રાજકોટમાં વજનદાર દફ્તર બાબતે 11 શાળાઓમાં તપાસ
વેબસાઈટ-નોટિસ બોર્ડ પર ફી ન દર્શાવનાર સ્કૂલોમાં તપાસ ક્યારે ?
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શહેરમાં દફ્તરનો ભાર ચેક કરવા મુદ્દે 11 સ્કૂલમાં તપાસ કરાઈ હતી. આ તપાસમાં દરેક સ્કૂલમાં દફ્તરનો ભાર કે અન્ય પ્રકાશનો મામલે ઓલ ક્લિઅરનું સર્ટિફિકેટ ડીઈઓ તરફથી આપવામાં આવ્યું હતું. શાળાઓમાં તપાસ શરૂ કરાઈ છે ત્યારે વેબસાઈટ અથવા નોટિસ બોર્ડ પર ફી દર્શાવવા મામલે પણ ઈન્સ્પેક્શન કરવું જોઈએ તેવી માંગ વાલીઓમાંથી ઉઠી રહી છે.
ભણતર અને તેની સાથે દફતરનો ભાર હળવો કરવા શિક્ષણ મંત્રાલય દ્વારા તાજેતરમાં પરિપત્ર બહાર પડાયો હતો. જે પ્રમાણે દરેક શાળામાં વિદ્યાર્થીના વજન કરતા દફતરનું વજન દસ ટકાથી વધવું ન જોઈએ. તેમજ શિક્ષણ બોર્ડ દ્વારા મંજુર કરાયા સિવાયના અન્ય પ્રકાશનોને દફ્તરમાં સ્થાન મળવું ન જોઈએ. આ મુદ્દે સરકારી સૂચના બાદ રાજકોટ ડીઈઓ કચેરી દ્વારા શહેરમાં આઈપી મિશન, નેસ્ટ પ્રાઈમરી, શારદા વિદ્યાલય, લાલબહાદુર શાસ્ત્રી, પી બી કોટક મેમોરીયલ, પી વી મોદી, એચ કે પાઠક, ગૌતમ વિદ્યાલય, ઉત્કર્ષ વિદ્યાલય, ક્રિષ્ના હાયર સેકન્ડરી વગેરે સ્કૂલોમાં એજ્યુકેશન ઈન્સ્પેક્ટરોને દોડાવી તપાસ કરાઈ હતી.
આ અંગે ડીઈઓ સગારકાએ જણાવ્યું હતું કે શૈક્ષણિક કાર્ય ચાલુ હતું ત્યારે તપાસ કરાઈ હતી અને શૈક્ષણિક કાર્યના અંતે જે-તે શાળામાં ચોપડા મુકીને જ છાત્રો જતા હોવાનું પ્રમાણ મળતા શાળાઓ સામે કોઈ પગલા લેવાયા ન હતા.
આગામી દિવસોમાં એફઆરસીએ મંજુર કરેલી ફી શાળાઓએ વેબસાઈટ કે નોટિસ બોર્ડ પર મુકી છે કે કેમ તે બાબતે પણ ઈન્સ્પેક્શન કરવામાં આવશે. જેમાં કસૂરવાન શાળાઓ સામે દંડનીય કાર્યવાહી કરવાની તેમણે અગમચેતી આપી હતી.
વેબસાઈટ-નોટિસ બોર્ડ પર ફી ન દર્શાવનાર સ્કૂલોમાં તપાસ ક્યારે ?
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શહેરમાં દફ્તરનો ભાર ચેક કરવા મુદ્દે 11 સ્કૂલમાં તપાસ કરાઈ હતી. આ તપાસમાં દરેક સ્કૂલમાં દફ્તરનો ભાર કે અન્ય પ્રકાશનો મામલે ઓલ ક્લિઅરનું સર્ટિફિકેટ ડીઈઓ તરફથી આપવામાં આવ્યું હતું. શાળાઓમાં તપાસ શરૂ કરાઈ છે ત્યારે વેબસાઈટ અથવા નોટિસ બોર્ડ પર ફી દર્શાવવા મામલે પણ ઈન્સ્પેક્શન કરવું જોઈએ તેવી માંગ વાલીઓમાંથી ઉઠી રહી છે.
ભણતર અને તેની સાથે દફતરનો ભાર હળવો કરવા શિક્ષણ મંત્રાલય દ્વારા તાજેતરમાં પરિપત્ર બહાર પડાયો હતો. જે પ્રમાણે દરેક શાળામાં વિદ્યાર્થીના વજન કરતા દફતરનું વજન દસ ટકાથી વધવું ન જોઈએ. તેમજ શિક્ષણ બોર્ડ દ્વારા મંજુર કરાયા સિવાયના અન્ય પ્રકાશનોને દફ્તરમાં સ્થાન મળવું ન જોઈએ. આ મુદ્દે સરકારી સૂચના બાદ રાજકોટ ડીઈઓ કચેરી દ્વારા શહેરમાં આઈપી મિશન, નેસ્ટ પ્રાઈમરી, શારદા વિદ્યાલય, લાલબહાદુર શાસ્ત્રી, પી બી કોટક મેમોરીયલ, પી વી મોદી, એચ કે પાઠક, ગૌતમ વિદ્યાલય, ઉત્કર્ષ વિદ્યાલય, ક્રિષ્ના હાયર સેકન્ડરી વગેરે સ્કૂલોમાં એજ્યુકેશન ઈન્સ્પેક્ટરોને દોડાવી તપાસ કરાઈ હતી.
આ અંગે ડીઈઓ સગારકાએ જણાવ્યું હતું કે શૈક્ષણિક કાર્ય ચાલુ હતું ત્યારે તપાસ કરાઈ હતી અને શૈક્ષણિક કાર્યના અંતે જે-તે શાળામાં ચોપડા મુકીને જ છાત્રો જતા હોવાનું પ્રમાણ મળતા શાળાઓ સામે કોઈ પગલા લેવાયા ન હતા.
આગામી દિવસોમાં એફઆરસીએ મંજુર કરેલી ફી શાળાઓએ વેબસાઈટ કે નોટિસ બોર્ડ પર મુકી છે કે કેમ તે બાબતે પણ ઈન્સ્પેક્શન કરવામાં આવશે. જેમાં કસૂરવાન શાળાઓ સામે દંડનીય કાર્યવાહી કરવાની તેમણે અગમચેતી આપી હતી.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો