(ઋત્વિક જોશી દ્વારા)
ચાલુ વરસે અતિવૃષ્ટિને હિસાબે ખેડૂતોના ચોમાસુ પાક ની અંદર ઘણી બધી નુકસાનીનો સામનો કરવો પડે છે. પરંતુ સારા વરસાદ થવાના કારણે ખેડૂતોને શિયાળો પિતની અંદર બે પૈસા મળે એવી આશા અને અપેક્ષા છે.
આ વર્ષે પાણીને હિસાબે શિયાળુ પીતનુ સારું એવું વાવેતર થયેલ છે. અને શિયાળુ પીર નું હંમેશા પિયત પાણી થી જ ઉત્પાદન કરી શકાય છે. ખેતીને પિયત આપવા માટે લાઈટની ખેડૂતોને ખૂબ જ જરૂર હોય છે. એવા સમયે ગામડાઓના ખેડૂતોના ફિડરો અને ટીસીઓ માં વારંવાર ફોલ્ટ ના હિસાબે ખેડૂતોની ખેતીમાં પિયત કરવામાં ઘણી બધી પરેશાનીઓ વધે છે.
ફરિયાદ વિભાગમાં વારંવાર રજૂઆત કરવા છતાં ખેડૂતોના પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ આવતું
લખાવેલી ફરિયાદો ઉપર પૂરેપૂરું ધ્યાન અપાતું નથી, તેવી ઘણી-બધી ગામડાઓના ખેડૂતોની
ફરિયાદ આવેલી છે, ફરિયાદ વિભાગમાં એવા માણસો ની વ્યવસ્થા કરવામાં આવે કે ખેડૂતોની મુશ્કેલીઓને સમજી શકે, જે અધિકારીઓ ફરિયાફો હલ નથી કરતા તેના ઉપર તાત્કાલિક એકશન લેવામાં આવે
કોઈ કારણોસર ખેડૂતોના જે તે ફિડરમાં નિયમ પ્રમાણે લાઈટ મળતી નથી, તો તેવા ફિડરમાં તાત્કાલિક નિયમ પ્રમાણે લાઈટ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
કોઈ કારણોસર જીઈબી માં ફોલ્ટને હિસાબે સમયમાં ફેરફાર થાય તો તે સમયના ભાગની લાઈટ ફરીથી વધારે આપવી જોઈએ, પિયત પાક માં જે ખેડૂતના ટીસી ખરાબ થાય છે, ત્યારે તેને તાત્કાલિક જો સમયસર બદલવામાં ન આવે તો ખેડૂતોના પાકને નુકસાન જાય છે. જેથી કરી ખેડૂતોના ટીસી તાત્કાલિક બદલવામાં આવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
આઠ કલાકના મર્યાદિત લાઈટના સમયની અંદર પણ વારંવાર પાવર ઝટકાના હિસાબે ખેડૂતોની પરેશાનીઓ વધે છે. તેને હિસાબે નાની મોટી જેમ કે મોટર બળી જવી, લાઈન તૂટી જવી, મજૂરી ખર્ચ વધવો, જેવી આર્થિક નુકશાની નો પણ ખેડૂતો ભોગ બનવો પડે છે.
શિયાળાની ઠંડીમાં પણ ખેડૂતોને રાત્રે પાણી વારવા જાઉં પડે છે. આ વિકાસશીલ ગુજરાત રાજ્યના ખેડૂતોની આવી હાલત, વારંવાર ભારતીય કિસાન સંઘની સંધની વર્ષો જૂની માંગણી છે. ખેડૂતોને દિવસથી લાઈટ આપવી જોઈએ, પરંતુ તે પ્રશ્ન તો સરકાર તાત્કાલિક સોલ કરતી નથી, જ્યાં સુધી ખેડૂતોને દિવસની લાઈટ ન મળે ત્યાં સુધી રાત્રે પણ જે આઠ કલાક ખેડૂતોને લાઈટ મળે છે. તે નિયમ પ્રમાણે અને કોઈપણ જાતના ફોલ્ટ વિના પૂરેપૂરા સમય પ્રમાણે મળે તેવી ભારતીય કિસાન સંઘ ની માંગણી છે,
ગામડાઓ અને વાડીઓના ફીડરની લાઈટ ની અંદર રીપેરીંગ કરવાનો છે પણ સમય લાગે તે સમયની ખેડૂતોને જાણ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ, તે જાણના અભાવે ઘણી વખત 24 ક્લાક ખેડૂતો વાડી ઉપર લાઈટની વાટ જોઈને બેઠા હોય છે,
ખેડૂતોના પ્રશ્ન ની અંદર તાત્કાલિક સુધારો નહીં આવે તો મજબુર ન ભારતીય કિસાન સંઘ આંદોલનના માર્ગે જશે અને તેની જવાબદારી પીજીવીસીએલ રહેશે. ભારતીય કિસાન સંઘ રાજકોટ જીલ્લા પ્રમુખ દિલીપભાઈ સખીયા, પ્રભુદાસભાઈ મણવર,રમેશભાઈ ચોવટિયા, ભરતભાઈ પીપળીયા, જીવનભાઈ વાછાણી, રમેશભાઈ હાપલીયા, મનોજ ડોબરિયા, મહિપાલસિંહ જાડેજા, ધર્મેશભાઈ સોરઠીયા, માધુભાઈ પાંભર, બચુભાઈ ધામી, શૈલેશભાઈ સીદપરા, અશોકભાઈ મોલીયા, મુકેશભાઈ રાજપરા, રમેશભાઈ લક્કી, ભુપતભાઈ કાકડિયા, ભાવેશભાઈ રૈયાણી, દીપકભાઈ લીંબાણીયા, ઠાકરશીભાઈ પીપળીયા, કિશોરભાઈ લક્કડ, વિઠલભાઈ બાલધા, વિનુભાઈ દેસાઈ, કાળુભાઈ ચાવડા, જગાભાઈ ઝાપડિયા, જાલાભાઈ રાતડીયા, વિપુલભાઈ સુદાણી, ભરતભાઈ પાંભર, જમનભાઈ પાગડા તેમજ જીલ્લા અને તાલુકાના કાર્યકર્તા તથા તમામ ખેડૂતો૫શુપાલકોની માંગણી છે.
(ફોટો : જીત જોશી)