અનુયાયીઓ

બુધવાર, 4 માર્ચ, 2015

જીવનસંગીની સાથે છુટાછેડા થતા પાંચપીપળાના યુવાનનો આપઘાત

જીવનસંગીની સાથે છુટાછેડા થતા 
પાંચપીપળાના યુવાનનો આપઘાત 
જેતપુર તા.4
જેતપુરના પાંચપીપળા ગામે પત્ની સાથેના છુટાછેડાથી દુઃખી પટેલ યુવાને ઝેરી દવા પીને જીવન ટૂંકાવી નાખ્યાની ઘટનાથી ગામના પટેલ સમાજમાં શોક ફેલાયો છે.
મળતી વિગતો મુજબ તાલુકા પાંચપીપળા ગામના પોલરા મહેશ બાબુભાઈ(ઉ.વ.27) એ આજથી ચારેક દિવસ પહેલા તેમની વાડીયે ઝેરી દવાના ઘૂંટડા પોતાના ગળા નીચે ઉતારી દિતા મહેશને ગંભીર હાલતમાં ખાનગી દવાખાને ખસેડેલ. જ્યાં આજે સારવાર દરમિયાન તેમનું મોત થયાનું જેતપુર તાલુકા પોલીસમાં જાહેર કરાયું હતું. બનાવના તપાસનીસ જમાદાર મજનુંભાઈ મનાતે જણાવેલ કે થોડા માસ પહેલાજ મહેશના પત્ની સાથે છૂટાછેડા થયા ત્યારથી મનોમન દુખી રહેતો હોવાની તેમના પરિવારજનોની કેફિયત પરથી મહેશની આત્મહત્યાનું કારણ આ હોય શકે તેવું પોલીસે પ્રાથમિક માની આગળની તપાસ હાથ ધરી છે.


ચારણસમઢીયાળાની સગીરાને ભગાડી જનાર યુવાન પકડાયો 
જોકે પોલીસ કહે છે કે સગીરાને બે વર્ષની પુત્રી હોય હવે તેની પુખ્ત છે !!
જેતપુર તા.5
જેતપુરના ચારણસમઢીયાળા ગામની બાવાજી સગીરાને ભગાડી જનાર વડિયાના યુવાનને જેતપુર તાલુકા પોલીસે ઝડપી લીધો હતો.
બનાવની મળતી હકીકતો મુજબ ગઈ તા.17.1.2011 ના રોજ જેતપુરના ચારણસમઢીયાળા ગામેથી એક બાવાજી સગીરાનું લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે કોઈ અપહરણ કરી ગયાની જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી.
પોલીસ આ સમયથી અપહરણ કરનાર યુવાનની શોધમાં હતી. પણ યુવાન નહિ પણ તેની ઓળખ મળી હતી કે બાવાજી સગીરાને ભગાડી જનાર અમરેલી જીલ્લાના વડીયા ગામનો દલસુખ પ્રેમજી મકવાણા હતો.
દરમિયાન જેતપુર તાલુકા ફોજદાર આર.એન.કરમટીયાને દલસુખ વડિયા ચાર વર્ષ પછી આવ્યો હોવાની બાતમી મળતા સ્ટાફને સાથે રાખી ગઈકાલે સગીરા સાથે દલાને પકડી પાડ્યો હતો. પણ પોલીસ જેવા ઉત્સાહ સાથે વડિયા દોડી હતી તેવો ઉત્સાહ નાં રહ્યોની વાત સાંભળવા મળી હતી.

બોક્સ: હું પુખ્ત છું, પતિ સાથેજ જવા માંગુ છું : યુવતી 
જેતપુર : વડીયાના યુવાનને જયારે જેતપુર તાલુકા પોલીસે પકડ્યો ત્યારે તેમની સાથે 2 વર્ષની પુત્રીને લઈને ચારણસમઢીયાળાની યુવતી પણ હતી. પોલીસ મથકે આવીને આ બાવાજી યુવતીએ જણાવેલ કે હું બે વર્ષની દીકરીની માતા અને પુખ્ત થઇ ગઈ છું. હવે હું મારા જીવનના નિર્ણય લેવા પરિપક્વ હોઉં, હું પતિ(દલસુખ મકવાણા) સાથે જ રહેવા માંગુ છું.  ત્યારે પોલીસે આ બંનેના નિવેદનો નોંધી ધોરણસરની વિધિ આટોપી હતી.

KASHYAP JOSHI JETPUR - JETALSAR - 9974262812


જેતલસરમાં ભેંસે ભારે કરી ! ગાંડી થયેલી ભેંસે અનેકને ઢીકે ચડાવ્યા ! એક યુવાન તો જીવ બચાવવા થાંભલે ચડી ગ્યો !!

જેતલસરમાં ભેંસે ભારે કરી !
ગાંડી થયેલી ભેંસે અનેકને ઢીકે ચડાવ્યા !?
એક યુવાન તો જીવ બચાવવા થાંભલે ચડી ગ્યો !!
(કશ્યપ જોશી ) જેતલસર તા.4
છેલ્લા એક સપ્તાહ થયા જેતલસર - સાંકળીની સીમમાં ગાંડી થયેલી એક ભેંસે અનેકને ઢીકે ચડાવ્યા હોવાની વાતથી આ બંને ગામોની પ્રજામાં રમુજ-દુઃખ સાથે ભય ફેલાયો છે.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતલસર અને સાંકળી ગામની સીમમાં ગાંડી થયેલી એક ભેંસ છેલ્લા એક સપ્તાહ થયા સીમ ઉપરાંત ગામમાં આવી ચડી દેખ્યા માણસ કે વાહન પાછળ દોડી ભૂરાંટી બનતી હોય લોકો ભયના ઓથાર તળે આવી ગયાના અહેવાલો મળે છે. તો મનસુખ પટેલ નામના જેતલસરના એક યુવાનને ભેંસે બરાબરની ભીંસમાં લઇ ઢીકે ચડાવી, ઘાયલ કરી, કપડા ફાડી નાખતા કહેવાય છે આ ભાઈ માંડ માંડ બચ્યા ! 
તો ગામનાજ એક  અશ્વિન પટેલ નામના યુવાન પાછળ ગાંડી ભેંસ પડતા આ યુવાને જીવ બચાવવા વીજ થાંભલો ચડી જઈ હાશકારો મેળવ્યો હતો.
દુઃખની વાત બતાવતા જેતલસરના પશુપાલકો કહે છે કે ભેંસને હડકવા નથી ઉપાડ્યો, પણ માણસની જેમ પાગલ-ગાંડી થઇ જતા તે ગમે તેની પાછળ પડી ભારે ભયજનક સ્થિતિ પેદા કરી રહી છે. 
અચરજની વાત એ છે કે છેલ્લા એકાદ સપ્તાહ થયા જેતલસર-સાંકળીની સીમ અને ગામ વિસ્તારોને ધમરોળતી આ ભેસ કોઈને મળતી નથી, અને કોઈનાથી પકડાતી નથી, ભેસના બન્ને શીંગડા કાપી નાખેલી અવસ્થામાં જોવા મળે છે. એટલુજ નહિ આ ભેંસનું કોઈ માલિક પણ ના થતું હોય, હવે જંગલખાતું જ જેતલસર-સાંકળીની પ્રજાને બચાવી શકે તેવું ગામના બુજુર્ગો કહે છે.

બોક્સ: ભેંસની ઢીકે ઘણા ચડ્યા, પણ કોઈ બોલતું નથી !!
જેતલસર : એક રીતે જોઈએ ભેંસ ગાંડી થયાની વાતે જેતલસર સહીત પંથકના ગામોમાં રમુજ પણ ફેલાવી છે અને ભય પણ ફેલાવ્યો છે.
તેવીજ રીતે આ ગાંડી ભેસે ઘણાને ઢીકે ચડાવ્યા છે પણ શરમના માર્યા કોઈ વિગતો આપતા ના હોય કે ઢીકે ચડ્યા હોવાનું સ્વીકારતા નાં હોય આ વાત ટોક ઓફ ધી જેતલસર વિલેજ બની છે. આ બાબતે જે હોય તે પણ સંબંધિત પશુ તબીબો કે જંગલખાતે આ ભેંસને શોધી કાઢી, જરૂરી સારવાર આપી ભેંસની ગાંડપણની સ્થિતિ અને માણસોની ભયાવહ હાલત સુધારવી જોઈએ..
કશ્યપ જે.જોશી જેતલસર (જેતપુર) 9974262812

 

જેતપુર બ્રહ્મસમાજના જીવનસાથી પસંદગી મેળાનું આયોજન 
જેતલસર તા.4
સમસ્ત અને યુવા બ્રહ્મસમાજ દ્વારા આગામી 5.4.2015 ના રોજ બ્રહ્મસમાજના જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરાયું છે. જોડવા ઈચ્છતા યુવક યુવતીના વાલીઓએ તા.8-3-2015 સુધીમાં ફોર્મ ભરી પરત કરી જવા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કાળુભાઈ જોશી, યુવા પાંખના પ્રમુખ અલ્પેશ વ્યાસ(84013 55555),  હિતેશભાઈ રાવલ, પ્રોજેક્ટ ચેરમેન આશિષ પંડયા( 94294 84711) તથા યુવા મંત્રી નીલેશ જોશી(97233 51471)વિગેરે એ જણાવ્યું છે
કશ્યપ જે.જોશી જેતલસર 
99742 62812

લંડનની ઓક્સફર્ડ યુનિવર્સીટીના




પેઢલાની ધવલ સ્કુલમાં લંડનની ઓક્સફર્ડ યુનિવર્સીટીના 
પ્રોફેસર ડવાયરે ગ્લોબલ એજ્યુકેશનનું માર્ગદર્શન આપ્યું
સ્વયં શિસ્તથીજ સફળતા વરે : સ્વામી સુતપ્રજ્ઞજી  
જેતલસરતા.4
જેતપુરના પેઢલા ગામે આવેલ ધવલ ઇન્ટરનેશનલ સ્કુલમાં તાજેતરમાં લંડનની ઓક્સફર્ડ યુનિ.ના ડિન ડો. ગ્રેહામ ડવાયરે મુલાકાત લઇ શાળાના વિદ્યાર્થીઓને ગ્લોબલ એજ્યુકેશનનું અસરકારક માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ ભૂત-પ્રેત ની દુનિયા વિષે થીસીસ ઓક્સફર્ડ યુનિ.માં પીએચડી કર્યું હોય, ભૂત-પ્રેતના અસ્તિત્વની ગેરમાન્યતાઓ દુર કરતા ઉપસ્થિત છાત્રો અને શાળાપરિવારનો સ્ટાફ ભારે પ્રભાવિત થયો હતો.
તો તેઓની સાથે રાજકોટથી આવેલા પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશનના સુતપ્રજ્ઞજી સ્વામીએ જણાવેલ કે સ્વયં શિસ્તથી જ સફળતાના શિખરો સર કરી શકાય. સ્વામીજીએ શિસ્ત કેવું હોવું જોઈએ ? શિસ્ત કેમ પાળવું ? જીવનમાં શિસ્ત શું ફાયદો કરે ? વિગેરે બાબતે 400 જેટલા છાત્રોને સચોટ માર્ગદર્શન આપતા કેમ્પસના ડાઈરેક્ટર દિનેશભાઈ ભુવા, સ્ટાફના શિક્ષકો કાપડિયા અને અભિષેકભાઈ સહિતનો સ્ટાફ ખુશ થયો હતો. ડોક્ટર ડવાયરે ઓક્સફર્ડ યુનિ.માં કેમ્પસના વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશનલ સેમીનાર કરવા અને પ્લેસમેન્ટ માટે મદદરૂપ થવા જણાવ્યું હોવાનું દિનેશ ભુવાએ જણાવ્યું હતું..

કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર 
9974262812