અનુયાયીઓ

શનિવાર, 22 ડિસેમ્બર, 2018

જેતપુર બાર એશો.ના પ્રમુખ પદે પ્રકાશભાઈ પારધી ચૂંટાયા



જેતપુર બાર એશો.ની ગઈકાલે વર્ષ ૨૦૧૯ માટેના હોદેદારોની યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ તરીકે પ્રકાશભાઈ પારઘી(નોટરી) ચૂંટાઈ આવ્યા હતા. તેઓ પાંચમી વખત જેતપુર બાર એશો.ના પ્રમુખ તરીકે વિજેતા થયા હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર બાર એશો.ની ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી. જેમાં સેક્રેટરી તરીકે અગાઉ હરેશભાઈ વાઘેલા અને વાઈસ સેક્રેટરી તરીકે જયેશભાઈ ગોહેલ બિનહરીફ થતા આજે પ્રમુખ અને ઉપ પ્રમુખ પદોની જ ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી કમિશ્નર તરીકે ઉમેદસિંહ ગોહિલની સેવા વચ્ચે પ્રમુખ અને ઉપપ્રમુખની દાવેદારી ૪ વકિલમિત્રોએ નોંધાવી હતી.



જેમાં પ્રમુખ તરીકેની દાવેદારીમાં પ્રકાશભાઈ પારધી અને ગોવિંદભાઈ ડોબરીયાએ  તેમજ ઉપપ્રમુખ માટે દિનેશભાઈ વાઘેલા અને મુકેશભાઈ મેરે ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણીમાં મતદાન થયા બાદ ગણતરી કરાતા પ્રમુખ તરીકે પ્રકાશભાઈ પારધી અને ઉપપ્રમુખ તરીકે દિનેશભાઈ વાઘેલા વિજેતા જાહેર કરાયા હતા. અત્રે એ નોંધનીય છે કે, પ્રકાશભાઈ હાલ એડવોકેટ અને નોટરી એમ બંને પ્રકારે સેવા આપી રહ્યા છે. તેઓ અગાઉ પણ જેતપુર બાર એશોશીયેશન ના પ્રમુખ તરીકે ચાર વાર ચૂંટાયા હતા. ગઈકાલે તેમને ૫ મી વાર બાર એશો.નું શુકાન સંભાળતા તેઓને હિતેચ્છુઓ, મિત્રોએ તેમજ બાર એશો.ના અન્ય હોદેદારોએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા.
રાજકોટમાં વજનદાર દફ્તર બાબતે  11 શાળાઓમાં  તપાસ
વેબસાઈટ-નોટિસ બોર્ડ પર ફી ન દર્શાવનાર સ્કૂલોમાં તપાસ ક્યારે ?

 રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શહેરમાં દફ્તરનો ભાર ચેક કરવા મુદ્દે 11 સ્કૂલમાં તપાસ કરાઈ હતી. આ તપાસમાં દરેક સ્કૂલમાં દફ્તરનો ભાર કે અન્ય પ્રકાશનો મામલે ઓલ ક્લિઅરનું સર્ટિફિકેટ ડીઈઓ તરફથી આપવામાં આવ્યું હતું. શાળાઓમાં તપાસ શરૂ કરાઈ છે ત્યારે વેબસાઈટ અથવા નોટિસ બોર્ડ પર ફી દર્શાવવા મામલે પણ ઈન્સ્પેક્શન કરવું જોઈએ તેવી માંગ વાલીઓમાંથી ઉઠી રહી છે.

ભણતર અને તેની સાથે દફતરનો ભાર હળવો કરવા શિક્ષણ મંત્રાલય દ્વારા તાજેતરમાં પરિપત્ર બહાર પડાયો હતો. જે પ્રમાણે દરેક શાળામાં વિદ્યાર્થીના વજન કરતા દફતરનું વજન દસ ટકાથી વધવું ન જોઈએ. તેમજ શિક્ષણ બોર્ડ દ્વારા મંજુર કરાયા સિવાયના અન્ય પ્રકાશનોને દફ્તરમાં સ્થાન મળવું ન જોઈએ. આ મુદ્દે સરકારી સૂચના બાદ રાજકોટ ડીઈઓ કચેરી દ્વારા શહેરમાં આઈપી મિશન, નેસ્ટ પ્રાઈમરી, શારદા વિદ્યાલય, લાલબહાદુર શાસ્ત્રી, પી બી કોટક મેમોરીયલ, પી વી મોદી, એચ કે પાઠક, ગૌતમ વિદ્યાલય, ઉત્કર્ષ વિદ્યાલય, ક્રિષ્ના હાયર સેકન્ડરી વગેરે સ્કૂલોમાં એજ્યુકેશન ઈન્સ્પેક્ટરોને દોડાવી તપાસ કરાઈ હતી.
આ અંગે ડીઈઓ સગારકાએ જણાવ્યું હતું કે શૈક્ષણિક કાર્ય ચાલુ હતું ત્યારે તપાસ કરાઈ હતી અને શૈક્ષણિક કાર્યના અંતે જે-તે શાળામાં ચોપડા મુકીને જ છાત્રો જતા હોવાનું પ્રમાણ મળતા શાળાઓ સામે કોઈ પગલા લેવાયા ન હતા.
આગામી દિવસોમાં એફઆરસીએ મંજુર કરેલી ફી શાળાઓએ વેબસાઈટ કે નોટિસ બોર્ડ પર મુકી છે કે કેમ તે બાબતે પણ ઈન્સ્પેક્શન કરવામાં આવશે. જેમાં કસૂરવાન શાળાઓ સામે દંડનીય કાર્યવાહી કરવાની તેમણે અગમચેતી આપી હતી.
‘ડસ્ટબીન’ ન રાખનારા 152 વેપારીને 500-500નો દંડ
મનપાની સેલીડ વેસ્ટ શાખા દ્વારા કુલ રૂ.70,000ની દંડ વસૂલાત : મફત અપાઈ 117 કચરાટોપલી
રાજકોટ તા.21 : મનપા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશના ભાગરૂપે કચરાટોપલી ન રાખનારા 152 વેપારીઓને આજરોજ રૂ.500-500નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ ઝુંબેશ શરૂ કરાઈ છે જેમાં ઘરે-ઘરે કચરો ઉપાડવાની સાથોસાથ સૂકો અને ભીનો કચરો અલગ-અલગ રાખવા માટે લીલી અને વાદળી ડસ્ટબીન રાખવાનો નિયમ ફરજિયાત બનાવવામાં આવ્યો છે ત્યારે શહેરમાં આવેલા 72,000થી વધુ દૂકાનોમાં કચરા ટોપલી ફરજિયાત રાખવા અન્યથા રૂ.500નો દંડ ફટકારવા તાજેતરમાં મનપાએ આદેશ કર્યો છે. દરમિયાન આજરોજ ત્રણેય ઝોનમાં પર્યાવરણ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાતા 152 વેપારીઓને ‘ડસ્ટબીન’ ન રાખવા સબબ કુલ રૂ.71,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.

કમિશનર બંછાનીધિ પાનીના જણાવ્યાનુસાર આજરોજ સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.2માં 8 વેપારીઓને 3602 રૂ.નો દંડ ફટકારવામાં આવ્યો છે, વોર્ડ નં.3માં 12 વેપારીઓને રૂ.4653, વોર્ડ નં.7માં 10 વેપારીઓને રૂ.5170, વોર્ડ નં.13માં 13 વેપારીઓને 6520, વોર્ડ નં.14માં 11 વેપારીઓને 2850, વોર્ડ નં.17માં 6 વેપારીઓને 3102નો દંડ ફટકારવામાં આવ્યો છે. કુલ 38 વેપારીઓને કચરા ટોપલી આપવામાં આવી છે. વેસ્ટઝોનમાં વોર્ડ નં.1માં 3 વેપારીઓને રૂ.1551, વોર્ડ ન.8માં 27 વેપારીઓને રૂ.11,088, વોર્ડ નં.9માં બે વેપારીઓને 1017, વોર્ડ નં.10માં 12 વેપારીઓને રૂ.6204, વોર્ડ નં.11માં 8 વેપારીઓને 4136, વોર્ડ નં.12માં 8 વેપારીઓને 4136નો દંડ કરાયો છે અને કુલ 47 વેપારીઓને કચરાટોપલી આપવામાં આવી છે.

જૂના રાજકોટમાં વોર્ડ નં.4માં 10 આસામીને 5170, વોર્ડ નં.5માં 8 આસામીને રૂ.4136, વોર્ડ નં.6માં 4 વેપારીને 2271, વોર્ડ નં.2માં બે વેપારીઓને 1034, વોર્ડ નં.6માં 6 વેપારીઓને 3102, વોર્ડ નં. 16માં બે વેપારીઓને 1034નો દંડ ફટકારવામાં આવ્યોછે અને કુલ 32 વેપારીઓને ડસ્ટબીન આપવામાં આવી છે.

સમગ્ર દેશનાં હિંદુ સમાજને જાગૃત કરવા અયોધ્યા બનશે એપી સેન્ટર - રામજન્મભુમિમાં જ રામ મંદિર નિર્માણ:રાજકોટમાં ધર્મસભામાં બુલંદ સુર

સમગ્ર દેશનાં હિંદુ સમાજને જાગૃત કરવા અયોધ્યા બનશે એપી સેન્ટર
- રામજન્મભુમિમાં જ રામ મંદિર નિર્માણ:રાજકોટમાં ધર્મસભામાં બુલંદ સુર

- આરએસએસના વડા ડો. મોહન ભાગવત, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ સહિત દેશની પ્રાચીન ધર્મપીઠોના ધર્માધ્યક્ષોની ઉપસ્થિતિમાં ગહન મનોમંથન
ભગવાન શ્રી રામએ સૈકાઓથી સમગ્ર હિંદુ સમાજના આરાધ્ય દેવ તરીકે પુજાતા રહ્યાં છે. અયોધ્યામાં રામ મંદિરનાં નિર્માણ માટે કાયદાકિય પ્રક્રિયાઓ સુપ્રિમ કોર્ટમાં ચાલી રહી છે. પરંતુ તેમ છતાં રામ મંદિર નિર્માણનું કાર્ય આગળ વધી શક્યું નથી. તેથી આગામી દિવસોમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામનાં ઐતિહાસિક મંદિર નિર્માણ માટે હિંદુ સમાજને જાગૃત કરવાની અનિવાર્યતા ઉપર અહી રાજકોટ ખાતે આયોજિત હિન્દુ આચાર્યસભામાં દેશભરના સાધુ સંતો અને અગ્રણીઓએ ભારમુકી ભારતીય સંસ્કૃતિના જતન માટે મંદિર નિર્માણની કાર્યવાહી માટે આગળ વધવાનો સંકલ્પ જાહેર કર્યો હતો.


રાજકોટમાં આર્ષ વિદ્યામંદિર ખાતે ગઈકાલથી સમગ્ર દેશનાં ૧૦૦ વર્ષથી પ્રાચીન એવી ધર્મપીઠોના આચાર્ય, મહંત અને ધર્માધ્યક્ષોની ઉપસ્થિતિમાં વિરાટ હિન્દુ સભા યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડો. મોહન ભાગવત ઉપરાંત આજે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ, વરીષ્ઠ નેતા ડો. સુબ્રમણ્યમ સ્વામી સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રામ મંદિર નિર્માણ સામે હિન્દુત્વના જાગરણના મુદ્દે મનોમંથન ચાલતુ રહ્યું હતું.

બે દિવસની વિરાટ ધર્મ સભાના નવનીતરૂપ જે ફલશ્રુતિરૂપ તારણો નીકળ્યા હતા તે અંગે યજમાન સુત્રોએ જણાવ્યું હતું કે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર બને તે માટે દેશના જુદા જુદા વિભાગના ધર્મસ્થાનકોમાંથી આવેલા ધર્માધ્યક્ષોએ સંમતિ દર્શાવી હિન્દુ સમાજને આ કામમાં જાગૃત કરવાની જરૂર હોવાનું જણાવ્યું હતું.

બે દિવસ દરમિયાન જુદી જુદી બેઠકોમાં તજજ્ઞાોએ જે અભિપ્રાયો વ્યક્ત કર્યા હતાં તે મુદે જણાવાયું હતું કે, મુસ્લિમ વકફ બોર્ડ દ્વારા રામ જન્મભુમિના મુદ્દે સુપ્રિમ કોર્ટમાં જે રીટ દાખલ કરવામાં આવી છે તે મુદ્દો આજે ઐતિહાસિક મંદિરના અવશેષો મળી આવ્યા બાદ અદાલતમાં ટકે તેમ નથી. તેમ છતાં સમગ્ર હિન્દુ સમાજે એક થઈને મંદિર નિર્માણના મુદ્દે જાગૃત થવાની જરૂર છે હિન્દુત્વના જાગરણ વિના ધર્મસ્થાનકોની રક્ષા ચિંતાજનક છે.

આજે સવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડો. મોહન ભાગવત સાથે અલગ અલગ તબક્કે બેઠકો મળી હતી. જેમાં રામ મંદિર નિર્માણના મુદ્દે સરકારની ભુમિકા વિશે પણ ચર્ચાઓ થઈ હતી.

રાજકોટનાં આંગણે આયોજિત બે દિવસની હિન્દુ આચાર્ય સભામાં ચેન્નાઈના નાગરાજ સ્વામી, રમણરેતીનાં ધર્મગુરૂ ગુરૂચરણાનંદ મહારાજ રામ માધવજી, વિવેકાનંદ કેન્દ્ર સાઉથના મૈયાજી, અવધેશ આનંદ મહારાજ સહિતના ધરમ ધૂરંધરો હાજર રહ્યા હતાં. અહીથી કેટલાક સંતો મહંતો મોડી સાંજે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા જવા નીકળ્યા હતાં. બે દિવસની આ ઐતિહાસિક ધર્મસભામાં દેશનાં અગ્રીમ હરોળના સાધુ સંતો સહિતના મહાનુભાવો હાજર રહેતા મુંઝકા ગામમાં આવેલા નાના એવા આર્ષ વિદ્યામંદિરમાં હિન્દુત્વ જાગરણનો મંત્ર ગુંજતો રહ્યો હતો.

કાયદાકીય દ્રષ્ટિએ તમામ મુદઓ હિંદુ સમાજની તરફેણમાં હોવા છતાં

રામ મંદિર નિર્માણ ૨૦૧૯ની ચૂંટણી પહેલાં મુશ્કેલ ઃ ડો. સુબ્રમણ્યમસ્વામી

અદાલતે પણ સ્વીકાર્યું છે કે મિલ્કતના અધિકાર કરતા મુળભુત અધિકાર સર્વોપરી છેઃ નમાજ અન્યત્ર પણ પઢી શકાય

રામમંદિરના નિર્માણના મુદ્દે અદાલતી કાર્યવાહી બાદ આજે તમામ મુદ્દાઓ હિંદુ સમાજની તરફેણમાં છે તેમ છતાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા થવું મુશ્કેલ છે. તેમ આજરોજ ભાજપના અગ્રણી નેતા અને સાંસદ ડો. સુબ્રમણ્યમસ્વામીએ કહ્યું હતું.

રાજકોટ ખાતે આયોજિત વિશાળ હિન્દુ આર્ય સભામાં રામમંદિર નિર્માણના મુદ્દે આજરોજ ડો. સુબ્રમણ્યમ સ્વામી પ્રવચન આપવા આવી પહોંચ્યા હતાં. તેઓએ જણાવ્યું હતું કે, અયોધ્યામાં મુસ્લિમ વકફ  બોર્ડ દ્વારા અહી  બાબરની મસ્જીદ હોવાથી મિલ્કતનો કબ્જો નમાજ પઢવા માટે વકફ બોર્ડને સોંપવાની માંગણી કરી હતી. તેની સામે વિશાળ હિંદુ સમાજના હૃદયમાં બિરાજમાન ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા જ હોવાનું ઐતિહાસિક તથ્યો અને પુરાતત્વીય આધારો સાથે પ્રમાણિત થયું હોવાથી હવે સુપ્રિમ કોર્ટે પણ મસ્જીદ અન્યત્ર બનાવી રામમંદિર અયોધ્યામાં હોવું જોઈએ તે સ્વીકાર્યું છે. પરંતુ અદાલતી કાર્યવાહી સુપ્રિમ કોર્ટમાં પેન્ડીંગ હ ોવાથી ૨૦૧૯ની ચુંટણી પહેલાં રામમંદિરનું નિર્માણ થઈ શકશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે.

આજે ઉત્તરાયણ! વર્ષનો સૌથી ટૂંકો દિવસ, લાંબી રાત
- મધરાતથી સૂર્યનો મકર રાશિમાં શરુ થયો પ્રવેશ

આજથી શિશિર ઋતુનો પ્રારંભ, રવિવારથી દિવસ લાંબો થશે સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં ઢળશે

ડિસેમ્બરમાં સૌથી ટૂંકો,જૂનમાં સૌથી લાંબો દિવસ, માર્ચમાં રાત-દિવસ સરખા-ખગોળશાસ્ત્રીય ઘટના



પૃથ્વી ભમરડાંની જેમ સીધી ફરતી નથી પણ ૨૩.૫ ડિગ્રીએ ઝૂકીને સૂર્યનું પરિભ્રમણ કરે છે જેના કારણે દિવસ-રાત લાંબા ટૂંકા અને અને તેના પગલે ઋતુઓ થાય છે. લોકો મકરસંક્રાંતિ કે ઉત્તરાયણનો તહેવાર ૧૪ જાન્યુઆરીએ ઉજવતા રહ્યા છે પણ સૂર્યનો મકરરાશિમાં પ્રવેશ આજે મધરાત્રિ પછી ૩.૫૨ વાગ્યે (આ સમયમાં શહેરવાઈઝ થોડો ફરક હોય છે) પ્રવેશ કર્યો છે અને સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ ઢળવાનું પણ આ જ સમયે શરુ કરી દે છે. જેને અંગ્રેજીમાં સોલ્સિટસ અર્થાત્ 'અયનકાળ' કે અયનાન્ત કહે છે. આવતીકાલે વર્ષનો સૌથી લાંબામાં લાંબી રાત્રિ અને ટૂંકામાં ટૂંકો દિવસ હશે. જાથાના મતે રાજકોટમાં દિવસ ૧૦ કલાક,૪૨ મિનિટનો તો રાત્રિ ૧૩ કલાક ૧૮ મિનિટની રહેશે.



વર્ષમાં તા.૨૧થી ૨૩ ડિસેમ્બર વચ્ચેના સમયે (એટલા માટે કે લીપ યર આવતું હોય છે) સૌથી ટૂંકો દિવસ,લાંબી રાત્રિ તો જૂનમાં સૌથી લાંબો દિવસ, ટૂંકી રાત્રિ અને ૨૧-૨૨ માર્ચના દિવસ-રાત સરખા થાય છે. રવિવારથી હવે રાત્રિ ટૂંકી થતી જશે અને દિવસ લંબાતો જશે. પેટ્રોલના ભાવની જેમ આ સમય વધારો રોજ એકાદ-બે સેકન્ડમાં હોય છે પણ મહિના પછી સૂર્યાસ્ત આજના દિવસ કરતા વીસેક મિનિટ મોડો થશે.

તા.૨૨ ડિસેમ્બરે એક સાથે ચાર ખગોળીય ઘટના બનશે જેમાં સૌથી લાંબી રાત, સૂર્યનો મકરરાશિમાં પ્રવેશ, ઉત્તર ગોળાર્ધ તરફ જવાની શરુઆત અને શિશિર ઋતુનો આરંભ થશે. આ દિવસને શિયાળાનો 'મધ્ય દિવસ' પણ કહી શકાય છે. વિજ્ઞાાન જાથાના જયંત પંડયાએ જણાવ્યા અનુસાર વિજ્ઞાાનની દ્રષ્ટિએ આથી તા.૨૨ ડિસેમ્બર ઉત્તરાયણ અને સૂર્યનો મકરરાશિ પ્રવેશ હોય છે.

પૃથ્વી ઉત્તર ગોળાર્ધ તરફ ૨૩.૬ અક્ષાંસ સુધી ઢળ્યા બાદ ફરી પરત દક્ષિણ તરફ વળે છે. આ કારણે ધુ્રવ પ્રદેશો પર છ છ માસના દિવસ-રાત હોય છે.

રાજકોટમાં આવતીકાલનો સૂર્યોદય સવારે ૭ ક.૨૨ મિનિટે અને સૂર્યાસ્ત ૬.૦૮ કલાકે થશે. આ સમય દરેક શહેરમાં થોડી મિનિટોનો ફરક હોય છે. પરંતુ, અનુભવ એવો છે કે સૂર્ય આથમ્યા પછી કે ઉગ્યા પહેલા અજવાળુ હોય છે જેને સંધ્યાટાણુ કે સંધિકાળ કહે છે અને રાજકોટમાં પરોઢ સવારે ૬.૦૨ વાગ્યાથી અને સંધ્યા ૭.૨૮ વાગ્યા સુધીની રહેશે
ફરસાણના ધંધાર્થીઓના દાઝ્યા તેલમાંથી બનાવાશે બાયો ડીઝલ
- રાજકોટમાં 57 ફાસ્ટફૂડ ઉત્પાદકો સાથે મનપાની બેઠક

- આવા તેલનો હાલ જનઆરોગ્ય માટે જોખમી ઉપયોગઃ દાઝ્યા તેલનો ઉપયોગ કરનારા સામે કડક પગલા


રાજ્યમાં નફાખોર ફરસાણના ધંધાર્થીઓ દ્વારા અન્ય ચીજવસ્તુની ભેળસેળ ઉપરાંત જે તેલમાં એક વાર ફરસાણ વગેરે તળ્યું હોય તે જ તેલમાં ફરી તે તળવામાં આવે છે જે જનઆરોગ્ય માટે ખૂબ નુક્શાનકારક હોવાનું રાજકોટ મનપાએ વારંવાર જાહેર કરી છૂટાછવાયા પગલા લઈને ક્યારેક આવું તેલ કબજે કરી નાશ કરાતો રહ્યો છે. પરંતુ, હવે આ તેલનું શુ કરવું તેનો વિકલ્પ મનપાએ આપ્યો છે અને ધંધાર્થીઓ પાસેથી આવું તેલ પ્રતિ કિલો રૂ।.૩૦ના ભાવે ખરીદીને તેમાંથી બાયોડીઝલ બનાવવાની સીસ્ટમ ગોઠવી રહ્યાનું આજે મનપાએ જાહેર કર્યું છે.

મ્યુનિ.સૂત્રો અનુસાર આજે રાજકોટમાં મોટાપાયે વેફર્સ,ફ્રાઈમ્સ વગેરે તળેલી વાનગીનું ઉત્પાદન કરતા ૫૭ ઉત્પાદકો સાથે નાયબ કમિશનરની બેઠક યોજાઈ હતીજેમાં એક વાર વપરાયેલું તેલ ફરી નહીં વાપરતા તે ઉત્પાદકોને ત્યાંથી જ લેવા આવતી વાનને આપી દેવા સૂચના અપાઈ હતી અને ઉત્પાદકોથી માંડીને શહેરમાં લત્તે લત્તે આવેલા કંદોઈ,ફરસાણના ધંધાર્થીઓ જો આવું તેલ ફરી વાપરશેતો પેનલ્ટી ઉપરાંત દુકાન સીલકરવા સહિતના પગલા લેવાશે.


દાઝ્યા તેલની ગુણવત્તા ટોટલ પાવર કમ્પાઉન્ડ (ટી.પી.સી.)થી નક્કી થાય છે જે માત્રા ૨૫થી વધારે હોય તો તેલ વાપરવા યોગ્ય નથી. આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડે જણાવ્યું કે દાઝ્યા તેલન નિકાલ ગટરમાં કરવાથી પણ પર્યાવરણને ખૂબ નુક્શાન જાય છે અને આ તેલમાં તળેલી કોઈ પણ ચીજ ખાવાથી હાઈપર ટેન્શન, અલ્ઝાઈમર, હૃદયરોગ, લીવરના રોગ, પેરેલીસીસ અને કેન્સર જેવા રોગ થાય છે.

મનપા સૂત્રો અનુસાર તા.૧૦ જાન્યુઆરીથી આવું તેલ એકત્ર કરવા વ્યવસ્થા ગોઠવાશે અને દરમિયાન ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરીને આવું તેલ વાપરતા વેપારીઓ પાસેથી મોટો ચાર્જ વસુલવાથી માંડી દુકાન સીલ કરવા સહિતના પગલા લેવાશે. ઉલ્લેખનીય છે કે મનપાના અધિકારીઓ માત્ર વાતો કરવાને બદલે જ્યારે કડક અમલવારી કરાવે ત્યારે જ નવા નિયમની અસર થતી હોય છે.

રાજકોટ બારની ચુંટણીમાં એકટીવ પેનલ વિજયી બની


- ૨૦૭૩ મતદારોમાંથી ૧૪૫૮ દ્વારા મતદાન

- પ્રમુખ તરીકે બકુલ રાજાણી, ઉપપ્રમુખમાં સિધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરીમાં જીજ્ઞોષ જોષી અને જો. સેક્રેટરી તરીકે નિલેષ પટેલ ચુટાયા


રાજકોટ બાર એસોસિએશનની આજે ચૂંટણી યોજાઈ હતી. દરમિયાન સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સિવિલના બ ાર એસોસિએશનના રૂમમાં સવારના ૯ વાગ્યાથી જ મતદાન શરૂ થયું હતું. જો કે  બપોરે મતદાન થોડું ધીમું પડયું હતું. રાત્રે પરિણામ જાહેર કરાયું હતું. જેમાં પ્રમુખનો તાજ એકટીવ પેનલ પાસે ગયો હતો.
રાજકોટ બારમાં વનબાર વન વોટ મુજબ ચાલુ વર્ષે નોંદાયેલા કુલ ૨૪૭૨ ઉમેદવારોમાંથી ૧૪૫૮ ઉમેદવારો એ મતદાન કર્યું હતું. દરમિયાન આ અંગે રાત્રે ચૂંટણી અધિકારી મહર્ષિભાઈ પંડયાએ સહિતની ટીમ દ્વારા મતગણતરી હાથ ધરાઈ હતી. જેનું રાત્રે પરિણામ જાહેર કરાયું હતું. જે મુજબ પ્રમુખની જગ્યા માટે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. જેમાં સમરસ પેનલના ઉમેદવાર સંજયભાઈ વોરાને ૬૪૮ મત મળ્યા હતાં. જયારે એકટીવ પેનલનાં બકુલ રાજાણીનો ૭૦૯ મત સાથે વિજય થયો હતો. જયારે સ્વતંત્ર ઉમેદવાર હરીસિંહ વાઘેલાને ૧૬ મત મળ્યા હતાં.


ઉપપ્રમુખ પદમાં સમરસ પેનલનાં રાજેશ મહેતાને ૬૪૧ મત મળ્યા હતાં. જયારે એકટીવ પેનલનાં સિધ્ધરાજસિંહ જાડેજાનો ૬૯૧ મત સાથે વિજય થયો હતો. સેક્રેટરી પદમાં સમરસ પેનલનાં પરેશ મરાૃને ૬૬ મત મળ્યા હતાં. જયારે એકટીવ પેનલના જીજ્ઞોશ જોષીનો ૬૪૬ મત સાથે વિજય થયો હતો. આઉપરાંત સ્વતંત્ર ઉમેદવાર વિજય ભટ્ટને ૩૪ અને પ ્રણવ પટેલને ૬૪ મત મળ્યા હતાં. જોઈન્ટ સેક્રેટરીમાં સમરસ પેનલના નિલેષ પટેલનો ૯૩૫ મત સાથે વિજય થયો હતો. જયારે તેના હરીફ એકટીવ પેનલનાં વિકાસ શેઠને ૪૭૩ મત મળ્યા હતાં.
લાયબ્રેરીની જગ્યા માટે સમરસ પેનલના જયેન્દ્રસિંહ રાણાને ૬૩૫ મત મળ્યા હતાં. જયારે એકટીવ પેનલનાં મોનીકા જોષીનો ૭૨૩ મત સાથે વિજય થયો હતો. કારોબારી મહિલા અનામતની જગ્યામાં સમરસ પેનલમાં રેખાબેન પટેલનો ૭૮૫ મત સાથે વિજય થયો હતો. જયારે એકટીવ પેનલના હર્ષાબેન પંડયાને ૫૧૯ મત મળ્યા હતાં.

આ ઉપરાંત કારોબારીની ૯ જગ્યા માટે સમરસ પેનલનાં નિશાંત જોષીને ૮૯૧, સુમીત વોરાને  ૮૦૮, જીતેન્દ્ર પારેખને ૭૨૦, મનીષ આચાર્યને ૬૨૬, પંકજ દોંગાને ૫૬૧, સંદીપ જોષીને ૫૫૨, રીતેશ ટોપીયાને ૫૧, સંજય પંડયાને ૪૯૧, અને રાજેશ ચાવડાને ૪૮૯ મત સાથે વિજય થયો હતો. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ટ્રેઝરરની જગ્યા માટે અમિતભાઈ ભગત બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતાં.