દ્વારકા ખાતે જિલ્લા કક્ષાના સ્વાંતત્ર્ય પર્વની ઉજવણીમાં
શ્રી જયેશ રાદડીયાના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે.
૬૯માં સ્વાતંત્ર્ય દિનની રાજયકક્ષાની ઉજવણી પૂર્વે વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે મહિસાગર જિલ્લાના ખાનાપુર તાલુકાના અંદાજે રૂા. ૮૩ લાખના કુલ- ૧૪ કામોનું રાજયકક્ષાના પાણી પૂરવઠા અને પ્રવાસન મંત્રી શ્રી જયેશ રાદડીયાના હસ્તે ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વધુમાં દ્વારકા જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર દિનની ઉજવણીનો કાર્યક્રમ પી.ડબલ્યુ.ડી. ગ્રાઉન્ડ, સરકીટ હાઉસ પાછળ, દ્વારકા ખાતે ૧૫મી ઓગષ્ટ-૨૦૧૫, શનિવારના રોજ સવારે ૦૯.૦૦ કલાકે યોજાનાર છે. જેમાં માનનીય રાજયકક્ષાના મંત્રીશ્રી - પ્રવાસન અને પાણી પૂરવઠા, શ્રી જયેશ રાદડીયાના વરદ્હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ તેમજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજીત વિવિધ સાંસ્કૃત્તિકઅકાર્યક્રમોમાં માનનીય રાજયકક્ષાના મંત્રીશ્રી - પ્રવાસન અને પાણી પૂરવઠા ઉપસ્થિત રહેશે.
કશ્યપ જે. જોશી જેતલસર (જેતપુર) 9974262812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો