જેતપુર પંથકની 2 મહિલાઓએ ઘઉંના ઝેરી
ટીકડા ખાધા, 1 નું મોત, 1 સારવાર હેઠળ
જેતપુર તા.4
જેતપુર તાલુકના સ્ટેશન વાવડી અને દેદરવા એમ બે ગામોની મહિલાઓએ ઘઉંમાં ભેળવવાની ઝેરી ટીકડીઓ ખાઈ લેતા વાવડીની મહિલાનું મોત થયું છે, જયારે દેદરવાના વૃધ્ધા સારવાર હેઠળ હોવાનું પોલીસ જણાવે છે.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના સ્ટેશન વાવડી ગામની 30 વર્ષીય પટેલ મહિલા નીતાબેન મુકેશભાઈ એ કોઈ અકળ કારણોસર ઘઉંમાં નાખવાની ઝેરી ટીકડીઓ ખાઈ લેતા સારવાર માટે શહેરના ખાનગી દવાખાને ખસેડાયેલ, પણ તબીબો નીતાબેનને બચાવી શક્યા નહોતા, પોલીસના જણાવ્યા અનુસાર નીતાબેનનો લગ્નગાળો 8 વર્ષનો છે, તેમજ બે સંતાનો છે. પોલીસે ધોરણસરની વિધિ હાથ ધરી છે.
જ્યારે દેદરવા ગામના મંજુલાબેન પુનાભાઈ નામના 60 વર્ષીય કોળી વૃધ્ધાએ પણ અગમ્યો કારણોસર ઘઉંમાં ભેળવવાની ઝેરી ટીકડીઓ ખાઈ લેતા સારવાર માટે ખાનગી દવાખાને ખસેડેલ છે.
કશ્યપ જોશી જેતપુર 9974262812
