અનુયાયીઓ

સોમવાર, 22 જૂન, 2015

અવસાન નોંધ જેતપુર

કશ્યપ જોશી જેતપુર 

જેતપુરમાં સ્લેબ ભરતી સમયે બીજા માળેથી ગબડેલા આધેડનું મોત

જેતપુરમાં સ્લેબ ભરતી સમયે 
બીજા માળેથી ગબડેલા આધેડનું મોત 
જેતપુર તા.22
ગઈકાલે અહી મકાન બાંધકામ દરમિયાન એક  આધેડ બીજા માળેથી ગબડી પડતા તેમનું મોત થયાનું શહેર પોલીસ દફતરે નોંધાયું છે.
મળતી વિગતો મુજબ અહીના કણકિયા પ્લોટમાં એક જગ્યાએ ચાલતા મકાનના બાંધકામ દરમિયાન ગોડલ દરવાજા વિસ્તારમાં રહેતા ચંદુભાઈ લીંબાભાઈ સિંગલ (ઉ.વ.45) અકસ્માતે બીજા માળેથી ગબડી પડતા, માથામાં ગંભીર ઈજા થવાથી તેમનું ઘટના સ્થળેજ મોત થયું હતું. પીએમ માટે ચંદુભાઈની ડેડબોડી સરકારી હોસ્પીટલે લઇ જવાતા, પોલીસને જાણ કરતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેતપુરમાં મજુર મહિલાને ઠેસ વાગતા ગંભીર ઈજા 
જેતપુર તા.22
ગઈકાલે મજુરીકામ કરી પરત  ફરી રહેલી કનુબેન સવજીભાઈ માથુકીયા નામની 45 વર્ષીય મહિલાને ભાદર કેનાલ નજીક ઠેસ વાગતા, અકસ્માતે પડી જતા તેમને બેભાન અવસ્થામાં સારવાર માટે અહીની સરકારી હોસ્પીટલે લવાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબોએ કનુંબેનને પ્રાથમિક સારવાર આપી માથાની ગંભીર ઈજાઓની સારવાર માટે રાજકોટ રીફર કરી હોવાનું પોલીસમાં નોંધાતા પોલીસે કાયદેસરની વિધિ હાથ ધરી છે.

જેતપુરના સ્ટેશનવાવડી ગામે યુવાનને મોઢા પ હથોડી ઝીંકાઈ !!
જેતપુર તા.22
નજીવી બાબતે જેતપુર તાલુકાના સ્ટેશન વાવડી ગામે એક પટેલ યુવાને, વિપ્ર યુવાનને મોઢા પર હથોડી ઝીંકી દઈ લોહીલુહાણ કરી મુક્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
મળતી વિગતો મુજબ જેતપુર સ્ટેશન વાવડી ગામની સીમમાં વાડી ધરાવતા હરીલાલ જેન્તીલાલ તેરૈયાએ શેઢા પાડોશી બીપીન કનું ભૂવાને શેઢે બાંધેલ તાર કાઢી લેવાનું કહેતા, બીપીને ઉશ્કેરાઈ જઈને હરિભાઈને મોઢા ઉપર લોખંડની હથોડી મારી દેતા, વિપ્ર યુવાનને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે જેતપુર દવાખાને લઇ અવાયો હતો. તાલુકા પોલીસે પટેલ યુવાન સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેતલસરનો યુવાન  વિદેશી શરાબની 54 બોટલ્સ સાથે પકડાયો 
જેતપુર : રાજકોટની એલસીબી બ્રાંચે ગઈકાલે જેતલસર ખાતે બાતમીના આધારે દરોડો પાડી ઠુંમર ભાવિન જેઠા પટેલને વિલાયતી શરાબની 54 બોટલ્સ સાથે તેમની વાડીયેથી પકડી લીધો હતો. પોલીસ્સે એક મોબાઈલ મળી કુલ રૂ.16700/- નો મુદામાલ કબજે કરી ભાવિનની પૂછપરછ કરતા ભાવિને આ શરાબનો જથ્થો જુનાગઢના કાળા રબારીનો હોવાની કબુલાત આપતા આ રબારીની શોધખોળ આદરાઈ હોવાનું જમાદાર ભુરાભાઈ માલીવાડે જણાવ્યું હતું..

જેતપુરમાં ધૂમ બાઈક ચાલકને બચાવવા કારની પલટી 
જેતપુર તા.22
આજે વહેલી સવારે જેતપુરના અમરનગર રોડ પર જનતાનગર ચોકડી પાસેથી ધૂમ સ્ટાઈલથી પુરપાટ ઝડપે નીકળેલા એક બાઈક સવારને બચાવવા જતા ડોબરિયા વાડી વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ મોણપરાની કાર રોડ નજીકના વોંકળામાં જઈ પડી હતી. પુલની દીવાલ તોડીને નીચે પડેલી કારના બનાવમાં કોઈને ઈજા નથી થઇ પણ સાંકડા રોડને કારણે આવા બનાવ અવાર નવાર બનતા હોય કાર ચાલકે રોડ પહોળો કરી આ રોડ પર આવેલી શાળાના બાળકોની સલામતી બાબતે સંબંધીતો વિચારે તેવી માંગ કરી છે.

બેફામ ફી વધારાના વિરોધમાં જેતપુરમાં વધુ એક વખત 
કાલે વાલી મંડળ મામલતદારને પાઠવશે આવેદનપત્ર...
જેતપુર તા.22
જેતપુર અને નવાગઢમાં સરકારી નિયમોની ઐસીતેસી કરી શાળા સંચાલકોએ બેફામ ફી વધારો કરી દીધો હોય જેતપુરનું વાલીમંડળ ક્રમશઃ આંદોલનકારી પગલા અપનાવી રહ્યું છે. અગાઉ શહેરની સ્પેસ સ્કુલ સામે વાલીમંડળે આક્રમક રીતે રજુઆતો કરતા કહેવાય છે કે આ શાળાના સંચાલકોએ માત્ર 10 ટકા ફી વધારો અમલી બનાવી બાકીનો ઘટાડી નાખ્યો છે. પણ અન્ય શાળા સંચાલકો હજુ પગ તળે રેલો આવવાની રાહ જોતા હોય, તેઓની સામે પણ રજુઆતો કરવા, ફી વધારો પાછો ખેંચવાની માંગ દોહરાવતું એક આવેદન આવતીકાલ તા.24.6.ના રોજ, સવારે 10:30 કલાકે મામલતદારને અપાશે. 
ત્યાર બાદ મામલતદાર કચેરીથી શાશ્નાધીકારીની કચેરી સુધી એક રેલી યોજી ત્યાં રજુઆતો કરવાનું તેમજ 11:00 5:00 વાગ્યા સુધી ત્યાં એક ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય, જે વાલીઓને ફી વધારો ગેરકાયદેસર જણાતો હોય તેવા વાલીઓએ આ કાર્યક્રમમાં હાજર રહેવા વાલી મંડળના પ્રમુખ એડવોકેટ જીતુભાઈ લાડવાએ અનુરોધ કર્યો છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812


જેતપુર શહેર તાલુકાના વિવિધ વર્તમાન

જેતલસર જં.ના બેંક કર્મચારીને 
વિદાયમાન અપાયું..
જેતપુર તા.22
યુનિયન બેન્કની જેતલસર જંકશન સ્થિત બ્રાન્ચના કર્મચારી શીલુભાઈ તાજેતરમાં વય મર્યાદાને કારણે નિવૃત થતા બેંક મેનેજર ચાવડાના અધ્યક્ષ સ્થાને વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાબુભાઈ જેઠવા, નાનજીભાઈ મકવાણા, અખેરાજભાઈ, જીતુભાઈ પાણેરી, બંશીભાઈ, રાજુભાઈ તિવારી તથા ડાયાભાઇ વિગેરે રેલવેના નિવૃત કર્મચારીઓની હાજરીમાં શીલુભાઈની સેવાને વાગોળી, સન્માન સાથે વિદાયમાન અપાયું હતું.

ભારત વિકાસ પરિષદ જેતપુરના નવા હોદેદારો 
જેતપુર : તાજેતરમાં જેતપુરની ભારત વિકાસ પરિષદ નામની સંસ્થાના નવા હોદેદારોની વરણીના એક કાર્યક્રમનું સંગીતસંધ્યા વચ્ચે આયોજન થયું હતું. આ તકે સૌરાષ્ટ્ર વિભાગના મંત્રી પ્રફુલભાઈ ગોસ્વામીની હાજરી વચ્ચે જેતપુર શાખાના વર્ષ-2015 ના વરાયેલા નવા હોદેદારોમાં પ્રકાશ અગ્રાવત(પ્રમુખ), હરિભાઈ પરમાર(ઉપપ્રમુખ), નરેન્દ્ર કોટડીયા(મંત્રી) તથા ખજાનચી તરીકે અશ્વિનભાઈ ચોટાઈની નિમણુક કરાઈ હોવાનું જણાવાયું છે.

જેતપુરની સંસ્થાઓનું એકીસાથે ''યોગાસન''
જેતપુર: ગઈકાલે વિશ્વ યોગ દિન નિમિત્તે જેતપુરમાં નગર પાલિકા, તાલુકા પંચાયત, નામી અનામી સંસ્થાઓ, શાળાઓ, શાશ્નાધિકારી, ડાઈંગ એશોશીયેશન, વિગેરેના આગેવાનો, કાર્યકરો, સંચાલકોએ મોટી સંખ્યામાં અત્રેના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગાસન યોજી વડાપ્રધાન મોદીના અભિયાનને સફળ બનાવવા પ્રયાસ કર્યો હતો. તો આવીજ રીતે જેતપુર એસટી ડેપોમાં કર્મચારીઓએ ડેપોના મેદાનમાં યોગ દિવસની ઉજવણી કરી હતી.
(ફોટો કશ્યપ જોશી - જેતલસર )


જેતલસર હાઈસ્કુલમાં યોગાસન 
જેતપુર : જેતલસરની હાઈસ્કુલમાં વિધાર્થીઓ, શિક્ષકો સાથે ગામના કૌશલ્ય વર્ધક કેન્દ્રના સ્ટાફે પણ યોગાશન અભિયાનમાં જોડાયા હતા.
(ફોટો કશ્યપ જોશી - જેતલસર )