રાજકોટ : મોરબી જીલ્લાના અનેક ગામો સિંચાઈની સુવિધાથી વંચિત છે અને રવિપાક લેવાની સીઝન આવી છે જેથી સિંચાઈ વિહોણા ગામોને સૌની યોજના કેનાલમાંથી સિંચાઈ સુવિધા આપવામાં આવે તેવી માંગ સંસ્થાએ કરી છે.
રાજ્યના મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે સૂકી ખેતીમાં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ , એટલે કે સૂકી દુષ્કાળ અને લીલો દુષ્કાળ નો ભય રહેતો હોય છે. જેના કારણે આ વિસ્તારના ખેડૂતો ખેતીનો વ્યવસાય છોડી ને અન્ય જગ્યા એ મજૂરી કામો માટે પોતપોતાના ગામો છોડી રહ્યા છે. મોરબી જિલ્લાના વર્ષામેડી, બોડકી, ખીરસરા, બગસરા, ચમનપર, નાનાભેલા, જાજા સાર, ભાવપર, લક્ષ્મીવાસ કુંતાસી, રાજપર, તેમજ અન્ય ગામોની તપાસ કરવી ને જાત માહિતી મેળવી શકો છો. જો કે અન્ય ગામો ની પણ સારી સ્થિતિ નથી.
મોરબી માળીયા વિધાન સભા ની પેટા ચૂંટણી ના પ્રચાર અર્થે મોરબી મુકામે યોજવામાં આવેલ જાહેર સભામાં આપે આ વિસ્તારના સિંચાઇ ના પ્રશ્ને ચિંતા વ્યક્ત કરી હતી જેથી સિંચાઈનો પ્રશ્ન તાકીદ ઉકેલવા માંગ કરી છે. આ વિસ્તારમાં સૌની યોજનાનાના મધર ડેમ એવા મચ્છુ-2 ડેમ માથી તેમજ અન્ય મચ્છ.3 ડેમ માથી કેનાલ દ્વારા આ વિસ્તારને સિંચાઇનું પાણી આપવા બાબતે જરૂર ન્યાય આપવા માંગ કરાઈ છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો