીજી વખત દિલીપભાઇની જીત: સતત બીજી ટર્મમાં પ્રથમ ક્રમે વિજેતા બન્યા
રાજકોટ,તા.૯
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની પ્રતિષ્ઠાભરી ચુંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ શનિવારથી મતગણતરીનો પ્રારંભ થયો હતો અને આજરોજ પ્રથમ પરિણામ જાહેર થયું છે. જેમાં પ્રથમ ક્રમે રાજકોટના દિલીપભાઈ પટેલ વિજેતા જાહેર થયા છે. દિલીપભાઈ પટેલ સતત બીજી ટર્મમાં પ્રથમ ક્રમે વિજેતા જાહેર થતા તેમના સમર્થકો તથા રાજકોટના વકિલોમાં ખુશીની લહેર જોવા મળી છે. 
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ૨૫ સભ્યો માટેની ચુંટણીનું ગત તા.૨૮ માર્ચના રોજ મતદાન થયું હતું. ચુંટણીમાં ૯૯ ઉમેદવારોએ પોતાનું ભાવી અજમાવ્યું છે. જેમાં રાજકોટના પાંચ ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. તા.૨૮ના ચુંટણી યોજાયા બાદ ગત શનિવારથી મતગણતરીનો પ્રારંભ થયો હતો. એકડા બગડાની આ અટપટી ચુંટણીમાં અંદાજીત ૧૦ થી ૧૨ દિવસ મતગણતરી પ્રક્રિયામાં થતા હોય છે ત્યારે આજરોજ સમીસાંજના બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચુંટણીમાં પ્રથમ પરિણામ જાહેર થયું છે.જેમાં રાજકોટના એડવોકેટ દિલીપભાઈ પટેલનો ભવ્ય વિજય થયો હતો. 
એડવોકેટ દિલીપભાઈ પટેલ સતત ત્રીજી વખત બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના સભ્યપદ પર ચુંટાઈ આવ્યા છે. તેઓ વર્ષ ૨૦૦૬માં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચુંટણીમાં સાતમાં ક્રમે ચુંટાયા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૧૨માં તેઓ પ્રથમ ક્રમે ચુંટાયા હતા અને હવે વર્ષ ૨૦૧૮માં પણ સતત બીજી વખત તેઓ પ્રથમ ક્રમે ચુંટાયા છે. 
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચુંટણીમાં રાજકોટમાંથી પાંચ તથા સૌરાષ્ટ્રમાંથી ૧૦ ઉમેદવારો ચુંટણી લડી રહ્યા છે. જેમાં રાજકોટના પાંચ ઉમેદવારો પૈકી દિલીપભાઈ પટેલનો પ્રથમ ક્રમે ભવ્ય વિજય થતા રાજકોટના વકિલો ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. રાજકોટમાં આ ઉપરાંત એડવોકેટ જીજ્ઞેશ જોષી, સિદ્ધરાજસિંહ જાડેજા, રાજેશ વોરા તથા જયંત પંડયાએ ઉમેદવારી નોંધાવી છે. આગામી દિવસોમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા એક બાદ એક પરીણામ જાહેર કરવામાં આવશે. ત્યારે રાજકોટના અન્ય ઉમેદવારોને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના મોભેદાર સભ્યપદમાં સ્થાન મળે છે કે કેમ ? તેના પર રાજકોટના તથા સૌરાષ્ટ્રના વકીલો મીટ માંડીને બેઠા છે. 

સૌરાષ્ટ્રના શિક્ષણમાં જગતમાં કિડ્સ ગ્રેજ્યુએશન ડે સેલિબ્રેશન નવતર પ્રયાસ સંપન્ન

સૌરાષ્ટ્રના શિક્ષણમાં જગતમાં કિડ્સ ગ્રેજ્યુએશન
ડે સેલિબ્રેશન નવતર પ્રયાસ સંપન્ન

યુનિવર્સીટીઓની ફેકલ્ટીઓમાં ગ્રેજ્યુએટ થતા વયસ્થ વિદ્યાર્થીઓને દીક્ષાંત સમારોહમાં ગ્રેજ્યુએટની ડિગ્રીઓ રાજ્યપાલના
નામે ભવ્ય સમારોહમાં એનાયત કરવામાં આવે જયારે સૌરાષ્ટ્રની નામાંકીત સીબીએસસી અફીલીયેડ ધવલ ઇન્ટરનેશનલ સ્કૂલ જેતપુરમાં
ઉપસ્ક્ષિત પેરેન્ટસ  અને પ્રિન્સીપાલશ્રીઓની હાજરીમાં કિન્ડરગાર્ટન એટલે કે કેજીમાં અભ્યાસ કરતાં ચારથી પાંચ વર્ષના ભૂલકાઓને
ગ્રેજ્યુએસન ડે સેલિબ્રેશનમાં પદવીદાન આપવામાં આવી.

આ સમારોહમાં વયસ્થ વિદ્યાર્થીઓને સેલિબ્રેશન જેવો માહોલ ધવલ ઇન્ટરનેશનલ સ્કુલના કેમ્પસમાં "ટીની ટોટસ"ને ગાઉન અને કેપમાં સજ્જ થયેલા ભૂલકાઓને હાયર કેજીની ડિગ્રીઓને એનાયત કરવામાં આવી. આ પ્રસંગે ભારતીય સેનના નિવૃત મેજર સુમેરસિંહ બુગલીયાએ આ બાળકોને પદવી એનાયત કરતા જણાવેલ કે વીસ વર્ષ પછી ભારતનું ભવિષ્ય જેના હાથમાં છે, તેવા ભાવિ નાગરિકોએ ડિસીપ્લીનના અને વતનપરસ્થના પાઠની સાથે પર્સનલ ડેવેલોમેન્ટનું ધડતર કરવું પડશે. આ
નવતર પ્રયોગ સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત આયોજન કરવાનો શ્રેય ધવલ ઇન્ટરનેશનલ સ્કુલના કેમ્પસના પ્રિ.પ્રાઈમારી પ્રિન્સીપાલ કુમારી અનિતા મેડમ અને તેમની
ટીમને આપી સીઈઓ હિતેશ પટેલએ પ્રિન્સીપાલશ્રીઓને અભિનંદન પાઠવ્યા. સંસ્થાના "ટીની ટોટસ"  અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત
પેરેન્સ વિદ્યાર્થીઓ સાથે કુમારી ખિયાના ભુવાના હસ્તે અધતન અમ્યુઝમેન્ટ પાર્ક ખુલ્લુમાં આવેલ તે બદલ સંસ્થાના મેનેજીંગ ડીરેક્ટર દિનેશભાઈ ભુવાએ ધવલ ઇન્ટરનેશનલ સ્કુલના આ   "ફન વિથ લર્ન"  કન્સેપ્ટને ઉજાગર કરેલ હતો.




રાજકોટમાં ડબલ મર્ડર..

રાજકોટ ધીંગાણામાં ઇજાગ્રસ્ત વેજા ખીમાં ભરવાડનું પણ મોત
ઘટના ડબલ મર્ડરમાં ફેરવાઈ
3 આરોપીઓ કાર સાથે ગિરફ્તાર
ભરવાડ સમાજમાં શોક સાથે રોષ