અનુયાયીઓ

ગુરુવાર, 13 ઑગસ્ટ, 2015

અવસાન નોંધ :

અવસાન નોંધ :                                                      13-8-2015
જેતપુર : ખજૂરીગુંદાળા નિવાસી હાલારી વાણંદ સ્વ.પરસોત્તમભાઈ ભાણજીભાઈ ભટ્ટીના પત્ની સાકરબેન(ઉ.વ.90) તે અમૃતભાઈ, જીવનભાઈના માતા, સાગર, પંકજ, હેતલબેન, ધીરુભાઈ, નટુભાઈ અને રસિકભાઈના મોટાબા તા.13 ના રોજ અવસાન પામેલ છે.
                          કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812
 

જેતપુરમાં સમસ્ત બ્રહ્મ સમાજના સમૂહ લગ્ન-યજ્ઞોપવિતનું આયોજન

જેતપુરમાં સમસ્ત બ્રહ્મ સમાજના સમૂહ લગ્ન-યજ્ઞોપવિતનું આયોજન 
જેતપુર તા.13
આગામી 16 મી ડીસેમ્બર-2015 ના રોજ જેતપુર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજના સમૂહ લગ્ન અને સમૂહ યાગ્નોપવિતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બંને કાર્યક્રમોમાં જોડવા ઈચ્છતા બ્રહ્મ સમાજના વાલીઓએ તા.6-11-15 સુધીમાં લગ્ન ફોર્મ ભરીને વિજય ઝેરોક્ષ(તીનબત્તી ચોક), જૂની નવજીવન હોટેલ(સ્ટેન્ડચોક) તથા સુભાષ જોશી(જય માતાજી-નવાગઢ) પહોચતા કરવા અને વધુ માહિતી માટે પ્રોજેક્ટ ચેરમેન પ્રવીણભાઈ વ્યાસ(9879683835), બ્રહ્મ સમાજ પ્રમુખ જેન્તીભાઈ જોશી, મંત્રી હિતેશ રાવલ, ઉપેન્દ્ર વ્યાસ, મહિલા મંડળના પ્રમુખ નીતાબેન મહેતા, યુવા બ્રહ્મ સમાજના પ્રમુખ અલ્પેશ વ્યાસ વિગેરેનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

જેતપુરની એ કેનાલ નજીકના ખુલ્લા 
ફાટક ઉપર નાનો પુલ બનાવવા માંગ
જેતપુર તા.13
જેતપુર શહેરમાં ધોરાજી રોડ પર મુખ્ય માર્ગને સેન્ટફ્રાન્સીસ સ્કુલ તરફ નેશનલ હાઈવે નજીકની કેનાલ રોડ પર એક રેલ્વેનું ખુલ્લું ફાટક આવેલું છે. આ રેલ્વે ફાટક ઉપર નાનો  પુલ બનાવાય તો કેનાલની બંને બાજુની માનવ વસાહત અને સ્કુલમાં આવતા જતા વિદ્યાર્થી બાળકોની સલામતી જોખમમાં મુકાતી અટકે તેમ હોવાનું અમિત ભીમની અને રાજુભાઈ વાળા સહિતના જાગૃત નાગરિકોએ માર્ગ અને મકાન તંત્ર ઉપરાંત સ્થાનિક મામલતદારને આવેદન આપી લેખિત રજુઆતો કરાઈ હતી તે તસ્વીરમાં દેખાય છે.( ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી 99742 62812)

જેતપુરમાં આજે આરએસએસ દ્વારા સર્વેક્ષણ-વ્યાખ્યાનનું આયોજન
જેતપુર તા.13
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ જેતપુર દ્વારા આજે અખંડ ભારત સ્મૃતિ દિન નિમિત્તે  તા.14.8. ના રોજ રાત્રીના 9-30 કલાકે લોહાણા મહાજન વાડી ખાતે સર્વેક્ષણ અને અખંડ ભારતની સ્મૃતિ જન માનસપટ પર તાજી કરવાના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિવૃત આર્મી ઓફિસર કેપ્ટન જયદેવભાઈ જોશી ખાસ હાજર રહી પોતાના ભક્તિના વિચારો રજુ કરનાર હોય શહેરીજનો ઉપરાંત વિદ્યાર્થી ભાઈ બહેનોએ હાજર રહેવા આરઆરએસના દીપક ત્રિવેદીએ અનુરોધ કર્યો છે. 

જેતપુરના સેવાભાવીએ જન્મદિન નિમિતે 
આફ્રિકા ખાતે અનાથ આશ્રમને કરી મદદ 
જેતપુર તા.13
તાજેતરમાં જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને સેવાભાવી રવિ આંબલિયાએ  પોતાના જન્મદિન નિમિત્તે જેતપુરમાં રક્તદાન અને સરકારી હોસ્પીટલમાં ફ્રુટ વિતરણ કરેલ તેમજ આફ્રિકાના એક અનાથ આશ્રમને ભોજનનો સરસામાન પહોચાડી અદકેરી સેવા કરી હતી. પ્રસ્તુત તસવીરોમાં આફ્રિકાના જરૂરીયાતમંદોને સહાય કરતા રવિભાઈના સમર્થકો દેખાય છે.
( ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી 99742 62812)


કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812


 

: દ્વારકા ખાતે જિલ્લા કક્ષાના સ્વાંતત્ર્ય પર્વની ઉજવણીમાં શ્રી જયેશ રાદડીયાના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે.

દ્વારકા ખાતે જિલ્લા કક્ષાના સ્વાંતત્ર્ય પર્વની ઉજવણીમાં

શ્રી જયેશ રાદડીયાના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે.

 

૬૯માં સ્વાતંત્ર્ય દિનની રાજયકક્ષાની ઉજવણી પૂર્વે વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે મહિસાગર જિલ્લાના ખાનાપુર તાલુકાના અંદાજે રૂા. ૮૩ લાખના કુલ- ૧૪ કામોનું રાજયકક્ષાના પાણી પૂરવઠા અને પ્રવાસન મંત્રી શ્રી જયેશ રાદડીયાના હસ્તે ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વધુમાં દ્વારકા જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર દિનની  ઉજવણીનો કાર્યક્રમ પી.ડબલ્યુ.ડી. ગ્રાઉન્ડ, સરકીટ હાઉસ પાછળ, દ્વારકા ખાતે  ૧૫મી ઓગષ્ટ-૨૦૧૫, શનિવારના રોજ સવારે ૦૯.૦૦ કલાકે યોજાનાર છે. જેમાં માનનીય રાજયકક્ષાના મંત્રીશ્રી - પ્રવાસન અને પાણી પૂરવઠા, શ્રી જયેશ રાદડીયાના વરદ્હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ તેમજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજીત વિવિધ સાંસ્કૃત્તિકઅકાર્યક્રમોમાં માનનીય રાજયકક્ષાના મંત્રીશ્રી - પ્રવાસન અને પાણી પૂરવઠા ઉપસ્થિત રહેશે.

કશ્યપ જે. જોશી જેતલસર (જેતપુર) 9974262812



This is find it