રાજકોટ શહેરની શાળા નં.૬૫નું સર્વગ્રાહી મૂલ્યાંકન કરતા મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય
શાળામાં અભ્યાસ કરતા બાળકોની વાંચન, ગણન અને લેખનની ક્ષમતા ચકાસી
રાજ્યની પ્રાથમિક શાળાનું મૂલ્યાંકન કરી શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તન લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાન ગુણોત્સવની આઠમી શ્રૃખંલા અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાયે શહેરમાં શ્રમજીવી સોસાયટી સ્થિત પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નં. ૬૫નું સર્વગ્રાહી મૂલ્યાંકન કર્યું હતું. મેયર ડો. ઉપાધ્યાય ઉક્ત શાળામાં પહોંચી ગયા હતા અને પ્રથમ બાળકો સાથે સંવાદ સાધ્યો હતો.
તેમણે જણાવ્યું કે પ્રવર્તમાન સમયના અગ્રગણ્ય અધિકારીઓ, પદાધિકારીઓ, તબીબો, વકીલો સહિતની વ્યક્તિ સરકારી પ્રાથમિક શાળામાં જ અભ્યાસ કરીને આગળ આવી છે. તેઓના ઘડતરમાં પ્રાથમિક શાળાઓની ભૂમિકા મહત્વની છે. ત્યારે, રાજ્ય સરકાર પણ સરકારી પ્રાથમિક શાળાઓ માટે કરોડો રૂપિયા ફાળવે અને તેમાં ગુણાત્મક પરિવર્તન આવે તે માટે સતત પ્રયત્નશીલ છે. વિશેષમાં મેયરશ્રીએ જણાવ્યું કે પાયાથી જ શિક્ષણ મજબુત થાય તે ખુબજ જરૂરી છે. અને આ માટે ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી અને હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શાળા પ્રવેશોત્સવ, બેટી બચાઓ બેટી પઢાઓ તેમજ ગુણોત્સવ જેવા કાર્યક્રમો આપી શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ લાવેલ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ શિક્ષણને મજબુત કરવા તેમજ ગરીબ વર્ગના વિદ્યાર્થી પણ ઉચ્ચ અભ્યાસ કરી શકે તેવા પગલાઓ લઈ રહેલ છે. આ અવસરે વિદ્યાર્થીઓને અત્યારથીજ અભ્યાસમાં ધ્યાન આપવા અને શિક્ષકોએ આ પાયાનું શિક્ષણ વધુ મજબુત બને અને ગુરૂની ભૂમિકા નિષ્ઠાપૂર્વક ભજવે તે જરૂરી છે. મેયર શ્રીએ વધુમાં કહ્યું બાળકો કોઇ પણ પ્રકારના ખોટા વ્યસન ન કરે તે જરૂરી છે. કોઇ ખોટી સોબતમાં વ્યસન ના લાગી જાય તે બાબતની તકેદારી રાખવા તેમણે બાળકોને ટકોર કરી હતી. તેમણે બાળકો પાસે પાઠ વાંચન કરાવ્યું હતું. ગણિતના દાખલા ગણાવ્યા હતા અને લેખન પણ કરાવ્યું હતું.
બાળકોને મુખપાઠ ઉપરાંત રાજકોટ શહેરને લગતા સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછ્યા હતા. જે બાળકોએ ઉત્સાહપૂર્વક જવાબ આપ્યા હતા. બાળકોની ક્ષમતા અંગે મેયરશ્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો. શાળા નંબર ૬૫માં ૯૧ છાત્રો અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે, મેયરશ્રીએ શિક્ષકોને સૂચન કર્યું હતું કે શાળામાં પ્રવેશપાત્ર બાળકોના વાલીઓનો સંપર્ક કરી, કોઇ બાળક શાળામાં પ્રવેશથી વંચિત ન રહે તેવું આયોજન કરવું જોઇએ. આ વેળાએ શાળાના આચાર્યશ્રી, સીઆરસી શ્રી હિમંતભાઇ ઉપસ્થિત રહ્યા હતા.
શાળામાં અભ્યાસ કરતા બાળકોની વાંચન, ગણન અને લેખનની ક્ષમતા ચકાસી
રાજ્યની પ્રાથમિક શાળાનું મૂલ્યાંકન કરી શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તન લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાન ગુણોત્સવની આઠમી શ્રૃખંલા અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાયે શહેરમાં શ્રમજીવી સોસાયટી સ્થિત પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નં. ૬૫નું સર્વગ્રાહી મૂલ્યાંકન કર્યું હતું. મેયર ડો. ઉપાધ્યાય ઉક્ત શાળામાં પહોંચી ગયા હતા અને પ્રથમ બાળકો સાથે સંવાદ સાધ્યો હતો.
તેમણે જણાવ્યું કે પ્રવર્તમાન સમયના અગ્રગણ્ય અધિકારીઓ, પદાધિકારીઓ, તબીબો, વકીલો સહિતની વ્યક્તિ સરકારી પ્રાથમિક શાળામાં જ અભ્યાસ કરીને આગળ આવી છે. તેઓના ઘડતરમાં પ્રાથમિક શાળાઓની ભૂમિકા મહત્વની છે. ત્યારે, રાજ્ય સરકાર પણ સરકારી પ્રાથમિક શાળાઓ માટે કરોડો રૂપિયા ફાળવે અને તેમાં ગુણાત્મક પરિવર્તન આવે તે માટે સતત પ્રયત્નશીલ છે. વિશેષમાં મેયરશ્રીએ જણાવ્યું કે પાયાથી જ શિક્ષણ મજબુત થાય તે ખુબજ જરૂરી છે. અને આ માટે ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી અને હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શાળા પ્રવેશોત્સવ, બેટી બચાઓ બેટી પઢાઓ તેમજ ગુણોત્સવ જેવા કાર્યક્રમો આપી શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ લાવેલ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ શિક્ષણને મજબુત કરવા તેમજ ગરીબ વર્ગના વિદ્યાર્થી પણ ઉચ્ચ અભ્યાસ કરી શકે તેવા પગલાઓ લઈ રહેલ છે. આ અવસરે વિદ્યાર્થીઓને અત્યારથીજ અભ્યાસમાં ધ્યાન આપવા અને શિક્ષકોએ આ પાયાનું શિક્ષણ વધુ મજબુત બને અને ગુરૂની ભૂમિકા નિષ્ઠાપૂર્વક ભજવે તે જરૂરી છે. મેયર શ્રીએ વધુમાં કહ્યું બાળકો કોઇ પણ પ્રકારના ખોટા વ્યસન ન કરે તે જરૂરી છે. કોઇ ખોટી સોબતમાં વ્યસન ના લાગી જાય તે બાબતની તકેદારી રાખવા તેમણે બાળકોને ટકોર કરી હતી. તેમણે બાળકો પાસે પાઠ વાંચન કરાવ્યું હતું. ગણિતના દાખલા ગણાવ્યા હતા અને લેખન પણ કરાવ્યું હતું.
બાળકોને મુખપાઠ ઉપરાંત રાજકોટ શહેરને લગતા સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછ્યા હતા. જે બાળકોએ ઉત્સાહપૂર્વક જવાબ આપ્યા હતા. બાળકોની ક્ષમતા અંગે મેયરશ્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો. શાળા નંબર ૬૫માં ૯૧ છાત્રો અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે, મેયરશ્રીએ શિક્ષકોને સૂચન કર્યું હતું કે શાળામાં પ્રવેશપાત્ર બાળકોના વાલીઓનો સંપર્ક કરી, કોઇ બાળક શાળામાં પ્રવેશથી વંચિત ન રહે તેવું આયોજન કરવું જોઇએ. આ વેળાએ શાળાના આચાર્યશ્રી, સીઆરસી શ્રી હિમંતભાઇ ઉપસ્થિત રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો